Saturday, May 16, 2020

રાધે કૃષ્ણ

રાધે કૃષ્ણ 



આ એક કાલ્પનિક વાર્તા છે અને દિલની ઊંડાઈને સ્પર્શ કરનારી,એક વાર સ્વર્ગમાં વિચરણ કરતા કરતા શ્રી કૃષ્ણ અને રાધા એક બીજાની સામે આવી ગયા,કૃષ્ણ સ્તબ્ધ,રાધાએ સ્માઈલ કર્યું,,વિચલિત શ્રી કૃષ્ણ, પ્રસન્ન ચિત્ત રાધા,તે પહેલા કે શ્રી  કૃષ્ણ કઈ કહે રાધા બોલી,
'કેમ છો દ્વારિકાધીશ' જે રાધા તેમને કાના કાના કહીને બોલાવતી હતી,તેના મોઢે દ્વારિકાધીશનું સંબોધન,કૃષ્ણને અંદર સુધી ઘાયલ કરી ગયું,છતાં પણ કોઈ પણ રીતે તેમણે તેમને સંભાર્યા,રાધાને કહ્યું 'હું તારા માટે પહેલા તો કાના છું તું તો મને દ્વારિકાધીશ ન કહે,આવ , બેસીએ,કૈક હું કહું,કૈક તું તારું સંભળાવ,સાચું કહું રાધા જયારે જયારે તારી યાદ આવતી હતી,આ આખોથી આંસુઓની બૂંદો નીકળી આવતી હતી, 'રાધાએ કહ્યું,
'મારી સાથે એવું કઈ જ નથી થયું,ન તમારી યાદ આવી ન આખોથી આસું વહ્યા,કેમકે હું તને ભૂલી ક્યાં હતી,જો તું યાદ આવે,આ આંખોમાં તો કાયમ તમે જ હતા,ક્યાંક આસુંઓની સાથે નીકળી ન જાવ,એટલે રડતી પણ ન હતી,કાના,પ્રેમથી અલગ થઈને તે શું ખોયું,એનું એક પ્રતિબિંબ બતાવું તને,કેટલુંક કડવું સત્ય સાંભળી શકો તો સંભળાવું,ક્યારેય વિચાર્યું છે !,આ પ્રગતિમાં તમે કેટલા ખોવાઈ ગયા,યમુનાના મીઠા પાણીથી જીવનની શરૂઆત કરી,અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા,એક આંગળી ઉપર ચાલતા સુદર્શન ઉપર ભરોષો કરી લીધો,અને દશ આંગળીયો પર ચાલનારી બંસરીને ભૂલી ગયા ?,કાના,જયારે તમે પ્રેમથી જોડાયેલા હતા તો જે આંગળીયો ગોવર્ધન પર્વત ઉઠાવતી હતી, પ્રેમથી અલગ થવાથી તેજ આંગળીયો કેવા કેવા રંગ દેખાડવા લાગી,સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશના કામમાં આવવા લાગી,કાના અને દ્વારકાધીશમાં શું અંતર હોય છે,બતાવું,કાના હોતા તો તમે સુદામાને ઘેર જતા,સુદામા તમારે ઘેર ન આવતા,યુદ્ધમાં અને પ્રેમમાં આજ ફર્ક હોય છે યુદ્ધમાં પોતાને મટાવીને જીતે છે અને પ્રેમમાં જાતે મિટાઈને જીતે છે.કાના, પ્રેમમાં ડૂબેલો માણસ જીવતો તો રહી શકે છે,પણ કોઈને દુઃખી નથી કરી શકતો,તમો તો કેટલીય કલાઓના સ્વામી છો,સ્વપ્ન દૂર દ્રષ્ટા છો,ગીતા જેવા ગ્રંથના દાતા છો,પણ તમે આ શુ નિર્ણય લીધો,તમે તમારી આખી સેના કૌરવોને આપી દીધી અને પોતની જાતે પાંડવો સાથે થયા,સેના તો તમારી પ્રજા હતી,રાજા તો પાલક હોય છે,તેમનો રક્ષક હોય છે,તમારા જેવા મહાન જ્ઞાની તે રથને ચલાવી રહ્યા હતા,જેની ઉપર બેઠેલો અર્જુન તમારી પ્રજાને જ મારી રહ્યો હતો,તમારી પ્રજાને મરતી જોઈને તમારામાં દયા ન આવી,કેમકે તમો પ્રેમથી શૂન્ય થઇ ગયા હતા,આજે પણ ધરતી પર જઈને જુઓ,
તમારી દ્વારિકાધીશવાળી છબીને શોધતા રહી જશો,દરેક જગ્યાએ દરેક મંદિરમાં મારી જ સાથે ઉભેલા દેખાશો.હું જાણું છું કાના,લોકો ગીતાના જ્ઞાનની વાતો કરે છે,તેના મહત્વની વાત કરે છે,પણ દુનિયાના લોકો યુદ્ધવાળા દ્વારિકાધીશ ઉપર નહિ,પ્રેમવાળા કાના પર ભરોષો કરે છે.ગીતામાં મારુ દૂર દૂર સુધી નામ નથી,પણ આજે પણ લોકો તેમના સમાપન ઉપર 'રાધે રાધે' કહે છે,'
આ વાર્તા કાલ્પનિક જરૂર છે,પણ તેની અંદર છુપાયેલી શિખામણ ખુબ અગત્યની છે,શ્રીકૃષ્ણની પાસે ક્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર ન હોય,એવું તો થઇ જ ન શકે,પરંતુ રાધા દ્વારા લગાવેલા પ્રશ્નચિન્હો પર કાના મૌન રહ્યા.એજ છે પ્રેમમાં સમર્પણ નો ભાવ,પરાક્રમમાં આપણે દરેક વ્યક્તિને હરાવવા ના હોય છે,ત્યરે પણ આપણે જીતીને હારી જઇયે છીએ,પરંતુ પ્રેમમાં,એક જ કેટલાયનો પ્રેમ જીતી લે છે,સાચું કહ્યું છે,કે નાની એવી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડનાર ભગવાન શ્રીકૃષ્ણ નાની એવી વાંસળીને બંને  હાથોથી  પકડતા હતા.ફરી મળીશું દોસ્તો બીજી વાર્તા સાથે ત્યાં સુધી આપનો ખ્યાલ રાખશો.અને હંમેશા હસતા રહેશો,રાધે કૃષ્ણ.
લેખક-પવન દત્તા
(પબ્લિશ હિન્દી વાર્તાનો અનુવાદ.)
જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment