Thursday, September 7, 2023

જન્માષ્ટમીની શુભકામના






 પ્રિય  વાચક મિત્રો,

જન્માષ્ટમીની સહુ મિત્રોને  કુટુંબ સાથે ‘મોગરાના ફૂલ ‘બ્લોગ વતી 

ખુબ ખુબ શુભકામના, 

જય શ્રી કૃષ્ણ.





Friday, September 1, 2023

જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન

 .      જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન


1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે.


2. *હાયપરટેન્શન* માત્ર *મીઠું* કે તેનાથી બનેલા ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *લાગણીઓના મેનેજમેન્ટ* માં ભૂલોને લીધે અને ભૂલો છૂપાવવાની મથામણ થકી પણ થાય છે.


3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી થતું પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.


4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* મનની ઉપર છવાઈ જવાથી ફેફસાંને અસ્થિર બનાવે છે તે પણ કારણભૂત હોઈ શકે છે.


5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ પરિવારના તરફેણ અર્થે સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડી શકે છે.


6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે.


7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વાઈકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી (વધુ વજન) અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે હોય શકે છે. 


      *આ મુજબ આવા તમામ રોગોમાં માનસિક વલણ જવાબદાર હોય છે*


*માટે જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..*


▪ગુસ્સો ના કરો.

▪એકબીજા ને માફ કરો.

▪જીવનમાં કોઈ પણ બનાવને દરગુજર કરો. 

▪બીજા પાસે બહુ અપેક્ષાઓ નહિ રાખો.

▪તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાથી થઈ હોય એટલે કડક અભિગમ ના રાખો.

▪અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે, પંચ મહાભૂતનો દેહ પંચ મહાભૂતમાં જ મળી જવાનો છે એમ સાંખ્ય વિચાર રાખી મનને મનાવી લેતા શિખી લો અને અહમ ના રાખો.

▪કમ ખાઓ, ગમ ખાઓ અને નમી જાઓ એ ઉક્તિ જીવન સાથે વણી લો. 

▪પૂરતી ઊંઘ લો. ઉંઘવા માટે પણ મનને સંતુષ્ટ રાખવું જરૂરી હોઈ મનને આધ્યાત્મિક કસરત આપો. 

▪નિયમિત જીવન જીવો. સદાચાર અપનાવો. 

▪ખોટી ચર્ચા દલીલો થી બચો કારણ આ મનમાં માન અપમાનની લાગણી ઉત્પન્ન કરે છે. અને મન વિચલિત થયા કરતું હોય છે. 

▪દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો. જેથી તમને પણ સામેથી માન પ્રેમ મળશે અને મનમાં સંતોષની લાગણી ઉઠશે. 

▪તમારાથી નાની ઉંમરનાં ઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો. આ રીત નિરોગી જીવન જીવવા માટેનો જીવનમંત્ર છે. કારણ પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.

▪ઉપરના ફેરફાર થકી મનને ઠીક કરો.

▪સદાય પ્રસન્ન રહો. સંતુષ્ટ રહો. 

▪નિયમિત યોગ  કે હળવી કસરતો કરો અને અન્ય માટે પ્રાર્થના કરો.

▪આધ્યાત્મિકતા અપનાવો, ધ્યાન  કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.


_*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનને નિરોગી રાખી જીવનને વધુ આનંદમય બનાવો.*_

 (એક પબ્લિશ્ડ લેખ )