Tuesday, December 10, 2019

મેડિકલ ફિટનેસ ( કેટલીક અગત્યની માહિતી )


મેડિકલ ફિટનેસ ( કેટલીક અગત્યની માહિતી )


જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો
મેડીકલ ફીટનેસ ::
High BP
120/80 — Normal
130/85 –Normal (Control)
140/90 — High
150/95 — V.High
Low BP
120/80 — Normal
110/75 — Normal (Control)
100/70 — Low
90//65 — V.Low
Haemoglobin
Male — 13 — 17
Female — 11 — 15
RBC Count — 4.50 — 5.50 (million)
Pulse(ધબકારા)
72 per minute (standard
60 — 80 p.m. (Normal)
40 — 180 p.m.(abnormal)
Temperature :
98.4 F (Normal
99.0 F Above (Fever)
Must Save
હાર્ટએટેક અને પાણી” તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.
હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી માહિતી રસપ્રદ છે.
બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.
પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ——
(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે
(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.
૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.

મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટે આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદા દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.
(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.
એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.
આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,


(વોટ્સ અપની એક સહુ માટે જાણવા યોગ્ય પોસ્ટ )

જય શ્રી કૃષ્ણ.

Monday, December 9, 2019

દુર્વાશા મુનિ અને દ્રૌપદીનું અક્ષય પાત્ર

દુર્વાશા મુનિ અને દ્રૌપદીનું અક્ષય પાત્ર 



એક વખત દુર્વાશા મુનિ દુર્યોધનને ત્યાં આવ્યા ,બ્રાહ્મણ અતિથિનું સ્વાગત અનિવાર્ય, કેમકે દુર્યોધન મુનિની પ્રચંડ શક્તિને જાણતો હતો.પણ હંમેશા અધર્મનો સાથ લઇ પોતાના પિતૃ ભાઈયો પાંડવો કેવી રીતે હેરાન થાય તેના જ વિચારો તેને ભરી દેતા.તે જો દુર્વાસાને નારાજ કરે તો જરૂર તેમના શ્રાપથી અનહોની થાય.પધારેલા દુર્વાશા માટે આવેલા એક વિચારે તેણે કહ્યું પૂજ્ય શ્રી  અમો સર્વે માં યુધિષ્ઠિર મોટા  હોય આપ તેમને ત્યાં અન્ન ગ્રહણ કરો તે સારું લાગે,દુર્વાશા ઋષિ તેમના શિષ્યોના મોટા સમુદાય સાથે હતા.એટલે  તેમને પણ તેમ યોગ્ય લાગ્યું પણ દુર્યોધનને ખબર હતી યુધિષ્ઠિર અને તેમની પત્ની દ્રૌપદીએ અત્યારે તો ભોજન લઇ લીધું હતું.અને દ્રૌપદી પાસે રહેલું અક્ષયપાત્ર દ્રૌપદી જમી લે પછી
કોઈ ભોજન ભરી ન શકે એટલે આટલા મોટા સમુદાય જો ભૂખ્યા રહે તો જરૂર દુર્વાશા ઋષિનો શ્રાપ તેમના ઉપર ભયંકરતા સર્જે એટલે તેની ખરાબ યોજનાનો દુર્વાશા ઋષિ ભોગ બન્યા અને યુધિષ્ઠિરના મહેલ તરફ તે સમુદાયે પ્રસ્થાન કર્યું.યુધિષ્ઠિર તો ધર્મરાજા ખુબજ સ્વાગત પછી મુનિવરને કહ્યું ગુરુવર આપ આપની સંધ્યા વિધિ પતાવો ત્યાં સુધીમાં ભોજન તૈયાર થઇ  જશે હું ભીમને આપના  અતિથિ સત્કાર માટે મોકલીશ જે આવતા આપ સમગ્ર શિષ્ય સમુદાય સાથે પધારજો અને યુધિષ્ઠિરના કહેવાથી મુનિવર પ્રસન્ન થઇ પોતાની સંધ્યા વિધિ પતાવવા સમુદાય સાથે નદી તરફ ગયા

 દ્રૌપદીને આ વાતની ખબર પડી અને તે એકદમ  ગભરાઈ ગઈ કે શી રીતે બાહ્મણોને ભોજન કરાવી શકાય અને મુનિના ક્રોધથી બચાય.કઈ સૂઝ ન પડતા તેણે અંતિમ સમયે શ્રી કૃષ્ણને યાદ કર્યા એટલે ભક્તોના રખવાળ હાજર થઇ ગયા ,દ્રૌપદીએ સંશયની રજુઆત કરી એટલે ભગવાને તેનું અક્ષય પાત્ર માંગ્યું.દ્રૌપદીએ કહ્યું મેં જમી લીધું છે હવે અક્ષય પાત્ર કઈ કરી ન શકે પણ પ્રભુની માંગણીનો સ્વીકાર કરી તેણે અક્ષય પાત્ર શ્રીકૃષ્ણને આપ્યું શ્રી કૃષ્ણે તે અક્ષય પાત્રમાં એક ભાજીનું નાનું પાંદડું ચોટેલું હતું તે તેમના મુખમાં મુકવા કહ્યું.દ્રૌપદી વિસ્મય પામી પણ શ્રી કૃષ્ણ તો શ્રી કૃષ્ણ હતા.વિસ્મય દ્રૌપદી એ જયારે 'હવે શું '
પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું બહેન શાંતિ રાખ  અને ભગવાનમાં વિશ્વાસ રાખી અધીરી દ્રૌપદી  વિચારી રહી અને શ્રી કૃષ્ણે કહ્યું હવે ભીમને મુનિવરને ભોજન માટે કહેવા કહે દ્રૌપદીએ તે પ્રમાણે કહ્યું અને ભીમ નદી કિનારે ગયો અને મુનિવરને પ્રણામ કરી ભોજન માટે કહ્યું.પરંતુ મુનિવર બોલ્યા બેટા અમારું પેટ ભોજનથી ભરાઈ ગયું છે હવે તેમાં કઈ વધારે જાય તેમ નથી એટલે હું આપ સહુને મારા આશીર્વાદ આપી અહીંથી જ વિદાય લઉ છું આમ આશીર્વાદ આપી તેઓ ગયા અને ભીમ સમાચાર લઇ યુધિષ્ઠિરને આપ્યા અને ભગવાનની લીલાથી વિસ્મય દ્રૌપદીં ના ચહેરા ઉપર હાશનો અનુભવ થતા તેની આંખો બંધ થઇ અને ખુલી ત્યાં શ્રી કૃષ્ણ ન હતા.ભગવાન ભક્તને સહાય કરવા સદા તત્પર છે પરંતુ ભક્તિ નું સામર્થ્ય તેમાં ભાગ ભજવે છે .એવા શ્રી ભગવાનને ખુબ ખુબ સાષ્ટાંગ દંડવત.

જય શ્રી કૃષ્ણ.