Saturday, February 15, 2020

ૐ નું નિશાન અને મહત્વ

ૐ નું  નિશાન ઉદ્ભવવું



વાચક મિત્રો,મારી ઈ- મેઈલ મેં 'ૐ પેઇન્ટિંગ 'ના નામે રાખ્યા બાદ કેટલાક વખત પછી મારા જમણા હાથના અંગુઠા અને પહેલી આંગળી વચ્ચેના હથેળીના ભાગે ૐ આકારનું ચિન્હ ઉપસ્થિત થયું જે આજે પણ છે હવે ૭૨ વર્ષ પુરા થયે મને એમ લાગ્યું કે આ વસ્તુ પબ્લિશ કરવી જરૂરી છે એટલે જાહેર કરી છે બીજો કોઈ હેતુ નથી,ભગવાનને માનવું અને માનવતાના ધર્મે ચાલવું આ કળિયુગમાં ખુબ જરૂરી છે.

હિન્દુત્વ માં ૐ એક ખુબ જ અગત્યનું  પવિત્ર નિશાન છે,તે આત્મા અને બ્રહ્મ નું કોઈ અગત્યનું સંધાણ છે જેને શ્રીમદ ભગવતગીતામાં ઓમકારને એકાક્ષર બ્રહ્મ કહ્યો છે.હિન્દુત્વ,બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં બધે જ શ્રદ્ધાનો ભાવ  છે ૐકાર એ પ્રણવ મંત્ર છે.ધર્મ શાસ્ત્રો,પુરાણોમાં ઓમકારનો મહિમા સર્વત્ર જોવા મળે છે.યોગી સંપ્રદાયમાં ૐકારસાધના નો ક્રમ પ્રચલિત છે.ૐ ત્રણ શબ્દો અ,ઉ,મ મળીને બને છે જે ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ તથા ત્રિલોક ભૂર્ભુવઃસ્વ: ભૂલોક,ભૂવઃલોક તથા સ્વર્ગ લોકનું પ્રતીક છે.

પદ્માશનમાં બેસી તેનો જપ કરવાથી મનને શાંતિ તથા એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે.કેટલીય બીમારીથી રક્ષણ  થાય છે તથા શરીરના સાત ચક્ર (કુંડલિની ) ને જાગૃત કરે છે.તેના ઉચ્ચાર સાથે શરીરનો ત્યાગ થાય તો તે પરમ ગતિને મેળવે છે.તે બ્રહ્માંડનો નાદ  છે.

ૐ નું જીવનમાં ખુબ જ મહત્વ છે.ગીતામાં પણ ૐકારના જપનું વિધાન છે.તેના હજારો અર્થ છે.તેમાં એક આ છે -પરમાત્માનું આહ્વાન કરવું.આ વેદોનો બીજભૂત મહામંત્ર છે,સાક્ષાત બ્રહ્મ છે.વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ‘ ૐ ૐ ‘ એવો ઉચ્ચારણ કરવા માત્રથી પ્રાણોની ઉધર્વગતિ સ્વયંમેવ થવા લાગે છે તેમાં પ્રાણોની ઉધર્વગતિ કરવાની અદભુત ક્ષમતા છે તેને સાક્ષાત બ્રહ્મ માનવામાં આવે છે.એટલે આપે જોયું હશે કે કેટલાય ચિત્રકારોએ ૐ ની અંદર જ ભગવાનનું ચિત્ર બનાવ્યું છે.

ૐ છે જીવન અમારું,ૐ પ્રાણાધાર છે.
ૐ છે કર્તા,વિધાતા,ૐ પાલનહાર  છે.
ૐ છે દુઃખોનો વિનાશક,ૐ સર્વદાનંદ છે.
ૐ છે બળ તેજધારી,ૐ કરુણા કંદ છે.
ૐ બધાનો પૂજ્ય છે,અમે ૐનું પૂજન કરીએ.
ૐ નાજ ધ્યાનથી અમે શુદ્ધ આપણું મન કરીએ.
ૐનો ગુરુમંત્ર જપવાથી રહેશે આપણું શુદ્ધ મન.
બુદ્ધિ રોજ વધશે અને ધર્મમાં વધશે ખુબ લગન.
ૐના જપથી અમારું જ્ઞાન ખુબ વધતું જશે.
અંતમાં આ ૐ અમને મુક્તિ સુધી પહોંચાડશે.

ૐકાર મંત્ર 

ૐકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીન: l
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમઃ ll 




આભાર-જય શ્રી કૃષ્ણ.

Friday, February 14, 2020

ભીમનાથ મહાદેવ

ભીમનાથ મહાદેવ


+

ધંધુકાથી ભાવનગર વચ્ચે ભીમનાથ મહાદેવનું સ્થાન આવેલું છે આશરે ૫૫૦૦ વર્ષો પહેલા  બાર વર્ષના ગુપ્તવાસ દરમ્યાન પાંડવો હેડંબાના વનમાં હતા ત્યાં આઠ દિવસના ઉપવાસ સાથે તેઓ નીલમ નદીને કિનારે આવ્યા કુંતા માતા અને  દ્રૌપદી પણ સાથે હતા અર્જુનનો નિયમ હતો મહાદેવના દર્શન કર્યા વગર જમવું નહિ અને ભીમથી ભૂખ્યું રહેવાય નહિ એટલે મોકો શોધ્યા કરે એમાં ફરતા ફરતા લોટો લઈને બધાથી જુદો
ગયો અને કેહતો ગયો ‘હું આવું છું’અને બધા તેની રાહ જોતા રોકાયા થોડી વારમાં તે પાછો આવ્યો અને કહ્યું અહીંથી થોડે દૂર શિવજીનું સ્થાન મળ્યું અને બધાને ત્યાં લઇ ગયો બધાએ પાંદડા ચઢાવેલા હતા એટલે અર્જુનને આગળ કરી નમસ્કાર કરી શિવજીની પ્રાર્થના કરી ખાધું અને ખાધા પછી ભીમ બોલ્યો ‘અર્જુન આ શિવ નથી આ તો મને ભૂખ લાગી હતી એટલે પથ્થર ઉપર લોટો મૂકી મેં પાંદડાનો ઢગલો કર્યો હતો ‘અને બધા જોતા રહ્યા અને ભીમ પાંદડા ખસેડવા ગયો અને ત્યાં બધાની નવાઈ વચ્ચે ભીમ તે પથ્થર ખસેડી ન શક્યો અને દૂધની ધારા સાથે શિવલિંગ પ્રગટ્યું અને જેમાં અર્જુનની ભક્તિનો મહિમા સમાયેલો હતો ભીમના નામે નામ પડ્યું ભીમનાથ મહાદેવ.

બીજી એક પૌરાણિક કથા આ પ્રમાણે છે તે સમયમાં રાક્ષસોની હેરાનગતિ વધી જતા સત્તાના ઉપરીને લોકોએ  સતત ફરિયાદ કરી પણ વૈભવમાં મગ્ન ઇન્દ્રે ક્યાં તો ભોગ વિલાસમાં ધ્યાન ન આપ્યું કે રાક્ષસોની તાકાત ખુબ હતી એટલે યુદ્ધથી બચવા ધ્યાન ન આપ્યું એટલે  લોકોએ દુર્વાશા ઋષિ ને ફરિયાદ કરી દુર્વાશા ઋષિએ બધાને શાંત કરી તે વિષે તુરંત પગલું ભર્યું અને તે પ્રાંતના ઉપરી એટલે ઇન્દ્ર પાસે ગયા
જ્યાં નૃત્યાંગનાઓ સતત વૈભવશાળી નૃત્યથી રાજા ઇન્દ્રને રીઝવતી  હતી અને ઇન્દ્ર ભોગ વિલાસમાં હતો.દુર્વાશા ઋષિ એટલે પ્રચંડ અગ્નિનું રૂપ  તેમને જોઈ બધા ડરવા લાગ્યા જયારે,
 'ક્યાં છે ઇન્દ્ર' નું ફરમાન થયું ત્યારે કોઈ કારણ સર  એક નૃત્યાંગનાના  હાથની કોણી દુર્વાશા ઋષિને અડી ગઈ ઋષિ ક્રોધે ભરાયા અને બોલ્યા,
'સામે કોણ છે તેનું પણ ભાન નથી ,જા,હું તને શ્રાપ આપું છું તું પૃથ્વી ઉપર ઘોડી થઇ જા 'અને નૃત્યાંગનાએ કહ્યું,
' પ્રભુ આમાં મારો વાંક નથી હું તો મારી ફરજ બજાવતી હતી નૃત્ય કરવાનું મારુ કામ હતું,થોડું આપે પણ ધ્યાન રાખવું જરૂરી હતું.'દુર્વાશા ઋષિ નૃત્યાંગનાની પ્રાર્થનાથી શાંત થયા પણ બોલ્યા,
 'શ્રાપ તો દેવાઈ ગયો તે મિથ્યા ન થઇ શકે પણ નિવારણ માટે જયારે સાડા ત્રણ વ્રજ ભેગા થશે ત્યારે તું ફરીથી અહીં આવી જઈશ.' અને  હસ્તિનાપુરમાં નદીના વિસ્તારમાં તે ઘોડી થઈને ઉતરી. તેનું આકર્ષણ એટલું વધ્યું કે ચરવા આવતા રાજાના ઘોડા ચરવાનું છોડીને સામે કિનારે જોયા કરતા રાજાના માણસોએ. રાજાને ફરિયાદ કરી રાજાએ આકર્ષિત ઘોડીના વિષયમાં બારીકાઈથી વિચારવાનું શરુ કર્યું અને તે ઘોડીને પોતાના તબેલામાં લઇ આવ્યો પણ વાત એવી ઘટી કે તે ઘોડી રાત્રે એક સુંદર સ્ત્રી બની ગઈ અને રાજાની નજર પડતા પૂછયું ,
'તું કોણ છે' તો તેણે પોતાની કહાની સવિસ્તાર સંભળાવી રાજાએ તેને અભયવચન આપ્યું અને કહ્યું ,
'તું અહીં સુરક્ષિત છે હું તારું જાન આપીને પણ રક્ષણ કરીશ.'ત્યાર પછી એક દિવસ વનમાં કૃષ્ણના પૌત્ર પ્રદ્યુમ્ન  ની નજર ઘોડી પર પડી તપાસ કરતા ખબર પડી કે તે ઘોડી રાજા શાંદુલના કબ્જામાં હતી.તેણે ઘોડી મેળવવાનો નિર્ણય કરી પોતાના દાદાને વાત કહી બીજે દિવસે રાજા શાંદુલ ઉપર દ્વારકાથી ફરમાન આવ્યું કે 'ક્યાં તો ઘોડી આપો અથવા યુદ્ધ કરો.'રાજા ખુબજ વિમાસણમાં પડ્યા તે એક ખંડિયા રાજા હતો તેની કૃષ્ણ સામે કોઈ તાકાત નહતી અને ઘોડીના રૂપમાં અપ્સરાને રક્ષણનું અભય વચન આપ્યું હતું તેણે હસ્તિનાપુરમાં જઈ પોતાની વાત કહી હસ્તિનાપુર નો તે ખંડીયો રાજા હતો એટલે હસ્તિનાપુરની ફરજ હતી કે તેને રક્ષણ આપે પણ કૃષ્ણ પાંડવોનું સર્વસ્વ હતા એટલે તેને રક્ષણ ન મળ્યું રાજાએ નિરાશ થઇ આત્મઘાત કરવાનો નિર્ણય કર્યો અને ચિતા સળગાવી ઉપર ચઢ્યો એટલામાં બાળક પરીક્ષિત નદીમાં સ્નાન કરવા આવ્યો તેની નજર પડી તેણે તેને ચિતા પરથી ઉતારી કારણ પૂછ્યું રાજાએ પોતાની વાત કહી બાળકે તેને કહ્યું,
 'હું ક્ષત્રીયનો દીકરો  છું તારું રક્ષણ અમારી જવાબદારી છે હવે યુદ્ધ કરવું પડે તો તે પણ થશે' તેમ કહી તે તેની સાથે બેસી ગયો ઘણી વાર થવાથી ધર્મરાજાને ચિતા થઇ કે કુમાર નદી કિનારેથી હજુ કેમ ન આવ્યો એટલે ભીમસેન ને તપાસ કરવા મોકલ્યો જયારે  ભીમસેન નદી કિનારે આવ્યો હકીકતની ખબર પડી અને કુમારના આદેશથી તે પણ ત્યાં બેસી ગયો ધર્મ રાજાએ એક પછી એક સહુ ભાઈઓને મોકલ્યા અને છેવટે જાતે આવી વાત જાણી જે સાચું હોય તે કરાય પછી તે ગમે તે હોય,  એટલે રાજાને રક્ષણ આપવાનું નક્કી થયું ,શ્રી કૃષ્ણને સંદેશ મોકલાવાયો શ્રીકૃષ્ણએ પણ કોઈ મચક ન આપી હવે યુદ્ધ થાય તો શ્રીકૃષ્ણના સુદર્શન સામે તાકાત ધરાવતું કોઈ શસ્ત્ર ન હોવાથી  ધર્મરાજાને ચિંતા થઇ એટલે ભીમસેન આગળ આવ્યો અને કહ્યું કે હું મહાદેવને પ્રસન્ન કરી મહાદેવનું ત્રિશુલ એક રાતમાં લઇ આવું અને બીજો કોઈ ઉપાય ન હોવાથી ધર્મરાજાએ તેને પરવાનગી આપી અને મહાદેવનું લિંગ બનાવી પૂજા કરી મહાદેવનું કઠોર તપ કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા વરદાનમાં તેણે ત્રિશુલ થોડા સમય માંગ્યું મહાદેવજી એ તે આપ્યું અને અદ્રશ્ય થયા.યુદ્ધ થયું એટલે શ્રી કૃષ્ણે સુદર્શન ચલાવ્યું તો સામે ભીમસેને ધર્મરાજની આજ્ઞા લઇ ત્રિશુલ છોડ્યું બે વ્રજ ભેગા થયા એટલે હાહાકાર મચ્યો બંને પક્ષને ભેગા થવું પડ્યું અને નિકાલ માટેનો નિર્ણય લેવાયો હવે બે વ્રજને નીચે કેવી રીતે લાવવા શ્રી કૃષ્ણે રથની ધજા ઉપર બિરાજતા હનુમાનજીને વિનંતી કરી  હનુમાનજી  નીચે આવ્યા પણ કહ્યું ,
'હું બંનેને નીચે તો લાવું પણ મારે બે વ્રજ સાથે ઉભા ક્યાં રહેવું ?'ત્યાં ભીમસેન આગળ આવ્યો અને કહ્યું મારા અડધા અંગ ઉપર અને સમાધાન થયું હનુમાનજી બે વ્રજ સાથે ભીમસેન ઉપર ઉતર્યા પણ જ્યા સાડા
ત્રણ વ્રજ ભેગા થયા ત્યાં ઘોડીમાંથી સુંદર અપ્સરા થઇ ગઈ તેના શ્રાપનું નિવારણ થતા તે સ્વર્ગમાં જતી રહી અને ભીમસેને કરેલી તપશ્ચર્યાથી શિવલિંગનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું.


હર હર મહાદેવ






Saturday, February 1, 2020

નવધા ભક્તિ ( ભજન )

નવધા ભક્તિ ( ભજન )



પ્રથમ ભક્તિ સંતન કર સંગા,દૂસરી ભક્તિમય કથા પ્રસંગા
બાલ વયસે ભક્તિ કરે (૨) તો તો તીરથ વ્રત ઉનકી આશા કરે કબ આવે હરિકો દાસ
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને શીખવો વચનનો વિશ્વાસ
સદગુરુ ને પૂછીને ,..પગલાં ભરવા ને થઈને રહેવું ગુરુના દાસ ......
ભાઈ રે ,રંગ રૂપમાં બહુ રમવું નહિ ને રે,કરવો ભજનનો અભ્યાસ (૨)
સદગુરુ ને સંગે ,એ નિર્મલ રહેવુંને (૨) તજી દેવી ફળની આશ
નવધા ભક્તિમાં .........
દાતા ભક્તિમાં,દાતાનો ભોક્તા,હરિ એમ કહેવું ,રાખવું નિર્મલ જ્ઞાન રે (૨)
સદગુરુ ચરણોમાં શીશ નમાવી(૨) ધાવું ગુરુજીનું ધ્યાન રે
એ...અભ્યાસીને એવી રીતે રહેવું રે,જાણવો વચનનો  મર્મ રે..
ગંગા સતી બોલ્યાને રે (૨) છોડી દેવા આસુરી કર્મ (૨)
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને પાનબાઈ (૨)શીખવો વચનનો વિશ્વાસ રે ....

જય શ્રી કૃષ્ણ