Saturday, May 16, 2020

રાધે કૃષ્ણ

રાધે કૃષ્ણ 



આ એક કાલ્પનિક વાર્તા છે અને દિલની ઊંડાઈને સ્પર્શ કરનારી,એક વાર સ્વર્ગમાં વિચરણ કરતા કરતા શ્રી કૃષ્ણ અને રાધા એક બીજાની સામે આવી ગયા,કૃષ્ણ સ્તબ્ધ,રાધાએ સ્માઈલ કર્યું,,વિચલિત શ્રી કૃષ્ણ, પ્રસન્ન ચિત્ત રાધા,તે પહેલા કે શ્રી  કૃષ્ણ કઈ કહે રાધા બોલી,
'કેમ છો દ્વારિકાધીશ' જે રાધા તેમને કાના કાના કહીને બોલાવતી હતી,તેના મોઢે દ્વારિકાધીશનું સંબોધન,કૃષ્ણને અંદર સુધી ઘાયલ કરી ગયું,છતાં પણ કોઈ પણ રીતે તેમણે તેમને સંભાર્યા,રાધાને કહ્યું 'હું તારા માટે પહેલા તો કાના છું તું તો મને દ્વારિકાધીશ ન કહે,આવ , બેસીએ,કૈક હું કહું,કૈક તું તારું સંભળાવ,સાચું કહું રાધા જયારે જયારે તારી યાદ આવતી હતી,આ આખોથી આંસુઓની બૂંદો નીકળી આવતી હતી, 'રાધાએ કહ્યું,
'મારી સાથે એવું કઈ જ નથી થયું,ન તમારી યાદ આવી ન આખોથી આસું વહ્યા,કેમકે હું તને ભૂલી ક્યાં હતી,જો તું યાદ આવે,આ આંખોમાં તો કાયમ તમે જ હતા,ક્યાંક આસુંઓની સાથે નીકળી ન જાવ,એટલે રડતી પણ ન હતી,કાના,પ્રેમથી અલગ થઈને તે શું ખોયું,એનું એક પ્રતિબિંબ બતાવું તને,કેટલુંક કડવું સત્ય સાંભળી શકો તો સંભળાવું,ક્યારેય વિચાર્યું છે !,આ પ્રગતિમાં તમે કેટલા ખોવાઈ ગયા,યમુનાના મીઠા પાણીથી જીવનની શરૂઆત કરી,અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા,એક આંગળી ઉપર ચાલતા સુદર્શન ઉપર ભરોષો કરી લીધો,અને દશ આંગળીયો પર ચાલનારી બંસરીને ભૂલી ગયા ?,કાના,જયારે તમે પ્રેમથી જોડાયેલા હતા તો જે આંગળીયો ગોવર્ધન પર્વત ઉઠાવતી હતી, પ્રેમથી અલગ થવાથી તેજ આંગળીયો કેવા કેવા રંગ દેખાડવા લાગી,સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશના કામમાં આવવા લાગી,કાના અને દ્વારકાધીશમાં શું અંતર હોય છે,બતાવું,કાના હોતા તો તમે સુદામાને ઘેર જતા,સુદામા તમારે ઘેર ન આવતા,યુદ્ધમાં અને પ્રેમમાં આજ ફર્ક હોય છે યુદ્ધમાં પોતાને મટાવીને જીતે છે અને પ્રેમમાં જાતે મિટાઈને જીતે છે.કાના, પ્રેમમાં ડૂબેલો માણસ જીવતો તો રહી શકે છે,પણ કોઈને દુઃખી નથી કરી શકતો,તમો તો કેટલીય કલાઓના સ્વામી છો,સ્વપ્ન દૂર દ્રષ્ટા છો,ગીતા જેવા ગ્રંથના દાતા છો,પણ તમે આ શુ નિર્ણય લીધો,તમે તમારી આખી સેના કૌરવોને આપી દીધી અને પોતની જાતે પાંડવો સાથે થયા,સેના તો તમારી પ્રજા હતી,રાજા તો પાલક હોય છે,તેમનો રક્ષક હોય છે,તમારા જેવા મહાન જ્ઞાની તે રથને ચલાવી રહ્યા હતા,જેની ઉપર બેઠેલો અર્જુન તમારી પ્રજાને જ મારી રહ્યો હતો,તમારી પ્રજાને મરતી જોઈને તમારામાં દયા ન આવી,કેમકે તમો પ્રેમથી શૂન્ય થઇ ગયા હતા,આજે પણ ધરતી પર જઈને જુઓ,
તમારી દ્વારિકાધીશવાળી છબીને શોધતા રહી જશો,દરેક જગ્યાએ દરેક મંદિરમાં મારી જ સાથે ઉભેલા દેખાશો.હું જાણું છું કાના,લોકો ગીતાના જ્ઞાનની વાતો કરે છે,તેના મહત્વની વાત કરે છે,પણ દુનિયાના લોકો યુદ્ધવાળા દ્વારિકાધીશ ઉપર નહિ,પ્રેમવાળા કાના પર ભરોષો કરે છે.ગીતામાં મારુ દૂર દૂર સુધી નામ નથી,પણ આજે પણ લોકો તેમના સમાપન ઉપર 'રાધે રાધે' કહે છે,'
આ વાર્તા કાલ્પનિક જરૂર છે,પણ તેની અંદર છુપાયેલી શિખામણ ખુબ અગત્યની છે,શ્રીકૃષ્ણની પાસે ક્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર ન હોય,એવું તો થઇ જ ન શકે,પરંતુ રાધા દ્વારા લગાવેલા પ્રશ્નચિન્હો પર કાના મૌન રહ્યા.એજ છે પ્રેમમાં સમર્પણ નો ભાવ,પરાક્રમમાં આપણે દરેક વ્યક્તિને હરાવવા ના હોય છે,ત્યરે પણ આપણે જીતીને હારી જઇયે છીએ,પરંતુ પ્રેમમાં,એક જ કેટલાયનો પ્રેમ જીતી લે છે,સાચું કહ્યું છે,કે નાની એવી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડનાર ભગવાન શ્રીકૃષ્ણ નાની એવી વાંસળીને બંને  હાથોથી  પકડતા હતા.ફરી મળીશું દોસ્તો બીજી વાર્તા સાથે ત્યાં સુધી આપનો ખ્યાલ રાખશો.અને હંમેશા હસતા રહેશો,રાધે કૃષ્ણ.
લેખક-પવન દત્તા
(પબ્લિશ હિન્દી વાર્તાનો અનુવાદ.)
જય શ્રી કૃષ્ણ.

Friday, May 15, 2020

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર


A coloured painting of Harishchandra parting with his wife and son
ત્રેતાયુગની આ વાત છે રાજા હરિશ્ચંદ્ર
 એક પ્રામાણિક અને ઉમદા રાજા હતા.ખૂબ જ શાંતિમય અને હંમેશા ખુશી રહેતા રાજાની પત્નીનું નામ શિવયા(તારામતી) હતું અને તેમનો એક પુત્ર રોહિતાસ્વા હતો.રાજા પુત્રને ધનુષ્ય બાણથી કેવી રીતે નિશાન લગાવવું તેની શિક્ષા આપતો હતો,અને કેટલાક લોકોએ તેને શિકારની સૂચના કરી એટલે  સુવ્વરનો શિકાર કરવા નિકરેલા રાજાને કોઈ રડતી નારીનો અવાજ સંભળાયો અને રાજા અવાજની દિશામાં પોતાના ધનુષ્ય બાણ સાથે ગયો તો તે અવાજ વિશ્વામિત્ર ઋષિના આશ્રમ તરફથી આવતો હતી જ્યાં ઋષિ ત્રિગુણી શક્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા.નારીનો અવાજ કોઈ માયા હતી અને તે રાજાને આવતા જોતા ઋષિના શરીરમાં  પ્રવેશી ગઈ અને રાજા હરીશચંદ્રે ઋષિની તપસ્યામાં ભંગ કર્યો આથી ઋષિએ તપનું ફળ ખોયું ,રાજાને પોતાની ભૂલ સમજાઈ એટલે તરત ઋષિના પગમાં પડી માફી માંગવા  લાગ્યો પણ ભૂલ તો ઘણી મોટી હતી એટલે માફી તો મળી પણ ઋષિએ દક્ષિણાં માંગી અને તેમાં પોતાની પત્ની અને બાળકને બાદ કરતા જે કઈ તેની પાસે હતું તે ઋષિએ માંગી લીધું રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને જયારે તે આશ્રમથી બહાર નીકળ્યો તો ઋષિએ બીજી દક્ષિણાં માંગી તો રાજાએ કહ્યું મારી પાસે હવે કૈજ નથી છતાં તેણે પૂછ્યું તો ઋષિએ કહ્યું તારે ૧૫૦૦ સોનામહોરો એક મહિનામાં આપી દેવી રાજા સામેલ થયો મહેલમાં આવ્યો અને પત્ની અને પુત્ર સાથે પહેરેલા કપડે તે કાશી જવા વિદાય થયો.કાશી આવી રોજગાર શોધવા લાગ્યો પરંતુ કઈ ન મળતા કેટલોક સમય પસાર થઇ ગયો તે પોતે સત્યવાદી હતો  ૧૫ દિવસમાં વિશ્વામિત્રે ફરી દક્ષીણાની માંગ કરી એટલે પત્ની સમક્ષ પોતાનું સત્યની પ્રતિજ્ઞા તોડવાના ની રજુઆત કરી તો પત્નીએ સુઝાવ દેતા કહ્યું તમો મને અને પુત્રને વેચીને જે કઈ મળે તે આપી દો.અને લાચાર પતિએ કાશીના બજારમાં પોતાની પત્નીને વેચવા જણાવતા એક બ્રાહ્મણ ૧૦૦૦ સોનામહોર આપવા તૈયાર થયો અને પુત્ર અને પત્નીને વેચી ,આવેલ સોનામહોર તેમણે ઋષિને આપી અને બીજી ૫૦૦ મહિનાના અંત સુધીમાં આપવાનું કહેતા ઋષિએ સંમતિ આપી,તેણે કામ શોધવા માંડ્યું અને પોતાને વેચવા પણ તૈયાર થયો,તો ત્યાં ઉભેલ એક ભયંકર ચહેરા વાળા ચાંડાલે તેને તેના સ્મશાનમાં કામ આપ્યું જે સ્મશાનમાં મડદું બાળવાની ફી અને અનાજ આવે તેમાંથી અડધું ત્યાંના રાજાને અને અડધામાંથી પોતે અને ચાંડાલનો ભાગ થોડાક દિવસો પસાર થયા અને રાતે સ્વપ્નમાં તે રડવા લાગ્યો કેમકે પોતાની પત્ની અને બાળકની દશા તેનાથી સહન ન થઇ,અને તે સફાળો જાગ્યો તો એક સ્ત્રી તેની સામે હતી અને તેના હાથમાં એક બાળકનો મૃતદેહ જે સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો.તેને સમજતા વાર ન લાગી તે પોતાનો પુત્ર હતો અને તારામતી તેને દાહ આપવા વિનંતી કરવા લાગી તેને પણ ખુબ શોક થયો પરંતુ સ્મશાનના નિયમે તેણે ફીની માંગણી કરી બેવશ પત્ની રડવા લાગી પણ રાજા સત્યવાદી હતો પોતાની પત્નીની વિનંતીનો તે સ્વીકાર કરી ન શક્યો લાચાર પત્ની જયારે જવા લાગી તો ચાંડાલ ત્યાં ઉપસ્થિત થયો અને સાથે વિશ્વામિત્ર પણ આવ્યા ,ચાંડાલ ધર્મ હતા,સહુએ કહ્યું આ તો ફક્ત તમારી પરીક્ષા હતી તેમાં તમે પાર ઉતર્યા,દેવોની ઉપસ્થિતિમાં સતના પ્રભાવે તેમનો પુત્ર સજીવન થયો સહુએ રાજા હરિશ્ચંદ્રને સ્વર્ગમાં  આવવા આમંત્રણ આપ્યું પણ તેણે ના સ્વીકાર્યું એટલે વિશ્વામિત્રે તેમનું બધુજ પાછું આપ્યું અને રાજાએ પોતાના લોકોની  ખુશી સાથે સુખેથી પત્ની પુત્ર સાથે રાજ્ય કર્યું.
રાજા હરિશ્ચંદ્ર પર ભારતમાં ૧૯૧૩માં પહેલી અબોલી (સાઇલન્ટ) શોર્ટ ફિલ્મ બની.

(એક પબ્લિશ હિન્દી લેખના આધારે )
જય શ્રી કૃષ્ણ.