Friday, August 23, 2019

શુભકામનાઓ.


શુભકામનાઓ.



પ્રિય વાચક મિત્રો
આપ સહુને તથા કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી જન્માષ્ટમીની ખુબ શુભકામનાઓ.
-મહેન્દ્ર ભટ્ટ.


શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો.

ભગવાન શ્રી કૃષ્ણના ખડગનું  નામ નંદક,ગદાનું નામ કૌમોદકી અને શંખનું નામ પંચજન્ય જે ગુલાબી રંગનો હતો.
ભગવાન શ્રી કૃષ્ણુના ધનુષ્યનું નામ સારંગને મુખ્ય શસ્ત્ર ચક્રનું નામ સુદર્શન હતું,તે લૌકિક,દિવ્યાસ્ત્ર અથવા દેવાસ્ત્ર ત્રેણય રૂપમાં કામ કરી શકતું હતું.તેની બરાબરીના દુનિયામાં બીજા બે શસ્ત્રો હતા, પાશુપતાસ્ત્ર (શિવ કૃષ્ણ અને અર્જુન પાસે હતા)અને પ્રસ્વંપાસ્ત્ર (શિવ,વસુગણ,ભીષ્મઅને કૃષ્ણ પાસે હતા) 
ભગવાન શ્રી કૃષ્ણના પરદાદી "મારિષા" અથવા અપરમા રોહિણી (બલરામની માં)નાગ જ્ઞાતિના હતા.
ભગવાન શ્રી કૃષ્ણ સાથે જેલમાં બદલેલી યશોદા પુત્રીનું નામ એકાંશા હતું.જે આજે વિધ્યવાસિની દેવીના નામે પૂજવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમિકા રાધાનું વર્ણન મહાભારત,વિષ્ણુપુરાણ,હરિવંશપુરાણ ,ભગવતપુરાણમાં નથી.તેનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણ,ગીતગોવિંદ જેવી જનશ્રુતિઓમાં છે.
 ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા સમય સિવાય  છ મહિનાથી વધારે દ્વારકામાં નથી રહ્યા.
ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું ભણતર ઉજ્જૈનના સાંદિપની આશ્રમમાં થોડાક મહિનામાં પૂરું કર્યું હતું.
શ્રી કૃષ્ણને કાલારીપટ્ટુના પ્રથમ આચાર્ય માનવામાં આવે છે.તે કારણથી નારાયણી સેનાભારતની સહુથી ભયંકર પ્રહારક સેનાએ બની ગઈ હતી.
ભગવાન શ્રી કૃષ્ણના મસલ્સ લવર્ણમય અથવા મૃદુ હતા પરંતુ યુદ્ધના સમયમાં તે વધીને કઠણ થઇ જતા.એટલે કન્યાની માફક દેખાતું તેમનું સુંદર શરીર યુદ્ધના સમયમાં ભયંકર દેખાવા લાગતું હતું.
ભગવાન શ્રીકૃષ્ણે કેટલાય યુદ્ધોનું સંચાલન કર્યું હતું પરંતુ તેમાંના ત્રણ બધામાં ભયંકર હતા.
૧.મહાભારત,૨.જરાસંઘ અને કલ્યવાનની સામે અને ૩.નરકાસુરની સામે.
ભગવાન શ્રી કૃષ્ણે ૧૬ વર્ષની ઉંમરમાં દુનિયામાં પ્રચલિત ચારુણ અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ કર્યો હતો.મથુરામાં દુષ્ટ રજકના માથાને હથેળીના પ્રહારથી કાપી નાખ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણના જીવનનું મોટામાં મોટું ભયાનક યુદ્ધ સુભદ્રાની  પ્રતિજ્ઞાને  કારણે અર્જુન સાથે થયું હતું જેમાં બંને એ પોત પોતાના વિનાશક શસ્ત્રો અનુક્રમે સુદર્શન અને પાશુપતાસ્ત્ર કાઢ્યા હતા પછી દેવોના વચ્ચે પડવાથી બંને શાંત થયા હતા.
ભગવાન શ્રી કૃષ્ણે બે શહેરોની સ્થાપના કરી હતી દ્વારકા(પુરાણમાં કુશાવતી)અને પાંડવ પુત્રો દ્વારા ઇન્દ્રપ્રસ્થ (પુરાણમાં ખાંડવપ્રસ્થ)
 ભગવાન શ્રી કૃષ્ણે કાલારીપટ્ટનો પાયો નાખ્યો જે પછીથી બૌદ્ધધર્મનથી થી આધુનિક માર્શલઆર્ટમાં વિકસિત થઇ.
ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ભગવતગીતાના રૂપમાં આધ્યાત્મિકતાની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી જે માનવતા માટે આશાનો ખુબજ મોટો સંદેશો હતો,છે અને કાયમ રહેશે.
(એક પબ્લિશ હિન્દી માહિતીના આધારે)
અનુવાદક-મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, August 13, 2019

શુભ કામનાઓ.






                                     સ્વાતંત્ર દિવસ  તેમજ 


રક્ષા બંધનની હાર્દિક શુભેચ્છાઓ

Image result for raksha bandhan 2019 date



વાચક મિત્રો ,
સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઓગસ્ટ ની તેમજ ભાઈ બહેનના પવિત્ર દિવસ રક્ષાબંધન ની પ્રિય વાચક મિત્રોને તથા કુટુંબીજનોને "મોગરાના ફૂલ" બ્લોગ વતી હાર્દિક શુભ કામનાઓ.

-મહેન્દ્ર ભટ્ટ.

Thursday, August 1, 2019

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો ●●●●


ગુજરાત રાજ્યના પિશ્ચમ સમુદ્રના કિનારે આવેલા ચાર ધામોમાંથી એક ધામ અને ૭ પવિત્ર પુરીઓમાંની એક પુરી દ્વારકા છે , જ્યા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થાય છે ચાલો તેના રહસ્યોના ઇતિહાસ અંગે જાણીયે..

૧. પુરાણી કથાઓ પ્રમાણે મહારાજા રેવાતકના સમુદ્ર તટ પર કુશ પાથરીને યજ્ઞ કરવાને કારણે આ નગરીનું નામ પહેલા કુશસ્થલી હતું.

૨. હરિવંશ પુરાણના આધારે કુશસ્થલીના ઉઝડી ગયા પછી શ્રી કૃષ્ણના આદેશ થી મયાસુર અને  ઋષિ વિશ્વામિત્રે અહીં ભવ્ય નગરનું નિર્માણ કર્યું હતું જેનું નામ દ્વારિકા રાખવામાં આવ્યું હતું.

૩.કેટલાય દરવાજાનું શહેર હોવાથી દ્વારિકાને દ્વારાવતી,કુશસ્થલી,આનર્તક,ઓખા-મંડળ,ગોમતી દ્વારિકા,ચક્રતીર્થ,અંતરદ્વીપ,વારિદુર્ગ,અને ઉદધિમથ્યસ્થાન પણ કહેવાય છે.

૪. આ નગરમાં વિશાળકાય સભામંડપ હતો.સમુદ્રી વહેપાર માટે બંદરગાહ પણ હતું. કહેવાય છે કે શહેરમાં સોનુ,રજત અને રત્નો સાથે ૭,૦૦,૦૦૦ મહેલો હતા.તેના સિવાય કુદરતી ઉદ્યાન અને ઝરણાઓ પણ હતા.

૫. જૈન સૂત્રના 'અંતકૃતદશાંગ'માં ૧૨ યોજન લાંબા અને ૯ યોજન પહોળા વિસ્તારનો ઉલ્લેખ છે.તથા તેનું કુબેર દ્વારા નિર્માણ બતાવવામાં આવ્યું છે.અને તેના વૈભવ અને સુંદરતાને કારણે તેની તુલના અલકા સાથે કરવામાં આવી છે.

૬. ઘણા પુરાણકારો માને છે કે શ્રી કૃષ્ણ ૧૮ સાથી અને કુળ સાથે દ્વારકા આવ્યા હતા. અહીં તેમણે ૩૬ વર્ષો સુધી રાજ કર્યું હતું.તેમના નિર્વાણ પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો.

૭. એ પણ કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી અને દુર્વાશા ઋષિએ  યદુવંશના નાશ માટેનો શ્રાપ આપ્યો હતો તેના કારણે દ્વારિકા નાશ પામી હતી.

૮. એક માન્યતા  એ પણ છે કે આ નગર અરબી સમુદ્રમાં ૬ વાર ડૂબી ગયું હતું અને વર્તમાન દ્વારકા સાતમું શહેર અથવા નગર છે જેનું પુરાણી દ્વારકા પાસે ફરી નિર્માણ કરવામાં આવ્યું છે.

૯.વર્તમાન દ્વારિકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત છે.દ્વારકાધીશ મંદિરનું વર્તમાન સ્વરૂપ ૧૬મી સદીમાં નિર્માણ પામ્યું હતું.અહીં પહેલા કેટલાય મંદિરો હતા પણ મોગલોએ તેને તોડી નાખ્યા હતા.

૧૦. દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં ચાંદીના સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા વિરાજમાન છે.અહીં તેને 'રણછોડજી' પણ કહેવામાં આવે છે.કહેવાય છે કે આ મંદિરની જગ્યા પહેલા અહીં નિજીમહેલ અને હરિગૃહ હતા.

૧૧. વર્તમાન દ્વારિકા બે છે,ગોમતી દ્વારિકા,બેટ દ્વારિકા.ગોમતી દ્વારિકા ધામ છે.અને બેટ દ્વારિકા પુરી છે બેટ દ્વારિકા માટે સમુદ્ર માર્ગે જવું પડે છે. 

૧૨.'ધ હિન્દૂ' ની એક રિપોર્ટ અનુસાર ૧૯૬૩ માં સહુથી પહેલા દ્વારકા નગરીની ઍસ્કવેશન ડેક્કન કોલેજ પુણે,ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે મળીને કર્યું હતું. તે વખતે ૩૦૦૦ હજાર વર્ષો પુરાણા વાસણો મળ્યા હતા.ત્યાર પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની અંડરવોટર આર્કિયોલોજિ  વિંગને સમુદ્રમાં કેટલાક ત્રામ્બાના સિક્કાઓ અને ગ્રેનાઈટ સ્ટ્રક્ચરો પણ મળ્યા હતા.ત્યાર પછી આખું નગર શોધી કઢાયું.

(એક પુબ્લીશ રિપોર્ટનો અનુવાદ.-રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.)