Thursday, December 24, 2020

ક્રિસ્મસ તેમજ નવું વર્ષ ૨૦૨૧ ની શુભકામના

 


 ક્રિસ્મસ 

તેમજ નવું વર્ષ  ૨૦૨૧  આપ સહુ વાચક મિત્રો તેમજ આપના કુટુંબીજનોને મુબારક, પ્રભુ આપ સહુને ખુબ સુખ સર્મુધ્ધી આપે એવી શુભકામના સાથે, 
આપત્તિકાળમાં સહુ નિયમોનું પાલન કરી સલામતી વર્તી સલામત રહીયે.
"મોગરાના ફૂલ" બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટના 

Saturday, November 21, 2020

ઓ વ્રજ કે નંદ લાલા ઓ વ્રજ કે નંદ લાલા


 ઓ વ્રજ કે નંદ લાલા 


ઓ વ્રજ કે  નંદલાલા,કે રાધાજીકે સાંવરિયા 

સબ દુઃખ દૂર હુએ ,જબ તેરા નામ લિયા...(૨)

મીરા પુકારે તુમ્હે ,ગિરધર ગોપાલા(૨)

બન ગયા અમૃતમય, વિષકા ભરા પ્યાલા  

કે કૌન મીટાયે ઉન્હેં જિસે તુને રાખ લિયા   સબ.....

નૈનોમેં શ્યામ બસે મનમેં  બનમાલી(૨)

સુધી વિસરાયે ગઈ મુરલી  કી ધૂન પ્યારી

મેરે મન મંદિર મેં ,કે રાસ રચાઓ પિયા   સબ.......

દેખ રહે હો તુમ મેરે મનકે દુઃખડે (૨)

કબ દર્શન દોગે  મેરે આંખો કે તારે 

કે અધરોપે મુરલી હૈ કાંધે પે કામારિયા કાલી  સબ.....

જબ તેરે ગોકુલમે  આયી  વિપદા ભારી

એક ઈશારે પે સારી વિપદા ટાળી

કે ઝુક ગયા ગોવર્ધન જિસે તુને ઉઠા રે લિયા  સબ....

 

ઓ વ્રજ કે  નંદલાલા,કે રાધાજીકે સાંવરિયા 

સબ દુઃખ દૂર હુએ ,જબ તેરા નામ લિયા...(૨)


જય શ્રી કૃષ્ણ 




Monday, November 9, 2020

એવા રે અમે એવા રે એવા.(ગુજરાતી ભજન )



 એવા રે અમે એવા રે એવા.


એવા રે અમો એવા રે એવા, 

તમો કહો છો વળી તેવા રે (૨)

ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો,

કરશું દામોદરની સેવા રે (૨)  એવા રે.

જેનું મન જે સાથે બંધાણું

પહેલું હતું તે ઘર રાતું રે (૨)

હવે થયું છે હરિરસ માતુ  ,

ઘેર ઘેર હીડે છે ગાતું રે(૨) એવા રે .

સઘળા સાથમાં હું એક ભૂંડો,

ભૂંડાથી વળી ભૂંડો રે (૨) 

તમારે મન માને તે કહેજો,

સ્નેહ લાગ્યો મને ઊંડો રે (૨) એવા રે .

કર્મ ધર્મની વાત છે જેટલી ,

તે મુજને નવ ભાવે રે (૨)

સઘળા પદારથ જે થકી પામે,

મારા પ્રભુની તુલે ના આવે રે.(૨) એવા રે.

હળવા કર્મનો હું નરસૈંયો,

મુજને તો વૈષ્ણવ વાલા રે(૨)

હરિજનથી જે અંતર .ગણશે,

તેના ફોગટ ફેરા ઠાલા રે (૨) એવા રે. 


ભક્ત કવિ નરસૈંયો.

જય શ્રી કૃષ્ણ 

Sunday, October 18, 2020

નવરાત્રની શુભ કામનાઓ



 નવરાત્રની શુભ કામનાઓ






ચાલી રહેલા પૂજ્ય માતાજીના શુભનવરાત્રની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત
‘મોગરાના ફૂલ’બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ.


જય માતાદી, જય શ્રી કૃષ્ણ.

મહેન્દ્ર ભટ્ટ .

Saturday, August 15, 2020

સ્વાતત્ર્યદિવસની શુભ કામનાઓ






     સ્વાતત્ર્યદિવસની  શુભ કામનાઓ 



પ્યારા વાચક મિત્રો ૧૫ મી ઓગસ્ટ સ્વાતત્ર્યદિવસની આપ સહુને કુટુંબ સાથે શુભ કામનાઓ 

કોવિદ -૧૯ ના કપરા સમયમાં નિયમોનું પાલન કરી સુરક્ષિત રહો એ જ અભ્યર્થના 

ભારત માતાની જય 

Tuesday, August 11, 2020

જન્માષ્ટમીની શુભ કામનાઓ


 જન્માષ્ટમીની શુભ કામનાઓ 

પવિત્ર શ્રાવણ માસની અષ્ટમી ,ગોકુળાષ્ટમી મુરલી મનોહર શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ની આપ સહુ વાચક મિત્રોને 'મોગરાના ફૂલ બ્લોગ' વતી કુટુંબ સહીત શુભ કામનાઓ,પ્રભુ સહુને સુખ શાંતિ અર્પે. 

જય શ્રી કૃષ્ણ.

Monday, August 10, 2020

પવિત્ર શ્રાવણ માસ

 પવિત્ર શ્રાવણ માસ 

શિવપુરાણમાં શિવજીએ  સનત કુમારોને કહ્યું હતું કે ચંદ્રમા ,સૂર્ય અને અગ્નિ એ ત્રણ મારી આંખો છે.ચંદ્રમા એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કર્કરાશીનો સ્વામી છે,સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે  અને શ્રાવણમાસમાં કર્ક રાશિમાંથી સિંહરાશિમાં સંક્રાંતિ થાય છે.શ્રાવણ માસ શિવજીનો અગત્યનો માસ છે.   

તેમાં શિવજીના જાપનો મહિમા છે,પંચાક્ષરી મંત્ર 'ઓમઃનમ;શિવાય',મહામ્રુત્યંનજય મંત્ર,'ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ ,જન્મ,મૃત્યુ જરા વ્યાધિ પીઢિતમ કર્મબંધનેહિ 'અથવા વેદોક્ત મહામૃતુંન્જય મંત્ર 'ૐ ત્રયંબકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ,ઉર્વારૃકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામરતાત' આ મંત્રોના જાપ ખુબ જ પુણ્યશાળી માનવામાં આવ્યા છે,રુદ્ર અભિષેકનો મહિમા છે,મહીં સ્ત્રોત્ર પાઠનો મહિમા છે. આ માસમાં કેટલાક તહેવારો આવે છે શ્રાવણ માસનું નામ ૨૭ નક્ષત્રોમાં આવેલું શ્રવન નક્ષત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે,આ માસમાં પરમાત્માના ગુણોની કથા સાંભળવાનો મહિમા છે.શ્રવણ એટલે સાંભળવું,નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ છે એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે.આ માસમાં જન્માષ્ટમી પણ આવે છે.એટલે હરિ અને હર બંનેના પૂજનનો ભક્તો લ્હાવો લે છે.શ્રાવણમાસમાં વરસાદથી ખેતરોમાં બીજ અંકુરિત થતા અન્ન પ્રાપ્તિની આશા બંધાય છે પ્રભુની ભક્તિ નો આ માસ છે,ઉપવાસ કરી ભક્તો પ્રભુની આરાધના કરે છે.આ મહિનાથી ચાતુર્માસ શરુ થાય છે માટે પણ તેનો મહિમા વિશેષ છે.શ્રાવણ માસના સોમવાર નું શિવપૂજન માટે વિશેષ મહત્વ છે.શિવ મહીમ ગાવાનો પણ મહિમા છે.

મહાદેવના પ્રથમ પત્ની સતી દક્ષ પ્રજાપતિની પુત્રી હતી દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કરવા યજ્ઞ રચ્યો અને બધા દેવોને આમંત્રણ આપ્યું પણ મહાદેવ અને સતીને ન બોલાવ્યા.અને યજ્ઞ કરતા પહેલા રાખવામાં આવતા દેવોના સ્થાનમાં પણ મહાદેવનું સ્થાન ન રાખ્યું જયારે દેવોના વિમાનો કૈલાશ ઉપરથી પસાર થયા ત્યારે સતીને પ્રશ્ન થયો અને મહાદેવને કારણ પૂછ્યું ,જવાબમાં મહાદેવે દક્ષના યજ્ઞ અને તેમને આમંત્રણ નથી તે જણાવતા,સતીએ પિતાના યજ્ઞમાં આમંત્રણની શી જરૂર એવું કહી મહાદેવ પાસે જવાની આજ્ઞા માંગી મહાદેવે સમજાવ્યા પણ ન માનતા જવાની આજ્ઞા આપી અને સતીને પિતાનું અપમાન સહન કરવું પડ્યું મહાદેવનું સ્થાન દેવોના સ્થાનમાં ન જોતા સતી પિતા પર ક્રોધિત થયા અને યજ્ઞમાં પડી જીવનને  અંત આપ્યો મહાદેવને સતીના મૃત્યુની ખબર પડતા ક્રોધ આવ્યો અને વીરભદ્રનને મોકલી યજ્ઞ તથા દક્ષ પ્રજાપતિનો નાશ કર્યો પણ કરુણાના સાગર મહાદેવને દક્ષ ઉપર દયા આવી અને તેના  કપાયેલા  શરીરને એક બકરાના માથાથી જોડી તેને જીવતદાન આપ્યું દક્ષપ્રજાપતિએ મહાદેવની સ્તુતિ કરી.શ્રાવણ માસમાં આ સ્તુતિ ગાવાનો પણ મહિમા છે 


રાવણ શિવજીનો પરમ ભક્ત હતો તેણે શિવ તાંડવઃ સ્તોત્ર રચ્યું હતું તેને ગાવાનો પણ મહિમા છે.આમ આ શ્રાવણ માસ ભક્તિ માટેનો શ્રેષ્ઠ માસ ગણાય છે.શિવજી ભોળા દેવ છે ફળની પ્રાપ્તિ અતિ સરળતાથી દેનારા દેવનો મહિમા ગાઈ આપણું જીવન ધન્ય કરીયે 


પવિત્ર માસની  શુભકામનાઓ સાથે 

હર હર મહાદેવ 

Saturday, July 25, 2020

ગિલોય (ઔષધી)

ગિલોય (અમૃતા )




ગિલોય એક એવો વેલો છે તેને આપણે ૧૦૦ રોગની એક દવા જેવી કહી શકીયે.એટલા માટે તેને સંસ્કૃતમાં અમૃતા નામ અપાયું છે.દેવતા અને દાનવો વચ્ચે જયારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી નીકળેલા અમૃતના છાંટા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં ગિલોયની ઉત્ત્તપત્તિ થઇ.
તેનું વનસ્પતિ નામ ટિનોસ્પોરા કોર્ડીફોલિઆ  છે તેના પાંદડા નાગરવેલનાં પાન જેવા દેખાય છે,અને તે જે છોડ પર ચઢી ગઈ તે છોડને મરવા નથી દેતી.તેના ઘણા બધા લાભ આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે.તેમાં તે તબિયત તો સારી રાખે જ છે ઉપરાંત સુંદરતા પણ વધારે છે.કેટલુંક તેના ફાયદા વિષે ;
ગિલોય રોગપ્રતિરોધક  છે,તે એક એવી વેલ છે જે વ્યક્તિની રોપ્રતિરોધક શક્તિનો વધારો કરી તેને માંદગીથી દૂર રાખે છે.તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેડેટ્સ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તે લોહી સાફ કરે છે.બેક્ટેરિયાથી લડે છે.લીવર અને કિડનીની સારી સંભાળ લેવાનું પણ તેનું એક કામ છે.આ બંને અંગો લોહી સાફ રાખવાનું કામ કરે છે.

તાવમાં : જો કોઈને વારંવાર તાવ આવતો હોય તો તેને ગિલોયનું સેવન કરવું જોઈએ.તે કોઈ પણ પ્રકારના તાવમાં મદદ કરે છે, એટલા માટે તો ડેન્ગ્યુ ના દર્દીઓને ગિલોયના સેવનની સલાહ અપાય છે ડેન્ગ્યુ સિવાય મલેરિયા,સ્વાઈન ફ્લુમાં આવતા તાવમાં પણ ગિલોય છુટકારો અપાવે છે.
મધુમેહ(ડાયાબિટીસ) માટે: ગિલોય એક હાઈપોગ્લાઇસેમિક એજન્ટ છે,એટલે તે લોહીમાં ખાંડની માત્રા ઓછી કરે છે.તેનો ફાયદો ટાઈપ -૨ દર્દીઓને થાય છે.
પાચન શક્તિ વધારે છે,આ વેલ પાચન તંત્રના બધા કામોને સારી રીતે સંચાલિત કરે છે.અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે.તેનાથી માણસ કબ્જ અને બીજી બધી દુરસ્તીથી બચે છે.
સ્ટ્રેસ ઓછો કરે છે: ભયંકર પ્રતિસ્પર્ધાની દોડમાં તણાવ અને સ્ટ્રેસ એક મોટી મુસીબત થઇ પડી છે.ગિલોય એસ્ટોજનની માફક કામ કરે છે અને માનસિક તણાવ અને ચિંતા (એન્ઝાયટી) ના સ્તરોને ઓછા કરે છે.તેની મદદથી યાદદાસ્ત સારી થાય છે ઉપરાંત મગજની કાર્યશક્તિ દુરસ્ત થઇ એકાગ્રતા વધે છે.
આંખોનું તેજ :ગીલીને પાંપણોની ઉપર લગાવવાથી આંખોનું તેજ વધે છે.તેના માટે ગિલોયના પાવડરને પાણીમાં ગરમ કર્યા પછી જયારે તે સારીરીતે ઠંડુ પડી જાય પછી તેને પાપણ ઉપર લગાવવું.
અસ્થમામાં ફાયદો: ઋતુનો બદલાવ ખાસ કરીને ઠંડીની ઋતુમાં અસ્થમાના દર્દીઓને ખુબ જ પરેશાની થતી હોય છે તેવા સમયે દર્દીઓએ ગિલયની મોટી ડાળખીને ચાવવી જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ.તેનાથી તેને ખુબ આરામ મળે છે.
ગઠિયામાં ઉપીયોગી:ગાંઠિયા એટલે આર્થરાઇટિસમાં ફક્ત સાંધામાં દર્દ થતા ચાલવા ફરવામાં પણ પરેશાની થાય છે.ગિલોયમાં એન્ટી અર્થરાઈટિક ગુણ હોય છે. જેનાથી સાંધાના દર્દો સિવાય તેના કેટલાય લક્ષણોમાં ફાયદો થાય છે.
એનિમિયા : ભારતની સ્ત્રીઓ એનિમિયા એટલે લોહીની ઓછપથી પીડાતી હોય છે.તેનાથી તેઓ થાક અને કમજોરી અનુભવતી હોય છે.ગિલોયના સેવનથી લોહીમાં લાલ કણોનું પ્રમાણ વધે છે એટલે તેમને એનિમિયામાં રાહત થાય છે.
કાનનો મેલ: કાનનો જામેલો મેલ બહાર ન આવતો હોય તો થોડી ગિલોય છૂંદી પાણીમાં ઉકાળી ઠંડુ કરી ગાળી લઇ થોડાક ટીપા કાનમાં નાખતા એક બે દિવસમાં બધો મેલ બહાર આવી જશે.
પેટની ચરબી :ગિલોય શરીરનું ઉંપાપયય ( મેટાબોલિજ્મ) સુધારે છે સોજો દૂર કરે છે,અને પાચનશક્તિ વધારે છે તેનાથી પેટની આજુબાજુ ચરબી જમા થતી નથી અને વજન ઓછું થાય છે.
યોનની ઈચ્છા: કોઈ પણ દવા વગર યૌનેચ્છા વધારવા માટે ગિલોયનો ઉપીયોગ કરવો જેમાં તે વધારવાના ગુણો હોવાથી જાતિ(યૌન) સબંધ સારા થાય છે.
સુંદરતા: ગિલોય તબિયત સુધારે છે ઉપરાંત સુંદરતા અને વાળો પર પણ ચમત્કારિક રૂપથી અસર કરે છે.
યુવાની : ગિલોયમાં એન્ટી એજિંગ ગુણ હોવાથી તે ચહેરાના કાળા ધાબા,ખીલ,ઝીણી રેખા અને કરચલી દૂર કરી શકાય છે.તેના સેવનથી ખુબ સુંદર અને ચમકતી ત્વચા થાય છે જેની ઈચ્છા ઘણા   બધાને હોય છે.જો તેને ઘા પર લગાડતા તે જલ્દી સારો થઇ જાય છે.ચામડી પર લગાવવા ગિલોયના પાંદડાંને વાટીને  પેસ્ટ બનાવવી, એક વાસણમાં થોડા લીમડા અથવા દિવેલાનું તેલ ઉકાળવું,તેમાં ગિલોયની પેસ્ટ ઉમેરી,ઠંડુ થતા ઘા  પર લગાવવું  આ પેસ્ટ લગાડવાથી ચામડીમાં કસાવટ પણ આવે છે.
વાળની સમસ્યા હોય ,વાળમાં ડેન્ટરપ,વાળ ખરવા કે માથાની ચામડીની બીજી સમસ્યાને ગિલોય દૂર કરે છે.
ગિલોયના ફાયદા જાણ્યા પછી તેનો ઉપીયોગ જાણો;
ગિલોય નો રસ: ગિલોયની દાંડીયો ઉપરથી છાલ કાઢી તેને પાણી સાથે મિક્સચરમાં સારી રીતે મિક્સ કરી ગાળી લઇ સવારે સવારે ખાલી પેટે પીવો.,જુદા જુદા બ્રાન્ડના ગિલોય રસ બજારમાં મળે છે.
ગિલોયનો ઉકાળો :ચાર ઇંચ ગિલોયની દાંડીને નાના ટુકડા કરી એક કપ પાણીમાં નાખી ઉકાળી લેવું,પાણી ઉકળતા અડધું રહે એટલે ગાળીને પીવું,વધારે ફાયદા માટે તેમાં લવીંગ,શુંઠ,તુલસી પણ મૂકી શકાય છે.
પાઉડર: આમ તો ગિલોયનો પાવડર બજારમાં મળે છે.તેને ઘરે પણ બનાવી   શકાય,તેને તડકામાં સુકવતા સુકાઈ જાય પછી નાના ટુકડા કરી મિક્સચરમાં પાવડર બનાવી શકાય.
ગિલોયવટી : બજારમાં ગિલોયની ગોળીયો એટલે ટેબ્લેટ્સ પણ મળે છે.ઘરની આજુબાજુ તાજી ગિલોયની વેલ ન હોય તો તેનો ઉપીયોગ કરી શકાય.
સાથે જુદી જુદી માંદગીમાં તે કામ આવે :
દિવેલાનું તેલ અથવા કેસ્ટર ઓઇલ સાથે ગિલોય મેળવી લગાવવાથી સાંધાના(ગઠિયા) દુખાવામાં આરામ થાય છે. તેને શુંઠ સાથે મેળવી લેવાથી રુમેટાઇડ આર્થરાઈટ્સ ની સમસ્યાથી લડી શકાય છે.ખાંડની સાથે તેને લેવાથી ચામડી અને લીવરની માંદગી દૂર થાય છે.આર્થરાઇટિસથી આરામ માટે તેને ઘી સાથે ઉપીયોગ કરવો.કબ્જ થાય તો તેને ગોળ સાથે મેળવી ખાવી.
સાઈડ ઇફેક્ટનું ધ્યાન રાખવું:
આમ તો ગિલોયને નિયમિત રૂપથી ઉપીયોગ કરવાથી કોઈ ગંભીર દુષ્પરિણામ અત્યાર સુધી સામે નથી આવ્યા,પરંતુ તે લોહીમાં ખાંડનું પ્રમાણ ઓછું કરે છે માટે એ વાત ઉપર ધ્યાન રાખવું કે બ્લડસુગર જરૂરથી વધારે ઓછી ન થઇ જાય.ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ગિલોયનું સેવન ન કરવું જોઈએ.પાંચ વર્ષથી નાના બાળકો ગિલોયનો ઉપીયોગ ન કરે તેનું સહુએ ધ્યાન રાખવું જોઈએ.
એક નિવેદન છે  વર્ષાઋતુમાં આપણા ઘરમાં એક મોટા કુંડામાં અથવા  આંગણામાં જ્યાં પણ ઉચિત સ્થાન હોય ગિલોયનો વેલો જરૂર લગાવો,તેમજ બીજા સ્વજનોને પણ આપો.આ બહુ જ ઉપીયોગી વનસ્પતિ જ નહિ પણ આયુર્વેદનું અમૃત અને ઈશ્વરનું અવદાન છે ,આભાર.
(સૃજનના પબ્લિશ લેખના આધારે એક મહત્વની ઔષધિની માહિતીનો ગુજરાતી અનુવાદ.)
ગાયત્રીમાતાની જય 

Monday, July 20, 2020

શ્રાવણ માસની શુભકામનાઓ


શ્રાવણ માસની શુભકામનાઓ 



Hindi HelpGuru on Twitter: "kaal bhairav jayanti Video Status For ...





કાલથી શરૂ થતા  શ્રાવણ માસ અને ચાતુર્માસની આપ સહુને ખુબ ખુબ શુભ કામનાઓ કાલભૈરવ
 મહાદેવની કૃપા આપ સહુ તેમજ આપના કુટુંબી જનો પર વર્ષે તેવી મોગરાનાફૂલ બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ.
હર હર મહાદેવ.

Monday, June 15, 2020

મનકે ગહરે અંધિયાલેમેં........(હિન્દી ભજન)

મનકે ગહરે અંધિયાલેમેં........(હિન્દી ભજન)


મનકે ગહેરે અંધિયાલેમેં સાંઈ નામ દીયે જૈસા...સાંઈ નામ દીયે જૈસા..સાંઈ...
જિસને સાંઈ સાંઈ ધ્યાયા ઉસને જીવનકા સુખ પાયા (૨)
સાંસોકે બહતે ધારોંમેં  સાંઈ નામ દીયે જૈસા ... સાંઈ નામ ...
મનકે ........
ક્યાં મેરા ક્યાં મેરા અપના સારા જગ હૈ જુઠા સપના (૨)
જગમાયાકે ચોબારેમે સાંઈ નામ દીયે જૈસા...,..સાંઈ નામ....
મનકે .........
કોઈ ન જિસકા ઇસ દુનિયામેં સાંઈ ઉસકી બાંહે ઠામે (૨)
બિન ચંદાકે પખવારેમેં સાંઈ નામ દીયે જૈસા ......સાંઈ નામ .....
મનકે ......,

કોવિદ-૧૯ ના કાળમાં પૂજ્ય બાબાની કૃપા સહુ પર થાય તેવી અભ્યર્થના
જય શ્રી સાઈ બાબા 

Saturday, May 16, 2020

રાધે કૃષ્ણ

રાધે કૃષ્ણ 



આ એક કાલ્પનિક વાર્તા છે અને દિલની ઊંડાઈને સ્પર્શ કરનારી,એક વાર સ્વર્ગમાં વિચરણ કરતા કરતા શ્રી કૃષ્ણ અને રાધા એક બીજાની સામે આવી ગયા,કૃષ્ણ સ્તબ્ધ,રાધાએ સ્માઈલ કર્યું,,વિચલિત શ્રી કૃષ્ણ, પ્રસન્ન ચિત્ત રાધા,તે પહેલા કે શ્રી  કૃષ્ણ કઈ કહે રાધા બોલી,
'કેમ છો દ્વારિકાધીશ' જે રાધા તેમને કાના કાના કહીને બોલાવતી હતી,તેના મોઢે દ્વારિકાધીશનું સંબોધન,કૃષ્ણને અંદર સુધી ઘાયલ કરી ગયું,છતાં પણ કોઈ પણ રીતે તેમણે તેમને સંભાર્યા,રાધાને કહ્યું 'હું તારા માટે પહેલા તો કાના છું તું તો મને દ્વારિકાધીશ ન કહે,આવ , બેસીએ,કૈક હું કહું,કૈક તું તારું સંભળાવ,સાચું કહું રાધા જયારે જયારે તારી યાદ આવતી હતી,આ આખોથી આંસુઓની બૂંદો નીકળી આવતી હતી, 'રાધાએ કહ્યું,
'મારી સાથે એવું કઈ જ નથી થયું,ન તમારી યાદ આવી ન આખોથી આસું વહ્યા,કેમકે હું તને ભૂલી ક્યાં હતી,જો તું યાદ આવે,આ આંખોમાં તો કાયમ તમે જ હતા,ક્યાંક આસુંઓની સાથે નીકળી ન જાવ,એટલે રડતી પણ ન હતી,કાના,પ્રેમથી અલગ થઈને તે શું ખોયું,એનું એક પ્રતિબિંબ બતાવું તને,કેટલુંક કડવું સત્ય સાંભળી શકો તો સંભળાવું,ક્યારેય વિચાર્યું છે !,આ પ્રગતિમાં તમે કેટલા ખોવાઈ ગયા,યમુનાના મીઠા પાણીથી જીવનની શરૂઆત કરી,અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા,એક આંગળી ઉપર ચાલતા સુદર્શન ઉપર ભરોષો કરી લીધો,અને દશ આંગળીયો પર ચાલનારી બંસરીને ભૂલી ગયા ?,કાના,જયારે તમે પ્રેમથી જોડાયેલા હતા તો જે આંગળીયો ગોવર્ધન પર્વત ઉઠાવતી હતી, પ્રેમથી અલગ થવાથી તેજ આંગળીયો કેવા કેવા રંગ દેખાડવા લાગી,સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશના કામમાં આવવા લાગી,કાના અને દ્વારકાધીશમાં શું અંતર હોય છે,બતાવું,કાના હોતા તો તમે સુદામાને ઘેર જતા,સુદામા તમારે ઘેર ન આવતા,યુદ્ધમાં અને પ્રેમમાં આજ ફર્ક હોય છે યુદ્ધમાં પોતાને મટાવીને જીતે છે અને પ્રેમમાં જાતે મિટાઈને જીતે છે.કાના, પ્રેમમાં ડૂબેલો માણસ જીવતો તો રહી શકે છે,પણ કોઈને દુઃખી નથી કરી શકતો,તમો તો કેટલીય કલાઓના સ્વામી છો,સ્વપ્ન દૂર દ્રષ્ટા છો,ગીતા જેવા ગ્રંથના દાતા છો,પણ તમે આ શુ નિર્ણય લીધો,તમે તમારી આખી સેના કૌરવોને આપી દીધી અને પોતની જાતે પાંડવો સાથે થયા,સેના તો તમારી પ્રજા હતી,રાજા તો પાલક હોય છે,તેમનો રક્ષક હોય છે,તમારા જેવા મહાન જ્ઞાની તે રથને ચલાવી રહ્યા હતા,જેની ઉપર બેઠેલો અર્જુન તમારી પ્રજાને જ મારી રહ્યો હતો,તમારી પ્રજાને મરતી જોઈને તમારામાં દયા ન આવી,કેમકે તમો પ્રેમથી શૂન્ય થઇ ગયા હતા,આજે પણ ધરતી પર જઈને જુઓ,
તમારી દ્વારિકાધીશવાળી છબીને શોધતા રહી જશો,દરેક જગ્યાએ દરેક મંદિરમાં મારી જ સાથે ઉભેલા દેખાશો.હું જાણું છું કાના,લોકો ગીતાના જ્ઞાનની વાતો કરે છે,તેના મહત્વની વાત કરે છે,પણ દુનિયાના લોકો યુદ્ધવાળા દ્વારિકાધીશ ઉપર નહિ,પ્રેમવાળા કાના પર ભરોષો કરે છે.ગીતામાં મારુ દૂર દૂર સુધી નામ નથી,પણ આજે પણ લોકો તેમના સમાપન ઉપર 'રાધે રાધે' કહે છે,'
આ વાર્તા કાલ્પનિક જરૂર છે,પણ તેની અંદર છુપાયેલી શિખામણ ખુબ અગત્યની છે,શ્રીકૃષ્ણની પાસે ક્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર ન હોય,એવું તો થઇ જ ન શકે,પરંતુ રાધા દ્વારા લગાવેલા પ્રશ્નચિન્હો પર કાના મૌન રહ્યા.એજ છે પ્રેમમાં સમર્પણ નો ભાવ,પરાક્રમમાં આપણે દરેક વ્યક્તિને હરાવવા ના હોય છે,ત્યરે પણ આપણે જીતીને હારી જઇયે છીએ,પરંતુ પ્રેમમાં,એક જ કેટલાયનો પ્રેમ જીતી લે છે,સાચું કહ્યું છે,કે નાની એવી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડનાર ભગવાન શ્રીકૃષ્ણ નાની એવી વાંસળીને બંને  હાથોથી  પકડતા હતા.ફરી મળીશું દોસ્તો બીજી વાર્તા સાથે ત્યાં સુધી આપનો ખ્યાલ રાખશો.અને હંમેશા હસતા રહેશો,રાધે કૃષ્ણ.
લેખક-પવન દત્તા
(પબ્લિશ હિન્દી વાર્તાનો અનુવાદ.)
જય શ્રી કૃષ્ણ.

Friday, May 15, 2020

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર


A coloured painting of Harishchandra parting with his wife and son
ત્રેતાયુગની આ વાત છે રાજા હરિશ્ચંદ્ર
 એક પ્રામાણિક અને ઉમદા રાજા હતા.ખૂબ જ શાંતિમય અને હંમેશા ખુશી રહેતા રાજાની પત્નીનું નામ શિવયા(તારામતી) હતું અને તેમનો એક પુત્ર રોહિતાસ્વા હતો.રાજા પુત્રને ધનુષ્ય બાણથી કેવી રીતે નિશાન લગાવવું તેની શિક્ષા આપતો હતો,અને કેટલાક લોકોએ તેને શિકારની સૂચના કરી એટલે  સુવ્વરનો શિકાર કરવા નિકરેલા રાજાને કોઈ રડતી નારીનો અવાજ સંભળાયો અને રાજા અવાજની દિશામાં પોતાના ધનુષ્ય બાણ સાથે ગયો તો તે અવાજ વિશ્વામિત્ર ઋષિના આશ્રમ તરફથી આવતો હતી જ્યાં ઋષિ ત્રિગુણી શક્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા.નારીનો અવાજ કોઈ માયા હતી અને તે રાજાને આવતા જોતા ઋષિના શરીરમાં  પ્રવેશી ગઈ અને રાજા હરીશચંદ્રે ઋષિની તપસ્યામાં ભંગ કર્યો આથી ઋષિએ તપનું ફળ ખોયું ,રાજાને પોતાની ભૂલ સમજાઈ એટલે તરત ઋષિના પગમાં પડી માફી માંગવા  લાગ્યો પણ ભૂલ તો ઘણી મોટી હતી એટલે માફી તો મળી પણ ઋષિએ દક્ષિણાં માંગી અને તેમાં પોતાની પત્ની અને બાળકને બાદ કરતા જે કઈ તેની પાસે હતું તે ઋષિએ માંગી લીધું રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને જયારે તે આશ્રમથી બહાર નીકળ્યો તો ઋષિએ બીજી દક્ષિણાં માંગી તો રાજાએ કહ્યું મારી પાસે હવે કૈજ નથી છતાં તેણે પૂછ્યું તો ઋષિએ કહ્યું તારે ૧૫૦૦ સોનામહોરો એક મહિનામાં આપી દેવી રાજા સામેલ થયો મહેલમાં આવ્યો અને પત્ની અને પુત્ર સાથે પહેરેલા કપડે તે કાશી જવા વિદાય થયો.કાશી આવી રોજગાર શોધવા લાગ્યો પરંતુ કઈ ન મળતા કેટલોક સમય પસાર થઇ ગયો તે પોતે સત્યવાદી હતો  ૧૫ દિવસમાં વિશ્વામિત્રે ફરી દક્ષીણાની માંગ કરી એટલે પત્ની સમક્ષ પોતાનું સત્યની પ્રતિજ્ઞા તોડવાના ની રજુઆત કરી તો પત્નીએ સુઝાવ દેતા કહ્યું તમો મને અને પુત્રને વેચીને જે કઈ મળે તે આપી દો.અને લાચાર પતિએ કાશીના બજારમાં પોતાની પત્નીને વેચવા જણાવતા એક બ્રાહ્મણ ૧૦૦૦ સોનામહોર આપવા તૈયાર થયો અને પુત્ર અને પત્નીને વેચી ,આવેલ સોનામહોર તેમણે ઋષિને આપી અને બીજી ૫૦૦ મહિનાના અંત સુધીમાં આપવાનું કહેતા ઋષિએ સંમતિ આપી,તેણે કામ શોધવા માંડ્યું અને પોતાને વેચવા પણ તૈયાર થયો,તો ત્યાં ઉભેલ એક ભયંકર ચહેરા વાળા ચાંડાલે તેને તેના સ્મશાનમાં કામ આપ્યું જે સ્મશાનમાં મડદું બાળવાની ફી અને અનાજ આવે તેમાંથી અડધું ત્યાંના રાજાને અને અડધામાંથી પોતે અને ચાંડાલનો ભાગ થોડાક દિવસો પસાર થયા અને રાતે સ્વપ્નમાં તે રડવા લાગ્યો કેમકે પોતાની પત્ની અને બાળકની દશા તેનાથી સહન ન થઇ,અને તે સફાળો જાગ્યો તો એક સ્ત્રી તેની સામે હતી અને તેના હાથમાં એક બાળકનો મૃતદેહ જે સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો.તેને સમજતા વાર ન લાગી તે પોતાનો પુત્ર હતો અને તારામતી તેને દાહ આપવા વિનંતી કરવા લાગી તેને પણ ખુબ શોક થયો પરંતુ સ્મશાનના નિયમે તેણે ફીની માંગણી કરી બેવશ પત્ની રડવા લાગી પણ રાજા સત્યવાદી હતો પોતાની પત્નીની વિનંતીનો તે સ્વીકાર કરી ન શક્યો લાચાર પત્ની જયારે જવા લાગી તો ચાંડાલ ત્યાં ઉપસ્થિત થયો અને સાથે વિશ્વામિત્ર પણ આવ્યા ,ચાંડાલ ધર્મ હતા,સહુએ કહ્યું આ તો ફક્ત તમારી પરીક્ષા હતી તેમાં તમે પાર ઉતર્યા,દેવોની ઉપસ્થિતિમાં સતના પ્રભાવે તેમનો પુત્ર સજીવન થયો સહુએ રાજા હરિશ્ચંદ્રને સ્વર્ગમાં  આવવા આમંત્રણ આપ્યું પણ તેણે ના સ્વીકાર્યું એટલે વિશ્વામિત્રે તેમનું બધુજ પાછું આપ્યું અને રાજાએ પોતાના લોકોની  ખુશી સાથે સુખેથી પત્ની પુત્ર સાથે રાજ્ય કર્યું.
રાજા હરિશ્ચંદ્ર પર ભારતમાં ૧૯૧૩માં પહેલી અબોલી (સાઇલન્ટ) શોર્ટ ફિલ્મ બની.

(એક પબ્લિશ હિન્દી લેખના આધારે )
જય શ્રી કૃષ્ણ.

Sunday, April 26, 2020

અખાત્રીજ


અખાત્રીજ






અખાત્રીજની સહુ વાચક મિત્રોને શુભેચ્છાઓ
કેટલુંક આ વિષય વિષે .


અક્ષયતૃતીયા  ( અખાત્રીજ )  નું મહત્વ શુ છે ?વૈશાખ સુદ ત્રીજ  અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે

 .. ૧ અક્ષય તૃતીયા નાં  દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં      શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.

.. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

..૩   આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ  વિ કરવું જોઈએ

..૪  અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું  આરંભ કરેલ

.. ૫  અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ

.. ૬  અક્ષયતૃતીયાનાં દિવસે સતયુગ અને તેત્રાયુગ નો આરંભ થયેલ..

.. ૭  અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે  અખૂટ ભોજન થી ભરપુર રહેતું.

.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ.

..૯  અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા

.. ૧૦  અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે,

..૧૧  અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે

..૧૨   અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા

..૧૩   અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ.

.. ૧૪  અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.

..૧૫  અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત  બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય          મંદિરોનાં દ્વાર ખૂલે છે.

..૧૬  અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ  થયેલ.

..17  બ્રહ્મા જી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

..૧૮    અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે,

સનાતન (હિન્દુ)  ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય  મૂહુર્ત  માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે -  જેનો ક્ષય કે નાશ ન થાય.                  માટે આ દિવસે દાન પુણ્ય વગેરે શુભ કાર્ય કરવા.

🌷ગુરુ ચરણ માં દંડવત પ્રણામ🌷
જય શ્રી કૃષ્ણ ( એક પબ્લિશ લેખ.)

Thursday, April 2, 2020

રામનવમી

રામનવમી 

ચૈત્ર સુદ નોમ,ચૈત્રી નવરાત્રનો નવમો દિવસ, મર્યાદા પુરુસોત્તમ શ્રી રામનો જન્મ દિવસ ત્રેતાયુગમાં રાવણના અત્યાચારો વધતા ધર્મની ફરી સ્થાપના કરવા વિષ્ણુ ભગવાને શ્રીરામના રૂપમાં અવતાર લઇ રાવણને મારી પૃથ્વીનો ભાર હર્યો હતો તેવા શ્રી રામના જન્મ દિવસની આપ સહુને શુભેચ્છા,ધરતી ઉપર છવાયેલું કોવિદ -૧૯ નું ઘેરું વાદળ ઝડપથી દૂર થઇ માનવજાતિમાં રાહત થાય તેવી પ્રભુ પાસે તેમના જન્મ દિવસે પ્રાર્થના કરીએ,સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી સહકાર આપી સલામત રહીયે.


જય શ્રી રામ.

Wednesday, March 25, 2020

ભગવતી વિન્ધ્યવાસિની

ભગવતી વિન્ધ્યવાસિની




ભગવતી વિન્ધ્યવાસિની આદ્ય મહાશક્તિ છે.તેમનું કાયમનું નિવાસસ્થાન વિંધ્યાચલ છે.જગદંબાની કાયમની ઉપસ્થિતિમાં વિંધ્યગીરીને જાગૃત શક્તિપીઠ બનાવી દીધું છે.મહાભારતના વિરાટ પર્વમાં ધર્મરાજા યુધિષ્ઠિર દેવીની પ્રાર્થના કરતા કહે છે હે માતા !  પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યાચલ પર તમો સદા બેઠેલા છો.પદ્મપુરાણમાં વિંધ્યાચલનિવાસીની આ મહાશક્તિને વિન્ધ્યવાસિની ના નામથી સંબોધિત કર્યા છે.
શ્રીમદ્ભાગવતના દશમાં સ્કંધમાં
કથા આવે છે સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ જયારે સહુથી પહેલા પોતાના માંથી  સ્વયંભૂ  મનુ અને શતરૃપાને ઉત્તપન્ન કર્યા.ત્યારે વિવાહ પછી સ્વયંભૂ મનુને પોતાના હાથથી દેવીની મૂર્તિ બનાવી સો વર્ષ સુધી કઠોર તપષ્યા કરી તેનાથી દેવીએ પ્રસન્ન થઇ તેને નિષ્કંતક રાજ્ય,વંશવૃદ્ધિ તેમ જ પરમપદ મળે તેવા આશીર્વાદ આપ્યા.વરદાન આપ્યા પછી મહાદેવી વિધ્યાચલ પર્વત પર જતા રહ્યા.એનાથી સાબિત થાય છે કે સૃષ્ટિના પ્રારંભથી જ વિન્ધ્યવાસિનીની પુંજા થતી રહી છે.સૃષ્ટિનો વિસ્તાર     દેવીના  આશીર્વાદથી થયો છે.
ત્રેતા યુગમાં શ્રી રામચંદ્ર સીતાજી સાથે વિંધ્યાચલ આવ્યા હતા.મર્યાદા પુરુસોત્તમ શ્રી રામ દ્વારા સ્થાપિત રામેશ્વર મહાદેવ થી આ શક્તિપીઠનું મહત્વ ખુબ વધી ગયું.દ્વાપર યુગમાં મથુરાના રાજા કંસે પોતાની બહેન દેવકી અને વાસુદેવને જેલમાં બંધ કર્યા અને તેમની સંતાનોનો રાજા  વધ કરવા લાગ્યો.ત્યારે વાસુદેવના કુલપુરોહિત ગર્ગ ઋષિએ કંસના વધ તેમ જ શ્રી કૃષ્ણાવતાર માટે વિંધ્યાચલમાં લક્ષ્યચંડી અનુષ્ઠાન કરી દેવીને પ્રસન્ન કર્યા તેનાથી પ્રભાવિત તેમણે નંદરાયજીને ત્યાં અવતાર લીધો.

માર્કેડપુરાણ દેવી ભાગવત માહાત્મ્યના અગિયારમા અધ્યાયમાં દેવતાઓના અનુરોધ પર ભગવતી તેમને આશ્વશ્ત કરતા કહે છે દેવતાઓ વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમાં યુગમાં શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે મહા રાક્ષસો ઉત્તપન્ન થશે.ત્યારે હું નંદગોપના ઘરમાં તેની  પત્ની  યશોદાના ગર્ભમાં અવતરિત થઇ વિંધ્યાચલમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ.
લક્ષ્મીતંત્ર નામના ગ્રંથમાં પણ દેવીનું ઉપરનું વચન શબ્દે શબ્દ મળતું આવે છે.વ્રજમાં નંદગોપને ત્યાં ઉત્તપન્ન મહાલક્ષ્મીનો અંશભૂત કન્યાને નંદા નામ અપાયું મૂર્તિ રહસ્યમાં ઋષિ કહે છે નંદને ત્યાં નંદા નામની ઉત્તપન્ન થયેલી દેવીની જો ભક્તિપૂર્વક સ્તુતિ અને પુંજા કરવામાં આવે તો તે ત્રણે લોકોને ઉપાસકને આધીન કરે છે.   
શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખ્યાનમા એ વર્ણન કર્યું છે કે દેવકીનું આઠમું સંતાન શ્રી કૃષ્ણને વાસુદેવજીએ કંસના ભયથી રાતોરાત યમુનાજીના પાર ગોકુળમાં નંદજીના ઘેર પહોંચાડી ત્યાંથી યશોધરાના ગર્ભથી જન્મેલી પુત્રી has ભગવાનની શક્તિ યોગમાયાને ચુપચાપ મથુરા લઇ આવ્યા.
 આઠમા જન્મના સમાચારે કંસજેલમાં આવ્યો તેણે તે કન્યાને જેવી પથ્થર પર પટકી મારવા ગયો તો તે તેના હાથમાંથી છૂટીને આકાશમાં જતી રહી  અને તેણે તેનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું કંસને વધની ભવિષ્યવાણી કરીને તે વિંધ્યાચલ  જતી રહી.

પ્રધાન મંત્રીના આદેશનું પાલન કરી આ દુનિયાની મહામારી કોરોના સામે જીત મેળવીએ એવી અભિલાષા સાથે આપ તેમજ આપના કુટુંબીજનો ઉપર ચૈત્રી નવરાત્રના પ્રથમ દિવસે માતાજીની કૃપા થાય તેવી  શુભ કામના.

ચૈત્ર નવરાત્રના પ્રથમ દિવસે સહુ ભક્તોને માતા કૃપા કરે 
બોલો માં વિન્ધ્યવાસિની જય 

Sunday, March 8, 2020

શ્રીનાથજી નાથદ્વારા મંદિર

શ્રીનાથજી નાથદ્વારા મંદિર


નાથદ્વારા શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની મુખ્ય પીઠ છે જ્યાં ભગવાન શ્રીનાથજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.પ્રભુ શ્રીજીનું  પ્રાગટ્ય વ્રજના ગોવર્ધન પર્વત ઉપર જતીપુરા ગામની નજીક થયું હતું.મહાપ્રભુ વલ્લભાચાર્યએ  અહીં મંદિરનું નિર્વાણ કરાવીને સેવા ની શરૂઆત કરી હતી.ભારતના મોગલકાળના શાસક અકબરથી માંડીને ઔરંગઝેબ સુધીનો ઇતિહાસ પુષ્ટિ સંપ્રદાયના ઇતિહાસની ની સમાંતરે ચાલતો રહ્યો.સમ્રાટ અકબરને સંપ્રદાયની ભાવનાઓનોસ્વીકાર કર્યો હતો.મંદિરના ગોસાઈ શ્રી વિઠ્ઠલદાસજીનાસમયે સમ્રાટની
બેગમ બીબી તાજતું શ્રીનાથજીની પરમ ભક્ત હતી.તાનસેન,બીરબલ ,ટોડરમલ પુષ્ટિમાર્ગના ઉપાસક રહ્યા હતા.નાથદ્વારામાં શ્રીનાથજીના આઠ દર્શન થાય છે.શયનના દર્શન ગરમીના દિવસોમાં  જ થાય છે.બાકી દિવસોમાં શયનના દર્શન નથી ખુલતા. એમ તો શ્રીનાથજીના બધા દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.પણ ભોગ અને આરતીના દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.લોકો મંગળાના દર્શનમાં વધારે આવે છે.ભોગ ,આરતી અને મંગળાના દર્શન અને શૃંગાર મનમોહક થાય છે.શ્રીનાથજીનું મંદિર ખુબ જ મોટું છે.મંદિરના પ્રવેશ માટે ત્રણ દરવાજા છે. મુખ્ય દરવાજાનું નામ મોતીમહેલ છે.મોતીમહેલ સામી બાજુ મોટો દરવાજો છે જે ચોપાટી બાજુ ખુલે છે ચોપાટીને નાથદ્વારાની હૃદયસ્થલી પણ કહે છે.દરવાજાની અંદર એક મોટો ચોક  છે.જેને મોતીમહેલ કહે છે.મોતીમહેલની વચ્ચે એક ફુવારો છે.મોટીમહેલ પસાર કરીને એક આરસપહાણની ગલીમાં થઇ શ્રી લાલન સુધી જવાય છે. શ્રી લાલન શ્રીનાથજીનું બાલસ્વરૂપ છે.ત્યાં લાલનના દર્શન કરી શકાય છે.શ્રીનાથજીનું બીજો દરવાજો નકારખાના કહેવાય છે.તે પણ ખુબ મોટો છે.અહીં દર્શનોના સમયે નગારા અને શરણાઈ વાગતા રહે છે.અને તેને વગાડનારાઓ દરવાજાની ઉપર બેસે છે.એ દરવાજો દર્શન માટે રાહ જોવાના ચોકમાં જાય છે.ચોકમાં માણસોને ઉભા રહેવાની વ્યવસ્થા છે.સ્ત્રીઓ માટે બાજુમાં જ એક મોટો ચોક છે.જેનું નામ કમલ ચોક છે.તે આખો આરસપહાણથી જડ્યો છે.ત્રીજો દરવાજો પ્રિતમપોલ કહેવાય છે.જે નાનોદરવાજો છે તે દરવાજાની બહારની બાજુ વિઠ્ઠલનાથજીનું મંદિર છે.તે દરવાજાની અંદર જતા તે ગલીમાં નાના રસ્તા ઉપર સીધો કમાલચોક સુધી જાય છે.કમાલચોકથી સ્ત્રીઓ દર્શન કરવા જાય છે.દર્શનમાં મુખ્ય ચોકમાં શ્રીનાથજીના દર્શન કરી શકાય છે.જોકે ત્યાં પણ ખુબ ભીડ રહે છે.ધક્કામુક્કી પણ ખુબ થાય છે.ત્યાં કેટલાક માણસો ઉભા રહે છે.તેઓ લોકોને કપડાથી ધીરે ધીરે મારીને આગળ વધવા પ્રેરે છે.શ્રીનાથજીની કાળા રંગની આરસપહાણની ખુબજ સુંદર પ્રતિમા છે.જેના મોઢાની નીચે તોડીમાં એક મોટો હીરો જડેલો છે.શ્રીનાથજીના દરેક દર્શનના શૃંગાર જુદા જુદા હોય છે.
દરેક શૃંગાર માટે નવા કપડાં બનાવાય છે.એના માટે નકારખાના દરવાજામાં દરજી ખાનું છે જ્યાં કપડાં સીવવાનું કામ થાય  છે.તેની નીચે માણસો માટે દર્શનની રાહ જોવાનો ચોક છે.તે ચોકમાં બાજુમાં દૂધ વગેરે લઈને લોકો બેઠેલા હોય છે જે પૈસા લઈને શ્રીનાથજી માટે દૂધ વગેરે આપે છે.તે નજીકમાંજ શ્રીનાથજીની સેવા માટે જમા થાય છે.શ્રીનાથજીનું દર્શન કરીને કોણ ભાવ વિભોર ન થાય.કમાલચોકની પૂર્વ બાજુ શ્રીનાથજીનો પ્રસાદ મળે છે.તે પ્રસાદ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.તે આખા ભારતમાં પ્રસિદ્ધ છે કહેવાય છે શ્રીનાથજીનો પ્રસાદ ભેટ કરવાથી સારા સારા કામો પાર પડે છે

શ્રીનાથજીબાવાની જય,જય શ્રી કૃષ્ણ.

(એક રિપોર્ટના આધારે )


Saturday, February 15, 2020

ૐ નું નિશાન અને મહત્વ

ૐ નું  નિશાન ઉદ્ભવવું



વાચક મિત્રો,મારી ઈ- મેઈલ મેં 'ૐ પેઇન્ટિંગ 'ના નામે રાખ્યા બાદ કેટલાક વખત પછી મારા જમણા હાથના અંગુઠા અને પહેલી આંગળી વચ્ચેના હથેળીના ભાગે ૐ આકારનું ચિન્હ ઉપસ્થિત થયું જે આજે પણ છે હવે ૭૨ વર્ષ પુરા થયે મને એમ લાગ્યું કે આ વસ્તુ પબ્લિશ કરવી જરૂરી છે એટલે જાહેર કરી છે બીજો કોઈ હેતુ નથી,ભગવાનને માનવું અને માનવતાના ધર્મે ચાલવું આ કળિયુગમાં ખુબ જરૂરી છે.

હિન્દુત્વ માં ૐ એક ખુબ જ અગત્યનું  પવિત્ર નિશાન છે,તે આત્મા અને બ્રહ્મ નું કોઈ અગત્યનું સંધાણ છે જેને શ્રીમદ ભગવતગીતામાં ઓમકારને એકાક્ષર બ્રહ્મ કહ્યો છે.હિન્દુત્વ,બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં બધે જ શ્રદ્ધાનો ભાવ  છે ૐકાર એ પ્રણવ મંત્ર છે.ધર્મ શાસ્ત્રો,પુરાણોમાં ઓમકારનો મહિમા સર્વત્ર જોવા મળે છે.યોગી સંપ્રદાયમાં ૐકારસાધના નો ક્રમ પ્રચલિત છે.ૐ ત્રણ શબ્દો અ,ઉ,મ મળીને બને છે જે ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ તથા ત્રિલોક ભૂર્ભુવઃસ્વ: ભૂલોક,ભૂવઃલોક તથા સ્વર્ગ લોકનું પ્રતીક છે.

પદ્માશનમાં બેસી તેનો જપ કરવાથી મનને શાંતિ તથા એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે.કેટલીય બીમારીથી રક્ષણ  થાય છે તથા શરીરના સાત ચક્ર (કુંડલિની ) ને જાગૃત કરે છે.તેના ઉચ્ચાર સાથે શરીરનો ત્યાગ થાય તો તે પરમ ગતિને મેળવે છે.તે બ્રહ્માંડનો નાદ  છે.

ૐ નું જીવનમાં ખુબ જ મહત્વ છે.ગીતામાં પણ ૐકારના જપનું વિધાન છે.તેના હજારો અર્થ છે.તેમાં એક આ છે -પરમાત્માનું આહ્વાન કરવું.આ વેદોનો બીજભૂત મહામંત્ર છે,સાક્ષાત બ્રહ્મ છે.વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ‘ ૐ ૐ ‘ એવો ઉચ્ચારણ કરવા માત્રથી પ્રાણોની ઉધર્વગતિ સ્વયંમેવ થવા લાગે છે તેમાં પ્રાણોની ઉધર્વગતિ કરવાની અદભુત ક્ષમતા છે તેને સાક્ષાત બ્રહ્મ માનવામાં આવે છે.એટલે આપે જોયું હશે કે કેટલાય ચિત્રકારોએ ૐ ની અંદર જ ભગવાનનું ચિત્ર બનાવ્યું છે.

ૐ છે જીવન અમારું,ૐ પ્રાણાધાર છે.
ૐ છે કર્તા,વિધાતા,ૐ પાલનહાર  છે.
ૐ છે દુઃખોનો વિનાશક,ૐ સર્વદાનંદ છે.
ૐ છે બળ તેજધારી,ૐ કરુણા કંદ છે.
ૐ બધાનો પૂજ્ય છે,અમે ૐનું પૂજન કરીએ.
ૐ નાજ ધ્યાનથી અમે શુદ્ધ આપણું મન કરીએ.
ૐનો ગુરુમંત્ર જપવાથી રહેશે આપણું શુદ્ધ મન.
બુદ્ધિ રોજ વધશે અને ધર્મમાં વધશે ખુબ લગન.
ૐના જપથી અમારું જ્ઞાન ખુબ વધતું જશે.
અંતમાં આ ૐ અમને મુક્તિ સુધી પહોંચાડશે.

ૐકાર મંત્ર 

ૐકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીન: l
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમઃ ll 




આભાર-જય શ્રી કૃષ્ણ.

Friday, February 14, 2020

ભીમનાથ મહાદેવ

ભીમનાથ મહાદેવ


+

ધંધુકાથી ભાવનગર વચ્ચે ભીમનાથ મહાદેવનું સ્થાન આવેલું છે આશરે ૫૫૦૦ વર્ષો પહેલા  બાર વર્ષના ગુપ્તવાસ દરમ્યાન પાંડવો હેડંબાના વનમાં હતા ત્યાં આઠ દિવસના ઉપવાસ સાથે તેઓ નીલમ નદીને કિનારે આવ્યા કુંતા માતા અને  દ્રૌપદી પણ સાથે હતા અર્જુનનો નિયમ હતો મહાદેવના દર્શન કર્યા વગર જમવું નહિ અને ભીમથી ભૂખ્યું રહેવાય નહિ એટલે મોકો શોધ્યા કરે એમાં ફરતા ફરતા લોટો લઈને બધાથી જુદો
ગયો અને કેહતો ગયો ‘હું આવું છું’અને બધા તેની રાહ જોતા રોકાયા થોડી વારમાં તે પાછો આવ્યો અને કહ્યું અહીંથી થોડે દૂર શિવજીનું સ્થાન મળ્યું અને બધાને ત્યાં લઇ ગયો બધાએ પાંદડા ચઢાવેલા હતા એટલે અર્જુનને આગળ કરી નમસ્કાર કરી શિવજીની પ્રાર્થના કરી ખાધું અને ખાધા પછી ભીમ બોલ્યો ‘અર્જુન આ શિવ નથી આ તો મને ભૂખ લાગી હતી એટલે પથ્થર ઉપર લોટો મૂકી મેં પાંદડાનો ઢગલો કર્યો હતો ‘અને બધા જોતા રહ્યા અને ભીમ પાંદડા ખસેડવા ગયો અને ત્યાં બધાની નવાઈ વચ્ચે ભીમ તે પથ્થર ખસેડી ન શક્યો અને દૂધની ધારા સાથે શિવલિંગ પ્રગટ્યું અને જેમાં અર્જુનની ભક્તિનો મહિમા સમાયેલો હતો ભીમના નામે નામ પડ્યું ભીમનાથ મહાદેવ.

બીજી એક પૌરાણિક કથા આ પ્રમાણે છે તે સમયમાં રાક્ષસોની હેરાનગતિ વધી જતા સત્તાના ઉપરીને લોકોએ  સતત ફરિયાદ કરી પણ વૈભવમાં મગ્ન ઇન્દ્રે ક્યાં તો ભોગ વિલાસમાં ધ્યાન ન આપ્યું કે રાક્ષસોની તાકાત ખુબ હતી એટલે યુદ્ધથી બચવા ધ્યાન ન આપ્યું એટલે  લોકોએ દુર્વાશા ઋષિ ને ફરિયાદ કરી દુર્વાશા ઋષિએ બધાને શાંત કરી તે વિષે તુરંત પગલું ભર્યું અને તે પ્રાંતના ઉપરી એટલે ઇન્દ્ર પાસે ગયા
જ્યાં નૃત્યાંગનાઓ સતત વૈભવશાળી નૃત્યથી રાજા ઇન્દ્રને રીઝવતી  હતી અને ઇન્દ્ર ભોગ વિલાસમાં હતો.દુર્વાશા ઋષિ એટલે પ્રચંડ અગ્નિનું રૂપ  તેમને જોઈ બધા ડરવા લાગ્યા જયારે,
 'ક્યાં છે ઇન્દ્ર' નું ફરમાન થયું ત્યારે કોઈ કારણ સર  એક નૃત્યાંગનાના  હાથની કોણી દુર્વાશા ઋષિને અડી ગઈ ઋષિ ક્રોધે ભરાયા અને બોલ્યા,
'સામે કોણ છે તેનું પણ ભાન નથી ,જા,હું તને શ્રાપ આપું છું તું પૃથ્વી ઉપર ઘોડી થઇ જા 'અને નૃત્યાંગનાએ કહ્યું,
' પ્રભુ આમાં મારો વાંક નથી હું તો મારી ફરજ બજાવતી હતી નૃત્ય કરવાનું મારુ કામ હતું,થોડું આપે પણ ધ્યાન રાખવું જરૂરી હતું.'દુર્વાશા ઋષિ નૃત્યાંગનાની પ્રાર્થનાથી શાંત થયા પણ બોલ્યા,
 'શ્રાપ તો દેવાઈ ગયો તે મિથ્યા ન થઇ શકે પણ નિવારણ માટે જયારે સાડા ત્રણ વ્રજ ભેગા થશે ત્યારે તું ફરીથી અહીં આવી જઈશ.' અને  હસ્તિનાપુરમાં નદીના વિસ્તારમાં તે ઘોડી થઈને ઉતરી. તેનું આકર્ષણ એટલું વધ્યું કે ચરવા આવતા રાજાના ઘોડા ચરવાનું છોડીને સામે કિનારે જોયા કરતા રાજાના માણસોએ. રાજાને ફરિયાદ કરી રાજાએ આકર્ષિત ઘોડીના વિષયમાં બારીકાઈથી વિચારવાનું શરુ કર્યું અને તે ઘોડીને પોતાના તબેલામાં લઇ આવ્યો પણ વાત એવી ઘટી કે તે ઘોડી રાત્રે એક સુંદર સ્ત્રી બની ગઈ અને રાજાની નજર પડતા પૂછયું ,
'તું કોણ છે' તો તેણે પોતાની કહાની સવિસ્તાર સંભળાવી રાજાએ તેને અભયવચન આપ્યું અને કહ્યું ,
'તું અહીં સુરક્ષિત છે હું તારું જાન આપીને પણ રક્ષણ કરીશ.'ત્યાર પછી એક દિવસ વનમાં કૃષ્ણના પૌત્ર પ્રદ્યુમ્ન  ની નજર ઘોડી પર પડી તપાસ કરતા ખબર પડી કે તે ઘોડી રાજા શાંદુલના કબ્જામાં હતી.તેણે ઘોડી મેળવવાનો નિર્ણય કરી પોતાના દાદાને વાત કહી બીજે દિવસે રાજા શાંદુલ ઉપર દ્વારકાથી ફરમાન આવ્યું કે 'ક્યાં તો ઘોડી આપો અથવા યુદ્ધ કરો.'રાજા ખુબજ વિમાસણમાં પડ્યા તે એક ખંડિયા રાજા હતો તેની કૃષ્ણ સામે કોઈ તાકાત નહતી અને ઘોડીના રૂપમાં અપ્સરાને રક્ષણનું અભય વચન આપ્યું હતું તેણે હસ્તિનાપુરમાં જઈ પોતાની વાત કહી હસ્તિનાપુર નો તે ખંડીયો રાજા હતો એટલે હસ્તિનાપુરની ફરજ હતી કે તેને રક્ષણ આપે પણ કૃષ્ણ પાંડવોનું સર્વસ્વ હતા એટલે તેને રક્ષણ ન મળ્યું રાજાએ નિરાશ થઇ આત્મઘાત કરવાનો નિર્ણય કર્યો અને ચિતા સળગાવી ઉપર ચઢ્યો એટલામાં બાળક પરીક્ષિત નદીમાં સ્નાન કરવા આવ્યો તેની નજર પડી તેણે તેને ચિતા પરથી ઉતારી કારણ પૂછ્યું રાજાએ પોતાની વાત કહી બાળકે તેને કહ્યું,
 'હું ક્ષત્રીયનો દીકરો  છું તારું રક્ષણ અમારી જવાબદારી છે હવે યુદ્ધ કરવું પડે તો તે પણ થશે' તેમ કહી તે તેની સાથે બેસી ગયો ઘણી વાર થવાથી ધર્મરાજાને ચિતા થઇ કે કુમાર નદી કિનારેથી હજુ કેમ ન આવ્યો એટલે ભીમસેન ને તપાસ કરવા મોકલ્યો જયારે  ભીમસેન નદી કિનારે આવ્યો હકીકતની ખબર પડી અને કુમારના આદેશથી તે પણ ત્યાં બેસી ગયો ધર્મ રાજાએ એક પછી એક સહુ ભાઈઓને મોકલ્યા અને છેવટે જાતે આવી વાત જાણી જે સાચું હોય તે કરાય પછી તે ગમે તે હોય,  એટલે રાજાને રક્ષણ આપવાનું નક્કી થયું ,શ્રી કૃષ્ણને સંદેશ મોકલાવાયો શ્રીકૃષ્ણએ પણ કોઈ મચક ન આપી હવે યુદ્ધ થાય તો શ્રીકૃષ્ણના સુદર્શન સામે તાકાત ધરાવતું કોઈ શસ્ત્ર ન હોવાથી  ધર્મરાજાને ચિંતા થઇ એટલે ભીમસેન આગળ આવ્યો અને કહ્યું કે હું મહાદેવને પ્રસન્ન કરી મહાદેવનું ત્રિશુલ એક રાતમાં લઇ આવું અને બીજો કોઈ ઉપાય ન હોવાથી ધર્મરાજાએ તેને પરવાનગી આપી અને મહાદેવનું લિંગ બનાવી પૂજા કરી મહાદેવનું કઠોર તપ કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા વરદાનમાં તેણે ત્રિશુલ થોડા સમય માંગ્યું મહાદેવજી એ તે આપ્યું અને અદ્રશ્ય થયા.યુદ્ધ થયું એટલે શ્રી કૃષ્ણે સુદર્શન ચલાવ્યું તો સામે ભીમસેને ધર્મરાજની આજ્ઞા લઇ ત્રિશુલ છોડ્યું બે વ્રજ ભેગા થયા એટલે હાહાકાર મચ્યો બંને પક્ષને ભેગા થવું પડ્યું અને નિકાલ માટેનો નિર્ણય લેવાયો હવે બે વ્રજને નીચે કેવી રીતે લાવવા શ્રી કૃષ્ણે રથની ધજા ઉપર બિરાજતા હનુમાનજીને વિનંતી કરી  હનુમાનજી  નીચે આવ્યા પણ કહ્યું ,
'હું બંનેને નીચે તો લાવું પણ મારે બે વ્રજ સાથે ઉભા ક્યાં રહેવું ?'ત્યાં ભીમસેન આગળ આવ્યો અને કહ્યું મારા અડધા અંગ ઉપર અને સમાધાન થયું હનુમાનજી બે વ્રજ સાથે ભીમસેન ઉપર ઉતર્યા પણ જ્યા સાડા
ત્રણ વ્રજ ભેગા થયા ત્યાં ઘોડીમાંથી સુંદર અપ્સરા થઇ ગઈ તેના શ્રાપનું નિવારણ થતા તે સ્વર્ગમાં જતી રહી અને ભીમસેને કરેલી તપશ્ચર્યાથી શિવલિંગનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું.


હર હર મહાદેવ






Saturday, February 1, 2020

નવધા ભક્તિ ( ભજન )

નવધા ભક્તિ ( ભજન )



પ્રથમ ભક્તિ સંતન કર સંગા,દૂસરી ભક્તિમય કથા પ્રસંગા
બાલ વયસે ભક્તિ કરે (૨) તો તો તીરથ વ્રત ઉનકી આશા કરે કબ આવે હરિકો દાસ
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને શીખવો વચનનો વિશ્વાસ
સદગુરુ ને પૂછીને ,..પગલાં ભરવા ને થઈને રહેવું ગુરુના દાસ ......
ભાઈ રે ,રંગ રૂપમાં બહુ રમવું નહિ ને રે,કરવો ભજનનો અભ્યાસ (૨)
સદગુરુ ને સંગે ,એ નિર્મલ રહેવુંને (૨) તજી દેવી ફળની આશ
નવધા ભક્તિમાં .........
દાતા ભક્તિમાં,દાતાનો ભોક્તા,હરિ એમ કહેવું ,રાખવું નિર્મલ જ્ઞાન રે (૨)
સદગુરુ ચરણોમાં શીશ નમાવી(૨) ધાવું ગુરુજીનું ધ્યાન રે
એ...અભ્યાસીને એવી રીતે રહેવું રે,જાણવો વચનનો  મર્મ રે..
ગંગા સતી બોલ્યાને રે (૨) છોડી દેવા આસુરી કર્મ (૨)
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને પાનબાઈ (૨)શીખવો વચનનો વિશ્વાસ રે ....

જય શ્રી કૃષ્ણ 

Friday, January 17, 2020

ફૂલ કહે ભમરાને


ફૂલ કહે  ભમરાને(ભજન) 




ફૂલ કહે  ભમરાને ભમરા વાત વહે વનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં (૨)
કાલિન્દીના જળ પર ઝૂકી પૂછે કદંબડાળી(૨) યાદ તને બેસી અહીં વાતા‘તા વનમાળી
લહર વમળને કહે,વમળ એ વાત સ્પરે સ્પન્દમાં, માધવ ક્યાંય ..........
કોઈ ન માંગે દાણ,કોઈની આણ ન વાતે ફરતી (૨) હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી
નંદ કહે જશુમતીને,માતા વ્હાલ ઝરે લોચનમાં,માધવ ક્યાંય..........
શિર પર ગોરસ મટુકી,મારી વાત ન કેમે ખૂટી (૨) અબ લગ કંકર એક ન લાગ્યો,ગયા ભાગ્ય મુજ ફૂટી
કાળજ કહે આંખોને,આંખો વાત વહે અંશુવનમાં, માધવ ક્યાંય .........
ફૂલ કહે ભમરાને ભમરા વાત વહે છે વનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં,માધવ ક્યાંય..........


જય શ્રી કૃષ્ણ.