Monday, December 26, 2016

બાપુની વાતો એક જાદુગર.

બાપુની વાતો -એક જાદુગર.


દસેક વર્ષની ઉંમરમાં બાપુએ કહેલી વાતોની હજુ સ્મૃતિ છે,તેમાં એક જાદુગરની વાત તો બહુજ તન્મય થઇ અમે સાંભળતા,એક જાદુગર નામ તેનું મહમદ છેલ આમ તો તે એક ફકીર હતા,અને લોકોની ભલાઈ માટે તથા લોકોના આનંદ માટે જાતજાતના પ્રયોગો કરતા,તેમનામાં કોઈ એવો પાવર હતો કે તે ધારતા તેવું કરી શકતા,અને લોકોને પણ ખુબ ગમતું,તેઓનો જન્મ ૧૮૫૦ માં નીંગાલા,ગદાધા તાલુકા,ભાવનગર સૌરાષ્ટ્રમાં  માં થયેલો અને ૧૯૨૫ માં મૃત્યુ પામ્યા હતા સામાન્ય રીતે ટ્રેઈનમાં મુસાફરી કરતા અને મુસાફરી દરમ્યાન જાત જાતના પ્રયોગ કરી લોકોના દિલ બહેકાવતા,અને ટિકિટ તો ક્યારેય લેતા નહિ, ટિકિટ ચેકર આવે ત્યારે તેના જાદુનો રંગ દેખાડી ગમે તે કાગળની ટિકિટ દેખાડી દેતા, ઘણી વખત મોડા પડે અને ગાડી સ્ટેશન છોડી ચુકી હોય તો  હોય તો તેમના જાદુથી ટ્રેઇનનું એન્જીન ટ્રેઇનથી છૂટું કરી દેતા અને કહેતા હવે જાઓ મારા વગર,લોકો પણ જાણતા તેમને ખબર પડી જતી આ મહંમદ છેલનું કામ છે,જયારે તેઓ ગાડીમાં આવી જતા ફરીથી એન્જીન જોડાઈ જતું,
એક વખત ગાડીમાં ભીડમાં ઉભા હતા અને તેમણે સામે ઉભેલા એક ભાઈ ને પૂછ્યું ''કેટલા વાગ્યા"
પેલાએ પોતાના ખિસ્સામાં રહેલું ચેઇન સાથે જોડેલું ઘડિયાળ  ઉપર નજર કરી સમય કહ્યો ,એટલે તેમણે કહ્યું,"તમારું ઘડિયાળ તથા ચેઇન ચાંદીનું લાગે છે,ખુબ સુંદર લાગે છે,હું જોઈ શકું" પેલાએ તેના વખાણ થતા ઘડિયાળ તેમને જોવા આપ્યું,મહંમદ છેલે તેનું ઘડિયાળ બારી ખુલ્લી હતી તેમાંથી બહાર ફેંકી દીધું,ઘડિયાળ એક પસાર થતા ઝાડના થડ સાથે અથડાઈને તૂટી  ગયું,પેલો અવાક બનીને જોઈ રહ્યો,અને આ બનાવ જોતા લોકોમાં પણ સોપો છવાઈ ગયો કોકે કહ્યું તમારે આ કિંમતી ઘડિયાળના પૈસા આપવા પડશે,છેલ તેની સામે જોઈને બોલ્યા" મેં ઘડિયાળ લીધુંજ નથી,"અને લોકો કઈ કહે તે પહેલા એક પાઘડી વાળા ગ્રામીણ તરફ આંગળી બતાવતા કહ્યું "આ ભાઈએ ચોર્યું છે" અને પેલા નિર્દોષ ગ્રામીણે  તેનો વિરોધ કરતા કહ્યું મેં લીધું જ નથી,અમે ચોર નથી,અને તે ગુસ્સે ભરાયો એટલે છેલે બધાને તેની પાઘડી તપાસવા કહ્યું અને બધાની અરજથી પેલાએ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જાય તે માટે બધા સામે તેની પાઘડી ઉતારી તો પાઘડીના વળમાંથી પેલું ઘડિયાળ નીકળ્યું,પેલો નવાઈ પામી છેલ તરફ જોઈ રહ્યો,અને લોકોને પણ આનંદ આપી પેલાના માથામાં છેલ પોતાનો હાથથી મસાજ કરતા હસતા હસતા બીજા સ્ટેશને ઉતરી ગયા,  
 એક વખત ગાડીમાં મુસાફરી દરમ્યાન એક ડબ્બામાં કેટલાક ગ્રામીણ હતા અને વચ્ચે એક પાસે મીઠાઈનું બોક્સ હતું તે કોઈ તેના તરફ જોતું ન હોય ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો પોતાના મોઢામાં મૂકી દેતો હતો,આ દ્રશ્ય જોતા છેલ સાહેબને કઈ કૌતુક કરવાનો વિચાર થયો,તેમણે પેલાને કહ્યું આ તારી મીઠાઈ બધાની સાથે વહેંચીને ખા,પેલાએ છેલની વાત પર ધ્યાન આપ્યું નહિ,એટલે તેના તરફ જોઈ રહેલા છેલે  મોઢા ઉપર સ્માઈલ લાવીને કહ્યું, હવે તું જ્યારે બીજી વખત આ બાસ્કેટમાં મીઠાઈ માટે હાથ નાખે તો ધ્યાન રાખજે,પણ છેલની આ ચેતવણી તેણે  ગણકારી નહિ,અને બીજી વખત હાથ નાખ્યો તો અંદરથી મીઠાઈને બદલે સાપ તેના હાથમાં હતો,
આવા છેલ  ક્યારેક તોફાની પ્રયોગો પણ કરતા,સાધુ સંતો સાથે પણ ક્યારેક મઝાક કરી લેતા પણ ખાલી લોકોના આનંદ માટે,એક વખત જ્યારે જૈન સાધુઓ પોતાના ભિક્ષા પાત્રમાં વહોરીને જે ખાવાનું લાવ્યા હતા,ત્યારે છેલને મઝાક સુધી અને કહ્યું કે તમે જે વહોરીને લાવ્યા તે અનાજ નથી અને સાધુઓએ જોયું તો અંદર જુદું હતું સાધુઓએ તે ફેંકી દીધું અને તે સાધુઓના ગુરુજીને છેલની આ મઝાકની પોતાના ધ્યાનમાં ખબર પડી અને બાપાના કહેવા મુજબ ગુરુજીએ પોતાના તપથી છેલને મઝાક કરવા માટે જ્યા ઉભા હતા ત્યાં જમીનમાં ગળા ડુબ ઉતારી દીધા ,છેલને   આ મઝાક મોંઘી પડી પણ જયારે ગુરુજી તેમની સમક્ષ આવ્યા ત્યારે એક શરતે તેમણે છેલને માફ કરવા કહ્યું, કે આજ પછી તેમણે ક્યારેય જાણે અજાણે સાધુ સંતોની મઝાક ન કરવી છેલ્લે ગુરુજી  ની શરત માથું નમાવી સ્વીકારી અને વચન આપ્યું, તે પણ એક ફકીર હતા પણ તે વખતે તપનો મહિમા ખૂબ જ હતો એટલે જેટલું તે જાણતા તેનાથી વધારે ઋષિ મુનિ પાસે જ્ઞાન હતું એટલે આ બનાવ પછી તે કાયમ સાધુ સંતોને માન આપી પ્રણામ કરતા.આ  ગુરુજી  જૈન મુનિશ્રી નું નામ વિજયમિસૂરીજી મહારાજ હતું.
ભાદર નદીને કિનારે ગિરનારની તળેટીમાં નજીકના મંજેવાડીમાં દર વર્ષે જમાતનો મેળો ભરાતો તેમાં શાદી તથા વિધ વિધ પ્રસંગો યોજાતા  મૌલાબાપાને મળવા સહુ આવતા, મંજેવાડીના ઇમામ શાહ સુલતાન એક ખાસ કેમ્પમા નદીના કિનારે રંગીન ટેન્ટમાં રહેતા,ઇમામ તેમની ૧૮ વર્ષની ઉંમરમાં હતા,
મહંમદ છેલે ઈમામની બાબતમાં સાંભળ્યું અને પોતાના જાદુનો પ્રભાવ દેખાડવા તે ત્યાં જઈ પહોંચ્યો,
મૌલા  બાપાના કેમ્પમાં તેને પૂછવામાં આવ્યું 'તારે શું કામ છે ભાઈ?' તેણે કહ્યું 'મારે આગા સાહેબને મળવું છે,હું જાદુગર છું ,માખણમાંથી ગેસોલીન બનાવી દઉં છું અને ભેસમાંથી ગાય  બનાવી દઉં છું,' આ ચર્ચા દરમ્યાન ઇમામ બહાર આવ્યા તેમનો ચહેરો ચમકતો હતો,તે એક ખુબ તેજસ્વી ગુણવત્તા ધરાવતા હતા,છેલે તેમનો આદર કર્યો તેમણે છેલને પૂછ્યું,'તારે શું કામ છે,'છેલે કહ્યું 'હું એક મોટો જાદુગર છું,ઘણી મોટી ટ્રિકથી જાદુ કરી શકું છું ,'ઇમામે કહ્યું,'મને આવી ટ્રિક કે જાદુનું મહત્વ નથી,'તેમણે પોતાના માણસ તરફ જોયું અને જાદુગરને ૨૦૦ રૂપિયા આપવા કહ્યું,છેલે કહ્યું ' મારે પૈસાની જરૂર નથી સાબ ભગવાનની કૃપાથી ખુબ પૈસો છે' મૌલા હસ્યાં અને કહ્યું 'તો બીજું શું,'તો છેલે કહ્યું 'સાબ મારે તમને મારી ટ્રીકો બતાવવી   છે,હું એવી ટ્રિક બતાવીશ કે તમે અચરજ પામશો અને જીવન ભર તમને યાદ રહેશે,'
 ઇમામે કહ્યું 'એમ એટલે' છેલે કહ્યું 'તમે મને જીવનભર યાદ રાખશો,'તેણે ઇમામને વધુ મોહિત કરવા પ્રયત્ન કર્યો,સાંભળી રહેલા ઇમામે કહ્યું,'હવે કઈ વધારે' ત્યારે છેલ બોલ્યા' ના સાબ હું તમારી પરવાનગીની રાહ જોઉં છું.મૌલા તેમના હાથમાં એક શેરડીનો નાનો ટુકડો લઇ આવ્યા અને જમીન
પર ફેંક્યો,અને જાદુગરને કહ્યું' ઉઠાવી લે' છેલ બોલ્યો 'એમાં શું મોટી વાત છે એ તો બચ્ચાનો ખેલ છે,'તેણે તેનો જાદુ કરતા પહેલા કહ્યું
'પછી મને આપ,તું જોઈએ તો બે હાથનો ઉપીયોગ કરી શકે છે' ઇમામે કહ્યું છેલે મંત્ર વગેરે બોલી તાલિ પાડી ફૂંક મારી ટુકડાને ખસેડવા પ્રયત્ન કર્યો જયારે ટુકડો ન ખસ્યો ત્યારે મૌલાએ કહ્યું 'ખાલી હાથથી ઉઠાવી લેતેણે એક હાથનો ઉપીયોગ કર્યો પછી બેહાથનો ઉપીયોગ કર્યો અને પછી શરીરની બધી તાકાત લગાવી દીધી પણ શેરડીના ટુકડાને જાણે જમીન સાથે ચોંટાડી દીધો હોય તેમ તે પરસેવે રેબઝેબ થઇ ગયો પણ ટુકડો ખસેડી ન શક્યો.મૌલા હસતા રહ્યા
છેલ બોલ્યો "હું માફી માંગુ છું,મારુ કમનસીબ છે કે હું આપની શક્તિ સમજી ન શક્યો,મને માફ કરો'
મૌલા બોલ્યા 'તું પરાસ્ત થયો"છેલ કઈ પણ બોલ્યા વગર વીલા મોઢે ચાલવા મંડ્યો ત્યારે મૌલાએ તેને પાછો બોલાવ્યો'અને કહ્યું 'કેમ ચાલવા માંડ્યો?'
અને મૌલાએ સામે રમતા એક રસોયાના સાત વર્ષના છોકરાને બોલાવી કહ્યું 'બેટા મને આ ટુકડો આપ' અને પેલા છોકરાએ સહેલાઈથી ઉઠાવી મૌલાને આપી દીધો અને છેલને કહ્યું 'જો આ ખરેખર બચ્ચાનો ખેલ હતો ' આ સાંભળી છેલ ખુબ શરમાયો ત્યારે ઇમામે સાદાઈથી કહ્યું 'જો હું એક ઇમામ છું અને ઈમામની ઈચ્છા વગર કઈ બની શકતું નથી'છેલ ખુબ શરમ જનક સ્થિતિમાં ત્યાંથી જતો રહ્યો.
આવા તો ઘણા કિસ્સાઓ મહંમદ છેલના હતા,ગણી વાર્તાઓ પણ બની,મારા પૂજ્ય પિતાશ્રી જેમને હું બાપુ કહીને બોલાવતો તેમની પાસેથી આવી ઘણી વાર્તાઓ બાળપણમાં સાંભળવા મળી હતી જેનું આજે પણ સ્મરણ છે.

-મહેન્દ્ર ભટ્ટ.

Sunday, December 25, 2016

૨૦૧૭ ની શુભેચ્છા

Image result for merry xmas and happy new year 2017


             ગુજરાતી મિત્રો ક્રિસ્ટ્મસ તથા નવા વર્ષની ખુબ ખુબ                   શુભેચ્છાઓ,ઈસુનું નવું વર્ષ ૨૦૧૭ આપ સહુને તેમજ આપના          કુટુંબીજનોને ખુબ શુભદાયી નીવડે તેવી શુભેચ્છા સાથે મોગરાના  ફૂલ બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.મોગરાના ફૂલમાં સદાય   આપનું સ્વાગત છે,વિઝિટ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર

Saturday, December 24, 2016

સપનાની બંગડી

સપનાની બંગડી


Image result for sonani bangadi

 જં ગલના રસ્તે પસાર થતા,સંધ્યારાણીના આગમનને માન આપી સુરજ દાદા અસ્તાચલમાં ગતિમાન હતા,જે સ્થળે રેણુ અને ગિરીશને જવાનું હતું તે અડધા કલાકના અંતરે હતું,અને ગાડીની લાઈટ ઓન કરવી પડે તેટલું ઝાંખું દેખાતું હતું,રોડ ના કિનારે કેટલાક હરણાં ચરતા નજરે પડતા હતા,અંધારે હિંસક પશુ પણ દેખાતા હશે.રસ્તો પાકો હતો પણ જંગલના કિનારે હોય તેમ વચ્ચે ખુલ્લો ભાગ દેખાતો હતો,કપલ હતું એટલે ગિરીશ ક્યારેક મઝાક કરતો રેણુને બીવડાવતો હતો,રેણુને કઈ બીક નહોતી લાગતી પણ મસ્તીમાં તે પણ બી જતી હોય એવી એક્ષન કરતી હતી,અને મઝાક માં ગિરીશે થોડુંક વધારે જોડી દીધુંને બોલ્યો,
"રેણુ જો ગાડીમાં કઈ થાય ને રોકાય જાય તો, અહીં શું થાય.!"
"તને આવું સૂઝે છે, બીજો કોઈ વિષય નથી, મને આવી મઝાક પસંદ નથી."
અને રેણુ બગડી,હવે બગડી એટલે,તેના ચહેરા પરનું હાસ્ય પણ અટક્યું,નવું કપલ હતું, ગિરીશને પણ જંગલનો કોઈ અનુભવ નહોતો,પણ જંગલ આવ્યું એટલે તેના મનમાં આવ્યું એ કહી દીધું,હવે રેણુના ચહેરા ઉપર ગભરાટ  ઉપસતો દેખાયો તેણે બારી બાજુ મોઢું ફેરવી લીધું,અને બારી ખુલ્લી હતી તે ગ્લાસ ચઢાવીને બંધ કરી દીધી,
ગિરીશે હસતા ચહેરે તેને મનાવવા પ્રયત્ન કર્યો,હું તો મઝાક કરતો હતો,રેણુ,નારાજ થઇ ગઈ,સોર્રી ,વગેરે જે ઉપયોગમાં લેવાય તેવા શબ્દનો પ્રયોગ કરી તેણે રેણુ ને મનાવી,રેણુને  પણ એમ થયું આ જંગલમાં ચારે બાજુ ભય છવાયો હોય, ત્યાં એકબીજા સિવાય અહીં કોણ,એટલે ગિરીશની હસી ને તેણે સ્વીકારી અને તેની નજીક સરકી,પછી કઈ બોલી નહિ,કેમકે હજુ ગભરાટ તેનામાંથી જતો ન હતો,કઈ બને નહિ તો ભગવાનનો પાડ,પણ બને તો,તોતેર મણ ના તોનું  શું કરવું, તેની નજર આજુબાજુ ફરી વળી અહીં કોઈ રહેવાનું સ્થાન પણ દેખાતું ન હતું,એક વખત ગભરાટનાં વિચાર મન માં ક્યાંક સ્થાન પ્રાપ્ત કરે પછી,લાબું ચાલે,આંખ બંધ કરી અંદર ખોવાઈ જાય તોય તે પીછો ન છોડે,અને સ્ત્રીનું હૃદય તો આમેય કોમળ, ગિરીશને પણ થયું કે મોટી ભૂલ થઇ તેનો એક હાથ સ્ટિયરિંગ ઉપર અને બીજો પ્રિયાને શાંત કરતો રહ્યો,ગાડી હતી,કપલ પાસે પૈસાની કોઈ ખુંટ ન હતી,પણ રસ્તો જંગલનો હતો,અને સંધ્યા ઢળતી જતી હતી,ઘડી પછી અંધારું સ્થાન લેવાનું હતું
સારામાંની ગાડી હતી એટલે ગિરીશને વિશ્વાસ હતો,ગાડીમાં તો કોઈ તકલીફ ન થાય.,અડધો પોણો કલાકનો સમય છે પછી તો તેના કાકા નું ઘર આવી જશે,રસ્તો પણ પાકો હતો,આ કપલ પેહેલી વખત કાકાના આગ્રહને માન આપી મુલાકાત માટે જઈ રહ્યું હતું,આ વનમાં હરણાં હતા એટલે ક્યાંક હિંસક પશુઓ હોવાની શક્યતાઓ હતી,તેમની નજરે હજુ હરણાં સિવાય બીજું કઈ નજરે નહોતું પડ્યું અને હરણાં પણ શાંતિથી ચરતા નજરે પડતા હતા,કાકાએ તો કહ્યું હતું કે અહીં બધું સેફ છે,અહીં કોઈ બનાવ  એવો બન્યો નથી કે જેનાથી કોઈ માન હાનિ થઇ હોય,રસ્તો તેમના માટે નવો હતો,પણ કાકાના વિશ્વાસે ગિરીશ ભય વગર ગાડી ચલાવી રહ્યો હતો,હવે ગભરાયેલી રેણુને શાંત કરવાનું તેનું પ્રથમ ધ્યેય થતું જતું હતું,થોડી વારે તો તેના ચહેરા પર પણ પોતાની મઝાક કેટલી ગંભીર હતી,તે ઉપસતી જતી હતી,પણ જો તે હિમ્મત ગુમાવે તો,રેણુ થી કોઈ મદદ થાય એવી તો નહોતી,અને પડી એવી દેવાશે,એ વાક્ય પણ જ્યારે ખરેખરી પડે ત્યારે કેટલું સાચું પડે,ઘણું અઘરું પડી જાય,અને પૈસામાં માલતા આ કપલે તો કોઈ મુસીબત જોઈ જ નથી.ગિરીશે ગાડીની લાઈટ ચાલુ કરી એટલે રસ્તો એકદમ ઉજળો થઇ ગયો અને અંધારું કાપતી ગાડી આગળ વધી આગળ એક વણાંક આવ્યો,રેણુની આંખ ઘડીક માટે ગિરીશના ખભે માથું ઢળતા મીચાઈ ગઈ,ગિરીશે અનુભવ કર્યો પણ રેણુની સ્થિતિને એમ ને એમ રહેવા દીધી,રસ્તો આગળ વણાંક લેતો હતો  એટલે ગિરીશે ગાડી થોડી ધીરી કરી ત્યાં વણાંક ઉપર એક માણસ ફાનસ લઈને ઉભો રહ્યો હતો અને લાકડી  રોડ બાજુ લાંબી કરી,ગાડીને ઉભી રાખવાનું સૂચન કરતો દેખાયો,હવે ગિરીશના ચહેરા ઉપર ગભરાટે સ્થાન લીધું ,શું કરવું,એક ઝડપી વિચાર પસાર થઇ ગયો,રેણુ પણ તેજ સ્થિતિમાં હતી,મિનિટ પણ પુરી વિચારવાની ન હતી,જંગલ હતું,કાકાના વિશ્વાસે જઈ રહેલો ગિરીશ ખુબ ચિંતિત થઇ ગયો,પણ કદાચ કોઈ મદદ માટે ઉભું હોય,તેના મનમાં થોડીક દયા ડોક્યું કરી ગઈ અને બ્રેક વાગી ગાડી ઉભી રહી ગઈ,રેણુ જાગી ગઈ,બેબાકળી બની જોવા મંડી,
પેલો ગ્રામીણ માણસ સફેદ પાઘડી અને મોટી મોટી વણાંકવાળી સફેદ મૂછોવાળો બારી નજીક આવ્યો,હાથમાં ફાનસ હતું,તેણે બારી ખોલવા કહ્યું,ગિરીશે તેના કહેવા પ્રમાણે બારી ખોલતા પહેલા રેણુ સામે જોયું,સુંદર ચહેરાવાળી રેણુની સ્થિતિ યથાવત રહી,તેનું કોઈ સૂચન ન જોતા,ગિરીશે, હિમ્મત કરી બારી ખોલી,
"સાહેબ ગભરાવવાની જરૂર નથી, હું કોઈ ડાકુ લૂંટારો નથી, બેન ગભરાશો નહિ, મારે થોડી મદદની જરૂર છે."
અને ગિરીશ બોલ્યો,"જુઓ કાકા ,અમે અહીં અજાણ્યા છીએ, અને ચોર લૂંટારા ઉપર કોઈ નામ લખેલું નથી હોતું,એટલે તમારે શું કહેવું છે તે કહો,અમારાથી થશે તો મદદ કરીશું."
"સાહેબ અમે આ ઝાડીમાં રહીયે છીએ, મારી દીકરી જેવી છોરી,ખુબ ઘમ્ભીર છે અને જો સહાય ન મળે તો તે બચી ન શકે,અહીં અડધા કલાકથી ઉભો છું,હજુ મોડું નથી થયું જો તમે મદદ કરો નજીકના ગામે લઇ જઈ શકાય."
મદદની જરૂર હતી અને બીજો કોઈ રસ્તો ન હતો અજાણ્યા સ્થળે ગિરીશ રેણુ સામે જોઈ રહ્યો રેણુ પણ નિશ્ચિત ન કરી શકી,ભાર પુરે પૂરો વધી ગયો,ઉંમરવાળા કાકાના હાથ જોડાયેલા હતા,અને આંખોમાં પારાવાર કરુણા દેખાતી હતી ગિરીશે હિમ્મત કરી મદદ માટે સંમત થયો,કાકાના ચહેરા ઉપર ખુશીની લાગણી પ્રસરી ગઈ,
"સાહેબ, ગાડી તો અંદર નહિ જઈ શકે પણ તમે જો મદદ કરો તો આપણે બે ત્રણ મિનિટમાં દીકરીને લઇ આવીયે," હવે ખરેખરી કસોટીમાં  ગિરીશે કઈ સમજ ન પડતા માથું ખજવાળવા માંડ્યું ,રેણુના શ્વાસની ગતિ પણ વધી ગઈ,કાકાએ જોયું માંડ મદદ મળી ને આ ભાઈ ના પાડી દે તો મોટી મુશ્કેલી થઇ જાય,
ગિરીશ બોલ્યો
"બીજું કોઈ મદદ  ન કરી શકે,મારી પત્નીને એકલી મૂકી કેવી રીતે અવાય,"
"સાહેબ બીજું કોઈ નથી હું ને સપના બેજ છીએ"અને ગિરીશે રેણુ ને પૂછ્યું તું થોડીવાર એકલી રહી શકશે,"અને રેણુ તરત બોલી
"ના હું એકલી એક સેકન્ડ માટે પણ ન રહું , ગાડી થોડી બાજુ પર લઇ લો ને હું પણ સાથે આવું."
કાકા તરત બોલ્યા" અહીં કોઈ ડર જેવું નથી ,પણ રાત છે એટલે થોડું સાવચેત રહેવું પડે."ગિરીશે રેણુ સંમત થઇ તેનાથી ખુશ થયો,અને અહીં કોઈને મદદ થશે તેનાથી સંતોષ લીધો, સારું કામ હતું.
છેલ્લે કારને રસ્તા ઉપર છોડી આગળ કાકા, ગિરીશ અને તેની નજીકમાં તેનો હાથ પકડીને રેણુ ચાલવા માંડ્યા,રસ્તા પરથી એક કેડી અંદર જતી હતી,રસ્તા પર કારની લાઇટનો પ્રકાશ હતો કેડી ઉપર ફાનસ ના અજવાળે તેઓ ચાલ્યા જતા હતા,ગિરીશને રેણુ છેલ્લી નજર રોડ પર નાખી બધું યથાવત હતું,ભલે બધું યથાવત હતું,પણ કેડી પર આગળ વધતા બંને સતત ચિંતિત હતા,આમ તો ગામડાના માણસો બહુ ભોળા હોય એટલે ગિરીશ બધું ભગવાન ભરોશે છોડી જઈ રહ્યો હતો,આગળ એક જૂનું મકાન ફાનસના પ્રકાશમાં દેખાયું.અંદર બીજા ફાનસનો પ્રકાશ હતો તેઓ પગથિયા ચઢી અંદર પ્રવેશ્યા અને ખાટ પર સુતેલી છોકરી બેઠી થઈને બોલી "આવો"રેણુ ને ગિરીશ હેબતાઈ ગયા,અને પાછા વળી દગો થયો એવું લાગતા પાછા ફરી ભાગવાનો પ્રયત્ન કર્યો કેમકે છોકરી એકદમ સાજી હતી અને તેનું શરીર ફાનસના પ્રકાશ કરતા પણ વધારે ઉજળું દેખાતું હતું ,પેલા કાકા તો પગથિયા ઉપર ફાનસ મૂકીને નટ મસ્તક બેસી ગયા.ગિરીશે તેમની સામે જોયું,રેણુ ગિરીશને વળગી પડી,ગિરીશને ગુસ્સો આવ્યો તે કઈ કહેવા જતો હતો પણ બોલી ન શક્યો,
"હું સપના છું,માલુકાકા ને જે કહેવું પડ્યું તે માટે હું માફી માંગુ છું પણ એમ ન કહે તો તમે અહીં આવતે નહિ બંને જણા શાંત પડો, હું કોઈ ઇજા નહિ પહોચાડું" અને છતાં ગિરિશનો અવાજ ન ખુલ્યો,તેને કોઈ પરલોકના જીવનો ભેટો થયો એવું લાગ્યું ,પણ આંખનો એક પણ મિચકારો ન મારતી સપના બોલી
"હું કેટલાય જન્મોથી અહીં છું, અને તું મારા ભવોભવનો સાથી હતો,હું તે જાણું છું અને તેની તને ખબર નથી,પણ તારી સાથે તારી આ ભવની પત્ની લાગે છે,એના રસ્તામાં હું અડચણ ઉભી નહિ કરું,કદાચ તે યોગ્ય પણ નથી,ફક્ત મારી આ બે સોનાની બંગડી તારી આ પત્ની ધારણ કરી લે એટલે હું મુક્ત થઈશ અને માલુકાકાની પણ મુક્તિ થશે." અને બંગડી ગ્રહણ કરવાની વાતથી રેણુ ખુબ ડરી ગઈ,અને ગિરીશની વાચા ખુલી
"સપના,તું જે હોય તે,પણ તું માનવ નથી,તો તારી સાથે બનેલી ઘટનાથી તું અમને શું કામ હેરાન કરે છે,
શું ખાતરી કે બંગડી ધારણ કર્યા પછી મારી પત્ની હેમખેમ રહેશે"
"જો તે ગ્રહણ નહિ કરે તો મને ખબર નથી મારુ શું થશે, પણ મને મુક્તિ નહિ મળે,એક પત્ની તરીકે અત્યાર સુધી રાહ જોતી પત્ની માટે હવે બધો તારા પર આધાર છે,પણ મારી મુક્તિ થતા તેનાથી તારા જીવનમાં ક્યાંય અડચણ નહિ આવે.બસ મને મુક્ત કર" અને તે ઉભી થઇ અને ગિરીશના પગમાં પડી,કાકા દયામણા ચહેરે જોતા રહ્યા ત્યાં રેણુમાં ક્યાંકથી હિમ્મત આવી તેને અહીંથી છૂટવું હતું, સપનાના હાથમાંથી તેણે  
 બંગડી લઇ પહેરી લીધી,સપના ઉભી થઇ તેના શરીરમાંથી પ્રકાશ ફેલાયો અને બંને જણાને પગે લાગતી તે વાતાવરણમાં ભળી ગઈ,કાકા પણ ત્યાં ન હતા,અને મકાન પણ જતું રહ્યું,
સપાટ જમીન પર બંને ઉભા હતા,અચરજ પામ્યા,ત્યાં કોઈ પ્રકાશ નહોતો,બધું ક્યાં જતું રહ્યું કઈ ખબર ન પડી,અને કેડી જે ઝાંખી દેખાતી હતી,તેના પર છેલ્લા નમસ્કાર કરી નવું કપલ રોડ તરફ જવા પાછું વળ્યું,રોડ પર આવ્યું ગાડી યથાવત હતી,ગાડીમાં બેઠા પછી બંને એકબીજાને વળગી પડ્યા,કોઈ ભયાનક તત્વનો અનુભવ લઇ આ ઘટના કોઈને ન કહેવાના નિર્ણય સાથે ગિરીશે ગાડી આગળ વધારી, રેણુએ જોયું બધું અલોપ થઇ ગયું પણ સપનાની બંગડી તેના પહોંચામાં એવી ને એવી હતીગાડી અંધારું ફાડતી  ત્યાંથી જતી રહી.

-મહેન્દ્ર ભટ્ટ.

પરિવર્તન

પરિવર્તન (એક હિન્દી રચના)


ઈશ્વર જો કરતા હૈ ,વો અચ્છા હી કરતા હૈ,
માનવ તું પરિવર્તનસે કાહેકો ડરતા હૈ.
જબસે દુનિયા બની હૈ,તબસે બદલતી રહતી હૈ,
દેખી વો અદલાબદલી તું કાહે ડરતા હૈ ...માનવ તું.....
સુખ દુઃખ આતે જાતે ઐસે સબકે જીવનમેં
પતઝડ ઔર બહારે જૈસે દોનો ગુલશનમેં,
ચલતા હૈ તુફાન કભી ઔર સમતા રહેતા હૈ ...માનવ તું....
કિતની લાંબી રાત હૈ ફિર ભી દિન તો આયેગા,
જલમેં કમલ ખીલેગા ફિરસે વો મુસ્કાયેગા,
હોતા હૈ કષ્ટ તુઝે હંસી હી દેતા હૈ,
હોતા હૈ કષ્ટ વો હી કષ્ટોસે હરતા હૈ...માનવ તું ...

Tuesday, December 6, 2016

અવધૂતજીનો પરિચય


                                    અવધૂતજીનો  પરિચય



અવધૂતજીના કુળનો પરિચયમા  બધાજ પરિવારના સભ્યો આધ્યાત્મિકતા  તરફ વળેલા હતા,સંસારના સર્વે ક્લેશમાંથી છુટકારો મેળવી ધ્યાન- મોક્ષ કેળવી જન્મ મરણની ઝંઝારમાથી   છૂટી પ્રભુ તરફ જવું,

એમનું મૂળ વતન રત્નાગીરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં આવેલું  દેવળે નામનું નાનું ગામ એમના બાપ દાદા ત્યાં રહેતા હતા,ખડગેશ્વર મહાદેવની ઉપાસના આજે પણ એ કુળમાં ચાલે છે.દાદા જેંરામ  ભટ્ટને,બાલં ભટ્ટના વહાલા નામથી ઓળખતા.તે અતિ વિદ્વાન દસગ્રંથિ બાહ્મણ હતા,યજ્ઞયાગાદિમા તેમની ખૂબ ખ્યાતિ હતી,બ્રાહ્મણધર્મ ખુબજ કડકરીતે પાળતા,પરોપકારી અને ધર્મમય જીવન ગુજારતા,
જે રામ ભટ્ટને ચાર દીકરા હતા,તેમાં ત્રીજા નંબરના દીકરાનું  નામ વિઠ્ઠલ હતું,તેજ અવધૂતજીના પિતાજી અવધૂતજીનું મૂળ નામ પાંડુરંગ હતું.માતાજીનું મૂળ નામ કાશી હતું.પરંતુ દક્ષિણી રિવાજ મુજબ તેમનું નામ રુક્મણિ રાખવામાં આવ્યું અને પાછળથી  તેઓ અવધૂત પરિવારમાં  માં રુકમામ્બા તરીકે
જાણીતા થયાં.
ગોધરા( જિલ્લો પંચમહાલ) મા વિઠ્ઠલમંદિર આવેલું છે.એના મૂળ પુરુષ સખારામ સરપોતદાર કરીને હતા.તેમની વિનંતીથી જેરામ ભટ્ટજીએ તેમના ત્રીજા નંબરના  પુત્ર શ્રી વિઠ્ઠલ ભટ્ટજીને વિઠ્ઠલ મંદિરના પૂજા કાર્ય  માટે મકલ્યા .આથી વિઠ્ઠલ પંત અને રુક્મણિ માતા ગોધરા આવીને વસ્યા .વિઠલ મંદિરની પુંજા ઉપરાંત તેઓ યજ્ઞયાગ્યાદિનું  કાર્ય પણ કરતા થોડા સમયમાં તેમનું કાર્ય પ્રશંસાને  પાત્ર બન્યું ,
તેઓ થોડા સમયમાં એક વિદ્વાન બ્રાહ્મણ તરીકે પ્રખ્યાત થયાં. માતા રુકમામ્બા વ્રત તપ પૂજા નિત્ય કરતા.તેઓ તુલસીની પૂજા કાયમ કરતા.એક વખત તો તેમણે એક વ્રત તરીકે તુલસીની એક લાખ પ્રદક્ષિણા કરી હતી.શ્રદ્ધા અને ત્યાગનું  તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા.તેઓ સદા પ્રસન્નવદન અને વાત્સલ્યપૂર્ણ હતા.

આવા પવિત્ર કુળમાં શ્રી અવધૂતજીનો જન્મ કારતક સુદી (આઠમ ઉપર) નોમને  દિવસે વી.સં .1955 ,તા.21-11-1898 ને સોમવારે પ્રદોષ સમયે થયો  હતો.એમના  જન્મ  પહેલાજ વિઠ્ઠલ મંદિર નજીક આગ લાગી હતી.તે વખતે બમ્બા તો હતા નહીં એટલે માતા રુક્મણિ પણ અન્ય વ્યક્તિઓ સાથે આગ ઓલવવાના કામમાં
લાગ્યા હતા.આગ શાંત થયા પછી થોડીજ વારમાં પાંડુરંગનો જન્મ થયો હતો જગતના ત્રિવિધ તાપને શમાવવા તેમનો જન્મ છે તેવું પ્રકૃતિ માતાનું સૂચન હોય તેમ તેમણે અનેક બળેલા હૈયાને શાતા આપી હતી

પાંડુરંગ બાળપણથીજ હોશિયાર અને તેજસ્વી હતા, નવ મહિનાની  ઉંમરે તો તે સ્પષ્ટ રીતે વાતચીત કરતા હતા, એક વખત સ્મશાનમાં મડદાને લઈ જતા તેના સગાવ્હાલાને રડતા જોઈ પિતાને પૂછ્યું 'આ બધા કેમ રડે છે? અને તેને ક્યાં લઈ જાય છે,'પિતાએ પાંડુરંગને જવાબ આપતા કહ્યું' તે મરી ગયો છે અને એને બાળવા માટે સ્મશાન લઈ જાય છે.એના મરી જવાથી તેના સગા વ્હાલા રડે છે,'તો બીજો પ્રશ્ન આવ્યો' તેને બાળે તો તે દાઝે નહીં 'તો પિતાએ જવાબ આપ્યો 'મરી જાય તે દાઝે નહીં 'તો પ્રશ્ન થયો'મરી જવું એટલે શું' અને તેનો પણ જવાબ આપતા પિતાએ કહ્યું 'ખોળિયામાંથી જીવ જતો રહે અને બીજે જન્મ લે 'તો કુતુહુલવશ પુત્રે પૂછ્યું'એટલે એ જન્મે અને પાછો મરે,ફરી જન્મે અને ફરી મરે એવું થયા કરે ઍમજને' પિતાએ ટૂંકમાં કહ્યું  'હા'ત્યારે તેણે પૂછ્યું 'એનાથી છૂટાય નહીં  મરવુંજ ન પડે એવું  કઈ ન થાય?' ત્યારે પિતાએ કહ્યું 'જરૂર થાય' 'રામનું નામ લેવાથી જન્મવું પણ નપડે અને  મરવું પણ ન પડે' અને આમ બાળકને ગુરુમંત્ર મળી ગયો દોઢ વર્ષની નાની  ઉંમરે રામનામના તારકમંત્રની ઉપાસના શરૂ કરી દીધી,
પાંડુરંગ આઠ વર્ષના હતા ત્યારે તેમને જનોઈ આપવા માતાજી દેવળે ગયા પિતાજી વિઠ્ઠલપંત તેમની પાંચ વર્ષની ઉંમર હતી ત્યારે ગોધરામાં ચાલેલા પ્લેગના રોગનો ભોગ બન્યા હતા,અને તેમના એક નાના  ભાઈ નારાયણ ત્રણ વર્ષના હતા.જનોઈનો પ્રસંગ પૂરો થયા પછી દેવના દર્શન કરવા બધા નરસોબાની     વાડીએ ગયા.દત્તાત્રેયના અવતાર શ્રીનૃસિંહ સરસ્વતીનું લીલાસ્થાન છે, મહારાષ્ટ્રમાં કોલ્હાપુર નજીક આવેલું છે,તે વખતે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ત્યાં બિરાજતા હતા,તેથી તેમના  દર્શને બધા ગયા,તેમને દત્તાત્રેય ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો .બાળ પાંડુરંગને જોતાજ સ્વામી બોલી ઉઠ્યા "આ બાળક તો અમારો છે,કેમ રે છોકરા તું કોનો?"બાળકે તરત જવાબ આપ્યો"આપનો" અને તે સ્વામીના ખોળામાં માથું મુકવા અપવિત્ર કપડાં સાથે દોડ્યા માતાજીએ તેમને રોક્યા પણ મનોમન તેમણે  માની લીધું કે ગુરુકૃપા થઈ ગઈ છે અને મનોમન પોતાનું સર્વસ્વ ગુરુચરણમાં   અર્પણ કરી દીધું
આમ નાનપણમાંજ તેમને ગુરુજી તરફથી અનોખી દીક્ષાએ મળી ગઇ.આ ગુરુમહારાજના સદેહે ફરીથી દર્શન ન થયા પણ જ્યારે પણ વાત નીકળે તેઓ શ્રી કહેતા તમને મારું માથું ભલે ધડ પર દેખાતું હોય પણ મેં તો મારું માથું ગુરુ મહારાજના ખોળામાં ત્યારનુજ મૂકી દીધું છે.
શ્રી પાંડુ રંગ એક સ્પષ્ટ વક્તા હતા,બેફિકર અને હાજરજવાબી હતા, મેટ્રિકની મૌખિક પરીક્ષામા  તેઓને પ્રથમ નંબર મળ્યો હતો,તેઓ બ્રાહ્મણના લેબાશમાં હતા, વિશિષ્ઠ પહેરવેશ માથે ચોટલી અને બધાથી જુદા તરી  આવતા હતા તેમણે જનોઈ,ચોટલી,ઘારી વગેરે અંગે એવા તો હાજરજવાબ આપ્યા કે તેમને પહેલે નંબરે પાસ કરી દીધા અને એમણે આર્ય સંસ્કૃતિના પ્રતીક છે એમ પુરવાર કર્યું હતું .

તેઓનું સ્થાન સ્કૂલમાં કલાસમાં પહેલી પાટલી ઉપર રહેતું,તેઓ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી હતા,તેમને નાનપણથી જ્ઞાનવૈરાગ્ય ભક્તિપ્રધાન સાહિત્યમાંજ વધારે રસ હતો,છઠ્ઠા ધોરણમાં શિક્ષકોએ પણ ન વાંચ્યા હોય તેવા પુસ્તકો તેઓ વાંચતા,રાજકીય પ્રવુતિ અને વિદ્યાર્થી મંડળની પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતા,
અવધૂતજી જ્યારે ગોધરામાં ભણતા ત્યારે તેમનીસાથે એક મામલતદારનો છોકરો ભણતો,તેનું દફ્તર તેનો પટાવાળો  ઉંચકીને ચાલતો એટલે પાંડુરંગ તેને કહેતા આટલો સરસ્વતીમાતાનો ભાર તારાથી નથી ઉંચકાતો પછી સરસવતી માતા તારા ઉપર કેવીરીતે કૃપા કરે,સરસ્વતીમાતાની ઉપાસના કરનાર વિદ્યાર્થીએ જાતે મહેનત કરે તો ભગવાનની કૃપા ઉતરે.
 એક વખત પાડોશમાંથી કોઈ બાઈ રીંગણાં આપી ગઈ તેને વધ્યા હશે તે આપી ગઈ,આવો વ્યવહાર માતાજી પાંડુરંગની ગેરહાજરી હોય ત્યારે કરતા,આમ તો  વિઠઠલપંતનાં અવસાન પછી પૈસા ન હોય ત્યારે શાક લાવવામાં આવતું નહીં,જેમ બાળક માતાજીને ઓછું ન આવે તેવો વ્યહાર કરે એટલે તેમ માતાજી પણ બાળકની કાળજી રાખતા, પણ પેલી બાઈ તે દિવસે પાંડુરંગની હાજરીમાં રીંગણા આપી ગઈ,બાઈના ગયા પછી પાંડુરંગે માતાજીને કહ્યું મા તમે બધું કરજો, બધું ભુલી જજો પણ એ ન ભૂલશો    તમે  સિંહની માતા છે,મારી બે હાથ જોડીને પ્રાર્થના છે શાક વગર ચલાવશું,પણ આમ ઉધાર કે ઉછીનું જરા પણ કરશો નહીં,
ઈંટરની પરીક્ષા હતી અને પાંડુરંગ બીમારીમાં પટકાયા,તે વખતે એક બંગાળી સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું તારા ગ્રહો સારા નથી,માંદગીને લીધે તું પરીક્ષા આપવાનું માંડીવાળ,નાપાસ થઈશ તો તારી આબરૂ જશે તેમણે તેજસ્વીતા અને આત્મબળના હિસાબે સ્વામીજીને વિનયપૂર્વક કહ્યું હું પરીક્ષા આપીશ  અને પાસ પણ થઈશ,ને તેઓ બધાના આશ્ચર્ય વચ્ચે બીજા વર્ગમાં ઉતીર્ણ થયા,

 ગોધરામાં અભ્યાસ કરતા ત્યારે રોજ સાંજે અડધો કલાક વાંસળી વાગડતા, એક દિવસ બેચેની જેવું   લાગ્યું  ને વાંસળી વગાડી નહીં,સીધા ફરવા બહાર જવા નીકળ્યા .સામેની મેડી ઉપર બારીમાં એક બહેન બેઠેલા એમણે પૂછ્યું "કેમ આજે વાંસળી વગાડી નહીં ?"તે ચમકી ગયા,સામે પ્રશ્ન પૂછ્યો " તમે    કેમ આમ પૂછો છો?""મને તમારી વાંસળી સાંભળવી ગમે છે .હું દરરોજ  તે સાંભળું છું અને આ સમયે
રોજ રાહ જોઈને બેસું છું ." તે ઘેર પાછા ગયા અને એક મોટા પથ્થરથી તે વાંસળી તોડી નાખી કુવામાં પધરાવી દીધી,પાણી મૂક્યું કે આજથી કોઈ દિવસ વાંસળી વગાડવી નહીં કોઈના મોહનું કારણ બનવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા જ ન દેવી  એ જ  આની પાછળનું કારણ હતું.

તેમને એકાંતમાં વહેલી સવારે ભજન લાલકારવાનો અભ્યાસ હતો પણ તેથી માજીની ઊંઘમાં ખલેલ પડે છે તેની જાણ થઈ એટલે તે શોખ પણ વિના સંકોચે છોડી દીધો
વાળ કપાવવામાં પણ બીજાના ઉપર આધાર રાખવો પડે છે તે જ્યારે અનુભવાયું તો તેને બંધ કરી  લાંબા વાળ રાખવાનું શરૂ કર્યું. આમ વિધ વિધ રીતે તે જીવન ભર તે સ્વાવલંબી રહ્યા.

જય ગુરુદેવ