Wednesday, May 30, 2018

ઈન મસ્તોકી વસ્તીમેં(હિન્દી ભજન)


ઈન મસ્તોકી વસ્તીમેં
(હિન્દી ભજન)


ઈન મસ્તોકી વસ્તીમેં આતે હૈ સબ કોઈ,
રોતી હૈ સારી દુનિયા,ગાતા હૈ કોઈ કોઈ.
સામાન ઔર સન્માન તો જહાન ચાહતા હૈ(૨)
ફટકાર ,માર પ્યારસે ખાતા હૈ કોઈ કોઈ...રોતી હૈ...ઈન મસ્તોકી બસ્તીમેં... ...
રંગરોલિયોકી ગલિયોંમે સબ લોગ ભટકતે હૈ,...(૨)
પર પ્રેમકિ ગલિમે આતા હૈ કોઈ કોઈ....રોતી હૈ.........ઈન મસ્તોકી બસ્તીમેં...
નિંદા સ્તુતીકો લોગ,રોજ ચિત્તપે બિથાતે હૈ,
ગુરુજનકે બચન મન પર દિખાતા હૈ કોઈ કોઈ....રોતી હૈ..ઈન મસ્તોકી બસ્તીમેં....
.નિજ તનકી મૈલ  મલ મલ સબ લોગ  ચુરાતે હૈ,(૨)
પર મનકી મૈલ મનસે ચુરાતા હૈ કોઈ કોઈ...રોતી હૈ....ઈન મસ્તોકી બસ્તીમેં...
જન્મે વો મરનેવાલા સબ લોગ બતાતે હૈ,(૨)
પર અજર અમર હોતે, બતાતા કોઈ કોઈ..રોતી હૈ....ઈન મસ્તોકી બસ્તીમેં...
 ધન માલ દાતા,જગમેં પડે ઘનેરે..,(૨)
પર જ્ઞાન અભય દાનકા ગાતા હૈ કોઈ કોઈ...રોતી.હૈ..ઈન મસ્તોકી બસ્તીમેં...
ધન પાકે ધની દુનિયા સબ લોગ કહાંતે હૈ,(૨)
પર શહેનશાહ બિચ્ચું કહાતા હૈ કોઈ કોઈ....રોતી હૈ .ઈન મસ્તોકી બસ્તીમેં...
ઈન  મસ્તોકી બસ્તીમેં આતા હૈ કોઈ કોઈ....
રોતી હૈ સારી દુનિયા,ગાતા હૈ કોઈ કોઈ....ઈન મસ્તોકી બસ્તીમેં...

જય શ્રી કૃષ્ણ.

Saturday, May 26, 2018

કૃષ્ણ કહનેસે.....(હિન્દી ભજન)

કૃષ્ણ કહનેસે.....(હિન્દી ભજન)


કૃષ્ણ કહનેસે તર જાયેગા,(૨)
પાર અબસે ઉત્તર જાયેગા,
બડી મુશ્કિલસે નર તન મિલા(૨)
ક્યાં પતા ફિર  કિધર જાયેગા..કૃષ્ણ કહનેસે.....
હોગી ઘર ઘરો મેં ચર્ચા તેરી,(૨)
સબ કહેંગે કહાની તેરી,
જિસ ગલીસે ગુજર જાયેગા ..કૃષ્ણ કહનેસે....
કામ ઐસા જો કર જાયેગા ..
નામ માલા જપ જાયેગા ..કૃષ્ણ કહનેસે....
ઉસકે આગે તું ઝોલી ફૈલા(૨)
દાતા ઝોલીકો ભર જાયેગા...કૃષ્ણ કહનેસે......

જય શ્રી કૃષ્ણ.

ભીષ્મ પ્રતિજ્ઞા



ભીષ્મ પ્રતિજ્ઞા

Image result for bhishm pitamah


કુરુક્ષેત્રના યુદ્ધમાં આઠમાં દિવસના અંતે દુર્યોધન છાવણીમાં કોઈ ચોક્કસ નિર્ણય સાથે ભીષ્મ દાદા પાસે ધસી આવ્યો અને બોલ્યો ,
“ દાદા તમારાથી સેનાપતિપદ ન સંભારાતું હોય તો કહો  હું કર્ણને તેની જવાબદારી સોંપી દઉં,આજે આઠ આઠ દિવસ સુધી એક પણ પાંડવ મરાયો નથી “ અને માન સન્માન વગરના આવા કથનથી દાદાને ખૂબ જ ખોટું લાગ્યું જો કે દાદા પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા હતા
રોજના દસ હજારથી વધુ દુશ્મન સૈનિકોને તેઓ મારતા હતા પણ દુર્યોધનના કઠણ કહેણથી તેઓ ધ્રુજી ગયા અને પ્રતિજ્ઞા કરી ભાથામાંથી પાંચ બાણ કાઢી બોલ્યા ,
“વત્સ તું મારા પર શંકા કરે છે પણ હું ભીષ્મ, આ પાંચ બાણો સાથે પ્રતિજ્ઞા કરું છું કે કાલનું યુદ્ધ કાળમુ હશે કેમકે જેમાં હું પાંચે પાંડવોને મારી નાખીશ ,જા, વત્સ હવે તું નિશ્ચિન્ત થઇ જા,” અને ભીષ્મ દાદાની પ્રતિજ્ઞાથી ખુબ ખુશ થઇ દુર્યોધને દાદાને નમન કરી ત્યાંથી પોતાના સ્થાનમાં જઈ દાદાએ કરેલી પ્રતિજ્ઞાના સમાચાર વહેતા કર્યા પછી તો તેની છાવણી મોટા અવસરમાં બદલાઈ ગઈ,યુદ્ધની ચિંતા છોડી જલસામાં નાચ ગાન થવા મંડ્યા કેમકે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાથી કૌરવો અને પાંડવો સહુને ખબર હતી  કે તે અવશ્ય પુરી થયા વગર રહે નહિ એટલે કૌરવ કુળમાં સહુ આનંદની મિજબાની માણી રહ્યા હતા પરંતુ પાંડવો પણ એટલાજ નિશ્ચિન્ત હતા, એટલે શ્રીકૃષ્ણને ચિંતા થઇ અને સીધા અર્જુન પાસે જઈ તેને સાવચેત કર્યો યુદ્ધના સમયમાં સાવચેત રહેવું જરૂરી હતું કહ્યું ,
"પાર્થ તને ખબર તો છેને કે દાદાએ શું પ્રતિજ્ઞા લીધી,હવે આરામનો સમય નથી "પણ અર્જુને સામે પ્રત્યુત્તર આપ્યો,
"પ્રભુ,આરામ કરવા દો ને જ્યા આપ છો ત્યાં અમે ચિંતા શાને કરીયે "ભગવાને કહ્યું 
"સારી વાત છે,મારે દ્રૌપદી પાસે જવું પડશે," અને શ્રી કૃષ્ણ દ્રૌપદી પાસે જઈ કહ્યું 
"બહેના, હવે ચિતા સજાવવાની તૈયારી કરી લો કેમકે,દાદાની પ્રતિજ્ઞાથી તમારા પતિઓને કોઈ અસર થઇ નથી " તો દ્રૌપદી બોલી
"હું તો આજે તૈયાર છું પ્રભુ,ચિતાની પરિક્રમા કરવા જેથી આપની હાજરીમાં મારા આત્માનું કલ્યાણ થાય"પણ શ્રી કૃષ્ણે કહ્યું
 પરિક્રમા કરતા પહેલા,મહા પરિક્રમા કરવી પડશે માટે શૃંગાર સજી   તૈયાર થઇ  જા "દ્રૌપદીની પ્રતિજ્ઞા હતી કે જ્યા સુધી દુશાશનના  લોહીથી પોતાની સાડી ન રંગે ત્યાં સુધી એકજ વસ્ત્ર પહેરવું પણ શ્રી કૃષ્ણની  કોઈ પણ વાતને ન ટાળતી દ્રૌપદીએ તે પ્રમાણે કર્યું અને રાત્રિની મધ્યમાં તેઓ કૌરવોની છાવણીમાં ભીષ્મ પિતામહના આવામાં પ્રવેશી ગયા શ્રી કૃષ્ણે નોંધ લીધી દ્રૌપદીની પાવડી અવાજ કરતી હતી,અને કોઈ અડચણ ન આવે માટે તેની પાવડી કઢાવી તેને પીતામ્બરમાં છેડામાં લપેટી પોતાની બગલમાં દબાવી દીધી,ભગવાનની લીલામાં કોઈ એ તેમને ન રોક્યા શ્રી કૃષ્ણની સૂચના અનુસાર દ્રૌપદીએ ઘુમ્મ્ટ તાણ્યો હતો જેથી તેની દાદાને ખબર ન પડે અને કહ્યું હતું કે કઈ પણ બોલવાનું નથી જ્યા સુધી દાદા આશીર્વાદ ન આપે સૂચના અનુસાર દ્રૌપદીએ જઈ દાદાને દંડવત કર્યા  એટલે દાદાએ સૌભાગ્યવતી ભવ ના આશીર્વાદ આપ્યા ને કહ્યું,
"બેટા,દુર્યોધનને મેં વચન આપ્યું છતાં તને મોકલી !"અને દ્રૌપદીએ ઘૂંઘટ ખોલી કહ્યું 
"દાદા હવે તો આશીર્વાદનું પાલન કરવું રહ્યું, "દાદાને દ્રૌપદીની પ્રતિજ્ઞાની ખબર હતી એટલે,ભૂલથી  દુર્યોધનની પત્ની  સમજી  આશીર્વાદ આપી દીધા પણ બોલ્યા, 
"બેટા,આવી સૂઝ પાંડવોની તો હોય ન શકે,હું જાણી શકું કે તારી સાથે કોણ આવ્યું છે.?"
અને દાદાએ છાવણી બહાર આવી જોયું અને બોલ્યા,
"પ્રભુ હવે મારી પાસે શું કરાવવા માંગો છો "પણ દાદાને નમન કરી જવાબ વગરના સ્માઈલ સાથે શ્રી કૃષ્ણ દ્રૌપદીને સાથે લઇ ત્યાંથી વિદાઈ થઇ ગયા. દ્રૌપદીને નિશ્ચિત કરી શ્રી કૃષ્ણ અર્જુન પાસે પહોંચ્યા,અને તે જોઈ અર્જુને પ્રણામ કર્યા,અને શ્રી કૃષ્ણે કહ્યું,
"પાર્થ,અત્યારે દુર્યોધનની છવાણીમાં નાચ ગાનની મહેફિલ ચાલી રહી છે,એટલે તું પણ એક સારો નર્તક હોવાથી આપણે તેમાં ભાગ લેવાનો છે,"
"પણ પ્રભુ,છુપાવેશમાં પણ તે આપણને ઓરખી નહિ જાય!"અર્જુનને ખબર હતી કે જ્યા શ્રી પ્રભુ તેની સાથે છે પછી જે પ્રભુ ધારે તે જ થવાનું છે.પણ તે માનવ હતો અને તેથી ભાન ભૂલી સામાન્ય સવાલને પણ તે ચિંતા કરતો હતો. તરત પ્રભુએ કહ્યું,
"પાર્થ તેનામાં અત્યારે પાંડવોના મરણનું ભૂત સવાર છે.તેના નશામાં તેને કઈ ખબર નહિ પડે,આપણે તેની ખુશીમાં ઉમેરો કરવા જવાનું છે,અને એવું નૃત્ય કરવાનું છે કે દુર્યોધન તેના મોઢેથી 'વાહ વાહ 'કહે અને તેના બદલામાં તારે તેનો રત્ન જડિત મુકુટ માંગી લેવાનો છે."શ્રી કૃષ્ણની દરેક વાતોનું બારીકાઈથી યાદ કરી અર્જુન પોતાના ગુરુ શ્રી કૃષ્ણ સાથે અર્જુન દુર્યોધનની મહેફિલમાં પહોંચ્યા પછી પોતાની વાત 
કહેતા બોલ્યો ,
"પાંડવોના મૃત્યુથી હું અને મારા ગુરુજી ખૂબ જ ખુશ છીએ,પછી તો રાજ્યમાં ખુશીઓનો પાર નહિ રહે"અને તેના ગુણગાન સાથે દુર્યોધનને કોઈ શંકા ન પડી અને નૃત્યમાં ભાગ લઇ દુર્યોધનનો રત્ન જડિત મુગુટ ભેટ લઇ ગુરુ શિષ્ય દુર્યોધનને પ્રણામ કરી નીકળી ગયા,પણ મહેફિલ ચાલતી રહી.છાવણીમાંથી બહાર નીકળી અર્જુને પૂછ્યું,
"હવે પ્રભુ શું આજ્ઞા" અને જવાબમાં પ્રભુએ કહ્યું ,
"હવે દુર્યોધનના વેશમાં પિતામહની સામે ઉપસ્થિત થવાનું છે અને તે પણ વિના વિલંબે" અર્જુન વેશભૂષા અને નૃત્યનો કલાકાર હતો આબેહૂબ દુર્યોધન જેવો પોશાક પહેરી તે શ્રી કૃષ્ણ સાથે દાદાના આવાસમાં પહોંચ્યો,છાવણીમાં અંધારું હતું તેનો લાભ લઇ તે દાદા પાસે ઉપસ્થિત થયો અને આછા પ્રકાશમાં નતમસ્તકે પોતાની સામે યુવકને ઓરખવામાં વાર ન લાગી અને બોલ્યા ,
"દુર્યોધન,તને મારા પર વિશ્વાસ નથી ,તો લે આ પાંચ બાણ કાલે તું જ ચલાવજે,આ બાણ કોઈ ખાલી નહિ જાય તેનું તને વચન આપું છું "અને બાણો લઇ યુવક ત્યાંથી કઈ પણ બોલ્યા વગર નમન કરી નીકળી ગયો થાકેલા ભીષ્મ પિતામહ પછી નિદ્રાધીન થયા.કદાચ શ્રી કૃષ્ણની લીલા અસરે દાદાને કોઈ શંકા પણ ન થઇ, યુવકને  કઈ પણ પ્રશ્ન વગર બાણો આપી દીધા.
બીજા દિવસે યુદ્ધના પ્રારંભનો શંખ ફુંકાયો પણ પાંડવો પર બાણ ન ચાલ્યા  યુદ્ધના અંતનું બ્યુગલ ફુંકાવાનો સંકેત થતા ભીષ્મ પિતામહે દુર્યોધનને પૂછ્યું ,
"વત્સ,તું બાણો કેમ ચલાવતો નથી,તો જવાબમાં તે બોલ્યો ,
"દાદા બાણો તો તમારી પાસે છે,રાહ કોની જુઓ છો,હવે યુદ્ધ નો સમય બહુ નથી."
અને  ભીષ્મ પિતામહે કહ્યું  ,
"ગઈકાલે તું રાત્રે મુકુટ પહેરીને આવ્યો ત્યારે મેં પાંચ બાણ તને આપ્યા હતા," અને દુર્યોધનને ગઈકાલે પોતાનો મુકુટ પેલા નર્તકને આપ્યો હતો તેનો ખ્યાલ આવ્યો તે બોલ્યો,
"દાદા,કપટ થયું છે,પાંચ બાણ હું નહિ પણ નર્તક લઇ ગયો જેને મેં મારો મુકુટ  ભેટમાં આપ્યો હતો."અને દાદાને ખ્યાલ આવ્યો જ્યા શ્રી કૃષ્ણ હોય ત્યાં પાંડવોને કોણ મારી શકે મારી પ્રતિજ્ઞાનો ભંગ થયો પણ હે પ્રભુ હું યુદ્ધમાં તમારી પ્રતિજ્ઞા (અસ્ત્ર શસ્ત્ર ન લેવાની)નો ભંગ ન કરું તો ભીષ્મ નહિ અને બીજા દિવસના યુદ્ધમાં ભીષ્મ પિતામહે અર્જુન ઉપર એટલા  બાણો ચલાવ્યા કે અર્જુન નાસીપાસ થઇ ગયો અને શ્રી કૃષ્ણે જોયું જો હવે હું કઈ ન કરું પાંડવોનો સંહાર કરતા ભીષ્મ વાર નહિ લગાડે એટલે પાસે શસ્ત્ર ન હતું પણ શ્રી કૃષ્ણ રથમાંથી ઊતરીને ભીષ્મ પિતામહને મારવા દોડ્યા અને રથનું એક પૈડું હાથમાં લીધું પણ ત્યાં તો ભીષ્મ પિતામહ  બાણ ધનુષ્ય મૂકી ભગવાનને પગે લગતા સામે આવ્યા,કહ્યું
"પ્રભુ બસ મારી પ્રતિજ્ઞા પુરી થઇ,તમે શસ્ત્ર લઇ લીધું, હવે મને મારી દેશો તો મારો ઉદ્ધાર થઇ જશે." અને આમ ભક્તની પ્રતિજ્ઞા રાખવા ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી ભક્તિનો  મહિમા વધાર્યો. 

જય શ્રી કૃષ્ણ.
(કથામૃતના આધારે)

રજૂઆત -મહેન્દ્ર ભટ્ટ.