Friday, July 29, 2022

પવિત્ર શ્રાવણ માસ










પવિત્ર શ્રાવણ માસની આપ સહુને કુટુંબસહીત શુભકામના ,કૃપાળુ દે શિવજી સહુનું કલ્યાણ કરે.

                   -હર હર મહાદેવ.

Saturday, July 2, 2022

ભગવાન જગન્નાથ રથયાત્રા

 ભગવાન જગન્નાથ રથયાત્રા 

ભગવાન જગન્નાથ રથ યાત્રાની ખુબ જ શુભકામનાઓ 




દર્રેક વર્ષની માફક અષાઢ મહિનાની શુક્લ પક્ષ ની બીજી તિથિએ ઉડિશામાં ભગવાન જગન્નાથ ની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની શરૂઆત થવાની છે.પુરી જગન્નાથ રથ યાત્રા આ વખતે ૧ જુલાઈ, શુક્રવારથી શરુ થશે.રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ પણ કાઢવામાં આવે છે.ત્રણેય જુદા જુદા રથોમાં સવાર થઇ યાત્રા પર નીકળે છે.રથયાત્રાનું સમાપન અષાઢ સુદ એકાદશી પર થાય છે.આવો જાણીયે  ભગવાન જગન્નાથ રથ યાત્રા ની ખાસ વાતો અને ધાર્મિક મહત્વ.

ભગવાન જગન્નાથના રથમાં એક પણ કિલનો પ્રયોગ નથી થતો.એ રથ સંપૂર્ણ રીતે લાકડીથી બનાવવામાં આવે છે. ત્યાં સુધી કે કોઈ ધાતુ પણ રથમાં નથી લગાવાતી.રથની લાકડીનો ચયન વસંત પંચમીના દિવસે અને રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસથી થાય છે.

દરેક વર્ષે ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર અને સુભદ્રા ની પ્રતિમા લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે.એ રથોમાં રંગોનું પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.ભગવાન જગન્નનાથનો રંગ શામળો હોવાથી લીમડાની તે લાકડું ઉપીયોગમાં લેવાય છે જે શામળા રંગનું હોય. ત્યાં તેમના ભાઈ બહેનનો રંગ ગોરો હોવાથી તેમની મૂર્તિયોને હલકા રંગની લીમડાના લાકડાનો પ્રયોગ કરવામાં આવે  છે.

પુરીના ભગવાન જગન્નાથના રથમાં કુલ સોળ પૈડાં હોય છે.ભગવાન જગન્નાથનો રથ લાલ અને પીળા રંગનો હોય છે.અને એ રથ બીજા બે રથોથી થોડો મોટો હોય છે.ભગવાન જગન્નાથનો રથ બધાથી પાછળ ચાલે છે.પહેલા બલભદ્ર પછી સુભદ્રાનો રથ હોય છે.

ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહે છે.

બલરામના રથનું નામ તાલધ્વજ 

સુભદ્રાના રથનું નામ દર્પદલન રથ હોય છે

ભગવાનને જેઠ માસની પૂર્ણિમાના દિવસે જે કૂવાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે તે આખા વર્ષમાં ફક્ત એક વાર જ ખુલે છે. ભગવાન જગન્નાથને હંમેશા સ્નાનમાં ૧૦૮ ઘડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. 

દરેક વર્ષે અષાઢ માસ શુક્લ પક્ષ ની બીજી તિથિએ નવા બનાવેલા રથમાં યાત્રા માં ભગવાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાજી નગરનું ભ્રમણ કરતા કરતા જગન્નાથ મંદિરથી જનકપુરના ગુંડિચા મંદિરે પહોંચે છે.ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથની માસીનું ઘર છે. અહીં પહોંચીને વિધિ વિધાનથી ત્રણેય મૂર્તિને ઉતારવામાં આવે છે.પછી માસીના ઘેર સ્થાપિત કરી દેવામાં આવે છે.ભગવાન જગન્નાથ પોતાની માસીને ત્યાં સાત દિવસો સુધી રહે છે.પછી આઠમા દિવસે અષાઢ સુદ દસમી પર રથોને પાછા લેવાય છે.તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે.

 સોનાના ઝાડુથી રસ્તાની સાફ સફાઈ કરાય છે.

ત્રણેય રથોના તૈયાર થયા પછી તેની પુંજા માટે પુરીના ગાજાપતિ રાજાની પાલકી આવે છે.એ પુંજા અનુષ્ઠાનને ‘છર પહનારા ‘ નામથી ઓરખાય છે.એ ત્રણેય રથોની તે વિધિવત પુંજા કરે છે અને ‘સોનાના ઝાડુથી’રથ મંડપ અને યાત્રાના રસ્તાને સાફ કરવામાં આવે છે.

માસીના ઘેર જાય છે વિશ્રામ કરવા જાય છે ભગવાન જગન્નાથ.

અષાઢ માસની સુદ બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ઢોલ,નગારા,તુરહી અને શંખ ધ્વનિ સાથે લોકો રથને ખેંચે છે.જેને રથ ખેંચવાનું સૌભાગ્ય મળી જાય છે તે મહાભાગ્યશાળી માનવામાં આવે છે.જગન્નાથ મંદિરથી રથયાત્રા શરુ થઇ ૩ કિલોમીટર દૂર ગુંડિચા મંદિરે પહોંચે છે.એ સ્થાનને ભગવાનની માસીનું ઘર પણ માનવામાં આવે છે. એક બીજી માન્યતાના પ્રમાણે અહીજ વિશ્વકર્માએ એ ત્રણ પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. એટલે આ સ્થાન ભગવાન જગન્નાથનું જન્મસ્થાન પણ છે.અહીંયા ત્રણે લોક સાત દિવસો માટે વિશ્રામ કરે છે.પછી અષાઢ માસના દસમા દિવસે બધા રથો મુખ્ય મંદિર તરફ પ્રસ્થાન કરે છે. પાછી આવતી આ યાત્રાને બહુડા યાત્રા કહેવાય છે.જગન્નાથ મંદિરે પહોંચ્યા પછી વૈદિક વેદ મંત્રોચાર વચ્ચે દેવ વિગ્રહોને ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવે છે.  

રથ ખેંચવાનું સો યજ્ઞ અને મોક્ષનું પુણ્યફળ મળે છે.

ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવ્યો છે.સ્કંદ પુરાણ પ્રમાણે જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ થઇ જગતના સ્વામી જગન્નાથનું કીર્તન કરતો કરતો ગુંડિચા નગર સુધી જાય છે તે બધાજ કષ્ટોથી મુક્ત થઇ જાય છે.જયારે કે જે વ્યક્તિ જગન્નાથજીને પ્રણામ કરતા કરતા રસ્તાના ધૂળ કીચડ વગેરેમાં રગડતો રગડતો જાય છે તે સીધો ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામને પ્રાપ્ત થાય છે.અને જે વ્યક્તિ ગુંડિચા મંડપમાં રથ પર વિરાજમાન શ્રી કૃષ્ણ,બલરામ અને સુભદ્રા દેવીના દર્શન દક્ષિણ દિશામાં આવતા કરે છે તેને મોક્ષ મળે છે.

જગન્નાથ મંદિરનો મહા પ્રસાદ 

બધા હિન્દૂ મંદિરોમાં ભગવાનની પુંજા આરાધના અને અનુષ્ઠાન કર્યા પછી પ્રસાદ વહેંચવા આવે છે.પણ જગન્નાથ મંદિર જ એક એકલું એવું મંદિર છે જ્યાંનો પ્રસાદ ‘મહાપ્રસાદ ‘ કહેવાય છે.આ મહાપ્રસાદ જગન્નાથ મંદિરમાં આજે પણ પુરાણી રીતે મંદિરની રસોઈમાં બને છે.એવી માન્યતા છે કે જગન્નાથ મંદિરની રસોઈ દુનિયાની બધાથી મોટી રસોઈ છે.મહાપ્રસાદને માટીના સાત વાસણોમાં રાખીને પકાવવામાં આવે છે.તે સાત વાસણોને એકની ઉપર રાખીને પકાવાય છે.બધાથી ખાસ વાત છે બધાથી ઉપર રાખેલા માટીના વાસણમાં પ્રસાદ સહુથી પહેલો પાકે છે પછી તેની નીચે રાખેલા વાસણમાં પ્રસાદ એક પછી એક પાકે છે.મહાપ્રસાદને પકાવવામાં ફક્ત લાકડું અને માટીના વાસણમાં જ પકાવાય છે મંદિરમાં બનનારો મહાપ્રસાદ ક્યારે પણ ખૂટતો નથી.

જગન્નાથ મંદિરથી જોડાયેલી રોચક વાતો 

પુરીના જગન્નાથ મંદિરના શિખર પર લાગેલો ઝંડો ખુબ જ અનોખો છે કેમકે અહીં લાગેલો ધ્વજ હંમેશા હવાના પ વિપરીત દિશામાં લહેરાતો રહે છે

પુરીના જગન્નાથ મંદિરમાં બપોરના સમયે કોઈ પણ સમય મંદિરના શિખરની પડછાયો બનતો નથી 

મંદિર પરિસરમાં બનેલી રસોઈ વિશ્વની સહુથી મોટી રસોઈ છે જ્યાં બધા થઈને ૭૫૨ ચૂલા છે.જેના મહાપ્રસાદ બનાવવામાં આવે છે.આ જગ્યાએ સળગનારો અગ્નિ ક્યારેય હોલવાતો નથી.

જગન્નાથ મંદિરના શિખર પર ન તો કોઈ પક્ષી બેસે છે અને ન કોઈ વિમાન મંદિરની ઉપરથી નથી નીકળતું.

જગન્નાથ મંદિર ના શિખર પર લાગેલું સુદર્શન ચક્ર ને કોઈ પણ ખૂણામાંથી જોતા તે હંમેશા એક જેવુંજ દેખાશે.

(એક પબ્લિસ્ડ લેખના આધારે )

જય શ્રી કૃષ્ણ