Sunday, April 26, 2020

અખાત્રીજ


અખાત્રીજ






અખાત્રીજની સહુ વાચક મિત્રોને શુભેચ્છાઓ
કેટલુંક આ વિષય વિષે .


અક્ષયતૃતીયા  ( અખાત્રીજ )  નું મહત્વ શુ છે ?વૈશાખ સુદ ત્રીજ  અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે

 .. ૧ અક્ષય તૃતીયા નાં  દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં      શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.

.. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

..૩   આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ  વિ કરવું જોઈએ

..૪  અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું  આરંભ કરેલ

.. ૫  અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ

.. ૬  અક્ષયતૃતીયાનાં દિવસે સતયુગ અને તેત્રાયુગ નો આરંભ થયેલ..

.. ૭  અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે  અખૂટ ભોજન થી ભરપુર રહેતું.

.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ.

..૯  અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા

.. ૧૦  અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે,

..૧૧  અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે

..૧૨   અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા

..૧૩   અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ.

.. ૧૪  અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.

..૧૫  અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત  બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય          મંદિરોનાં દ્વાર ખૂલે છે.

..૧૬  અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ  થયેલ.

..17  બ્રહ્મા જી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

..૧૮    અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે,

સનાતન (હિન્દુ)  ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય  મૂહુર્ત  માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે -  જેનો ક્ષય કે નાશ ન થાય.                  માટે આ દિવસે દાન પુણ્ય વગેરે શુભ કાર્ય કરવા.

🌷ગુરુ ચરણ માં દંડવત પ્રણામ🌷
જય શ્રી કૃષ્ણ ( એક પબ્લિશ લેખ.)

Thursday, April 2, 2020

રામનવમી

રામનવમી 

ચૈત્ર સુદ નોમ,ચૈત્રી નવરાત્રનો નવમો દિવસ, મર્યાદા પુરુસોત્તમ શ્રી રામનો જન્મ દિવસ ત્રેતાયુગમાં રાવણના અત્યાચારો વધતા ધર્મની ફરી સ્થાપના કરવા વિષ્ણુ ભગવાને શ્રીરામના રૂપમાં અવતાર લઇ રાવણને મારી પૃથ્વીનો ભાર હર્યો હતો તેવા શ્રી રામના જન્મ દિવસની આપ સહુને શુભેચ્છા,ધરતી ઉપર છવાયેલું કોવિદ -૧૯ નું ઘેરું વાદળ ઝડપથી દૂર થઇ માનવજાતિમાં રાહત થાય તેવી પ્રભુ પાસે તેમના જન્મ દિવસે પ્રાર્થના કરીએ,સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી સહકાર આપી સલામત રહીયે.


જય શ્રી રામ.