નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય નાં,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાઈ નાં,(2)
સ્વાર્થનું સંગીત ચારેકોર ગાજે,
દુનિયામાં કોઈનું કોઈ નથી આજે,(2)
તનનો તંબૂરો મારો બેસુરો થાય નાં,ઝાંખો ઝાંખો .....
પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા,(2)
રાગ અને ધ્વેશ આજે ઘેર ઘેર ગોન્ધાતા,
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય નાં,ઝાંખો ઝાંખો ......
શ્રધાના દીવડાને,જલતો જ રાખજે,(2)
નીશ દિન સ્નેહનું દીવેલ એમાં પુરજે,
મનના મંદિરીએ મારે અંધારું થાય નાં,ઝાંખો ઝાંખો .......
નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય નાં,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાઈ નાં,(2)
No comments:
Post a Comment