Monday, December 28, 2015

ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી

ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,



  જીવનકી ઘડિયા વૃથા ન ખોના હરી ઓમ જ્પો હરી ઓમ જ્પો
 ચાદર ન લમ્બી તાનકે શોના હરી ઓમ  જ્પો,હરી ઓમ જ્પો
શો ના હી જગ કા સાર હૈ,જીવન હૈ જીવન આધાર હૈ(૨)
પ્રીતિ ન ઉસકી મનસે તજો,ઓમ જ્પો,હરીઓમ જ્પો
ચૌલા યહી હૈ,કર્મકા કરનેકો સોદા ધર્મકા
ઇસકે બીના ન મારગ હો,હરી ઓમ જાપો,હરી ઓમ જ્પો
મનકી ગતિ સંભાલીયે,ઈશ્વર કી ઓર જા લિયે,
ખોના હી ચાહે મનકો હી, ખો, હરી ઓમ જ્પો હરીઓમ જ્પો, હરીઓમ જ્પો,
સત્સંગના સુભારંભમાં સંત શ્રી કહે છે, આજથી પાચ હજાર વર્ષો પહેલા,ઋષિ વેદવ્યાસની પંક્તિઓને
યાદ કરતા જયારે કોઈ ઋષિની દ્રષ્ટિથી તેમણે એ કહ્યું હતું,વિચારતા દુનિયામાં કયો માણસ માનવદેહ
મેળવીને પણ બધાથી એકલવાયો અને નિરાધાર છે,અર્થ વગરનું જીવન કોનું માનવું જોઈએ,દુનિયામાં કોણ
માણસ નિરાધાર છે જે બધાથી જુદો પડી ગયો છે,ભગવાનની દ્રષ્ટિમાં જેને આપણે અભાગી માણસ કહીએ
કેટલાક ચિંતકોનું એવું કહેવું હતું માનવદેહ મેળવ્યા પછી,વ્યક્તિ નીગુણો રહી જાય તો એનું જીવન અર્થ
વગરનું છે,તે જીવનમાં  કોઈ અર્થ નથી, તેનું કોઈ મહત્વ નથી,કહેવાય છે દુનિયામાં કોઈ એવી ચીજ નથી
જે કામ નથી આવતી, દરેક. ફૂલ,દરેક છોડ,દરેક ઘાસ,દરેક તણખલું ઉપયોગી છે,દરેક જીવ ગમે તે ત્યાં
કોઈ ને કોઈ રૂપમાં ઉપયોગી છે,ત્યાં સુધી આપણે જાણીએ છીએ કે પશુ પક્ષીયોના મૃત દેહ પણ ગમે ત્યાં
કોઈના કોઈ રૂપમાં કામ આવે છે,તો બધાની કોઈ ને કોઈ ઉપયોગીતા  છે,પણ મનુષ્યની ઉપયોગીતા ખાલી તેનું શરીર અને તેના સંગ્રહની સાથે આંકવામાં આવે તો તેને ઉપયોગીતા માનવામાં નહિ આવે, આપણે કેટલું
કમાયા,આપણા શરીરનો રંગ કાળો છે કે ગોળો છે,કેવો છે તે મહત્વનું નથી,મહત્વનું એ છે કે આપણે કેટલા
ગુણવાન છીએ,જો વ્યક્તિ ગુણવાન હશે તો જાતે પણ લાભ.લેશે અને દુનિયાને પણ લાભ આપશે,

કેટલાક લોકોનું કહેવું હતું,દુનિયામાં આવીને માણસે પૈસા મેળવવા જોઈએ,સાધન સામગ્રી ભેગી કરવી જોઈએ,તેનાથી તેની કિંમત વધે. છે,સમૃદ્ધિ થાય છે,તેનું મહત્વ વધે છે,અને ચાર પદાર્થો જે જીવનના કહેવામાં આવે છે,તે મેળવવા જોઈએ,ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,આ ચારમાં અર્થ ,સાધન સંપતિ,અગત્યની
કડી છે,આપણા જીવનમાં આ વસ્તુ હોવી જોઈએ અને ભારત  દેશમાં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે,અને ભારત દેશ સોનાની ખાણ કહેવાય છે,અને એના કારણે,આખા વિશ્વની વસ્તી અહી આકર્ષિત થાય છે કેટલાક
દેશોના લોકો હુમલો કરતા અહી આવી જાય છે,અહી આવીને અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે,રાજ કરવા
માંડે છે,આમ અહીની સપત્તી બધાને ખેચતી રહી છે,તો કહેવાયું કે માણસે પોતાની અંદર ગમે તે રીતે ગમેતે
રૂપે ગુણવત્તા ગ્રહણ કરવી જોઈએ,ગુણવતા ધનની જરૂર છે એવું કેટલાક વિચારકોનું કહેવું છે,અને ત્યાં સુધી કહેવાય છે કે ભગવાન લક્ષ્મીનારાયણ પણ લક્ષ્મીજી  પાસે પગ દબાવદાવે છે,તે તેમની શક્તિ છે
ભગવાનની શક્તિ પણ લક્ષ્મીજી છે,મનુષ્યની શક્તિ પણ લક્ષ્મીજીમાં જ છે,ધનમાં છે,માટે ધનવાન બનવું
 જોઈએ,અને ધન કહેવાય છે કે માણસમાં જુદીજુદી રીતે જુદા જુદા રૂપમાં છે, માણસની વાણી મધુર હોય તો તે ધન છે,ઘરમાં એકતા હોય તેપણ ધન છે,માણસ સુંદર સ્વરૂપવાળો હોય તે પણ એક ધન છે,એક બીજામાં પ્રેમભાવ હોય,સબંધોમાં  પ્રેમભાવ હોય તેપણ એક ધન છે, ધન એ પણ છે કે કોઈની  પાસે પશુધન  હોય,ઘણી બધી ગાયો હોય,ઘણા બધા ઘોડા હોય,આ બધાને જુના  જમાનામાં ધન માનવામાં આવતું હતું,કોઈનો પુત્ર આજ્ઞાકારી હોય માતાપિતાની ઈચ્છાઓ પૂરી કરતો હોય તોતેપણ એકધન છે,પતિ પત્ની માં
એક બીજા માટે ખુબ લાગણી હોય,એકબીજાનો સાથ હોય તે પણ એક ધન છે,મિત્રોમાં સાથ હોય અને એક બીજા માટે મરી ફીટવા  તૈયાર હોય તેપણ એક ધન છે,માણસ કોઈ પણ રૂપમાં આ શક્તિયો ભેગી કરે છે,
વિદ્યા તો ધન છે જ,આ બધી શક્તિયો માણસને શક્તિવાળો બનાવે છે,કહે છેકે દુનિયામાં ગુણવાન બનો તો
તમે સાર્થક જીવન જીવો છો અથવા ધનવાન બનો તો,કેટલાકનું એવું કહેવું હતું, આ દુનિયામાં એવો માણસ
દયાપાત્ર છે જે શક્તિ વગરનો છે,માણસ પાસે પાવર હોવો જોઈએ,અને પાવર જે છે તે અનેક રૂપમાં માણસ પાસે શક્તિ હોય છે,પણ બધાથી મોટી આત્મશક્તિ  છે,આત્મશક્તિ જેની પાસે હોય તે હિંમતવાળો માણસ
હોય છે,તે કોઈને ડરાવતો નથી, કે કોઇથી ડરતો નથી, તે કોઈને દબાવતો નથી કે કોઇથી દબાતો  નથી,
તે કોઈને દુખ આપતો નથી કે કોઈના ધ્વારા અપાયેલું દુખ જીરવી શકતો નથી
કર્તવ્ય કે કષ્ટ  ધર્મને માટે,માનવતા માટે કોઈના કલ્યાણ. માટે,સમાજના કલ્યાણ માટે સહન કરે, ગમે તે દુખ પડે તો સહન કરે,એ કહેવાય છે કે જેની પાસે આત્મશક્તિ હોય તે બહુ બળવાન કહેવાય અને જેની પાસે સંગઠન શક્તિ હોય તે પણ બળવાન કહેવાય,તો બળ હોવું ઘણી મોટી વસ્તુ છે,અને એ તો કહેવાય છે કે જેની પાસે લાકડી તેની ભેસ,એટલેકે તાકાત હોવી જોઈએ,રાજસત્તા પણ આપણામાં એક શક્તિ કહેવાય છે,
બહુજ મોટી શક્તિ કહેવાય છેપણ બધું વિચાર્યા પછી છેલ્લે કહેવાય છેક વ્યાસમુનીએ બધાની વાત સાંભળ્યા પછી કહ્યું,કે હું આ બધી વાતો સાથે સહમત નથી,આ બધી વસ્તુઓ માણસ માટે જરૂરી છે,પણ હું તો માનું છું
માણસનું શરીર મેળવીને હમારી પાસે એક વસ્તુ નથી,તો જીવન નિરર્થક છે,તેશું છે,તો તેમણે કહ્યું,બધા શાસ્ત્રોના પ્રણેતા અને વ્યાખ્યા કરવાવાળા વ્યાસ ઋષીએ પોતાનો નિર્ણય કહ્યો, કે મારા મત પ્રમાણે માણસનું શરીર પામીને પણ કોઈ માણસ ભગવાનને ન મેળવી શકે,ભગવાન તરફ ન વળી શકે,ભગવાનના નામથી મીંડું હોય,ભગવાનના નામથી દુર થઇ ગયો હોય,તો તે મારા હિસાબ પ્રમાણે બધાથી ખોવાઈ ગયેલો માણસ છે
એટલેકે આપણે ગમે તેટલી પ્રગતિ કરીએ,ગમે તે રીતે,કોઈપણ વિષયમાં,આગળ વધીએ,પણ ભગવાનથી દુર ન જાય,આપણા પ્રભુને યાદ કરીએ,ભગવાન સાથે જોડાયેલા રહીએ,જોઈએ તો રામકૃષ્ણ પરમહંસ પણ એજ કહેતા હતા,કોઈ માણસ પાસે ધન હોવું તે પણ એક શક્તિ છે,બળ હોય તોપણ,.રૂપવાન હોય,કલાકાર હોય તે પણ એક શક્તિ છે,તો આ શક્તિઓને માણસ સામાન્ય રીતે પોતાનું બહુ મુલ્ય આપીને,સમય આપીને
કેમકે માણસને પૈસાદાર બનતા સમય લાગે છે,સારી નામના મેળવવા માટે,પોતાનું શરીર મજબુત બનાવવા માટે,સંગઠનને ભેગું કરવા અને સુદ બનાવવા રામકૃષ્ણ કહેતા હતા,બધીજ વસ્તુઓ માણસના જીવનમાં બહુ જ અગત્યની હોય છે,પણ કહેતા હતા મારા હિસાબથી ધન ભેગું કર્યું તો પણ શૂન્ય છે,પૈસા ભેગા કર્યા તો પણ શૂન્ય છે,વિદ્યાવાન થઇ જાય તો પણ હું તો માનું છું શૂન્ય છે કેમ કે આ બધા શૂન્ય એટલા માટે છે કે
 આપણી બધી વસ્તુઓ અહીની અહી જ રહી જાય છે તે મેળવીને પણ તમે ત્યાના ત્યાં જ રોકાઈ જઈએ  છીએ,પૂછવામાં આવ્યું તો મહત્વ કેવી રીતે બને છે,તો કહ્યું કે બધા શૂન્ય એક જગ્યાએ ભેગા કરો તો પરિણામ  શું આવશે,શૂન્ય જઆવશે,એમણે કહ્યું કેઆ બધા શુન્યોને એક બીજાની આગળ લખતા જાઓ
એટલે કે  એક શૂન્ય લખો,એના પછી તેની આગળ એક શૂન્ય જોડી દો, તો ડાબી બાજુથી જમણી. બાજુ લખતા જા ઓ,એમને એમ ચાર પાંચ શૂન્ય થઇ ગયા,હવે આ બધા શૂન્યોની આગળ માનો આ દુનિયામાં કાયમ છે અને કાયમ રહેશે, કેમ કે ધન પણ મળીને જતું રહેશે,બળ પણ જતું રહેશે,ધન સાધન પણ જશે,કલાકૃતિ પણ જતી  રહેશે તો આ બધું થઇ ગયું શૂન્ય,આ બધા પાંચ શૂન્યો એકબીજાની આગળ બેઠા છે,એની આગળ જે કાયમનું રહેવાનું છે તેને જોડી દો,તે છે એક,એક છે પરમાત્માનું  નામ તેને જોડી દો,તો જેશૂન્યની સાથે શૂન્ય હતું તેની આજ સુધી કોઈ કિંમત ન હતી તે જેવો એક લાગ્યો અને આગળ જે પાંચ શૂન્યો હતા તો એક હતો તે એક લાખ થઇ ગયો,તો તમે, જે તમારી પાસે હતું તે મહત્વનું ન હતું,પણ જેવું. ભગવાનનું નામ તમારી સાથે જોડાઈ ગયું તો બધી વસ્તુ મહત્વની થઇ ગઈ,કેમ કે કોઈ શક્તિનો સાચી રીતે વપરાય તો  શક્તિ બને છે,કારણ કે શક્તિ શુભની સાથે જોડાવી જોઈએ,ઓમ શુભ છે,સત્યમ,શિવમ,સુન્દરમ,પરમાત્મા શિવને શક્તિની સાથે જોડો,તો શિવ શક્તિ જ્યાં હોય છે,ત્યાં કલ્યાણ હોય છે,શક્તિનો દુરોપયોગ નથી,કહેવાય છે કે જ્યાં શક્તિનો દુરોપયોગ થયો,ભગવાન તે વસ્તુ પછી ફરીથી નથી આપતા,જો તમને ઈજ્જત કરતા ન આવડે,આ માણસનું શરીર મેળવીને જો એનો દુરુપયોગ કર્યો,તો બીજી વખત તે તમને નહિ મળે,મળશે તો પશુ પક્ષીયોનું શરીર
મળશે,અને એમાં ભટક્યા પછી ફરીથી આત્મા મનુષ્યના શરીરમાં આવી,અને આ વખતે પણ  આંખ ન ઉઘડે,તો આ વખતે જરૂર ચોર્યાસીના ચક્કરમાં જવું પડશે,અને જો અહી આવીને હોશ આવી જાય, આંખ ખુલી જાય,આંખ ખુલી જવાનો એ અર્થ છે,કેએ સમજ આવી જવી કે જીવન શા માટે છે,એનો ઉપયોગ કરવા  માણસ તૈયાર થઇ જાય,ઉપયોગ કયા રૂપમાં કરે છે,શરીર,પ્રાણ,મન,બુદ્ધિ,આત્મા, પાંચ વસ્તુઓથી આપણે
આપણો વિકાસ કરવાનો છે,શરીર સ્વસ્થ રહેવું જોઈએ,આપણી પ્રાણ શક્તિને બાળો નહિ,રોગમાં,શોકમાં,ભયમાં,ચિંતામાં,ક્રોધમાં,આપણે આપણી પ્રાણ શક્તિને ગુમાવી દઈએ છીએ,જેમ દાખલો  જોઈએ,બોન્સાઇ પદ્ધતિમાં,છોડ ઉગાડવામાં આવે છે,ગમલે માં વડનો પચ્ચીસ વર્ષનો છોડ,છ ઈંચથી વધારે ઉંચો ન થઈ શક્યો,પાન બધા લીલા અને તંદુરસ્ત હતા,કેમકે તેના મૂળ (જડ) રોજ કાપવામાં આવતી,જેવી
જડ વધે ગમ્લાની નીચેથી કાપી  કાઢે,એમાં ખાતર,પાણી,માટી બદલવામાં આવતું હતું,પણ માપ વજન છે
તેને આગળ વધવા દેતા નહિ,જડ કાપતા રહેતા,કહેવાય છેકે કાતર ચલાવતા હતા જડો કાપવામાં,તો છોડ
ઉંચો નહિ જાય,કેમકે જડો ઊંડે જાય તો છોડ ઉંચો થાય,તેમ માણસની પણ જડ છે,તેને તમે રોજ કાતર લઈને કાપો છો,અને કાતર પણ એક પ્રકારની નથી,પાંચ છ પ્રકારની કાતરો છે,રોગ શરીરમાં આવશે તો તે
પણ એક કાતર છે,જે અમારી ઉંમરની જડોને કાપતી રહે છે,વધવાજ નથી દેતી,આપણે જાતે સુકાઈ જઈએ
છીએ,રોગ,શોક,ભય, ભયભીત રહેવું,ડરતા ડરતા જીવવું,મરતા પહેલા ધ્યાન રાખો,જયારે  તમારો સમય
લખાયેલો હશે તે પહેલા તમે મરવાના નથી,જયારે સમય આવી જશે ગમે તેટલી કોશિશ કરશો અહી રોકાઈ નહિ શકો,જવુજ પડશે,અને મરવાની તારીખ પહેલા કોઈ તમને લઇ જવાનું નથી,તો પછી જવાનું હશે ત્યારે
જઈશું,પણ ડરી ડરીને શા માટે જીવો છો,બહાદુર બનીને જીવો,પણ માણસ ગભરાતા ગભરાતા જીવે છે,કેટલાક બહાદુર હોય છે,એની પાસે જોઈએ તો કઈ હોતું નથી,આ જગ્યાને જે વ્યક્તિએ પોતાના ખુબ ઊંચું  કર્યું,આ આખા ક્ષેત્ર ને,શ્રી આનંદ ડી કે સાહેબ,સંત શ્રી કહે છે પોતાનો અનુભવ ,કે જ્યાં રહેતા હતા,જો કોઈ ત્યાં જઈને જુવે,નાની જગ્યામાં સાધારણ રૂપમાં,રૂપિયા પૈસા નહિ,સાધન સામગ્રી નહિ,પણ અંદરથી. એક એવી શક્તિ પોતાનામાં  એટલો પ્રેમ બનાવ્યો આજે બધાના દિલો પર રાજ કરે છે,આજે નથી,છતાંપણ છે,કેમ કે અંદર બેઠા છે,જયારે અહીપહેલો સત્સંગ થયો,તો તેને આયોજિત કરાવવામાં તેમની ખુબજ મુખ્ય
ભૂમિકા હતી,આગળ રહીને,બધીજ વ્યવસ્થા કરાવી,અને કહ્યું દર વર્ષે આવવાનું છે,તો જયારે હું. અહી આવું છું પહેલા સત્સંગમાં તો પહેલા હું તેમને યાદ કરું છું,હું કહેવા માંગું છું કે માણસની શક્તિ તેના સંકલ્પમાં છે,
તેના જીવવાના અંદાજમાં છે,એ શક્તિને આપણે આપણામાં ઉત્ત્પન્ન  કરવી જોઈએ,વધારવી જોઈએ,પણ
આપણે લોકો શું કરીએ છીએ,ભયભીત થઈને જીવન જીવીએ છીએ,તો આપણી જડો જાતે કાપીએ છીએ,રોગ,રોગી થઈને જીવવું,તે પણ આપણી ઉંમર જાતે કાપવી એટલે કે એને કાતર ચલાવવા જેવી વાત છે,હવે વિચારોકે આજના જમાનામાં ખુબજ વધારે પડતું ખેચાણ,ખુબજ ટેન્સન,સુગરનો પ્રોબ્લેમ,કોઈને લીવરનો પ્રોબ્લેમ,કીડની પ્રોબ્લેમ,કે બીજી વસ્તુ થઇ જાય,તો ડોક્ટર બધાને માટે એક જ વાત કહે છે,જો માણસ બરાબર નિયમ પ્રમાણે ખાય, પીએ, નિયમસર કસરત કરે,સુગર પણ બરાબર રહેશે અને માણસની
બીજા અંગો પણ બરાબર રહેશે,મગજ તથા હૃદય પણ બરાબર રહેશે.
,,

Tuesday, December 22, 2015

શિવજીનો મૃત્યુંજય મંત્ર

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
શિવજીનો મૃત્યુંજય મંત્ર

રોજ સવારે સદાશિવ ભગવાનની તસ્વીર સામે રાખીને અને શિવલિંગ ઉપર પાણીનો અભિષેક કરીને  પૂજ્ય
ગુરુદેવનું ધ્યાન ધરીને,રુદ્રાક્ષ ની માળા ઉપર મૃત્યુંજય મંત્ર સતત ૨૧ દિવસ  જપ કરે, સંત શ્રી સાથે મંત્રનો ઉચ્ચાર કરવાનો અનુરોધ, ઔમ  ત્રયમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ ઉરવાર રુક્મેવ વંદનાન મૃત્યુર
મોક્ષ્ય યમામૃતા આ મૃત્યુંજય મંત્રનો અર્થ પણ સમજી લો
ત્રયંબક યજામહે,ત્રયંબક નામના ભગવાન શિવ,જે માતા પિતા તેમજ ગુરુની નજર થી જુએ છે,જે સર્જન
કરવાની,પાલન કરવાની તથા સંહાર કરવાની શક્તિ ધરાવે છે,જે આપણને નિર્માણ કરવાની શક્તિ આપે છે,અને બધાનું પાલન પોષણ કરવા માટે તેમજ ઘર પરિવાર ચલાવવા આપણને હિંમત આપે છે,અને મનને શાંત રાખે,જેનાથી મીઠી ઊંઘ આવે,શાંતિ મળે,બળ મળે,પૈસા મળે,આનંદ મળે,મન સમજે કે આટલું છે મારી પાસે હું ઘણો આગળ છું,તો પછી શા માટે હિંમત હારું,
તો આ જેત્રણ પ્રકારની શક્તિઓ છે જે ભગવાન શિવનું આ રૂપ ધરે છે જેને ત્રયમ્બક કહેવાય છે,
યજામહે કે હે પ્રભુ અમે આપનું ધ્યાન કરીએ છીએ, સુગંધીમ પુષ્ટિ વર્ધનમ એટલે કે તમારું ધ્યાન કરનારને
હે પ્રભુ સુગંધી એટલે કે કીર્તિ મળે છેપુષ્ટિ એટલેકે તેનું પાલનપોષણ વર્દન્મ એટલે એનો સ્વભાવ હોય છે,
આગળ કહ્યું છે ઉરવા રુક્મેવ વંદનાન એટલે કે ભગવાન અમોને બંધનોથી,દુઃખોથી,કર્મોથી એવા છોડાવો
કે જેમ ફળ પાકે છે તો ડાળીથી જાતેજ છુટું પડી જાય છે,એવી રીતે અમે જ્ઞાનથી,શ્રધ્ધાથી ,ભક્તિથી
પાકી જઈ આખી જીંદગી ભોગવી લઈએ,પછી આ જીવનનું ફળ પાકીને આપના ખોળામાં પડે,
મૃત્યુર મોક્ષ્ય યમામૃતા નો અર્થ ભગવાન અમને મૃત્યુથી બચાઓ પણ અમૃત,સુખ અને આનંદથી દુર ન કરશો

આ બાજુ  રહીએ તો પણ તમારા હાથોમાં પેલી બાજુ રહીએ તો પણ તમારા ખોળામાં હોઈએ, એવી હે પ્રભુ
અમારા પર દયા કરજો, મંત્રનો એવો અર્થ થાય છે કે,ભગવાન શિવજીના પાંચ મોઢા છે,એક મુખ છેઅગ્નિ ,
યજ્ઞ કરવો,એક મુખ છે જીવ માત્રની સેવા,ભગવાનને ભોગ ધરવો હોય,મંદિરમાં જઈએ છીએ તો ત્યાંથી
ભોગ લgઇ લઈશું,ભગવાનને ભોગ ધરાવવા બધા જાય છે,પણ ભગવાન બધાનું  ધરાવેલું ખાય છે,એવું નથી,શબરીએ એંઠા બોર ખવડાવ્યા ખાઈ લીધા,ગોપ ગોપીયો,નામદેવ,કર્માંબાઈ બધાના ભોગ ભગવાને ખાધા
પણ આપણે ધરાવીએ તો લેતાજ નથી
તો પછી એવું વિચારી લઈએ કે શિવજીના બીજા પણ કૈક મોઢા છે,અગ્નિમાં આહુતિ આપીશું તો ત્યાં સુધી પહોચશે પણ તેનું ધ્યાન રાખવું,કેટલાય લોકો બીજાના વિનાશ માટે,યજ્ઞ,પૂજન વગેરે કરે છે,એનાથી બચવું
યજ્ઞમાં આહુતિ પોતાનું પારકાનું બધાનું કલ્યાણ થાય એવો  મનમાં ભાવ રાખી આપવી,બીજું જીવમાત્ર  પર
દયા કરો, ચકલા પારેવડાને દાણા નાખવા,કીડીયારું ઉભરાઈ ત્યારે કીડીઓને લોટ નાખવો,ગાયોને ઘાસ
નાખવું,ખડકીમાં કે ઘરના આંગણે કુતરો બેઠો હોય તેને પણ એક ટુકડો રોટલાની આશામાં તે સેવક કે ચોકીદાર બનીને બહાર બેઠેલો હોય છે એના પર પણ દયા કરતા રહો,એક મોઢું ભગવાનનું એ છે કે ઘરમાં જે
વડીલ વૃદ્ધ છે તે,તેની છત્ર છાયા બહુ જ મદદ કરે છે ક્યારેક ઘરમાં વડીલ વૃદ્ધ હોય ત્યાં સુધી જુદી વાત
હોય છે,જેવા તે ગયા કે તેની સાથે તેની છાયા માયા બધુજ જતું રહે છે,ઘરમાં કોઈ તાજગી રહેતી નથી,કોઈ
મળવા આવતું નથી,કામ કરવામાં મન લાગતું નથી,.માંદગી,મુશ્કેલી વધી જાય છે આમ શિવજીનું ત્રીજું
મોઢું વડીલ વૃદ્ધ ના રૂપમાં છે,તેનું સન્માન કરો,એવું ન વિચારો,કે તે કઈ કરતા નથી,આખો દિવસ ખામીયો
જોયા કરે છે,સાચું ખોટું બોલ્યા કરે છે,આખો દિવસ બોલ્યા કરે છે,વૃદ્ધોએ પણ વિચારવું જોઈએ,.જેમ જેમ
ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરમાં શક્તિ રહેતી નથી,જીભ ઉપર તાકાત આવી જાય છે,બહુજ બોલે છે,
ચુપ કરવા મુશ્કેલ થઇ જાય છે,
કેટલાક ઓરખીતા બેઠા હોય,તો દીકરા ,દીકરી વડીલને શાંત કરવા મહેમાનોથી નજર બચાવી, દુરથી ઈશારા
કર્યા કરે છે, હોઠો પર આંગળી મૂકી બાપુજી શાંત થઇ જાવ,શાંતિ શાંતિ શાંતિ એમ મુક ઈશારા કર્યા કરે છે,
પણ બાપુજી ગમે તેમ જે કઈ કહેવું હોય તેમ કહી દે છે,તો પછી મોટા નાના બધા એક જેવા જ,તે એક વાત
દસ દસ વાર ફેરવ્યા કરે છે,એની ખબર પણ નહિ પડે,એમને એમ લાગતું હોય છે કે હું આજે પહેલી વખત સંભળાવું છું,એનાથી નારાજ ન થશો,બાપુજીની બહુ મોટી કૃપા હોય છે,એમાં શનિ મહારાજનો વાસ હોય છે,
સાડા સાતી ચાલતી હોય એને ધ્યાન રાખવું જોઈએ,વૃદ્ધને ક્યારેય પજ્વશો નહિ,વૃદ્ધના આશીર્વાદ શનિની
દશાથી બચાવે છે,યાદ રાખો,જેની સૂર્યની દશા ચાલતી હોય, સીધો હિસાબ બતાવું છું,પંડિતોની કે જોશીયોના
 જેવા દાખલા કે જે ગ્રંથોમાં લખ્યા હોય,જો સુર્યની દશા ચાલતી હોય,તો બાપુજીને ખુશ કરો,ચંદ્રમાની દશા
હોય,તો મને પ્રસન્ન કરો,મંગલ હોય તો ભાઈ અને બુધ હોય તો બહેનને પ્રસન્ન રાખો,ગુરુ એટલે બૃહસ્પતિ દશા હોય તો ગુરુજીને ખુશ કરો, અને શુક્ર પત્નીનો વાર છે,જેની ઉપર શુક્રની દ્રષ્ટી હોય,તો સીધું ધ્યાન રાખીને
પત્નીને ઘરેણા વગેરે આપીને ખુશ રાખો,શુક્ર ખુશ થઇ જશે,આ સ્ત્રી સમાજને ખુબ ગમશે,અને જેને શનિની
દશા હોય તો પોતાના વૃદ્ધને ખુશ રાખો,શનિ વૃદ્ધોનો દિવસ છે,અને પછી રાહું અને કેતુ - એક છે જીવો ઉપર દયા રાખવી,અને બીજું અપંગોની સેવા કરવી,કોઢી હોય,નિર્બળ હોય,ગરીબ હોય,અસહાય હોય, એની સેવા
કરો ,જો તમે આ કરી લેશો તો ક્યાય જવું નહિ પડે,ક્યાય કોઈ જંતર મંતર ના ચક્કરમાં પડવાની જરૂર નહિ
પડે,તમારા ઘરમાં તમારા નવ ગ્રહોની કૃપા થઇ જશે,બહેન અને દીકરી ને જે આપો છો,તે પણ અસર કરે છે,
પણ લોકો વિચારે છે,તમે બેન બેટીને દાન કરી દો છો,તો મંદિરમાં આપવાની શું જરૂર?, જોકે એ તો આપણાં
ઘરની વાત છે,પણ બહાર આપણે જે થાય તે કર્યા કરવું જોઈએ,બહેન બેટી માટે દાન નથી હોતું, આ વાતને
સમજી લેજો,બેન બેટીને આપો છો તો તે પંડિત નથી જેને આપ દાન દેવા જાવ છો,પંડિતમાં પણ બે પ્રકારની વસ્તુ હોય છે,દક્ષિણા,એ ખુબ ઉંચી વાત છે,જેણે તમારા માટે ઘણું બધું કર્યું અને
તેના માટે તમે આભાર વ્યક્ત કરતા પ્રમાણીકતાથી તેના ચરણોમાં ફૂલ અર્પણ કરો છો,દાન તરીકે તે છે
દક્ષિણા,અને એક હોય છે દાન કરવું, દાન એ અલગ વસ્તુ છે,તો હાથથી દાન પણ કરતા રહેવું જોઈએ ,
કારણકે ધનથી દાન આપી દેશો તો પણ વાત પૂરી નહિ થાય,હાથથી સેવા પણ કરો,ભગવાને પૈસા આપ્યા હોય અને તમે તમારા હાથથી ચેક લખી આપશો  એટલે કામ થઇ   જશે એવું નથી,ચેક આપ્યા પછી
તમારા હાથથી સેવા કરવાનો  પ્રયત્ન કરો,અને ક્યારેક સમય  કાઢીને તમારા મંદિરમાં કે ધર્મ સ્થાનમાં જઈ
જોડાનું કામ કરો,બૂટને પોલીશ કરી જુઓ,જીવનમાં જે જૂતા પડ્યા હોય તે તમારું નસીબ મારતું હતું,
એનાથી છુટકારો મળશે,સેવાનો મોટો લાભ છે,જે હાથોની રેખાઓ નસીબ માટે બનતી નથી તે સેવા કરવાથ
બની જાય છે અને દુર્ભાગ્યની રેખાઓ સેવા કરવાથી આપોઆપ ઢીલી પડે છે,બીજા કોઈ ચક્કરમાં ન પડશો,
ચક્કરમાં પડશો તો ચક્કર કાપ્યા કરશો,કેમ કે કોઈનું કોઈતમને ચઢાવવાળા મળતા રહેશે, સાચી રીતે જુઓ, કામ થાય છે,અને એક બીજી વાત,જીવન નામ જ ફેરફારનું છે
ફેરફારોને જ જીવન કહેવાય છે,દરેક પળે કઈ ન કઈ ફેરફાર થતો ,રહે છે અને આપણને પણ ફેરફાર
ગમે છે,આપણે કહીએ છીએ,જે અમારી પાસે છે તે સુરક્ષિત રહેવું જોઈએ,બદલાઈ ના જાય,બસ જેવું  છે
તેવું બરાબર રહે,અને દરેક પળે કઈનું કઈબદલાઈ રહ્યુ છે,નદીઓ કિનારા બદલી રહી છે.સમયની ધારાઓ
બદલાઈ રહીછે દરેકવસ્તુ બદલાઈ રહી છેસમય ક્યાય રોકાતો નથી,મન બદલાવા તૈયાર નથી,આપણે ત્યાના
ત્યાજ ચોટીને બેસી રહ્યા છે,આગળ જો સમય બદલાઈ ગયો તો વિચારીએ પહેલા રાજ આપણું હતું,હવે
છોકરાઓનું રાજ આવી ગયું તો એનું રાજએને કરવા દો,વચ્ચે વાંધા ન પાડો,સાસુને વિચારીને  ઘરની
ચાવીઓ વહુને આપી દેવી જોઈએ,અને દુરથી જોતા રહો,


પણ આપણા દેશમાં પ્રર્થા વિચિત્ર છે,સગાઇ થાય તેના ત્રીજે દાડે વહુને રસોડામાં કામ માં લગાડી દે છે,અને ચાંદીનો એક ચાવીઓનો ઝૂડો તેની કમ્મરમાં લગાડી દે છે,અને નવાઈની વાત તો એ છે કે એ ઝૂડોઆપવામાં
આવે છે તેમાં ચાવીઓ તો હોતીજ નથી,સાસુ ઘણી હોશિયાર છે,રીવાજ પૂરો કરે છે પણ ચાવીઓ તો આપતી જ નથી,અનેઆ બાજુ વહુ પણએવું શીખીને આવી હોય છે કે એને ચાવીયોની જરૂર જ
નથી પડતી,માસ્ટર કી લઈને આવી હોય છે જાણે છેપતિને કબ્જામમાં કરી લઉં પછી કઈ કરવાની જરૂર જ નથી,બધા જ તાળા આપોઆપ ખુલી જવાના છે,સમજો તો પોતાની જાતને પોતે જ સંભાળો,સમજાવો,નહિ તો બહુ મોટું નુકશાન થઇ જાય છે,અને બધાએ દયાન રાખવાની જરૂર છે,ઘરમાં વહુ આવી છે,તો તે તમારી
ભાગ્ય લક્ષ્મી,રાજ લક્ષ્મી કે ગૃહ લક્ષ્મી છે,તમારી ગૃહ લક્ષ્મી અત્યાર સુધી બીજાને ત્યાં  રહેતી હતી તે હવે તમારા ઘેર આવી છે,તેનું સ્વાગત સત્કાર, માન સન્માન કરવાની તમારી ફરજ છે,અને બધાએ ધ્યાન રાખવાની જરૂર છે,વહુને કબજામાં રાખો,દીકરો કબજામાં આવી જશે,વહુના સહારે વૃધાવસ્થા પસાર કરવાની છે,દીકરો તો હાથમાં રહેવાનો છે,પણ જો વહુ તમારા હાથમાં હશે તો પછી કઈ કહેવાનું રહેતું નથી,બધું જ
તમારા હાથમાં છેપણ જો વહુને તમે નારાજ કરી,તો કદાચ એકાદ દિવસ પસાર થાય પણ બીજા દિવસે તે તેના પતિને લઈને બીજે રહેવા જતી રહેશે,અને ખાસ કાળજીની વાત એ છે કે રહેવા બીજે જશે તો જગ્યા બદલાશે પણ હૃદય ના સબંધોમાં અંતર  ક્યારેય પડવું  ન જોઈએ,

જો દિલના સબંધો તૂટ્યા તો પછી ભલેને એકજ ઘરમાં રહેતા હોય અને જુદું ખાવાનું બનાવતા હોય તો પણ
એક બીજાથી હજારો માઈલનું અંતર પડી જાય છે,અને એક બીજી વાત યાદ રાખો કે ક્યારેક આવું થઇ જાય તે આપણને ગમતું નથી,પણ એમાંથી પણ કૈક શીખવાનું મળે છે,એમાં ક્યારેક આપણું ભલું થઇ જાય,આપને
ફરિયાદ કરીએ ભગવાન આવું કેમ તેવું કેમ,આવું તો થવુંજ ન જોઈએ,મારી સાથે જ કેમ થયું,ખબર નહિ કયા જન્મનો હિસાબ મારે ભોગવવાનો હતો,પણ આવા દુખ સાથે ભગવાન કૈક સારું પણ જરૂર આપતો હોય છે,તમને મુશ્કેલીઓ મજબુત બનાવે છે,ચેલેન્જ તમને પ્રબળ બનાવે છે,પરિક્ષાઓ જીવનમાં ધીરજ ઉત્પન્ન
કરે છે,તો ગભરાશો નહિ,દરેક વસ્તુમાંથી કૈક શીખો,નેપોલિયન હિલ્લ નામનો એક બહુ સારો લેખક થઇ ગયો
તેને એક વાર્તા લખી હતી,કે પાણીનું એક વહાણ ડૂબ્યું,દરિયામાં મોટી મોટી પત્થરની દીવાલો હોય છે,તેમાં વહાણ ભૂલથી ખોટી રીતે આ પત્થરો સાથે અથડાયું,તેમાં હતા તેટલા બધા માણસો મરી ગયા,એક યુવાન બચ્યો, તે પાણીની લહેરો સાથે ખેચાઈને એક ટાપુના કિનારે જઈ પડ્યો ત્યાં તેને ભાન આવ્યું,તેણે પોતાને
એક નિર્જન ટાપુ ઉપર એકલો પડેલો જોયો,ત્યાં ઝાડ  પાન હતા પણ માણસો કોઈ ન હતા,તે ખુબ રડ્યો,ભગવાનને કહેવા લાગ્યો હું તો નોકરી શોધવા નીકળ્યો હતો,નોકરી મળતી હતી તે કામ કરવા જતો  હતો,ઘરના લોકો પણ ખુબ ઉત્સાહમાં હતા,ત્યાં કૈક બન્યા પછી ઘર સંસાર વાસાવતે,પણ હવે ક્યાં આવી ગયો છું,ભગવાન હવે મારું શું થશે,પણ રડતા  રડતા આંખો શીથીલ થઇ ગઈ ત્યારે મનમાં વિચાર આવ્યો
રડવાથી કઈ વળવાનું નથી,જો રડવાથી દુખ દૂર થાય  તો આખી દુનિયા રડી રડીને દુખો ભૂલી જતી,દુખ તો
હિંમતથી જ મટે,તો  પછી કઈ કરવું પડશે,તો મનમાં   આવ્યું  કે કઈ હલન ચલન કરીએ,નહિ તો ભૂખે મરી જઈશું,ત્યાં જે ફળો મળ્યા તે ખાવાના  શરુ કર્યા, વ્રુક્ષોનિ છાલ ચાવી ચાવીને તેના રસથી પેટ ભરવાનું શરુ કર્યું,અને પછી સુકાઈ ગયેલી લાકડીયો જોડી જોડીને એક મકાન બનાવવાનું શરુ કર્યું,એક ઝુપડી બનાવી,
રાતે આરામથી સુવાય,પથ્થર સાથેપથ્થર.  અથાડીને આગ સળગાવવાનો પ્રયત્ન કરતો રહ્યો,પણ આગ સળગી નહિ,તો પછી કાચું ખાઈને સુતો રહ્યો,.એક દિવસ તે તેના ટાપુ ઉપરથી જોતો હતો તો સામે એક બીજો નાનો ટાપુ તેણે જોયો,તેણે લાકડા ભેગા કરી તેનો એક તરાપો બનાવ્યો અને તેના ઉપર બેસીને તે પાણીની લહેરો વચ્ચે થઇ તે સામેના નાના ટાપુના કિનારે પહોચ્યો,જેવો તે ત્યાં પહોચ્યો તો તેણે પાછળના ટાપુ ઉપરથી ભયંકર કડાકાનો અવાજ  સાંભળ્યો તે તરફ જોવા લાગ્યો,વીજળી ચમકી અને જમીન પર પડી અને આગ લાગી ગઈ,જ્યાં વીજળી પડે છે ત્યાં મોટો વજ્રપાત થાય છે,બધુજ સળગાવી દે છે,તો વીજળી પડી અને તેનું ઘર સળગી ગયું,લાકડાનું મકાન
એવી જગ્યા કે જ્યાં કોઈ ઓજાર ન હોય કોઈ સાધન ન હોય,ત્યાં બિચારાએ કેવી રીતે મકાન બનાવ્યું હશે,જયારે મકાન સળગતું જોતા તે ખુબ રડ્યો,અને વિચારવા માંડ્યો જઈને કોઈ રીતે બચાવી લઉં,તો પાછો તેનો તરાપો જલ્દી જલ્દી ચલાવીને તે ત્યાં પહોચ્યો,જ્યાં ત્યાં પહોચ્યો જોયું તો બધું સળગીને રાખ થઇ ગયું
હતું,બસ ધુમાડો નીકળી રહ્યો હતો,લાકડીયો સળગી રહી હતી,નીકળતા ધુમાડાને સળગતી આગ જોતા તે ભાન ગુમાવી પડી ગયો,અને ક્યારે સુઈ ગયો,ખબર પણ ન પડી, સુતા સુતા તેને લાગ્યું કોઈ તેને જગાડી
રહ્યું હતું તે જાગ્યો,જોયું તો ત્રણ ચાર માણસો તેની આજુબાજુ ઉભા હતા,વિચાર્યું કે તે મરી ગયો છે ને જમના
દૂતો તેને લેવા આવ્યા છે,અને તે કહી રહ્યા હતા,ઉઠો ,તો તે ઉઠી ગયો અને નજર મળતા પેલા લોકો
પુછવા લાગ્યા,કોણ છો ભાઈ? ,તો તે આંખો ચોળતો સામે પુછવા લાગ્યો તમે બતાઓ તમે કોણ છો,પેલાઓએ કહ્યું અમે બતાવીશું પહેલા તું બતાવ તું કોણ છે,તેને કહ્યું સાહેબ ચાર છ મહિના પહેલા જે પાણીનું વહાણ ડૂબી ગયું હતું તેમાંથી બચેલી એક વ્યક્તિ છું,અને અહી મારી ભાર કાઢવા કોઈ ન આવ્યું ,મુસીબતોથી બચવા અને જીવન ચલાવવા એક મકાન બનાવ્યું હતું તે પણ આજે સળગી ગયું,તો આજે હું ભગવાનથી,દુનિયાથી  અને બધાથી ખુબ નારાજ છું,બહુ જ દુખી છું,પણ તમે કહો તમે કોણ છો,તો તેમણે કહ્યું અમે સરકારના માણસો છીએ,અને તમારા મકાનની જે આગ લાગી તેની જ્વાળા અને ધુમાડો દુર સુધી આકાશમાં દેખાઈ રહ્યો હતો તે અમે હેલીકોપ્તારમાંથી અહીંથી પસાર થતા જોઈ,અમારું દિવસે સર્વે કરવાનું કામ હતું,કોઈ વસ્તુ કે કોઈ સામાન મળે,તો અમે સતત સર્વે કરતા હતા પણ આ બાજુ કોઈ નજરે ન પડ્યું,અને આજે તારા મકાનમાં આગ લાગવાને કારણે,જવાળાઓ ઉઠવાને કારણે,અમને લાગ્યું અહી કોઈ છે, તો અમે તમને લેવા આવ્યા
છીએ,ચાલ તારા ઘેર,હવે તેને બચાવની એક તક મળી,આજેરાતે તે ભગવાનને તે ફરિયાદ કરતો હતો હવે
હેલીકોપ્ટરમાં બેઠો બેઠો શું કહી રહ્યો છે,હે ભગવાન તારી બહુ   જ કૃપા છે જો તે આગ લગાડી ન હોત તો હું
આ જગ્યા પર એમનો એમ પડ્યો રહેત અને જીવન ત્યાજ પૂરું  થઇ જાત,તે આગને બહાનું  બનાવીને મને  બચાવ્યો છે,દુખના રૂપમાં પણ તારી આ મોટી દયા છે,તું દુખ  પણ આપે છે તો પણ દયા કરવા માટે,જેથી
કાયમ માટે મારું દુખ દૂર થઇ જાય,અને હું કાયમ માટે સુખી થઇ શકું,તારી ખુબજ મહેરબાની પ્રભુ હું તમને સમજી ન શક્યો..

Sunday, December 13, 2015

ભગવાન પર ભરોષો


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
ભગવાન પર ભરોષો



જ્યારે પણ મુસીબતો  જીવનમાં શરુ થતી હોયતે સમય દરમ્યાન માણસોની યોગ્યતા ,બુદ્ધિ તેમજ શક્તિની
પરીક્ષા થાય છે,આપણે કેટલું સમતોલ કરી શકીએ,કેટલી ધીરજ રાખી શકીએ,કેટલી હિંમતથી કામ લઈએ,
અને કેટલી સચ્ચાઈ રાખી શકીએ,અને એવો કોઈ નથી આ દુનિયામાં,કે જેની સાથે કાયમ એકની એક સ્થિતિ
રહી હોય,અને જેનું ભરણ પોષણ ખુબજ સુખની સ્થિતિમાં થાય છે તે અંદરથી ક્યારેય મજબુત નથી થતા,
એટલે યાદ રાખો જ્યારે કોઈની પણ મદદ મળતી નથી ત્યારે એક શક્તિ કે જે હંમેશા તમારી સાથે હોય છે,અને તેને આપણે પરમાત્મા ની શક્તિ કહીએ છીએ,એ શક્તિ ઉપર ભરોષો રાખતા શીખો,કદાચ ઘણા બધા દરવાજા આપણે માટે બંધ થઇ રહ્યા હોય,કેમ કે દુઃખમાં એવું જ લાગતું હોય છે,છતાં પણ તમને ખુબ પ્રેમ કરતા પ્રભુ જેટલા દરવાજા તમારા માટે બંધ થયા હોય તેનાથી દસ ઘણા વધારે તમારા માટે ખોલી આપે છે, તે તમારા માટે રસ્તો છે,તમે હિંમત ન હારો,પરમાત્મા ઉપર કાયમ વિશ્વાસ રાખો અને પ્રાર્થનાના માધ્યમથી આ સત્તા કે પરમાત્માની એ શક્તિ સાથે જોડાયેલા રહો જે તમને  તોડતી નથી,કાયમ તમારી સંભાળ રાખે છે
જે શક્તિ આપણને પ્રેરણા આપે,પ્યારના ગીત સંભળાવી,ખભો થપથપાવી મજબુત કરે,એને, એ સત્તાને કાયમ યાદ રાખો,પ્રાર્થના,ભજન,કીર્તન કે કોઈ પણ રીત થી,તેના તરંગોને આપણી અંદર પ્રવાહિત કરવાના
ઉપાયો જ પ્રાર્થના છે,ભજન છે,કીર્તન છે,ક્યારેક જો આંખમાં આંસુ આવી જાય તો દુનિયાથી છુપાવી રાખો
પણ ભગવાન સામે એ આંસુઓને છુપાવો નહિ,ત્યાં અવિરત વહેવા દો,આંસુઓના ફૂલો ચઢાવી આશીર્વાદ માંગો,અને ભગવાનને કહો,હે પ્રભુ મને ક્યારેય છોડશો નહિ,દુનિયાના દુખો મને એકલો બનાવી દે પણ હે પ્રભુ
તારી કૃપાથી હું એકલો નાં પડું,તું મારી સાથેને સાથે રહેજે,આ મારી પ્રાર્થના છે,અને એની દયા એવી થાય છે કે સાધારણ માણસ,કે જેને,દુનિયાએ સમજી લીધું હતું કેઆતો ગયો કામથી,પણ ભગવાન તેને  ફરીથી સુરજની માફક ચમકાવી દે છે,તેની કૃપા તેને ફરીથી ઊંચા સ્થાને મૂકી દે છે,
તો એક આશા,એક વિશ્વાસ,એક ભરોષો,એકજ જગ્યાની લગન,એકજ જગ્યાએ પોતાની નિષ્ઠા,એકજ જગ્યાની વફાદારી,પાકી કરી લો ,ભગવાનની કૃપા હંમેશા થતી રહેશે,સંત શ્રી કહે છે ચાલો ભેગા મળીને ગાઈએ
મેરા નાથ,તું હૈ,મેરા નાથ તું હૈ,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ,(૨)
ચલા જા રહા હું મૈ,રાહ પે તુમ્હારી,રાહોમેં આયે જો તુફાન આંધી ,
આ મૈ તુઝે મેરા હાથ દુંગા,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ
મેરા ઇષ્ટ તું હૈ,મૈ તેરા પુંજારી,મેરા ખેલ મૈ હું,તું મેરા ખિલાડી
મેરી જીન્દગીકી હર બાત તું હૈ,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ
તેરા દાસ હું મૈ,તેરે ગીત ગાઉં,તુઝે ભુલકે ભી ન કભી ભૂલતા હું,
ઈતિહાસની ઉપર એક નજર કરીએ તો મેવાડની રાણી મીરા એકલી પડી ગઈ,આખી દુનિયા પરિક્ષા લઇ રહી
હતી,અને એનું ભલું ઇચ્છ્વાવાલા અને પ્યાર કરવા વાળા બધા લોકો,તેનાથી દુર થઇ ગયા હતા,માતા પિતા,સાસુ અને સસરા બધા જતા રહ્યા હતા,તેનું ભલું ચાહ્વાવાલો તેનો પતિ પણ નહોતો રહ્યો,છ મૃત્યુ તેણે
જોયા હતા,એક એક કરીને બધા સાથ છોડી ગયા હતા,એવો સમય આવી ગયો હતો કે ઘરના માણસો જ તેને
બદનામ કરવા માંડ્યા હતા ઝેરનો પ્યાલો લાવીને સામે મુક્યો અને કહ્યું મીરાં આ તારે માટે છે અને એ તારી સજા છે,આ ઝેરના પ્યાલામાં મીરાએ કૃષ્ણનું રૂપ જોઇને પી લીધો,પણ ઝેર પણ તેને કઈ કરી ન શક્યું,મીરાં મહેલ છોડીને હાથમાં એકતારો
લઈને ગીત ગાતી નીકળી પડી,એને લાગી રહ્યું હતું તેનો ગોવિંદ એની સાથે છે તે ક્યારેય એકલી નથી,અને
પોતાની યાત્રા કરતી કરતી તે વૃંદાવન પહોચી ગઈ અને વૃંદાવનથી દ્વારિકા, દ્વારિકામાં જઈને જેમ જમુના
સાગરમાં મળી જાય છે તેમ પોતાના ગોવિંદ સાથે મળી ગઈ,પણ સંત શ્રી નિવેદન કરે છે કે જે મીરાના માધ્યમથી લોકો પોતાને તેના ભજનો ગાઈને ભગવાન સાથે જોડે છે,અથવા ભગવાન સાથે જોડાયાનો અનુભવ કરે છે તે મીરાની શકતી જુઓ,પુરા રાજસ્થાનમાં દુકાળ પડ્યો,લોકો મીરાને મનાવવા આવ્યા,અને
કહેવા લાગ્યા,રાજસ્થાન તારું સન્માન ન કરી શક્યું તેનું દુઃખ ભોગવી રહ્યું છે,જે ધરતી પર સંતનું સન્માન નથી થતું ત્યાં દુઃખ ચારેબાજુ ફેલાઈ જાય છે,મીરાએ શુભ કામના કરતા લોકોને કહ્યું,જાઓ હું તમારા માટે
બધું સારું થઇ જાય એમ ઇચ્છું  છું,પણ હું ત્યાં પાછી નહિ આવું કેમકે જમુના વહીને જેમ સાગરમાં મળી જાય છે પછી તે પાછી નથી ફરતી,પાછું ફરવાનું તે નથી જાણતી,હું હવે મારા ગોવિંદની થઇ ગઈછું દુનિયાની નહિ,
સંત શ્રી કહેવા એ માંગે છે કે મોટા મોટા દુઃખોમાં કોઈ વ્યક્તિ તૂટી ન જાય,અને સાધારણ માણસ નાનામાં નાના દુઃખમાં તૂટીને પડી ભાંગે છે,એક પરમાત્માની શક્તિ,માણસને આગળ અને આગળ લઇ જાય છે,ભગવાનની શક્તિનું એ બળ છે કે બાળક ધ્રુવે નાની ઉમરમાં જંગલમાં બેસીને ભગવાનનું તપ કર્યું,
દુનિયાથી જુદો થઇ ગયો,પિતાથી જુદો થઇ ગયો,માએ ભક્તિ કરવા મોકલી આપ્યો,કોના સહારાથી તે જીવ્યો,
તે શક્તિ પરમાત્માની હતી,એવી રીતે તમે જુઓ નરસિંહ મેહતા,કેટલી પરિક્ષાઓ થઇ,પણ બધી પાર થઇ
કેમ?,કેમકે ભગવાનનો ભરોષો હતો,તેનો સહારો લઈને ચાલતા હતા,
એટલા માટે,દયાન રાખો,દુઃખ તમારું ગમે તેવું હોય,કદાચ દુઃખ આપવા વાળા પ્રભુએ તમારા  કર્મોના હિસાબથી,સંસારના હિસાબથી કે દુનિયાને હેરાન કરવાના હિસાબથી,ગમેતે રીતે દુઃખ આવી ગયું હોય,તમારી
ભક્તિ તમારું બ્રહ્મ કવચ બનીને તમારી રક્ષા કર્યા કરે છે,એટલે તમારી ભક્તિને છોડશો નહિ,તે સહારાને
બચાવી રાખજો ,હવે આ પંક્તિઓ સાથે ગાઈએ,

તેરા સાથ દુ મૈ તેરે ગીત ગાઉ,તુઝે ભુલકે ભી ન કભી ભૂલ જાઉં
તું હી મેરે બંધુ,પીતરું માત તું હૈ, નહિ મૈ અકેલા મેરે સાથ તું હૈ,
મેરા નાથ તું. હૈ,મેરા નાથ તું હૈ,મેરા......................





Saturday, December 12, 2015

ગીતા એક સંજીવની

.
સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:

ગીતા એક સંજીવની

 વેદવ્યાસ ઋષીએ અર્જુન અને શ્રી કૃષ્ણનાં સંવાદને એક સંજીવની બનાવીને તે રસ ઉપજાવે તેવા અધ્યાયને સંસાર સામે મુક્યો જેને આપણે ગીતાના રૂપમાં જાણીએ છીએ,પણ જ્યારે તેની ભૂમિકા તૈયાર થઇ
તે પહેલા ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાને દુર્યોધન અને અર્જુન બંને મદદ માટે ગયા હતા,અને મદદ
 માંગવા જ્યારે ગયા તેમાં દુર્યોધન કહેવા લાગ્યો હે શ્રી કૃષ્ણ તમારી  સહાય વગર આ યુદ્ધ જીતવું શક્ય
નથી,મારે તમારી સેનાની જરૂર છે,અને શસ્ત્ર સરંજામ પણ જોઈએ છે,મતલબ યુદ્ધનો બધોજ સરંજામ
જોઇશે,જ્યારે અર્જુને કહ્યું મારે કોઈ સાધનની જરૂર નથી મારે તો ફક્ત આપની જરૂર છે શ્રી કૃષ્ણે કહ્યું
હે અર્જુન, હું તારે માટે લડીશ નહિ,તારે માટેની લડાઈ તારે જાતે જ લડવી પડશે
તારા ભાગની લડાઈ તો તારે પોતે જ લડવી પડે,બધા જીવોને પોતાની મુશ્કેલીમાં પોતાના પગ ઉપર ઉભું
રહેવું પડે છે,પોતાની મુશ્કેલીયો,પોતાના દુખો તેમજ તકલીફોમાં પોતેજ લડવું પડે છે,માટે અર્જુન લડાઈ તો તારેજ લડવી  પડશે,અર્જુને કહ્યું હે કેશવ મારા રથને હાંકવાવાલા બનો, મારે જ્યાં જવું
જોઈએ  તમે મને લઇ જજો,બાકી લડાઈ તો હું લડી લઈશ,ચુંટણીની આ રીત અર્જુનની અદભૂત હતી,તેણે
રથ લઈને જીદગીનો રથ શ્રી કૃષ્ણને સોપી દીધો,અને કહેવા લાગ્યો કે મારા જિંદગીના રથને પણ ત્યાજ લઇ
જાવ જ્યાં તેને જવું જોઈએ,આ અર્જુનનું સમર્થન હતું,ભલે આપણે ગમે તેટલું કહીએ,'મેરા મુઝકો કુછ નહિ,જો કુછ હૈ સબ તોર,તેરા તુઝકો સોપ કર ક્યા લાગત હૈ મોર,'
 શબ્દોમાં તો આપણે સમર્થન કરી દઈયે છીએ પરંતુ હકીકતમાં સમર્થન થતું નથી,જો તારું છે તે
તને આપું છું પણ તેમાંથી કઈ ને કઈ આપણે  બચાવી લઈએ છીએ,થોડા પૈસા  આપીએ છીએ,પણ કહીએ
છીએ,બધુ જ ધન તારું છે,આ તો એક દાખલો તારા સામે મૂકી રહ્યો છું,તારું આપેલું તો હું ખાઉં  છું અને એમાંથી
થોડો ભાગ તારી સામે મુકીને બતાવું છું બધું તારુ જ  છે અને બધું તને જ અર્પણ ,અને ભગવાનના કામ માટે
છોડતા હાથ કાપતો હોય ,આજકાલ માણસ એવું  માને છે કે બધાજ સબંધો અને નિયમો તારા જ
આપેલા છે,તું જ માણસ ને આ દુનિયામાં લાવ્યો છે અને આ દુનિયામાંથી પાછો પણ તુંજ લઇ જવાનો છે

તારી બધી જ વ્યવસ્થા નો હું સ્વીકાર કરું છું,આવું કહેતા તો કહી જાય છે પણ સ્વીકાર નથી કરતો
કઈ ને કઈ તો બચાવી લેવાઈ છે અર્જુને કોઈ બચાવ ન કર્યો,એણે સીધે  સીધું કહી દીધું,મેં મારા જીવનનો
રથ તને સોપી દીધો છે હે કેશવ હવે તમને ગમે તે રીતે,તમે જ્યાં જવું હોય ત્યાં લઇ જાઓ,જે કરાવવાની
 મરજી હોય તેમ કરાઓ,તો એનો અર્થ શું હતો,કે અર્જુને પોતાની ઈચ્છા શ્રી કૃષ્ણ નાં ચરણોમાં મૂકી દીધી,
અને જાતે ચિંતા રહિત બની ગયો,અને પોતે કાર્યરત થઇ ગયો,ભલે યુધ્ધના નગારા વાગી જાય તે શાંતિ થી
સુતો હોય,જે પોતાની જાત પર ભરોષો  કરે છે અને ભગવાન ઉપર નથી કરતો તે ચિંતા કરે છે જે ભગવાન ઉપર
ભરોષો કરે તેને ચિંતા શાની,સમય આવવો એટલો સરળ નથી ,એમાં કહેવાનું એ છેકે

હે જ્ઞાનલોપ ભગવાન હમકો ભી જ્ઞાન દે તુમ (૨) કરુણા કે ચાર છીતે,કરુણા કે ધામ દે દો,-હે જ્ઞાનલોપ........
સુલઝા શકે હમ અપની,જીવનકી ઉલઝનોકો (૨) પ્રજ્ઞાન કામ ભરા ,બુધ્ધિકા દાન દે દો,-કરુણા કે ચાર .......
અપની મદદ હંમેશા ખુદ આપ કર શકે જો (૨)ઇન બાહુઓમે શક્તિ ,હે શક્તિમાન દે દો....હે જ્ઞાનલોપ.......

ઘણા સુંદર આ પ્રાર્થનાના શબ્દો છે,એના ઉપર ધ્યાન આપજો, જીવનમાં મુસીબતો બધાને રહેવાની,જેવી
રીતે અંધારું,રાતનું અંધારું,આકાશમાં  વાદળો છવાયેલા હોય અને ઘાટા જંગલમાંથી જવું પડે,એક પ્રકાશની જરૂર પડે છે,જેનાથી જોતા જોતા રસ્તો શોધી શકાય,બધાને ભગવાને એક દીવો આપ્યો છે,તે છે,બુદ્ધિ,
અને બરાબર દીવો સળગતો રહે,બરાબર પ્રકાશ આપતો રહે,તેને માટે પ્રાર્થના કરતા રહો 'હે  મારા ભગવાન મને સદા સદબુદ્ધિ આપજો

Thursday, December 3, 2015

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:


માર્ચ ૩૧ ૨૦૧૫ નાં શુભ સંદેશ

માર્ચ ૩૧ ૨૦૧૫ નાં શુભ સંદેશમાં સંત શ્રી સુધાન્સું મહારાજ જણાવે છે કે સંગીત સાંભળતા હો તો તેમાં મશગુલ થઇ જાવ,તેના આરોહ અવરોહમાં નો આનંદ લો,શબ્દોને હૃદયથી સાંભળો,સાંભળવામાં મઝા આવશે,ખાવાનું ખાતા હો તો પુરા આનંદ સાથે ખાઓ,કામ કરતા હો તો મન લગાવીને કામ કરો,પરિણામ ઘણું સારું આવશે,મહેનત કરો જરૂરી છે પણ પથ્થર તોડવો હોય તો તેને તૂટે એટલુજ જોર લગાવો,
નેપોલિયન હિલ્લ કહેતા આપ કામ કરતા હો તો જેને માટે કરતા હો તેને પણ આનંદ મળવો  જોઈએ ધારોકે
તમે ધંધો કરતા હો અને એક રૂપિયામાં બાર વસ્તુ કે ફળ
 આપો તો ગ્રાહકને તેર વસ્તુ આપો જેથી એકાદ ખરાબ નીકળે તો તે પ્રસન્ન થાય અનેબીજા સમયે તમારી પાસેજ આવે,તમારી તેની પાસે સારી છાપ ઉભી
થશે,અને તે ક્યાય નહિ જાય, ઉપરથી બીજા ગ્રાહકો વધશે આમ તમને ધંધામાં ગૂડ વિલ બનશે,તમારી
જાતને પણ ખાતરી થાય તેવું કરો ,ભગવાન પણ સાથ આપશે,હું કામ કરું છું એવા વિશ્વાસ સાથે પોતાને
જોડો,કામને પુંજા સમજો,જીવન ,પસાર થઇ જશે,ઘરમાં પણ બધા સાથ નથી આપતા,વગેરે વિચારી
દુખી ન થાવ ,હું છું તો મારી પત્ની તેમજ છોકરા સલામત છે,ભગવાન આવી સ્થિતિ કાયમની બનાવી
રાખે,એવું સારું વિચારો,મન સદા માટે આનંદમાં રહેશે,પૂજ્ય શ્રી એ એક પરિવારની વાત કરતા કહ્યું કે આ પરિવારમાં દીકરાની સગાઇ થવાની હતી તેમાં તે ગાડી
ચલાવતો હતો સાથે પરિવાર હતો અને એમાં અકસ્માત થયો,અકસ્માતમાં જેની સાથે સગાઇ થવાની હતી. તેની દાદી મૃત્યુ પામી,એટલે પરિવાર જે છોકરી ઘરમાં આવવાની તેને કમનસીબ ગણી ઘૃણા કરવા માંડ્યું પૂજ્ય શ્રી પાસે નજીકના સબંધ હોવાથી સલાહ માટે આવ્યું કે સગાઇ કરવી કે ન કરવી,પૂજ્ય શ્રીએ પૂછ્યું,
ગાડી ચલાવનારની શું સ્થિતિ છે,પરિવારના વડાએ જણાવ્યું દાદી સિવાય બધા સલામત છે,તો પછી ચિંતા
 શીદને કરો છો,દાદીનો સમય હતો તો મૃત્યુ થયું ,પણ તમારો દીકરો બચી ગયો તો આવનાર પાત્ર
સતી સાવિત્રી કહેવાય માટે સગાઇ કરો,મારા આશીર્વાદ છે,અને આમ તેર વર્ષથી હજુ વગર દોષે જોડું આનંદથી સુખી જીવન જીવે છે એટલે લોકો ખોટા વહેમ માં દુખી થઇ જાય છે, કઈ ન હોય તો પણ ખોટી
ખોટી શંકા કરી સારા ચાલતા જીવનમાં ભંગ કરાવે છે,ભાભી રોજ મેણા ટોણા મારે છે એમ કહી પોતાના
ભાઈનું ઘર ભંગાવે છે મોટા મોટા બુદ્ધિવાન લોકો ની પણ એજ સ્થિતિ છે,ભવિષ્ય ભગવાન બનાવે  છે,
ગુરુ સારા હોવા જરૂરી છે જે ડર ને ભગાડી હિંમત આપે,સાચી વાત શીખવાડે,
પરમાત્માથી મોટું કોઈ
નથી ,જેણે અત્યાર સુધી જીવાડ્યા તે ભવિષ્યમાં પણ જીવાડશે,બસ સાચી રીતે કામ કરતા રહો સફળતા
જરૂર મળશે ,સકારાત્મક ભાવ કેળવી કામ કરતા રહો,ભગવાન જરૂર મદદ કરશે સંદેશ પૂરો કરી સંત
શ્રી આશીર્વાદ આપે છે


 ભજન

દાતાકે દરબારમે સબ લોગોકા ખાતા હૈ,જો કોઈ જૈસી કરની કરતા વૈસા હી ફલ પાતા હૈ,દાતાકે દરબારમે.....
પૈસા હો ક્યા સંત ,ગૃહસ્થી ક્યા રાજા ક્યા રાની,(૨)
પ્રભુકે પુસ્તકમે લિખી હૈ સબકી કર્મ કહાની,અંતર્યામી અંદર બૈઠા સબકા હિસાબ લગાતા હૈ-દાતાકે.........
બડે બડે કાનુન,પ્રભુકી બડી બડી મર્યાદા ,(૨)
કિસીકો કોડી કમ નહિ મિલતી,મિલે ન પાઈ જ્યાદા,ઇસીલિયે તો એ જગતપતી કહેલાતા -દાતાકે દરબારમે....
ચલે ન ઉનકે આગે રીસ્વત,ચલે નહિ ચાલાકી,(૨)
ઉસકી લેન દેન કી બંદે રીત બડી હૈ,બાંકી,સમજદાર તો ચુપ હૈ.રહેતા,મૂરખ શોર મચાતા-દાતાકે.......
ઉજલી કરની કર લે બંદે,કરમ ન કર યુ કાલા,(૨)
લાખ આંખોસે દેખ રહા હૈ તુઝે દેખનેવાલા,ઉનકી તેજ નજરસે બંદે તું નહિ બચ પાતા-મેરે દાતાકે દરબાર મેં .