પ્રિય વાચક મિત્રો,
જન્માષ્ટમીની સહુ મિત્રોને કુટુંબ સાથે ‘મોગરાના ફૂલ ‘બ્લોગ વતી
ખુબ ખુબ શુભકામના,
જય શ્રી કૃષ્ણ.
વાચક મિત્રો, મોગરાના ફૂલ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે.વિધ વિધ ગુજરાતી સામગ્રી આ બ્લોગમાં રજુ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં લઇ આપની કૉમેન્ટ્સ જરૂર આપશો જેથી આપની પસંદગીનું લખાણ પણ મૂકી શકાય,ભૂલ ચૂકને માફી આપી સતત પ્રેમથી સ્વીકારી આપના ગમા અણગમાથી અમને વાકેફ કરશો,આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ. If you like paintings please visit my http://www.ompaintingblog.com/ Thanks.
પ્રિય વાચક મિત્રો,
જન્માષ્ટમીની સહુ મિત્રોને કુટુંબ સાથે ‘મોગરાના ફૂલ ‘બ્લોગ વતી
ખુબ ખુબ શુભકામના,
જય શ્રી કૃષ્ણ.
. જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન
1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે.
2. *હાયપરટેન્શન* માત્ર *મીઠું* કે તેનાથી બનેલા ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *લાગણીઓના મેનેજમેન્ટ* માં ભૂલોને લીધે અને ભૂલો છૂપાવવાની મથામણ થકી પણ થાય છે.
3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી થતું પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.
4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* મનની ઉપર છવાઈ જવાથી ફેફસાંને અસ્થિર બનાવે છે તે પણ કારણભૂત હોઈ શકે છે.
5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ પરિવારના તરફેણ અર્થે સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડી શકે છે.
6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે.
7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વાઈકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી (વધુ વજન) અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે હોય શકે છે.
*આ મુજબ આવા તમામ રોગોમાં માનસિક વલણ જવાબદાર હોય છે*
*માટે જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..*
▪ગુસ્સો ના કરો.
▪એકબીજા ને માફ કરો.
▪જીવનમાં કોઈ પણ બનાવને દરગુજર કરો.
▪બીજા પાસે બહુ અપેક્ષાઓ નહિ રાખો.
▪તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાથી થઈ હોય એટલે કડક અભિગમ ના રાખો.
▪અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે, પંચ મહાભૂતનો દેહ પંચ મહાભૂતમાં જ મળી જવાનો છે એમ સાંખ્ય વિચાર રાખી મનને મનાવી લેતા શિખી લો અને અહમ ના રાખો.
▪કમ ખાઓ, ગમ ખાઓ અને નમી જાઓ એ ઉક્તિ જીવન સાથે વણી લો.
▪પૂરતી ઊંઘ લો. ઉંઘવા માટે પણ મનને સંતુષ્ટ રાખવું જરૂરી હોઈ મનને આધ્યાત્મિક કસરત આપો.
▪નિયમિત જીવન જીવો. સદાચાર અપનાવો.
▪ખોટી ચર્ચા દલીલો થી બચો કારણ આ મનમાં માન અપમાનની લાગણી ઉત્પન્ન કરે છે. અને મન વિચલિત થયા કરતું હોય છે.
▪દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો. જેથી તમને પણ સામેથી માન પ્રેમ મળશે અને મનમાં સંતોષની લાગણી ઉઠશે.
▪તમારાથી નાની ઉંમરનાં ઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો. આ રીત નિરોગી જીવન જીવવા માટેનો જીવનમંત્ર છે. કારણ પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.
▪ઉપરના ફેરફાર થકી મનને ઠીક કરો.
▪સદાય પ્રસન્ન રહો. સંતુષ્ટ રહો.
▪નિયમિત યોગ કે હળવી કસરતો કરો અને અન્ય માટે પ્રાર્થના કરો.
▪આધ્યાત્મિકતા અપનાવો, ધ્યાન કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.
_*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનને નિરોગી રાખી જીવનને વધુ આનંદમય બનાવો.*_
(એક પબ્લિશ્ડ લેખ )