Tuesday, July 31, 2018

સમુદ્ર મંથન

સમુદ્ર મંથન 

Image result for samudra manthan

જયારે દુર્વાસા ઋષિએ ઇન્દ્રને  અભિમાની કહી શ્રાપ આપ્યો ત્યારે ગુરુજી શુક્રાચાર્યે દૈત્યરાજ બલિને ઇન્દ્ર ઉપર હુમલો કરી ઇન્દ્રલોક લઇ લેવા કહ્યું અને બલિએ દેવોને ભ્રષ્ટ કરી રાજ્ય છીનવી લીધું આથી હતાશ દેવોએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી વિષ્ણુ ભગવાને પ્રગટ થઇ બ્રહ્માની આગેવાની હેઠળ સર્વ દેવોને દૈત્યો સાથે મૈત્રીપૂર્ણ  ભાવે સમજૂતી કરી સમુદ્ર મંથન માટે સમજાવવા કહ્યું.દૈત્યોને પણ ખબર હતી કે તેથી લાભ જ થવાનો હતો,પરંતુ એકલા દૈત્યો કે એકલા દેવો થી તે શક્ય ન હતું બધાએ મળીને જ સમુદ્ર મંથન કરવું પડે અને દૈત્યોએ દેવોની વાત નો સ્વીકાર કરી સહમતી આપી,મંદરાચલ પર્વતનું  વલોણું બનાવાયું અને વાસુકી નાગને નેતરાના રૂપમાં ઉપીયોગ કરી તેને ઊંડી ઊંઘનું પ્રદાન કરી સમુદ્ર મંથનથી થનારી પીડાથી રાહત આપી.વિષ્ણુ ભગવાને દૈત્યયોને દૈત્ય બની અને દેવતાઓને દેવતા બની શક્તિ આપી,અને જાતે કાચબાનો અવતાર લઇ સમુદ્ર તળિયે એક યોજન માં વિસ્તરી મંદરાચલ પર્વતનો પાયો બન્યા જેથી વલોવવામાં સરળતા પડે એકબાજુ દૈત્યો અને એકબાજુ દેવો વાસુકિને પકડી  ઉભા રહ્યા પણ દેવો વાસુકી ના મોઢા તરફ હોવાથી દૈત્યોને શંકા પડી અને તેથી તેઓ શક્તિશાળી હતા એટલે તેમને ખસેડી પોતે મુખ બાજુ આવી ગયા અને દેવોએ પૂછડાં બાજુ સ્થાન લેતા સમુદ્ર મંથન શરુ થયું.
સહુ પ્રથમ રત્ન વિષ(કાલકૂટ) નીકળ્યું,જેનાથી દેવો તેમજ દૈત્યો ખૂબ જ બળવા લાગ્યા હવે તેના દાહથી બચવા તેઓએ દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કર્યું,શંકર ભગવાન ત્યાં આવવા તૈયાર થયા ત્યારે પાર્વતીજીએ કહ્યું  કે વિષ પીવાથી મૃત્યુ થશે જ,પણ શંકર ભગવાને દેવો અને દૈત્યોની મદદ માટે પ્રથમ સ્થાન આપ્યું ત્યારે પાર્વતીજીએ  પૂછ્યું દેવાધી દેવ મારો ખ્યાલ કરો અને કહો મારુ સ્થાન તમારા શરીરમાં ક્યાં છે.ત્યારે કહ્યું મારા હૃદયમાં તો  પાર્વતીજીએ કહ્યું તો હું પણ મરી જઈશ પણ ભગવાને કહ્યું હું તેને કંઠથી નીચે ઉતરવા નહિ દઉં એવું વચન આપી વિદાય લીધી,અને વિષને હથેળીમાં લઇ ગ્રહણ કર્યું અને કંઠથી નીચે ઉતરવા ન દીધું એટલે તેઓ "નીલકંઠ મહાદેવ "કહેવાયા થોડું ઘણું હથેળીમાથી   જમીન પર પડ્યું તેને સાપ વીંછી તથા  અન્ય જંતુઓએ ગ્રહણ કર્યું.આમ મહાદેવે દેવો અને દૈત્યોની વીટમ્બણાનું સમાધાન કર્યું.
સમુદ્ર મંથન આગળ વધ્યું તો બીજું રત્ન કામધેનુ  ગાય  નીકળી જેને ઋષિયોએ રાખી,ત્રીજું ઉચ્ચેશ્ર્યા અશ્વ નીકળ્યો તેને બલિએ રાખ્યો,ચોથું ઐરાવત હાથી નીકળ્યો તેને ઇન્દ્રએ રાખ્યો,કૌસ્તુભ મણિ વિષ્ણુએ રાખ્યો,કલ્પવૃક્ષ અને રંભા નામની અપ્સરા નીકળી તેને દેવલોકમાં રાખ્યા,સાતમા લક્ષ્મીજી નીકળ્યા તેમણે તો જાતેજ વિષ્ણુ ભગવાન પર પોતાની પસંદગી ઉતારી વરમાળા પહેરાવી દીધી,કન્યાના રૂપમાં
વારુણી પ્રગટ થઇ તેને દૈત્યોએ રાખી,પછી ચંદ્રમા,પારિજાતક વૃક્ષ અને શંખ નીકળ્યા.

અંતે ધન્વંતરિ વૈદ્યં અમૃતનો ઘડો લઈને પ્રગટ થયા ,દૈત્યો શક્તિમાન હતા તે ઘડો છીનવી લીધો અને અંદરોદર લડાઈ  કરવા લાગ્યા શાપિત .દેવો પાસે તો શક્તિ હતી જ નહિ એટલે હતાશ  બનીને જોઈ
રહ્યા આ જોઈ વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને તે એટલું બધું આકર્ષિત હતું કે દેવો દૈત્યો અને દેવાધિદેવ મહાદેવ પણ તેમાં મોહિત થઇ ગયા,દૈત્યો પાસે અમૃતનો ઘડો હતો એટલે મોહિનીના મોહમાં બધા દૈત્યોને મોહિનીને અમૃત આપવા કહેવામાં આવ્યું  પણ મોહિનીએ કહ્યું મારા પર વિશ્વાસ કર્યા  વગર તમે તમારી જાતેજ વહેંચી લો,પણ જાત જાતના વ્યંગ કરતા દૈત્યો મોહીઓના વશમાં આંધળા હતા એટલે ઘડો મોહિનીને આપી દીધો અને મોહિનીએ તેનો લાભ લઇ અમૃત દેવોને પાવા માંડ્યું ,દૈત્યોને ખબર પડે તે પહેલા દેવોએ અમૃત  ગ્રહણ કરી લીધું પણ રાહુ નામનો એક દાનવ દેવોની બાજુ મોહિનીના રૂપમાં વિષ્ણુની ચાલ પારખી જતા અમૃત પી ગયો અને ત્યાં સૂર્ય અને ચંદ્રએ તેને જોઈ લીધો એટલે વિષ્ણુ ભગવાને તરત સુદર્શનથી  તેને કાપી નાખ્યો તેના બે ભાગ થઇ ગયા અમૃતના પ્રભાવથી તેનું શરીર અને માથું રાહુ કેતુના રૂપમાં બે ગ્રહ બની અંતરિક્ષમાં સ્થાપિત   થયા,અને વેર ભાવે સૂર્ય અને ચંદ્રનું તે ગ્રહણ કરાવે છે.

દેવોને આમ અમૃત પીવડાવી વિષ્ણુ ભગવાન ત્યાંથી  અદ્રશ્ય થઇ ગયા,જયારે મદહોશ દાનવો હોશમાં આવ્યા ત્યારે ખુબજ ક્રોધી બની દેવો ઉપર પ્રહાર કરવા લાગ્યા પણ મોટા સંગ્રામ પછી ઇન્દ્રએ પોતાનું રાજ્ય ઇન્દ્રલોક ફરીથી  બલિરાજા પાસેથી મેળવી લીધું.


પવિત્ર ચાતુર્માસની આ રજૂઆત આપ સહુ વાચક મિત્રો તેમજ કુટુંબીજનો માટે શુભ બની રહે તેવી શુભેચ્છા સાથે હર હર મહાદેવ,

જય શ્રી કૃષ્ણ
રજુઆત મહેન્દ્ર ભટ્ટ 


No comments:

Post a Comment