Friday, August 23, 2019

શુભકામનાઓ.


શુભકામનાઓ.



પ્રિય વાચક મિત્રો
આપ સહુને તથા કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી જન્માષ્ટમીની ખુબ શુભકામનાઓ.
-મહેન્દ્ર ભટ્ટ.


શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો.

ભગવાન શ્રી કૃષ્ણના ખડગનું  નામ નંદક,ગદાનું નામ કૌમોદકી અને શંખનું નામ પંચજન્ય જે ગુલાબી રંગનો હતો.
ભગવાન શ્રી કૃષ્ણુના ધનુષ્યનું નામ સારંગને મુખ્ય શસ્ત્ર ચક્રનું નામ સુદર્શન હતું,તે લૌકિક,દિવ્યાસ્ત્ર અથવા દેવાસ્ત્ર ત્રેણય રૂપમાં કામ કરી શકતું હતું.તેની બરાબરીના દુનિયામાં બીજા બે શસ્ત્રો હતા, પાશુપતાસ્ત્ર (શિવ કૃષ્ણ અને અર્જુન પાસે હતા)અને પ્રસ્વંપાસ્ત્ર (શિવ,વસુગણ,ભીષ્મઅને કૃષ્ણ પાસે હતા) 
ભગવાન શ્રી કૃષ્ણના પરદાદી "મારિષા" અથવા અપરમા રોહિણી (બલરામની માં)નાગ જ્ઞાતિના હતા.
ભગવાન શ્રી કૃષ્ણ સાથે જેલમાં બદલેલી યશોદા પુત્રીનું નામ એકાંશા હતું.જે આજે વિધ્યવાસિની દેવીના નામે પૂજવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમિકા રાધાનું વર્ણન મહાભારત,વિષ્ણુપુરાણ,હરિવંશપુરાણ ,ભગવતપુરાણમાં નથી.તેનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણ,ગીતગોવિંદ જેવી જનશ્રુતિઓમાં છે.
 ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા સમય સિવાય  છ મહિનાથી વધારે દ્વારકામાં નથી રહ્યા.
ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું ભણતર ઉજ્જૈનના સાંદિપની આશ્રમમાં થોડાક મહિનામાં પૂરું કર્યું હતું.
શ્રી કૃષ્ણને કાલારીપટ્ટુના પ્રથમ આચાર્ય માનવામાં આવે છે.તે કારણથી નારાયણી સેનાભારતની સહુથી ભયંકર પ્રહારક સેનાએ બની ગઈ હતી.
ભગવાન શ્રી કૃષ્ણના મસલ્સ લવર્ણમય અથવા મૃદુ હતા પરંતુ યુદ્ધના સમયમાં તે વધીને કઠણ થઇ જતા.એટલે કન્યાની માફક દેખાતું તેમનું સુંદર શરીર યુદ્ધના સમયમાં ભયંકર દેખાવા લાગતું હતું.
ભગવાન શ્રીકૃષ્ણે કેટલાય યુદ્ધોનું સંચાલન કર્યું હતું પરંતુ તેમાંના ત્રણ બધામાં ભયંકર હતા.
૧.મહાભારત,૨.જરાસંઘ અને કલ્યવાનની સામે અને ૩.નરકાસુરની સામે.
ભગવાન શ્રી કૃષ્ણે ૧૬ વર્ષની ઉંમરમાં દુનિયામાં પ્રચલિત ચારુણ અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ કર્યો હતો.મથુરામાં દુષ્ટ રજકના માથાને હથેળીના પ્રહારથી કાપી નાખ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણના જીવનનું મોટામાં મોટું ભયાનક યુદ્ધ સુભદ્રાની  પ્રતિજ્ઞાને  કારણે અર્જુન સાથે થયું હતું જેમાં બંને એ પોત પોતાના વિનાશક શસ્ત્રો અનુક્રમે સુદર્શન અને પાશુપતાસ્ત્ર કાઢ્યા હતા પછી દેવોના વચ્ચે પડવાથી બંને શાંત થયા હતા.
ભગવાન શ્રી કૃષ્ણે બે શહેરોની સ્થાપના કરી હતી દ્વારકા(પુરાણમાં કુશાવતી)અને પાંડવ પુત્રો દ્વારા ઇન્દ્રપ્રસ્થ (પુરાણમાં ખાંડવપ્રસ્થ)
 ભગવાન શ્રી કૃષ્ણે કાલારીપટ્ટનો પાયો નાખ્યો જે પછીથી બૌદ્ધધર્મનથી થી આધુનિક માર્શલઆર્ટમાં વિકસિત થઇ.
ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ભગવતગીતાના રૂપમાં આધ્યાત્મિકતાની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી જે માનવતા માટે આશાનો ખુબજ મોટો સંદેશો હતો,છે અને કાયમ રહેશે.
(એક પબ્લિશ હિન્દી માહિતીના આધારે)
અનુવાદક-મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment