Tuesday, September 3, 2019

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 






પ્રિય વાચક મિત્રો આપ સહુને તેમજ આપણા કુટુંબીજનોને પવિત્ર તહેવાર ગણેશચતુર્થીની શુભ કામનાઓ,આપ સહુ ઉપર ભગવાન ગણપતિજીના આશીર્વાદ ઉતરે.
મોગરાનાફૂલ વતી,
-મહેન્દ્ર ભટ્ટ.

ગણેશજી અંગે હિન્દૂ માન્યતા અનુસાર એક વખત ભગવાન શિવજીની ગેરહાજરીમાં માતા પાર્વતી સ્નાન કરતા હતા ત્યારે એમને દ્વાર પર કોઈ આવે નહિ તે માટે એક બાળકની પ્રતિમાનું નિર્માણ કરી તેમાં પ્રાણ પૂર્યા અને દ્વાર ઉપર પહેરો ભરી  કોઈને પણ ન આવવાં દેવાનું સૂચન કર્યું.માતાજીની આજ્ઞા વશ બાળકે  પહેરો ભરવા મંડ્યો તે દરમ્યાન શિવજીના ત્રણ ગણો આવ્યા અને ઘરમાં જવાનો આગ્રહ કર્યો પણ અવજ્ઞા કરતા યુદ્ધ થયું અને બાળકે  ગણોને પરાસ્ત મારી નાખ્યા  આથી અંતે ભગવાન શિવજીએ ક્રોધિત થઇ બાળકનું માથું કાપી નાખ્યું,માતા પાર્વતી ક્રોધે ભરાયા અને સર્વનાશની ઘોષણા કરી આથી દેવો ખુબ ગભરાયા અને માતા પાર્વતીને પ્રાથના કરી શાંત કર્યા,શ્રી વિષ્ણુ ભગવાને ઉત્તરમાં પ્રયાણ કરી એક હાથીનું ડોકું કાપી લાવ્યા જેને  ભગવાન રુદ્રે બાળકના કપાયેલા શરીર સાથે જોડતા ભગવાન ગણપતિજીનું સર્જન થયું જેથી માતાજી હર્ષિત થયા અને બાલ ગણપતિને ભેટી પડ્યા દેવોએ ભગવાન ગણપતિને બધાથી ઉંચુ સ્થાન આપી તેમની પ્રથમ પુંજા પછી જ બીજી પૂજા થાય તેવું નક્કી કર્યું,અને સર્વત્ર આનંદની લાગણી છવાઈ ગઈ આ ઘટના ભાદરવા માસની શુક્લપક્ષની ચોથે બની એટલે ત્યારથી ગણેશચતુર્થીને  હિન્દૂ સમાજ ધૂમ ધામથી મનાવી ભગવાન ગણપતિની આરાધના કરે છે. 

No comments:

Post a Comment