Tuesday, July 31, 2018

સમુદ્ર મંથન

સમુદ્ર મંથન 

Image result for samudra manthan

જયારે દુર્વાસા ઋષિએ ઇન્દ્રને  અભિમાની કહી શ્રાપ આપ્યો ત્યારે ગુરુજી શુક્રાચાર્યે દૈત્યરાજ બલિને ઇન્દ્ર ઉપર હુમલો કરી ઇન્દ્રલોક લઇ લેવા કહ્યું અને બલિએ દેવોને ભ્રષ્ટ કરી રાજ્ય છીનવી લીધું આથી હતાશ દેવોએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી વિષ્ણુ ભગવાને પ્રગટ થઇ બ્રહ્માની આગેવાની હેઠળ સર્વ દેવોને દૈત્યો સાથે મૈત્રીપૂર્ણ  ભાવે સમજૂતી કરી સમુદ્ર મંથન માટે સમજાવવા કહ્યું.દૈત્યોને પણ ખબર હતી કે તેથી લાભ જ થવાનો હતો,પરંતુ એકલા દૈત્યો કે એકલા દેવો થી તે શક્ય ન હતું બધાએ મળીને જ સમુદ્ર મંથન કરવું પડે અને દૈત્યોએ દેવોની વાત નો સ્વીકાર કરી સહમતી આપી,મંદરાચલ પર્વતનું  વલોણું બનાવાયું અને વાસુકી નાગને નેતરાના રૂપમાં ઉપીયોગ કરી તેને ઊંડી ઊંઘનું પ્રદાન કરી સમુદ્ર મંથનથી થનારી પીડાથી રાહત આપી.વિષ્ણુ ભગવાને દૈત્યયોને દૈત્ય બની અને દેવતાઓને દેવતા બની શક્તિ આપી,અને જાતે કાચબાનો અવતાર લઇ સમુદ્ર તળિયે એક યોજન માં વિસ્તરી મંદરાચલ પર્વતનો પાયો બન્યા જેથી વલોવવામાં સરળતા પડે એકબાજુ દૈત્યો અને એકબાજુ દેવો વાસુકિને પકડી  ઉભા રહ્યા પણ દેવો વાસુકી ના મોઢા તરફ હોવાથી દૈત્યોને શંકા પડી અને તેથી તેઓ શક્તિશાળી હતા એટલે તેમને ખસેડી પોતે મુખ બાજુ આવી ગયા અને દેવોએ પૂછડાં બાજુ સ્થાન લેતા સમુદ્ર મંથન શરુ થયું.
સહુ પ્રથમ રત્ન વિષ(કાલકૂટ) નીકળ્યું,જેનાથી દેવો તેમજ દૈત્યો ખૂબ જ બળવા લાગ્યા હવે તેના દાહથી બચવા તેઓએ દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કર્યું,શંકર ભગવાન ત્યાં આવવા તૈયાર થયા ત્યારે પાર્વતીજીએ કહ્યું  કે વિષ પીવાથી મૃત્યુ થશે જ,પણ શંકર ભગવાને દેવો અને દૈત્યોની મદદ માટે પ્રથમ સ્થાન આપ્યું ત્યારે પાર્વતીજીએ  પૂછ્યું દેવાધી દેવ મારો ખ્યાલ કરો અને કહો મારુ સ્થાન તમારા શરીરમાં ક્યાં છે.ત્યારે કહ્યું મારા હૃદયમાં તો  પાર્વતીજીએ કહ્યું તો હું પણ મરી જઈશ પણ ભગવાને કહ્યું હું તેને કંઠથી નીચે ઉતરવા નહિ દઉં એવું વચન આપી વિદાય લીધી,અને વિષને હથેળીમાં લઇ ગ્રહણ કર્યું અને કંઠથી નીચે ઉતરવા ન દીધું એટલે તેઓ "નીલકંઠ મહાદેવ "કહેવાયા થોડું ઘણું હથેળીમાથી   જમીન પર પડ્યું તેને સાપ વીંછી તથા  અન્ય જંતુઓએ ગ્રહણ કર્યું.આમ મહાદેવે દેવો અને દૈત્યોની વીટમ્બણાનું સમાધાન કર્યું.
સમુદ્ર મંથન આગળ વધ્યું તો બીજું રત્ન કામધેનુ  ગાય  નીકળી જેને ઋષિયોએ રાખી,ત્રીજું ઉચ્ચેશ્ર્યા અશ્વ નીકળ્યો તેને બલિએ રાખ્યો,ચોથું ઐરાવત હાથી નીકળ્યો તેને ઇન્દ્રએ રાખ્યો,કૌસ્તુભ મણિ વિષ્ણુએ રાખ્યો,કલ્પવૃક્ષ અને રંભા નામની અપ્સરા નીકળી તેને દેવલોકમાં રાખ્યા,સાતમા લક્ષ્મીજી નીકળ્યા તેમણે તો જાતેજ વિષ્ણુ ભગવાન પર પોતાની પસંદગી ઉતારી વરમાળા પહેરાવી દીધી,કન્યાના રૂપમાં
વારુણી પ્રગટ થઇ તેને દૈત્યોએ રાખી,પછી ચંદ્રમા,પારિજાતક વૃક્ષ અને શંખ નીકળ્યા.

અંતે ધન્વંતરિ વૈદ્યં અમૃતનો ઘડો લઈને પ્રગટ થયા ,દૈત્યો શક્તિમાન હતા તે ઘડો છીનવી લીધો અને અંદરોદર લડાઈ  કરવા લાગ્યા શાપિત .દેવો પાસે તો શક્તિ હતી જ નહિ એટલે હતાશ  બનીને જોઈ
રહ્યા આ જોઈ વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને તે એટલું બધું આકર્ષિત હતું કે દેવો દૈત્યો અને દેવાધિદેવ મહાદેવ પણ તેમાં મોહિત થઇ ગયા,દૈત્યો પાસે અમૃતનો ઘડો હતો એટલે મોહિનીના મોહમાં બધા દૈત્યોને મોહિનીને અમૃત આપવા કહેવામાં આવ્યું  પણ મોહિનીએ કહ્યું મારા પર વિશ્વાસ કર્યા  વગર તમે તમારી જાતેજ વહેંચી લો,પણ જાત જાતના વ્યંગ કરતા દૈત્યો મોહીઓના વશમાં આંધળા હતા એટલે ઘડો મોહિનીને આપી દીધો અને મોહિનીએ તેનો લાભ લઇ અમૃત દેવોને પાવા માંડ્યું ,દૈત્યોને ખબર પડે તે પહેલા દેવોએ અમૃત  ગ્રહણ કરી લીધું પણ રાહુ નામનો એક દાનવ દેવોની બાજુ મોહિનીના રૂપમાં વિષ્ણુની ચાલ પારખી જતા અમૃત પી ગયો અને ત્યાં સૂર્ય અને ચંદ્રએ તેને જોઈ લીધો એટલે વિષ્ણુ ભગવાને તરત સુદર્શનથી  તેને કાપી નાખ્યો તેના બે ભાગ થઇ ગયા અમૃતના પ્રભાવથી તેનું શરીર અને માથું રાહુ કેતુના રૂપમાં બે ગ્રહ બની અંતરિક્ષમાં સ્થાપિત   થયા,અને વેર ભાવે સૂર્ય અને ચંદ્રનું તે ગ્રહણ કરાવે છે.

દેવોને આમ અમૃત પીવડાવી વિષ્ણુ ભગવાન ત્યાંથી  અદ્રશ્ય થઇ ગયા,જયારે મદહોશ દાનવો હોશમાં આવ્યા ત્યારે ખુબજ ક્રોધી બની દેવો ઉપર પ્રહાર કરવા લાગ્યા પણ મોટા સંગ્રામ પછી ઇન્દ્રએ પોતાનું રાજ્ય ઇન્દ્રલોક ફરીથી  બલિરાજા પાસેથી મેળવી લીધું.


પવિત્ર ચાતુર્માસની આ રજૂઆત આપ સહુ વાચક મિત્રો તેમજ કુટુંબીજનો માટે શુભ બની રહે તેવી શુભેચ્છા સાથે હર હર મહાદેવ,

જય શ્રી કૃષ્ણ
રજુઆત મહેન્દ્ર ભટ્ટ 


Friday, July 27, 2018

ગજેન્દ્ર મોક્ષ

ગજેન્દ્ર મોક્ષ




 ગજેન્દ્ર મોક્ષની કથા પવિત્ર ગ્રંથ ભાગવત પુરાણના આઠમા સ્કંધમાં આલેખવામાં આવી છે.ઘણા જુના સમયમાં દ્રવિડ દેશમાં ઇન્દ્રદુયમ નામના ધર્મપ્રિય રાજા રાજ્ય કરતા હતા,તે પોતે પોતાના ઇષ્ટ દેવની આરાધનામાં વધારે સમય વિતાવતા હોવાથી રાજ્ય કારોબારમાં બહુ ધ્યાન આપી નહોતા શકતા.જો કે પ્રજા ખુબજ શુખ શાંતિથી જીવન જીવતી હતી તેને તે પોતાના ઇષ્ટ દેવની કૃપા માનતા હતા.
રાજા પોતાની આરાધના ઉત્તરોત્તર વધારતા જ રહ્યા,તેના કારણે તે રાજપાટ છોડી મલય પર્વત ઉપર તપસ્વીના વેશમાં રહેવા લાગ્યા થોડા સમયમાં આરાધના એટલી વધી ગઈ કે રાજપાટ,પ્રજા તથા પોતાની પત્ની પણ વિસરાઈ ગયા,
એકવાર રાજા સ્નાનવિધિ પતાવીને પોતાની વિષ્ણુ ઉપાસનામાં એટલા એકલીન થયા કે બહારનું  જગત પણ ભુલાઈ ગયું,તે વખતે અગત્સ્ય મુનિ તેમના શિષ્યો સાથે ત્યાં પધાર્યા,પણ પોતે ધ્યાનાવસ્થ હોવાથી તેમની આગતા સ્વાગતા ન થઇ.રાજા એ મૌનવ્રત ધારણ કર્યું હતું.રાજાની સ્થિતિમાં કોઈ ફરક ન પડતા,અગત્સ્ય મુનિ ક્રોધિત થયા.અને એક અભિમાની રાજા ની એક હાથી જેવી હરકત બ્રાહ્નણ દેવતા માટે અપમાનિત માની શાપ આપી દીધો,કે તેની હાથી જેવી જડબુદ્ધિ  માટે તેને હાથીની યોનિ પ્રાપ્ત થાય.
શાપ આપી અગત્સ્ય મુનિ ત્યાંથી જતા રહ્યા,તેને રાજાએ ભગવાનની કૃપા સમજી તેમના ચરણોમાં વંદન કર્યું.
હજારો યોજન લાંબો વિશાલ અને ઊંચા ત્રિકુટ  પર્વત પર હાથીઓના ઝુંડમાં અતિ શક્તિશાળી અને કદાવર પરાક્રમી ગજેન્દ્રનો  ઉછેર થયો,આ શ્રાપિત રાજા હાથી યોનિમાં ઉછળતા ગયા આજુ બાજુ સુંદર ઉપવન તથા કુદરતનો અનેરો દેખાવ હતો.ત્યાં કુદરત એટલી આકર્ષિત હતી કે તેની તળેટીમાં ઋતુમાંન  નામના વરુણ ત્યાં ક્રીડા કાનૂન કરતા.તેની નજીક આ હાથીઓનું ઝુંડ વિહાર કરતુ.

એકવાર ગજેન્દ્ર તેમના સાથિયો સાથે ફરતા એક તળાવના કમળના પુષ્પોની સુગંધ અને સુંદરતાથી આકર્ષિત થઇ મોહિત થયા અને તળાવના પાણીનો એકબીજા પર છંટકાવ  કરી આનંદ કરવા લાગ્યા
અને તૃષા સંતોષવા લાગ્યા ,અને જોત જોતામાં ઠંડક અને તૃષા સંતોષી તળાવના નિર્મલ પાણીમાં ગજેન્દ્ર પ્રવેશી પોતાના સાથિયો પર સૂંઢમાં પાણી ભરી છાંટવા લાગ્યા આ ક્રીડા દરમ્યાન તેઓ ઊંડા પાણીની ગંભીરતા તેમજ અન્ય ભયથી વિમુક્ત હતા અને તે દરમ્યાન તેમનો પગ એક મગરે અચાનક પકડી લીધો અને ગજેન્દ્ર જોર જોરથી ચીસ પાડવા લાગ્યા આ જોઈ અન્ય સાથિયો પણ ભયભીત થયા.પોતાની પત્નીઓ અને બાલ હાથી પણ ઝુંડમાં હતા,ગજેન્દ્ર શક્તિશાળી હતા પણ મગરના મોઢામાંથી પોતાનો પગ ન છોડાવી શક્યાં, પોતાના સાથિયો તથા પત્નીઓને મદદ માટે પુકાર કર્યો પણ મૃત્યુના ભયથી કોઈએ મદદ ન કરી પણ સાથીની અસહાય સ્થિતિમાં સરોવરના પાણીમાં અને બહાર ચિસો પાડતું ઝુંડ દોડતું રહ્યું.પણ ગજેન્દ્રને કોઈ સહાય ન મળી
આમ ગજેન્દ્ર અને મગર બંને શ્રાપિત હતા અને તેનું ફળ પોત પોતાની રીતે ભોગવી રહ્યા હતા,ગંધર્વ શ્રેષ્ઠ હુહુ મહર્ષિ દેવળના શ્રાપથી મગર બન્યા હતા.તે પણ ખુબ પરાક્રમી હતા એટલે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થઇ રહ્યું હતું,ગજેન્દ્ર ક્યારેક મગરને કિનારા બાજુ ખેંચિ જતા તો મગર ગજેન્દ્રને  પાણીમાં ખેંચી જતો આમ ખુબ યુદ્ધ થયું આથી પાણી પણ ખુબ ગંદુ થઇ ગયું અને પાણીમાં અન્ય પ્રાણીઓ તથા જીવ જંતુ પણ મુશ્કેલીમાં મુકાયા. પરાક્રમી ગજેન્દ્રનો  પ્રાણ આખરે સંકટમાં આવી ગયો,કહેવાય છે એક હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું.પણ આટલા લાંબા યુદ્ધ પછી પણ બંને જીવિત હતા તે જોઈને અન્ય દેવો પણ નવાઈ પામ્યા.પૂર્વ જન્મમાં ભગવાનની  ખુબ આરાધના કરી હોવાથી તેને વિષ્ણુ ભગવાનની સ્મૃતિ થઇ અને તેણે મંત્રો સ્તોત્રો ને યાદ કરી વિષ્ણુની સ્તુતિ કરી.
છેલ્લે ગજેન્દ્ર શિથિલ થઇ ગયા શરીર શક્તિ વિહીન થઇ ગયું. મગર તો પાણીમાં રહેતો હતો એટલે તેની શક્તિમાં કોઈ ફેરફાર ન થયો.ગજેન્દ્ર નિરાશ થઇ ગયા પરંતુ સ્તુતિની અસર થઇ પૂર્ણ પરસોત્તમ વિષ્ણુ ભગવાન ગરુડ પર સવાર થઇ આવી પહોંચ્યા.તેની સ્તુતિથી ત્યાં પ્રગટ થઇ ગયા.અને સુદર્શન ધારણ કરી મગર તરફ આગળ વધ્યા પ્રભુને  જોઈ અસહાય ગજેન્દ્રે   પોતાની નજીકમાં ખીલેલું કમળને પોતાના સૂંઢમાં  લઇ ઉંચુ કરી કહ્યું,
"પ્રભુ ,નારાયણ ભગવાન આપને વંદન કરું છું."
ગજેન્દ્રની સ્થિતિ જોઈ ભગવાન વિષ્ણુ ગરુડ પરથી કૂદી પડ્યા અને ગજેન્દ્ર અને મગરને બહાર ખેંચી,સુદર્શનથી મગરનું મોઢું ફાડી  ગજેન્દ્રને છોડાવ્યો.
ભગવાનનો સ્પર્શ થતા મગરના  શરીરે દિવ્ય રૂપ ધારણ કરી પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા.શ્રાપિત    હુહુ ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પોતાના ધામમાં જતો રહ્યો.ગંધર્વો,દેવી દેવતાઓ ભગવાનના ગુણગાન ગાઈ ગજેન્દ્રનો મોક્ષ જોઈ પુષ્પોની વર્ષા કરી,ભગવાન વિષ્ણુએ ગજેન્દ્રનો મોક્ષ કરી તેમનો પાર્ષદ બનાવી લીધો અને કહ્યું
" પ્રિય ગજેન્દ્ર, બ્રહ્મમુહૂર્તમાં જે કોઈ તારી કરેલી સ્તુતિ ગાઈ મારી પ્રાર્થના કરશે તેને હું મૃત્યુ સમયે શુદ્ધ બુદ્ધિનું દાન કરીશ."
આટલું કહી ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઇ,ગજેન્દ્રને પાર્ષદ સ્વરૂપમાં સાથે લઇ પોતાના દિવ્ય ધામમાં જતા રહ્યા.(.વિકલોપીડિયાના આધારે.)

જય શ્રી કૃષ્ણ
રજુઆત મહેન્દ્ર ભટ્ટ

Tuesday, July 17, 2018

સાંભળેલી એક ધર્મ કથા......

સાંભળેલી એક ધર્મ કથા......



એકવાર વિષ્ણુ ભગવાન શેષનાગની શૈયા ઉપર આરામ કરતા વિચારતા હતા અને તેમને પૃથ્વી પર
આંટો મારવાનું મન થયું,વિચાર્યું ઘણા વખતથી ગયો નથી તો  ચાલ ભ્રમણ કરી આવું અને તેઓ તૈયાર થયા તો લક્ષ્મી માતાજીએ પૂછ્યું પ્રભુ,ક્યાંની તૈયારી તો પ્રભુએ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા જાઉં છું એવું કહ્યું તો માતાજીએ કહ્યું પ્રભુ આજ્ઞા હોય તો હું પણ સાથે આવું ,તો પ્રભુએ કહ્યું એક શરતે કે ઉત્તર દિશા તરફ ન જુઓ,અને માતાજી સંમત થયા,અને પૃથ્વી પર બંને વિહાર કરવા લાગ્યા.ચારે કોરેથી સુંદરતાથી ઉભરાતી કુદરત પ્રભુના આગમનથી વધારે પ્રભાવિત થઇ ,સુગંધિત સમીરે માતાજીનું મન મોહી લીધું અને પ્રભુની શરત વિસરાઈ ગઈ,તેમણે ઉત્તર દિશામાં જોયું તો એક ખેતરમાં સુંદર રંગ બેરંગી ફૂલો ખીલ્યા હતા,તેની સુંદરતાનું આકર્ષણ માતાજી રોકી ન શક્યા અને પેલા ઉપવનમાંથી એક સુંદર ફૂલ તોડ્યું.આ ઉપવન એક ગરીબ બ્રાહ્મણનું હતું,જ્યારે પ્રભુ તરફ આવ્યા ત્યારે પ્રભુએ તેમને શરતની યાદ કરાવી અને કહ્યું,કોઈના ઉપવનમાંથી વગર પૂછ્યે ફૂલ તોડવું ન જોઈએ એ એક અપરાધ છે.દેવી ને ભૂલ સમજાતા પ્રભુ પાસે ક્ષમા યાચના કરી પણ પ્રભુએ કહ્યું દેવી અપરાધ કર્યો છે માટે સજા તો ભોગવવી જ પડે.અને તેની સજા છે ત્રણ વર્ષ સુધી તે ગરીબ બ્રાહ્મણને ત્યાં રહી નોકર તરીકે  કામ કરવાનું.ત્રણ વર્ષની અવધી પુરી થયે  તમો મૂળ સ્વરૂપ ધારણ કરી શુરસાગરમાં આવી શકશો ,માતાજી પોતાની ભૂલથી નિરાશ થયા પણ પ્રાણનાથની આજ્ઞા અને ભૂલની સજા માથે ચઢાવી ગરીબ બ્રાહ્મણના દ્વાર પર ઉભા રહ્યા બ્રાહ્મણ તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે ઉપવનને છેડે પોતાની ઝૂંપડીમાં રહેતા હતા,પોતાના દ્વાર ઉપર કોઈ ને ઉભેલું જોઈ ત્યાં ગયા તો ગરીબ કન્યા ઉભી હતી તેણે
હાથ જોડી પોતાને કોઈ કામ આપવા માંગણી કરી તો ગરીબ બ્રાહ્મણે લાચાર થઇ કહ્યું કે હું પોતે ગરીબ છું અને ગુજારો ચલાવવાની ખુબ તકલીફ છે પણ તમે મારી પુત્રી જેવા ધારી હું દયા કરી તમારી વાતને સ્વીકારું છું અને તકલીફ હોવા છતાં બ્રાહ્મણે પોતાના દયા ધર્મનું પાલન કર્યું અને ગરીબ દીકરી તો સાક્ષાત લક્ષ્મીજી હતા એટલે તેજ દિવસથી બ્રાહ્મણના સારા દિવસોની શરૂઆત થઇ ઉપવનના ફૂલો વેચાઈ ગયા અને ધાર્યા કરતા વધુ ધન આવ્યું અને પછી તો માતાજી ત્યાં કામ કરતા રહ્યા અને બ્રાહ્મણની ઉત્તરોત્તર પ્રગતિ વધતી રહી,પછી તો ઝૂંપડી હતી ત્યાં ખૂબ જ સુંદર મકાન થયું પણ આ બધું કેમ થયું તે બ્રાહ્મણ ધનના મોહમાં વિચારી ન શક્યો.બધીજ સ્થિતિ ફેરવાઈ તે ધનિક બની ગયો ત્રીજા વર્ષના અંત પછીની સવારે તેણે દ્વાર પર લક્ષ્મી માતાજીને ઉભેલા જોયા,માતાજીના દર્શનથી તેનું શીશ ઝૂકી ગયું અને નોકરના વેશમાં તેણે માતાજી પાસે ત્રણ વર્ષ સુધી કામ કરાવ્યું તેનો તેને ખુબ ક્ષોભ થયો પણ તેમાં તેનો અપરાધ ન હતો એટલે માતાજીએ આશીર્વાદ આપ્યા અને જીવ્યો ત્યાં સુધીસુખ શાંતિ અને વૈભવમાં પ્રભુ ભજનમાં કુટુંબ સાથે સમય વિતાવ્યો.

એટલે જીવનમાં પ્રભુ કોઈ પણ વેશે આવી શકે છે ફક્ત પ્રેમ હોય તો,માટે જીવનમાં પ્રભુ સાથે પ્રેમ કરો,પિતા પુત્રને જન્મ આપી કદી ભૂલતો નથી પણ અહીં આવ્યા પછી મોહ માયામાં ફસાતા પુત્ર પ્રભુને ભૂલી જાય છે,અને ન કરવાના કાર્યો કરતા અધો ગતિને પામે છે.પૃથ્વી પર આપણે બધા એકલપંથી મુસાફર છીએ પણ પિતાને ભૂલી જઈને મોટો અપરાધ કરતા તેની દયાથી વંચિત થઇ જન્મોજન્મના ચક્કરમાં અટવાયા કરીએ છીએ.

જય શ્રી કૃષ્ણ.

હમ તુમ્હારે હૈ .......(હિન્દી ભજન)

હમ તુમ્હારે  હૈ .......(હિન્દી ભજન)



હમ તુમ્હારે હૈ પ્રભુજી,હમ તુમ્હારે થે,
હમ તુમ્હારે હી રહેંગે, હો મેરે પ્રિયતમ ......
તુમ હમારે હૈ પ્રભુજી, તુમ હમારે હો
તુમ હમારે હી રહોગે, હો મેરે પ્રિયતમ ....
તુમ્હે છોડ હે નંદ દુલારે કોઈ ન મિત હમારા,
કિસકે આગે જાય પુકારે કોઈ ન હૈ હમારા
અબ તો આકે બાહ પકડ લો ઓ મેરે પ્રિયતમ .....તુમ હમારે ......
તેરે કારણ સબ જગ છોડા,તુમ સંગ નાતા જોડા
એકબાર પ્રભુ બસ યે કેહ દો,તું મેરા મૈં તેરા
સચ્ચી પ્રીતકી રીત નીભા દો ઓ મૅરે પ્રિયતમ.....હમ તુમ્હારે......
દાસકી યહ બિનતી સુન લીજે, ઓ વ્રજરાજ દુલારે,
આખરી આશ યહી જીવનકી પૂરણ કર દો પ્યારે (૨)
એક બાર હૃદયસે લગાઓ, ઓ મૅરે પ્રિયતમ (૨) ... તુમ હમારે......

જય શ્રી કૃષ્ણ .


Sunday, July 8, 2018

શક્તિ પીઠ

શક્તિ પીઠ 


હિન્દૂ ધર્મ અનુસાર,પુરાણમાં રાજા દક્ષ પ્રજાપતિએ હરિદ્વારમાં બૃહસ્પતિસર્વ નામના યજ્ઞનું આયોજન કર્યું,તેમાં બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર વગેરે સહુ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને અપમાનિત કરવા આમંત્રિત ન કર્યા,એ સમય્ર નારદ ઋષિ નારાયણ નારાયણ નું કીર્તન કરતા,કૈલાશ પર્વત ઉપર દક્ષના પુત્રી તથા શંકર ભગવાનના પત્ની સતી માતા પાસે આવ્યા અને પોતે જાણતા હતા કે દેવાધિદેવને આમંત્રણ નથી છતાં બોલ્યા,
" માતાજી,સહુ તૈયાર થઈને જઈ રહ્યા છે અને આપ હજુ તૈયાર નથી"ત્યારે સતી માતા એ પૂછ્યું,
"શું પ્રસંગ છે,તેની મને ખબર નથી,તો તૈયાર થવાની વાત ક્યાં રહી.?"
તો નારદજી તરત બોલ્યા,
"માતાજી આપના પિતા દક્ષ પ્રજાપતિ મહાન યજ્ઞ કરી રહ્યા છે ત્યાં સહુ જઈ રહ્યા છે ને તમને આમંત્રણ નથી મળ્યું"અને માતાજી બોલ્યા,
"પિતાજી યજ્ઞ કરે અને આમંત્રણની શી જરૂર,હું મહાદેવને જણાવી ત્યાં જવાની તૈયારી કરું છું."
"અવશ્ય દેવી,અહીંથી પસાર થતો હતો એટલે આપના દર્શને આવ્યો તો સારું થયું આપને યજ્ઞ વિષે ખબર પડી,ચાલો તો માતાજી પ્રણામ." એમ કહી નારાયણનું કીર્તન કરતા,ચિનગારી છેડી નારદજીએ  નારાયણ નું કીર્તન કરતા પ્રસ્થાન કર્યું.,સતી માતા સીધા મહાદેવ પાસે ગયા,મહાદેવજીને ખબર હતી હવે સતીને મનાવવા મુશ્કેલ છે,છતાં તેમની વાત સાંભળી ,
"સ્વામી ,પિતાજી મહાન યજ્ઞ કરી રહ્યા છે અને આપણે ત્યાં જવું જોઈએ."મહાદેવે કહ્યું ,
"દેવી,આપને  કોણે કહ્યું?"ત્યારે સતી બોલ્યા,
"નારદ મુનિ,આપણા દર્શનની ઈચ્છાથી અહીં આવ્યા હતા,તો તેમની પાસેથી જાણવા મળ્યું,"મહાદેવ બોલ્યા ,
'સમજ્યો,પરંતુ દેવી આપણને પિતાશ્રીનું આમંત્રણ નથી,તો આમંત્રણ વગર જવું યોગ્ય નથી."તરત સતી બોલ્યા
"સ્વામી,પિતાજીને હું મનાવી લઈશ,કદાચ ભૂલી ગયા હશે."પણ મહાદેવજીએ તરત કહ્યું,
"દેવી,આમંત્રણ વગર જતા અપમાન થશે,અને આમંત્રણ વગર હું નહિ આવું,તમને જવાની છૂટ છે"મહાદેવજીએ સતી માતાને ખુબ સમજાવ્યા પણ ન  માન્યા એટલે જવાની છૂટ આપી અને સાથે નંદીને રક્ષા માટે રહેવાનું કહ્યું,,સતીમાતાનો વિયોગ નિશ્ચિત સમજી મહાદેવજીને સમાધિ લાગી ગઈ.

સતી મહાદેવની મના છતાં પિતાને ત્યાં આવ્યા ,મહા યજ્ઞમાં ભાગ લેવા બ્રહ્મા વિષ્ણુ સિવાય ઘણા દેવી દેવતાઓ આવ્યા હતા,યજ્ઞની વિધિમાં જ્યા ત્રિદેવોને  સ્થાન આપવામાં આવે છે તેમાં બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું સ્થાન હતું પરંતુ મહાદેવનું સ્થાન ન હતું,તે જોઈ દેવી ખુબ નારાજ થયા,અને પોતાના પિતા ઉપર ગુસ્સે ભરાયા,પોતાના પતિનું અપમાન તેઓ ન સહી શક્યા,એટલામાં  દક્ષ પ્રજાપતિ જાતેજ ત્યાં આવ્યા અને બોલ્યા,
"અહીં તું શા માટે આવી છે,તને તારા પતિની માફક ઘમંડ આવી ગયું છે."ગુસ્સેથી બેકાબુ સતીથી ન રહેવાયું,પોતાના પિતાની ક્રૂરતા ઉપર નફરત કરતા બોલ્યા,
"હું ધારું તો હમણાંજ તમને મૃત્યુ દંડ આપી શકું તેમ છું,પણ હું તેમ નહિ કરું,પરંતુ જે ઘરમાં મારુ પોષણ થયું તે પોષણ પામેલા દેહનો જ હું વિનાશ કરી નાખું છું " અને પલકવારમાં યજ્ઞ કુંડમાં કૂદી પોતાના દેહનો ત્યાગ કર્યો,પોતે જગદંબા હતા દક્ષને પલકમાંજ મારી નાખત પણ પોતાના પતિના અપમાન માટે જે યોગ્ય હતું તે તેમણે કર્યું,સાથે આવેલા નંદીને પણ બચાવ માટે સમય ન મળ્યો,તે માંડ દક્ષથી પોતાની જાત બચાવી મહાદેવ સુધી પહોંચ્યો અને માતાજીના સમાચાર આપ્યા ,

સમાચાર સાંભળી મહાદેવનું ત્રીજું લોચન ઉઘડી ગયું અને પોતાના ગણોને  હુકમ કર્યો દક્ષનો સર્વનાશ કરી નાખો,અને ગણોએ હાહાકાર મચાવી દીધો આવેલા મહેમાનો જીવ બચાવી ભાગી ગયા.ગણોએ દક્ષનો સર્વ નાશ કરી દક્ષનું માથું કાપી નાખ્યું.હવે યજ્ઞ અધૂરો રહેતા દેવોએ ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી,મહાદેવે મહાકાલનું રૂપ લેતા દક્ષના યજ્ઞકુંડમાંથી સતીનો દેહ કાઢી ખભે નાખી ભયંકર ગુસ્સામાં ફરવા લાગ્યા,મૃત્યુનું કાર્ય રોકાઈ ગયું,નવા જન્મો થતા રહ્યા,અને સ્થિતિની ભયંકરતાથી પૃથ્વી પર બધે ત્રાહિ મામ થઇ ગયું,મહાદેવના ગુસ્સાના દાહમાં દુનિયા બળવા માંડી, હવે કોઈ પણ ભોગે મહાદેવને શાંત કરવાની જવાબદારી વિષ્ણુ અને બ્રહ્મા ઉપર આવી ગઈ,વિષ્ણુ ભગવાને સુદર્શનને મહાદેવને ખબર ન પડે એ રીતે સતીના દેહના ટુકડા કરવાનું સૂચન કર્યું,સુદર્શને પોતાના હુકમનું પાલન કર્યું નાના નાના ભાગમાં દેહના ટુકડા કર્યા    જે ભારત માં બાવન જુદા જુદા પ્રાંતમાં પડ્યા અને તે જ્યા પડ્યા ત્યાં સતીમાતાની  શક્તિપીઠ તરીકે   સ્થપાયા જે હાલમાં પણ માનવ માટે કલ્યાણકારી છે.

 સુદર્શનનું કામ પૂરું થયું હવે મહાદેવને શાંત કરવાનું ભગીરથ કામ હતું,મહાદેવજીને દુનિયાની શાંતિ અને ધર્મનું સ્થાન સાચવવા વિનંતી કરી ,કહ્યું
"પ્રભુ,શરુ થયેલો યજ્ઞ સંપૂર્ણ થવો જરૂરી છે,અને તે યજ્ઞનો યજમાન રાજા દક્ષ છે જેનો શિરચ્છેદ થયો છે,
પ્રભુ તેની હાજરી વગર યજ્ઞ પૂરો નહિ થાય,માટે શાંત થાવ."દુનિયાના ક્રમની જવાબદારી ત્રિ  દેવની હોય
દેવાધિદેવ શાંત બન્યા અને દક્ષને બકનું માથું મૂકી જીવિત કરી યજ્ઞ ની પુર્ણાહુતી કરી.
પછી તો સતી માતાનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે થયો

હર હર મહાદેવ,
રજુઆત-મહેન્દ્ર ભટ્ટ 
(કથામૃતનાં આધારે).

Friday, July 6, 2018

સંત વાણી

સંત વાણી 




ઉનાળાના સમયમાં ગરમીના સમયમાં પાણીની પરબ ઠેર ઠેર મંડાઈ ત્યાં પીવાના પાણીની સગવડતા વિના મૂલ્ય આપવામાં આવે ,ત્યાં એક ગામના પીપળાના ઝાડ નીચે આવી પરબ માંડી એક છોકરો બધાને પાણી આપી ગરમીમાં તૃષા શાંત કરે,કોઈ મૂલ્ય નહિ પણ વળતરમાં તેને આશીર્વાદ મળે,એક વખત ચાર વટેમાર્ગુ તેની પાસે આવી ચઢ્યા તેણે ભાવથી ખબર અંતર પૂછી બધાને ઠંડુ પાણી પાયું,અને પછી તો આ વટેમાર્ગુઓ તેનો ભાવ જોઈને સતત તેની પાસે પાણી પીવા આવતા,પછી તો વખત જતા તેને દોસ્તી થઇ ગઈ, પછી તો ઓરખાણ આપતા તેને જાણવા મળ્યું કે તેના મિત્રો જમના દૂતો છે.હવે જરૂર નવાઈ લાગે,માનવ વસ્તીમાં યમના દૂતોનો ભેટો થાય,પણ ઘણા વખતથી આવતા એટલે છોકરાને તેમની સાથે ગમી ગયેલું ,યમદૂતો કોઈના મૃત્યુનો સમય નજીક હોય એટલે આવે અને તેના આત્માને ચિત્રગુપ્તના ચોપડા પ્રમાણે તેના કરેલા કર્મ પ્રમાણે નરક કે સ્વર્ગમાં યમરાજાના નિર્ણય પછી મૂકી આવે.હવે આ ચાર યમદૂતોનો આ પરબ પાસેથી જવાનો રસ્તો એટલે ત્યાં પાણીથી સંતોષ મેળવી તેમના મિત્ર છોકરા સાથે ગમતી વાતો કરી પોતાના કામે જતા રહે,પણ છોકરાને એક દિવસ પોતાનું મૃત્યુનો સમય જાણવાનો વિચાર આવ્યો અને તેની રજૂઆત તેણે તેના  મિત્રોને કરી,હવે તેઓ તો નોકરી કરતા હતા એટલે છોકરાને સમજાવવા પ્રયત્ન કર્યો કે આ અંગત વાત હોય અમારાથી ન કહી શકાય અને એ વિષે જાણ્યા પછી માનવને દુઃખ થયા વિના રહે નહિ કેમકે મૃત્યુની પીડા ખુબ જ હોય,પણ છોકરાએ તેમને વિનંતી કરી કે તમે રોજ ચીત્રગુપ્તનો ચોપડો જોતા જ હોય અને મારા મિત્ર છો તો આટલું મારુ કામ ન કરો...પેલા મિત્રોએ છોકરાને ખુબ સમજાવ્યો પણ તેણે પોતાની ઈચ્છા દ્રઢ કરી વિનંતી કરી આખરે યમદૂતો એ તેની માંગણી સંતોષવા ની કબૂલાત કરી,બીજે દિવસે તેઓ તેનું મ્ર્ત્યુ વિષે જોઈને આવ્યા તો બધાના ચહેરા ઉપર દુઃખ છવાયેલું હતું અને એક યમદૂત તો રડતો હતો.એટલે છોકરાને પોતાનું મૃત્યુ વિપરીત અથવા નજીકમાં લાગ્યું તેણે તેના મિત્રોને તેની વિગત દુઃખી થયા વગર કહેવા કહ્યું કેમકે જે કઈ વિગત હતી તેમાં કોઈ ફેરફાર તો કરી શકાવાનો ન હતો કેમકે જન્મ અને મૃત્યુ તો વિધાતાની દેણ છે અને તેમાં ભગવાન સિવાય કોઈ ફેરફાર ન કરી શકે.આખરે તેને જાણવા મળ્યું કે તેનું મૃત્યુ તેના લગ્ન થયા પછી તેની પત્નીને પ્રથમ સમય મળતા પહેલા સર્પદંશથી થશે.અને તેમાં એક જમદૂત રડતો હતો તેને શાંત થવા કહ્યું પણ તે  શાંત ન થયો  અને તેણે રડતા કહ્યું કે મારા મિત્રને સર્પ દંશ આપવા મને સર્પ બનવાનું ફરમાન છે.એનો અર્થ એવો થયો કે હવે થોડા સમયમાં તેનું મૃત્યુ થશે કેમકે તેના લગ્ન નક્કી થઇ ગયા છે.પણ પોતાના મિત્રોને શાંત કરતા તે છોકરો બોલ્યો ભગવાનના કામમાં કોઈ ફેરફાર કરી ન કરી શકે એટલે એનો સ્વીકાર કરવો જ રહ્યો,સમય પસાર થયો અને મિત્રો પરબ ઉપર  મળતા રહ્યા પણ જેને સર્પ બનવાનું હતું તે યમદૂતને શાંત કરતા કહ્યું
" તારે જે કામ કરવાનું છે તે અવશ્ય કરવું કેમકે તે તને સોંપવામાં આવ્યું છે મારે માટે થઈને તું દુઃખી ન થા,એ તો તારી ફરજ છે"
અને વાજતે ગાજતે છોકરાના લગ્ન થયા,તે રાત્રે જયારે પોતાની પત્નીને પ્રથમ વખત તે મળવા સીડી ચઢવા ગયો ત્યાં ઉપરથી તેનો મિત્ર તેને સર્પ દંશ આપવા નીચે આવવા લાગ્યો અને તેની પત્ની જે પોતાના પતિનું સ્વાગત કરવા ફૂલનો હાર અને ભોજન નો થાળ તૈયાર કરી બેઠી હતી તેણે સીડી ઉપર પગનો અવાજ સાંભળ્યો,પણ તેણે કોઈ વાત કરતુ જણાયું એટલે અહીં પતિ સિવાય બીજું કોણ હોય એટલે નવાઈથી તે સીડી ઉપરની  તેના પતિ સાથેની કોઈની વાત બારીકાઈથી સાંભળવા ઉત્સુક બની તેમાં તેણે તેના પતિને સર્પદંશથી મૃત્યુ થવાની વાત નિશ્ચિત સાંભળી તે એકદમ ઉદાસ થઇ ગઈ ,પતિ મિલન પહેલા જ મૃત્યુ પામશે. એ જાણી તેણે પોતાના પતિ માટે સજાવેલો ફૂલનો હાર તથા ભોજનનો થાળ નકામા સમજી તે નિરાશ થઇ બેસી પડી,તેણે જે સાંભર્યું તેમાં તેના પતિનું મૃત્યુ નક્કી હતું અને તેમાં તે કઈ કરી ન શકે પણ તેને વિચાર આવ્યો કે આ ભોજનનો થાળ કોઈ ભુખ્યાને આપી તૃપ્ત કરું તો થોડોક તો મૃત્યુમાં સુધારો થાય,તેના પતિએ પરબ માંડી આખું જીવન તરસ્યા જીવોને તૃપ્તિ આપી તો આ ભોજનથાળ કોઈની ક્ષુધા શાંત કરે ,પણ રાતનો સમય કોણ ભૂખ્યું હોય,પણ તેનો વિચાર સારો હતો
એટલે એક વણજારા પિતાની દીકરીએ રાતે પુત્રનો જન્મ આપ્યો અને પછી તેને ખુબ ભૂખ લાગી ઘરમાં ખાવાનું કૈજ નહિ એટલે તેણે તેના પિતાને કહ્યું મને ખાવા કૈજ ન મળે તો હું મારા પુત્રને   ખાઈ જઈશ અને પિતા એ તેને શાંત કરી અને કહ્યું હું તારે માટે ખાવાનું શોધી લાવું છું તે પહેલા તું આવું કોઈ પગલું ન ભરતી અને તે શેરીએ સાદ્  પાડતો ખાવાનું માંગવા લાગ્યો અને તે ફરતો  આ છોકરાની શેરીમાં આવી ચઢ્યો તો છોકરાની પત્નીએ પાછળ ના દરવાજેથી ભોજનનો થાળ આ વણજારા બાપને આપી દીધો અને તેની છોકરીની ક્ષુધા શાંત થઇ એટલે તે છોકરીએ અને તેના બાપે છોકરાની પત્નીને સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા.તેના પ્રતાપે છોકરાને વારંવાર સર્પ દંશ આપવા છતાં છોકરો જીવંત રહ્યો,જમદૂતે જમરાજા પાસે પોતાની વાત કહી ત્યાં પ્રભુ જાતે જમરાજા પાસે ઉભેલા જોયા, અને ભગવાને પેલી વણજારા પુત્રી ના સાચા દિલના આશીર્વાદ માન્ય રાખી જમરાજાને છોકરાને ૧૦૦ વર્ષનું આયુષ્ય આપવા સૂચન કર્યું આમ ભગવાન સાચા ભક્તની સદા સહાય કરતા હોય,આ છોકરાને ભૂખ અને તરસ ની મદદ કરવા બદલ ૧૦૦ વર્ષનું આયુષ્ય પ્રદાન કર્યું.અને સંદેશ આપ્યો કે ભૂખ્યા  અને તરસ્યા જીવને જે  સહાય  કરશે તેની મદદ કરવા તે હંમેશા તૈયાર રહેશે.

જય શ્રી કૃષ્ણ 
રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.

Wednesday, July 4, 2018

ફોર્થ ઓફ જુલાઈની શુભેચ્છાઓ

ફોર્થ ઓફ જુલાઈ ની શુભેચ્છાઓ  

Image result for 4rth of july weekend 2018
અમેરિકામાં વસતા પ્રિય વાચક મિત્રો તેમજ શુભેશ્ચકોને ફોર્થ ઓફ જુલાઈના સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ,
મોગરાના ફૂલ બ્લોગ વતી  મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.