Sunday, September 29, 2019

નવરાત્રીની શુભ કામનાઓ


જય માતાજી






















આજથી શરુ થતા નવરાત્રી ઉત્સવની સહુ વાચક મિત્રોને ‘મોગરાનાફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખૂબ જ શુભ કામનાઓ માતાજીના આશીર્વાદ સહુ પર ઉતરે,જય માતાજી,

મહેન્દ્ર ભટ્ટ


એક માહિતી
જય આદ્યા શક્તિના રચયિતા કોણ હતા.
ઈ.સ.૧૫૪૧ માં જન્મેલા સ્વામી શિવાનંદ નામના નાગર બ્રાહ્મણે,આ ખુબ જ ભાવવાહી લોકપ્રિય આરતીની રચના કરી હતી.મૂળ વડનગરના વતની તેમના દાદા હરિહર કાકદેવ પંડ્યા ૧૪ મી સદીમાં વડનગરથી સુરત આવીને વસ્યા હતા.તેમના પિતા વામદેવ હરિહર પંડ્યાના અવસાન બાદ કાકા સદાશિવે તેમને ઉછેરીને મોટા કર્યા હતા.તેઓ સુરતમાં અંબાજી રોડ ઉપર નાગર ફળિયામાં રહેતા હતા.આ આરતી શિવાનંદ સ્વામીએ,ઈ.સ. ૧૬૦૧ માં અંકલેશ્વર નજીક માંડવી બુઝુર્ગ ગામે આવેલા માર્કંડ મુનિ આશ્રમના યજ્ઞ સંપન્ન કર્યા બાદ લખી હતી.જગદંબાના વિવિધ રૂપ અને ગુણોની સ્તુતિ આ આરતી દ્વારા કરવામાં આવી છે.

No comments:

Post a Comment