Friday, July 27, 2018

ગજેન્દ્ર મોક્ષ

ગજેન્દ્ર મોક્ષ




 ગજેન્દ્ર મોક્ષની કથા પવિત્ર ગ્રંથ ભાગવત પુરાણના આઠમા સ્કંધમાં આલેખવામાં આવી છે.ઘણા જુના સમયમાં દ્રવિડ દેશમાં ઇન્દ્રદુયમ નામના ધર્મપ્રિય રાજા રાજ્ય કરતા હતા,તે પોતે પોતાના ઇષ્ટ દેવની આરાધનામાં વધારે સમય વિતાવતા હોવાથી રાજ્ય કારોબારમાં બહુ ધ્યાન આપી નહોતા શકતા.જો કે પ્રજા ખુબજ શુખ શાંતિથી જીવન જીવતી હતી તેને તે પોતાના ઇષ્ટ દેવની કૃપા માનતા હતા.
રાજા પોતાની આરાધના ઉત્તરોત્તર વધારતા જ રહ્યા,તેના કારણે તે રાજપાટ છોડી મલય પર્વત ઉપર તપસ્વીના વેશમાં રહેવા લાગ્યા થોડા સમયમાં આરાધના એટલી વધી ગઈ કે રાજપાટ,પ્રજા તથા પોતાની પત્ની પણ વિસરાઈ ગયા,
એકવાર રાજા સ્નાનવિધિ પતાવીને પોતાની વિષ્ણુ ઉપાસનામાં એટલા એકલીન થયા કે બહારનું  જગત પણ ભુલાઈ ગયું,તે વખતે અગત્સ્ય મુનિ તેમના શિષ્યો સાથે ત્યાં પધાર્યા,પણ પોતે ધ્યાનાવસ્થ હોવાથી તેમની આગતા સ્વાગતા ન થઇ.રાજા એ મૌનવ્રત ધારણ કર્યું હતું.રાજાની સ્થિતિમાં કોઈ ફરક ન પડતા,અગત્સ્ય મુનિ ક્રોધિત થયા.અને એક અભિમાની રાજા ની એક હાથી જેવી હરકત બ્રાહ્નણ દેવતા માટે અપમાનિત માની શાપ આપી દીધો,કે તેની હાથી જેવી જડબુદ્ધિ  માટે તેને હાથીની યોનિ પ્રાપ્ત થાય.
શાપ આપી અગત્સ્ય મુનિ ત્યાંથી જતા રહ્યા,તેને રાજાએ ભગવાનની કૃપા સમજી તેમના ચરણોમાં વંદન કર્યું.
હજારો યોજન લાંબો વિશાલ અને ઊંચા ત્રિકુટ  પર્વત પર હાથીઓના ઝુંડમાં અતિ શક્તિશાળી અને કદાવર પરાક્રમી ગજેન્દ્રનો  ઉછેર થયો,આ શ્રાપિત રાજા હાથી યોનિમાં ઉછળતા ગયા આજુ બાજુ સુંદર ઉપવન તથા કુદરતનો અનેરો દેખાવ હતો.ત્યાં કુદરત એટલી આકર્ષિત હતી કે તેની તળેટીમાં ઋતુમાંન  નામના વરુણ ત્યાં ક્રીડા કાનૂન કરતા.તેની નજીક આ હાથીઓનું ઝુંડ વિહાર કરતુ.

એકવાર ગજેન્દ્ર તેમના સાથિયો સાથે ફરતા એક તળાવના કમળના પુષ્પોની સુગંધ અને સુંદરતાથી આકર્ષિત થઇ મોહિત થયા અને તળાવના પાણીનો એકબીજા પર છંટકાવ  કરી આનંદ કરવા લાગ્યા
અને તૃષા સંતોષવા લાગ્યા ,અને જોત જોતામાં ઠંડક અને તૃષા સંતોષી તળાવના નિર્મલ પાણીમાં ગજેન્દ્ર પ્રવેશી પોતાના સાથિયો પર સૂંઢમાં પાણી ભરી છાંટવા લાગ્યા આ ક્રીડા દરમ્યાન તેઓ ઊંડા પાણીની ગંભીરતા તેમજ અન્ય ભયથી વિમુક્ત હતા અને તે દરમ્યાન તેમનો પગ એક મગરે અચાનક પકડી લીધો અને ગજેન્દ્ર જોર જોરથી ચીસ પાડવા લાગ્યા આ જોઈ અન્ય સાથિયો પણ ભયભીત થયા.પોતાની પત્નીઓ અને બાલ હાથી પણ ઝુંડમાં હતા,ગજેન્દ્ર શક્તિશાળી હતા પણ મગરના મોઢામાંથી પોતાનો પગ ન છોડાવી શક્યાં, પોતાના સાથિયો તથા પત્નીઓને મદદ માટે પુકાર કર્યો પણ મૃત્યુના ભયથી કોઈએ મદદ ન કરી પણ સાથીની અસહાય સ્થિતિમાં સરોવરના પાણીમાં અને બહાર ચિસો પાડતું ઝુંડ દોડતું રહ્યું.પણ ગજેન્દ્રને કોઈ સહાય ન મળી
આમ ગજેન્દ્ર અને મગર બંને શ્રાપિત હતા અને તેનું ફળ પોત પોતાની રીતે ભોગવી રહ્યા હતા,ગંધર્વ શ્રેષ્ઠ હુહુ મહર્ષિ દેવળના શ્રાપથી મગર બન્યા હતા.તે પણ ખુબ પરાક્રમી હતા એટલે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થઇ રહ્યું હતું,ગજેન્દ્ર ક્યારેક મગરને કિનારા બાજુ ખેંચિ જતા તો મગર ગજેન્દ્રને  પાણીમાં ખેંચી જતો આમ ખુબ યુદ્ધ થયું આથી પાણી પણ ખુબ ગંદુ થઇ ગયું અને પાણીમાં અન્ય પ્રાણીઓ તથા જીવ જંતુ પણ મુશ્કેલીમાં મુકાયા. પરાક્રમી ગજેન્દ્રનો  પ્રાણ આખરે સંકટમાં આવી ગયો,કહેવાય છે એક હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું.પણ આટલા લાંબા યુદ્ધ પછી પણ બંને જીવિત હતા તે જોઈને અન્ય દેવો પણ નવાઈ પામ્યા.પૂર્વ જન્મમાં ભગવાનની  ખુબ આરાધના કરી હોવાથી તેને વિષ્ણુ ભગવાનની સ્મૃતિ થઇ અને તેણે મંત્રો સ્તોત્રો ને યાદ કરી વિષ્ણુની સ્તુતિ કરી.
છેલ્લે ગજેન્દ્ર શિથિલ થઇ ગયા શરીર શક્તિ વિહીન થઇ ગયું. મગર તો પાણીમાં રહેતો હતો એટલે તેની શક્તિમાં કોઈ ફેરફાર ન થયો.ગજેન્દ્ર નિરાશ થઇ ગયા પરંતુ સ્તુતિની અસર થઇ પૂર્ણ પરસોત્તમ વિષ્ણુ ભગવાન ગરુડ પર સવાર થઇ આવી પહોંચ્યા.તેની સ્તુતિથી ત્યાં પ્રગટ થઇ ગયા.અને સુદર્શન ધારણ કરી મગર તરફ આગળ વધ્યા પ્રભુને  જોઈ અસહાય ગજેન્દ્રે   પોતાની નજીકમાં ખીલેલું કમળને પોતાના સૂંઢમાં  લઇ ઉંચુ કરી કહ્યું,
"પ્રભુ ,નારાયણ ભગવાન આપને વંદન કરું છું."
ગજેન્દ્રની સ્થિતિ જોઈ ભગવાન વિષ્ણુ ગરુડ પરથી કૂદી પડ્યા અને ગજેન્દ્ર અને મગરને બહાર ખેંચી,સુદર્શનથી મગરનું મોઢું ફાડી  ગજેન્દ્રને છોડાવ્યો.
ભગવાનનો સ્પર્શ થતા મગરના  શરીરે દિવ્ય રૂપ ધારણ કરી પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા.શ્રાપિત    હુહુ ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પોતાના ધામમાં જતો રહ્યો.ગંધર્વો,દેવી દેવતાઓ ભગવાનના ગુણગાન ગાઈ ગજેન્દ્રનો મોક્ષ જોઈ પુષ્પોની વર્ષા કરી,ભગવાન વિષ્ણુએ ગજેન્દ્રનો મોક્ષ કરી તેમનો પાર્ષદ બનાવી લીધો અને કહ્યું
" પ્રિય ગજેન્દ્ર, બ્રહ્મમુહૂર્તમાં જે કોઈ તારી કરેલી સ્તુતિ ગાઈ મારી પ્રાર્થના કરશે તેને હું મૃત્યુ સમયે શુદ્ધ બુદ્ધિનું દાન કરીશ."
આટલું કહી ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઇ,ગજેન્દ્રને પાર્ષદ સ્વરૂપમાં સાથે લઇ પોતાના દિવ્ય ધામમાં જતા રહ્યા.(.વિકલોપીડિયાના આધારે.)

જય શ્રી કૃષ્ણ
રજુઆત મહેન્દ્ર ભટ્ટ

No comments:

Post a Comment