Friday, July 6, 2018

સંત વાણી

સંત વાણી 




ઉનાળાના સમયમાં ગરમીના સમયમાં પાણીની પરબ ઠેર ઠેર મંડાઈ ત્યાં પીવાના પાણીની સગવડતા વિના મૂલ્ય આપવામાં આવે ,ત્યાં એક ગામના પીપળાના ઝાડ નીચે આવી પરબ માંડી એક છોકરો બધાને પાણી આપી ગરમીમાં તૃષા શાંત કરે,કોઈ મૂલ્ય નહિ પણ વળતરમાં તેને આશીર્વાદ મળે,એક વખત ચાર વટેમાર્ગુ તેની પાસે આવી ચઢ્યા તેણે ભાવથી ખબર અંતર પૂછી બધાને ઠંડુ પાણી પાયું,અને પછી તો આ વટેમાર્ગુઓ તેનો ભાવ જોઈને સતત તેની પાસે પાણી પીવા આવતા,પછી તો વખત જતા તેને દોસ્તી થઇ ગઈ, પછી તો ઓરખાણ આપતા તેને જાણવા મળ્યું કે તેના મિત્રો જમના દૂતો છે.હવે જરૂર નવાઈ લાગે,માનવ વસ્તીમાં યમના દૂતોનો ભેટો થાય,પણ ઘણા વખતથી આવતા એટલે છોકરાને તેમની સાથે ગમી ગયેલું ,યમદૂતો કોઈના મૃત્યુનો સમય નજીક હોય એટલે આવે અને તેના આત્માને ચિત્રગુપ્તના ચોપડા પ્રમાણે તેના કરેલા કર્મ પ્રમાણે નરક કે સ્વર્ગમાં યમરાજાના નિર્ણય પછી મૂકી આવે.હવે આ ચાર યમદૂતોનો આ પરબ પાસેથી જવાનો રસ્તો એટલે ત્યાં પાણીથી સંતોષ મેળવી તેમના મિત્ર છોકરા સાથે ગમતી વાતો કરી પોતાના કામે જતા રહે,પણ છોકરાને એક દિવસ પોતાનું મૃત્યુનો સમય જાણવાનો વિચાર આવ્યો અને તેની રજૂઆત તેણે તેના  મિત્રોને કરી,હવે તેઓ તો નોકરી કરતા હતા એટલે છોકરાને સમજાવવા પ્રયત્ન કર્યો કે આ અંગત વાત હોય અમારાથી ન કહી શકાય અને એ વિષે જાણ્યા પછી માનવને દુઃખ થયા વિના રહે નહિ કેમકે મૃત્યુની પીડા ખુબ જ હોય,પણ છોકરાએ તેમને વિનંતી કરી કે તમે રોજ ચીત્રગુપ્તનો ચોપડો જોતા જ હોય અને મારા મિત્ર છો તો આટલું મારુ કામ ન કરો...પેલા મિત્રોએ છોકરાને ખુબ સમજાવ્યો પણ તેણે પોતાની ઈચ્છા દ્રઢ કરી વિનંતી કરી આખરે યમદૂતો એ તેની માંગણી સંતોષવા ની કબૂલાત કરી,બીજે દિવસે તેઓ તેનું મ્ર્ત્યુ વિષે જોઈને આવ્યા તો બધાના ચહેરા ઉપર દુઃખ છવાયેલું હતું અને એક યમદૂત તો રડતો હતો.એટલે છોકરાને પોતાનું મૃત્યુ વિપરીત અથવા નજીકમાં લાગ્યું તેણે તેના મિત્રોને તેની વિગત દુઃખી થયા વગર કહેવા કહ્યું કેમકે જે કઈ વિગત હતી તેમાં કોઈ ફેરફાર તો કરી શકાવાનો ન હતો કેમકે જન્મ અને મૃત્યુ તો વિધાતાની દેણ છે અને તેમાં ભગવાન સિવાય કોઈ ફેરફાર ન કરી શકે.આખરે તેને જાણવા મળ્યું કે તેનું મૃત્યુ તેના લગ્ન થયા પછી તેની પત્નીને પ્રથમ સમય મળતા પહેલા સર્પદંશથી થશે.અને તેમાં એક જમદૂત રડતો હતો તેને શાંત થવા કહ્યું પણ તે  શાંત ન થયો  અને તેણે રડતા કહ્યું કે મારા મિત્રને સર્પ દંશ આપવા મને સર્પ બનવાનું ફરમાન છે.એનો અર્થ એવો થયો કે હવે થોડા સમયમાં તેનું મૃત્યુ થશે કેમકે તેના લગ્ન નક્કી થઇ ગયા છે.પણ પોતાના મિત્રોને શાંત કરતા તે છોકરો બોલ્યો ભગવાનના કામમાં કોઈ ફેરફાર કરી ન કરી શકે એટલે એનો સ્વીકાર કરવો જ રહ્યો,સમય પસાર થયો અને મિત્રો પરબ ઉપર  મળતા રહ્યા પણ જેને સર્પ બનવાનું હતું તે યમદૂતને શાંત કરતા કહ્યું
" તારે જે કામ કરવાનું છે તે અવશ્ય કરવું કેમકે તે તને સોંપવામાં આવ્યું છે મારે માટે થઈને તું દુઃખી ન થા,એ તો તારી ફરજ છે"
અને વાજતે ગાજતે છોકરાના લગ્ન થયા,તે રાત્રે જયારે પોતાની પત્નીને પ્રથમ વખત તે મળવા સીડી ચઢવા ગયો ત્યાં ઉપરથી તેનો મિત્ર તેને સર્પ દંશ આપવા નીચે આવવા લાગ્યો અને તેની પત્ની જે પોતાના પતિનું સ્વાગત કરવા ફૂલનો હાર અને ભોજન નો થાળ તૈયાર કરી બેઠી હતી તેણે સીડી ઉપર પગનો અવાજ સાંભળ્યો,પણ તેણે કોઈ વાત કરતુ જણાયું એટલે અહીં પતિ સિવાય બીજું કોણ હોય એટલે નવાઈથી તે સીડી ઉપરની  તેના પતિ સાથેની કોઈની વાત બારીકાઈથી સાંભળવા ઉત્સુક બની તેમાં તેણે તેના પતિને સર્પદંશથી મૃત્યુ થવાની વાત નિશ્ચિત સાંભળી તે એકદમ ઉદાસ થઇ ગઈ ,પતિ મિલન પહેલા જ મૃત્યુ પામશે. એ જાણી તેણે પોતાના પતિ માટે સજાવેલો ફૂલનો હાર તથા ભોજનનો થાળ નકામા સમજી તે નિરાશ થઇ બેસી પડી,તેણે જે સાંભર્યું તેમાં તેના પતિનું મૃત્યુ નક્કી હતું અને તેમાં તે કઈ કરી ન શકે પણ તેને વિચાર આવ્યો કે આ ભોજનનો થાળ કોઈ ભુખ્યાને આપી તૃપ્ત કરું તો થોડોક તો મૃત્યુમાં સુધારો થાય,તેના પતિએ પરબ માંડી આખું જીવન તરસ્યા જીવોને તૃપ્તિ આપી તો આ ભોજનથાળ કોઈની ક્ષુધા શાંત કરે ,પણ રાતનો સમય કોણ ભૂખ્યું હોય,પણ તેનો વિચાર સારો હતો
એટલે એક વણજારા પિતાની દીકરીએ રાતે પુત્રનો જન્મ આપ્યો અને પછી તેને ખુબ ભૂખ લાગી ઘરમાં ખાવાનું કૈજ નહિ એટલે તેણે તેના પિતાને કહ્યું મને ખાવા કૈજ ન મળે તો હું મારા પુત્રને   ખાઈ જઈશ અને પિતા એ તેને શાંત કરી અને કહ્યું હું તારે માટે ખાવાનું શોધી લાવું છું તે પહેલા તું આવું કોઈ પગલું ન ભરતી અને તે શેરીએ સાદ્  પાડતો ખાવાનું માંગવા લાગ્યો અને તે ફરતો  આ છોકરાની શેરીમાં આવી ચઢ્યો તો છોકરાની પત્નીએ પાછળ ના દરવાજેથી ભોજનનો થાળ આ વણજારા બાપને આપી દીધો અને તેની છોકરીની ક્ષુધા શાંત થઇ એટલે તે છોકરીએ અને તેના બાપે છોકરાની પત્નીને સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા.તેના પ્રતાપે છોકરાને વારંવાર સર્પ દંશ આપવા છતાં છોકરો જીવંત રહ્યો,જમદૂતે જમરાજા પાસે પોતાની વાત કહી ત્યાં પ્રભુ જાતે જમરાજા પાસે ઉભેલા જોયા, અને ભગવાને પેલી વણજારા પુત્રી ના સાચા દિલના આશીર્વાદ માન્ય રાખી જમરાજાને છોકરાને ૧૦૦ વર્ષનું આયુષ્ય આપવા સૂચન કર્યું આમ ભગવાન સાચા ભક્તની સદા સહાય કરતા હોય,આ છોકરાને ભૂખ અને તરસ ની મદદ કરવા બદલ ૧૦૦ વર્ષનું આયુષ્ય પ્રદાન કર્યું.અને સંદેશ આપ્યો કે ભૂખ્યા  અને તરસ્યા જીવને જે  સહાય  કરશે તેની મદદ કરવા તે હંમેશા તૈયાર રહેશે.

જય શ્રી કૃષ્ણ 
રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment