Wednesday, November 27, 2019

પ પૂ બાપજી ની ૫૧ મી પુણ્યતિથિ






પ પૂ બાપજીની  ૫૧ મી પુણ્યતિથિ 







અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત....
આજે પ પૂ બાપજીની  ૫૧ મી પુણ્યતિથિ નિમિતે પૂજ્ય બાપજીને શસ્તાંગ દંડવત 

જય ગુરુદેવ 
જય અવધૂત.

Tuesday, November 26, 2019

સુંદરકાંડ પાઠનાં લાભ

                                     સુંદરકાંડ પાઠનાં લાભ




(૧)સુંદરકાંડનો પાઠ:એવી માન્યતા છે કે હનુમાનજી સાથે જોડાયેલો કોઈ પણ મંત્ર અથવા પાઠબીજા કોઈ પણમંત્રથી અધિક શક્તિશાળી હોય છે હનુમાનજી પોતાના ભક્તોને તેમની   ઉપાસના ના ફળ માં બળ
અને શક્તિ આપે છે

(૨) સુંદરકાંડના ફાયદા:આજે આપણે વિશેષ રૂપથી સુંદરકાંડ પાઠનાં મહત્વ અને તેનાથી મળનારા
 લાભ પર વાત કરીશું .ભક્તો દ્વારા હનુમાનજીને કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.હનુમાન ચાલીસા આબાલ વૃદ્ધ તેમજ નાના બાળકોને પણ જલ્દી યાદ રહી જાય છે.

(૩ )હનુમાન ચાલીસા સિવાય જો સુંદરકાંડના પાઠનાં લાભ જાણી લેશો તો રોજ કરવાના પસંદ કરશો.હિન્દૂ ધર્મ નીપ્રસિદ્ધ માન્યતા પ્રમાણે સુંદરકાંડ પાઠ કરવાવાળા ભક્તની મનોકામના જલ્દી પુરી થઇ જાય છે.

(૪)સુંદરકાંડ,ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલા રામચરિતમાનસના સાત અધ્યાયોમાંનો પાંચમો અધ્યાય છે.રામચરિતમાનસના બધા અધ્યાયોભગવાનની ભક્તિ માટે છે  પરંતુ સુંદરકાંડનું મહત્વ વધારે
બતાવવામાં આવ્યું છે

(૫) જ્યા એકબાજુ આખા રામચરિત માનસમાં ભગવાનના ગુણો બતાવાયા છે તેનો મહિમા બતાવાય  છે. પણ બીજી બાજુ સુંદરકાંડની કથા બધાથી જુદી છે.તેમાં ભગવાન રામના ગુણોની નહિ પરંતુ તેમના ભક્તના ગુણો અને તેના વિજયની વાત બતાવવામાં આવી છે.

(૬) હનુમાન પાઠનો લાભ: સુંદરકાંડનો પાઠ કરનારા ભક્તને હનુમાનજી બળ આપે છે.તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ ભટકી શકતી નથી,એવી રીતની શક્તિ તે ભક્ત મેળવે છે.એ પણ માનવામાં આવે છે કે જયારે ભક્તનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય અથવા જીવનમાં કોઈ કામ થતું ન હોય તો સુંદરકાંડનો પાઠ કરવાથી બધા કામ જાતે જ થવા લાગે છે.

(૭) શાસ્ત્રીય માન્યતાઓ :ખાલી શાસ્ત્રીય માન્યતાઓએ જ નહિ વિજ્ઞાને પણ સુંદરકંદપાઠનાં મહત્વને સમજાવ્યું છે.જુદા જુદા મનોવૈજ્ઞાનિકો ના મત પ્રમાણે સુંદરકાંડનો પાઠ ભક્તનો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારે છે

(૮)સુંદરકંદપાઠનો અર્થ :આ પાઠની એક એક પંકતિ અને તેની સાથે જોડાયેલો અર્થ ભક્તને જીવનમાં ક્યારે ય હાર ન માનવાની શીખ આપે છે મનોવૈજ્ઞાનિકોના પ્રમાણે કોઈ મોટી પરીક્ષામાં સફળ થવું હોય તો પરીક્ષા પહેલાં સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

(૯)મહત્વજો સંભવ હોય તો વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.તે પાઠ તેની અંદર આત્મવિશ્વાસ જગાડશે અને તેને સફળતાની નજીક લઇ જશે.

(૧૦)સફળતાનાં સૂત્ર:તમને કદાચ ખબર નહિ હોય પણ જો તમો સુંદરકાંડના પાઠની પંક્તિઓનો અર્થ જાણશો તો તમને એ ખબર પડશે કે તેમાં જીવનની સફળતાનાં સૂત્રો પણ બતાવાયા છે.

(૧૧)સફળ જીવનનો મંત્ર:આ સૂત્ર જો વ્યક્તિ પોતાના જીવન પર અમલ કરે તો તેને સફળ થતા કોઈ રોકી ન શકે.એટલે એવી સલાહ આપવામાં આવે છે કે રામચરિત માનસનો કોઈ પૂરો પાઠ ન કરી શકે તો ઓછામાં ઓછો સુંદરકાંડનો પાઠ જરૂર કરવો જોઈએ.

(૧૨) કયા સમયે પાઠ કરવોએવું પણ કહેવામાં આવે છે કે જયારે ઘરમાં રામાયણનો પાઠ રાખો તો તે પુરા પાઠમાંથી સુંદરકાંડનો પાઠ ઘરના કોઈ સદસ્યએ કરવો જોઈએ.તેનાથી ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવાહ થાય છે.

(૧૩)જ્યોતિષનો લાભ :જ્યોતિષની નજરોથી જોવામાં આવે તો આ પાઠ ઘરના બધા સદસ્યો ઉપર ઘૂમી રહેલા અશુભ ગ્રહો થી છોડાવે છે.જો તે જાતે પાઠ ન કરી શકે તો ઓછામાં ઓછું ઘરના બધા સભ્યોએ આ પાઠ જરૂર સાંભળવો જોઈએ.અશુભ ગ્રહોના દોષોને દૂર કરવા માટે સુંદરકાંડનો પાઠ લાભકારી છે.

(૧૪) આત્માની શુદ્ધિ :સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મિક લાભ મળે છે.આત્મા શુદ્ધ થાય છે.સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મા પરમાત્માને મળવા તૈયાર થાય છે.માણસ આ જીવન રૂપી દુનિયામાં જે કરવા આવ્યો છે તે જ કરે છે.અને સુંદરકાંડનો પાઠ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે.

(૧૫)રોગોને દૂર કરે:સુંદરકાંડનો પાઠ એક તીરથી કેટલાય નિશાનો લગાવવાનું નામ છે.પાઠ કરવાથી રોગો દૂર થાય છે.તેનાથી તમારી દરિદ્રતા દૂર થાય છે.

(૧૬)માનસિક સુખ :જો કોઈ વ્યક્તિ સતત સુંદરકાંડનો પાઠ કરે છે તો તેના ઘણા લાભ મળે છે. સુંદરકાંડનો પાઠ નિરંતર કરવાથી માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.

(૧૭)અનહોની દૂર થાય :કદાચ તમો કોઈ એવી જગાએ રહો છો જે સુમસામ છે.અને તમોને હંમેશા કોઈ અહ્નોનીનો ડર રહેતો હોય તો તમો સુંદરકાંડનો પાઠ કરો.તેનાથી તમારી પાસે આવનારી દરેક સમસ્યાઓ દૂર રહે છે.

(૧૮) છોકરા આદર ન આપે તો: જો તમારા છોકરાઓ તમારું સાંભળે નહિ અને વડીલોનો આદર ન કરે તો તમો તમારા બાળકોને સુંદરકાંડનો પાઠ કરવા પ્રેરી શકો છો.જો તેઓ તેમના સંસ્કારો ભૂલી ગયા હોય તો સુંદર કાંડનો પાઠ છોકરાઓ સાથે કરાવી શકો છો.

(૧૯) દેવામાંથી છુટકારો જો તમારે માથે ખુબ દેવું થઇ ગયું હોય તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
પાઠ દેવામાંથી મુક્તિ અપાવે છે.

:(૨૦)ભયભીત મન માટે :જો તમને રાતે ડર લાગતો હોય અને ખરાબ સપના આવતા હોય તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.જેવી રીતે હનુમાનચાલીસાનો પાઠ કરવાથી મનને ભયથી મુક્તિ મળે છે.બસ એવી જ રીતે સુંદરકાંડનો પાઠ કરવાથી મનને ભયથી મુક્તિ મળે છે.

(૨૧) હનુમાનજીની કૃપા :સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજીની કૃપા થતી રહે છે,ફક્ત હનુમાનજીની જ નહિ ભગવાન રામજીની કૃપા પણ થાય છે જો શ્રી હનુમાનજી અને ભગવાન શ્રી રામજી બંનેની કૃપા મેળવવા ઈચ્છો છો તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

(૨૨) ગૃહ કલેશથી છુટકારોસુંદરકાંડનો પાઠ કરવાથી ગૃહકલેશ થતો અટકી જાય છે.ઘરમાં સકારાત્મક શક્તિઓનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓમાંથી છુટકારો મળે છે.

(૨૩)વિદ્યાર્થીઓ માટે લાભદાયક: જો વિદ્યાર્થીઓ સુંદરકાંડનો પાઠ કરે તો તેમને વિદ્યાર્થી જીવનમાં સફળતા મળે છે.તેમનું ભણતરમાં ધ્યાન લાગે છે.અને પરીક્ષામાં સારા માર્ક આવે છે.એટકે વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ જરૂર કરવો જોઈએ.

(૨૪)ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ એવું માનવામાં આવે છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી ઘરમાં વાતાવરણ સકારાત્મક તથા આનંદમયી રહે છે.જો સુંદરકાંડનો પાઠ ઘરના જ કોઈ સભ્ય દ્વારા કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે.

(૨૫) અશુબ ગ્રહો દૂર થાય:સુંદરકાંડનો પાઠ કરવાથી અશુભ ગ્રહોની સ્થિતિને શુભ બનાવી શકાય છે માટે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

(૨૬)ક્યારેય હાર ન માનવી: જીવનમાં એવા કેટલાય અંતરાય આવે છે જયારે આપણે હારી જઇયે છીએ.મન દુઃખી થઇ જાય છે તેમાં આપણે હાર માનવી ન જોઈએ.સુંદરકાંડનો પાઠ તમને જીવનમાં ક્યારે પણ હાર ન મળે તેની શક્તિ આપે છે.

જય શ્રી રામ 
જય શ્રી હનુમાનજી મહારાજ.

(એક લેખના આધારે)
રજુઆત-મહેન્દ્ર ભટ્ટ. 

       

Monday, November 18, 2019

એક રાજાની વાત




એક રાજાની વાત


એક પિતાએ એક વખત એક વેપારી પાસે ૧૦૦૦ રૂપિયા જમા કરાવી, વ્યાજ સાથે સારી રકમ લાંબા સમય પછી મળે જેથી તે પોતાની દીકરીના લગ્ન સારી રીતે કરી શકે વેપારીએ રકમ જમા કરી અને ભરોષો આપ્યો કે તેમને તે પ્રમાણે રકમ મળશે ગામડામાં ભરોષો મોટી વાત હતી  વેપારીનું સારું નામ હતું પિતા પણ ખુશ થયા તે ગામડું એક રજવાડામાં આવતું હતું જયારે રાજાની સવારી નીકળે ત્યારે સહુ રાજાને ખુશીથી સલામ આપતા.પ્રજા ખુશ રાજા ખુશ
સમય જતા પિતાની દીકરી મોટી થઇ અને પિતાએ પોતાની ફરજ નિભાવવા તેના લગ્ન કરવાનું નક્કી કર્યું પણ પહેલા વેપારી પાસે મુકેલી રકમ વ્યાજ સાથે ઘણી મોટી થઇ ગઈ હશે જે મેળવવા તેણે વેપારી પાસે જવાનું નક્કી કર્યું જયારે પિતાએ વેપારી પાસે જઈ પોતાની રકમ અંગે રજુઆત કરી તો વેપારીએ તેમને નારાજ કરી કહ્યું,
 ‘તમારા કોઈ પૈસા અહીં નથી કોઈ લખાણ હોઈ તો બતાઓ ‘ અને પિતાના દિલે ધ્રાસ્કો પડ્યો તેણે વિનંતી કરી શેઠજીને હાથ જોડી કહ્યું,
 ‘ શેઠજી આપણા ગામમાં ક્યાં કોઈ લખાણ કરે છે જો પૈસા ન મળે તો મારી દીકરીના લગ્ન કેવી રીતે કરીશ એટલા સમય પછી મારી રકમ વધીને ૧૫૦૦ થઇ હોવી જોઈએ શેઠ મહેરબાની કરો, તમારી પણ દીકરી છે,’

પણ શેઠીયાએ કોઈ દાદ ન આપી નિરાશ બાપે ઘરે આવી પોતાની પત્નીને વાત કરી બંને ને ખબર ન પડી શું કરવુંપણ બીજે દિવસે પત્નીએ પતિને કહ્યું શા માટે આ વાત આપણા રાજાજીને ન કરવી
તે જરૂર કોઈ રસ્તો કાઢશે અને પત્નીનો વિચાર સારો લાગતા પતિએ રાજા પાસે જવાનું નક્કી કર્યું બીજે દિવસે રાજાનો દરબાર ભરાયો ત્યાં રૈયતની બધી વાતો રાજા સાંભળતા અને યોગ્ય ન્યાય આપતા જયારે પિતાએ પોતાની વાત દરબારમાં કહી તો એવું પહેલા ક્યારેય થયું ન હતું પણ પિતાની વાત માં સચ્ચાઈ દેખાતા જયારે રાજાની સવારી આવે ત્યારે વેપારીના ઘરની સામે પિતાને ઉભા રહેવાની સલાહ આપવામાં આવી

બીજે દિવસે પિતાએ તે પ્રમાણે કર્યું  રાજાની સવારી આવી , બધા લોકોએ  સલામી આપી તેમાં વેપારી પણ સામેલ હતો જયારે રાજા પિતા પાસે આવ્યા ત્યારે તેમણે પિતાને પોતાની સાથે બેસવા કહ્યું પેહલા તો પિતાને સંકોચ થયો પણ રાજાના આગ્રહ થી તે બેસી ગયો અને સવારી આગળ નીકળી વેપારીએ આ જોયુંને તેની આંખો ચાર થઇ થોડા આગળ જઈને રાજા બોલ્યા,
 ‘ હવે તમે ઘેર જઈને નિરાંતે બેસો તમારું કામ થઇ ગયું ‘ પિતા સમજ્યા નહિ પણ રાજાની વાત માથે ચઢાવી ઘેર ગયો ત્યાં તેની પત્નીએ પૂછ્યું એટલે રાજાની વાત તેણે કહી પત્નીને પણ કોઈ સમજ ન પડી પણ રાજા ઉપર ભરોષો રાખી બંને બેઠા થોડીવાર થઇ ત્યાં વેપારી આવ્યો અને હસતા મોઢે બોલ્યો,
 ‘ મારા ગુમાસ્તા પાસેથી ખબર પડી તમારા ૧૫૦૦ રૂપિયા છે પણ હું તમને બીજા પાંચસો આપું છું જે મારા તરફથી બક્ષીશ હવે દીકરીના લગ્ન ખુશીથી કરો બીજા પૈસાની જરૂર હોય તો કહેજો, રાજાજી ને મારા સલામ કહેજો’અને પૈસા મળતા ખુશ થયેલા કુટુંબને રાજાજીની ખુબ મદદ મળી

આવી રાજાજીની વાતથી એક પિતાનું કામ થઇ ગયું તો પરમ પિતા પરમેશ્વર પણ એક મોટા રાજા જ છે સાચા હશો તો મદદ મળતા વાર નહિ લાગે.

એક બીજા રાજાની વાત,જે રાજા પ્રજાના કોઈ પણ વ્યક્તિ સામે મળે એટલે કોઈને કોઈ કિંમતી ભેટ સામાન વગેરે આપી દે, રાજાની આવી હરકતથી પ્રધાન ખુબ પરેશાન હતા  કેમકે રાજા આમ ને આમ કિંમતી વસ્તુઓ લૂંટાવે તો એક દિવસ ખજાનો ખાલી થઇ  જાય અને મુશ્કેલીના સમયમાં શું થાય એટલે પોતાની આગવી બુદ્ધિનો ઉપીયોગ કરી તેણે એક વખત રાજાને હિમ્મત કરી કહ્યું, જોકે રાજાને સાચી વસ્તુ યાદ કરાવવાની તેની જવાબદારી હતી,પણ રાજા વાજા ને વાંદરા એટલે સતત તકેદારી રાખવી સારી એ પ્રમાણે તેણે કહ્યું
'મહારાજ,આ પ્રજા આપણી સાથે જોડાયેલી છે અને આપને અપાર પ્રેમ છે પરંતુ જ્યાં ગોળ હોય ત્યાં માખી આવેજ,એટલે આમ ને આમ તો ખજાનો ખાલી થઇ જાય.'રાજાનો મૂડ સારો હતો એટલે પ્રધાનની વાત સાંભળી અને તેના પર વિચારવા લાગ્યા,કઈ બોલ્યા નહિ એટલે પ્રધાનને લાગ્યું કે પોતાની વાત સાચી લાગી.કેટલાક દિવસો પસાર થયા અને અડધી રાતે એક દિવસ રાજા જાગ્યા અને સેવકો પાસે ગોળ મંગાવી પોતાની બેઠકની સામે એક ટેબલ પર મુકાવ્યો,અને પહેરેદારને કહ્યું અત્યારે પ્રધાનજીના આવાસમાં જાઓ અને  તેમને બોલાવી લાવો.રાજાના હુકમનું પાલન થયું અને પ્રધાને અનુચરની વાત સાંભળી નવાઈ અનુભવી વિચાર્યું શું થયું હશે કોઈ યુદ્ધની વાત હોય અથવા કોઈ તાત્કાલિક તકલીફની વાત હોય તો જ રાજાજી આવી રીતે બોલાવે એટલે તરત તૈયાર થઇ પ્રધાનજી ત્યાં આવ્યા
રાજા સિંહાસન બેઠા હતા સામે એક ટેબલ ઉપર ગોળ પડ્યો હતો જ્યાં તેમની નજર રાજા સાથે મળી ત્યાં રાજા બોલ્યા,
'પ્રધાનજી જુઓ આ ગોળ ટેબલ પર પડ્યો છે અને એક પણ માખી અહીં નથી.જે તમે કહેલી વાતને ખોટી પડે છે.એ બાબતમાં શું અભિપ્રાય છે.'પ્રધાને મોઢા ઉપર સ્મિત લાવતા કહ્યું,
'પ્રભુ ,ભૂલ ચૂક ક્ષમા,પણ અત્યારે રાત્રી છે રાત્રીના સમયમાં માંખી ક્યાંથી હોય/'
રાજા વિના વિલંબ હસતા બોલ્યા ,
'પ્રધાનજી સાવ સાચી વાત છે,પરંતુ વિચારો કે મારી પણ રાત આવી જશે પછી અંધારા સિવાય બીજો કોઈ અનુભવ થવાનો નથી,ખજાનો અહીં નો અહીં રહી જશે.તમે પ્રજાના ચહેરા તો જુઓ કેટલા આનંદિત છે પછી કોણ આવશે.'રાજાની વાતનો પ્રધાન પાસે કોઈ જવાબ ન હતો.



રજુઆત મહેન્દ્ર ભટ્ટ( એક હિન્દી લેખના આધારે)

Tuesday, November 12, 2019

શુક્લતીર્થ ગામે કારતક સુદ પૂર્ણિમાનો મેળો



Image may contain: sky and outdoor


No photo description available.No photo description available.No photo description available.
                                                                                                                                                                           
શુક્લતીર્થ એ એક નર્મદા કિનારે આવેલું મહાન તીર્થ છે ત્યાં કારતક સુદ પૂનમનો મેળો ભરાય છે.તે ખુબ જ પવિત્ર અને આહલાદક છે.તીર્થયાત્રીઓ ખુબ જ પ્રમાણમાં તેનો લાભ લે છે તે અંગે કેટલીક માહિતી નો લેખ મળતા અહીં પ્રસ્તુત કર્યો છે.શુક્લતીર્થમાં બાળપણના કેટલાક વર્ષોના સંસ્મરણો છે,એટલે તે તીર્થ માટે અપાર ભાવ સાથે સહુ વાચક મિત્રોને મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.



Tuesday, November 5, 2019

હર હાલમે ખુશ રહેના (હિન્દી ભજન )



હર હાલમે ખુશ રહેના (હિન્દી ભજન )





હર હાલમે ખુશ રહેના સંતોંસે શીખ જાયે મહેફિલમેં જુદા રહેના સંતો સે શીખ જાયે (૨) 

ઝંઝટસે દૂર રહેના સબ લોક શીખાતે હૈ (૨) ઝંઝટસે બચકે રહેના સંતોંસે શીખ જાયે ....હર હાલ ...

સુખ દુઃખમેં હસના રોના હૈ કામ કાયરોકા(૨) દોનોમેં મુસ્કરાના સંતોંસે શીખ જાયે (૨)

મરનેકે બાદ મુક્તિ સબ લોક બતાતે  હૈ (૨) જી તે જી મુક્ત રહેના સંતો સે શીખ જાયે ....હર હાલ .....

દુનિયાકે લોક દૌલતકો પાકે મુસ્કુરાતે (૨) પર ભિક્સુ બનકે હસના સંતોંસે શીખ જાયે(૨)

હર હાલમે .............(૩)

Saturday, November 2, 2019

ટિમ ટિમ કરતે તારે (ફિલ્મી ગીત)

ટિમ ટિમ કરતે તારે (ફિલ્મી ગીત)




ટિમ ટિમ કરતે તારે યે કહેતે  હૈ સારે, સોજા  તો હે  સપનોમે નિંદીયા પુકારે ...ટિમ ...ટિમ....
સપનોકે દેશકા ચંદામામા રાજા,બતા રહા હૈ,બજા બજાકે સાત સુરોંકા બાજા
ચોરી  ચોરી કરકે યે કરતે ઈશારે ...ટિમ ટિમ ...
રંગ બે રંગી પરીયા તુઝે ઝુલેમેં ઝુલાયેંગી ,બિલ્લી, તોતા, મૈના કી યે કહાની ભી સુનાયેંગે
અચ્છે અચ્છે તુંજે ખીલૌને દેંગે પ્યારે પ્યારે ...ટિમ ટિમ ....
બાદલોંકી પાલખીમે મુન્નેકો બિઠાકે,ચંદામામા સારા જગ લાયેગા ગુમાંકે
લૌટ કે આયે શાનસે મેરા રાજા મેરે બારે ...ટિમ ..ટિમ...