Saturday, November 21, 2020

ઓ વ્રજ કે નંદ લાલા ઓ વ્રજ કે નંદ લાલા


 ઓ વ્રજ કે નંદ લાલા 


ઓ વ્રજ કે  નંદલાલા,કે રાધાજીકે સાંવરિયા 

સબ દુઃખ દૂર હુએ ,જબ તેરા નામ લિયા...(૨)

મીરા પુકારે તુમ્હે ,ગિરધર ગોપાલા(૨)

બન ગયા અમૃતમય, વિષકા ભરા પ્યાલા  

કે કૌન મીટાયે ઉન્હેં જિસે તુને રાખ લિયા   સબ.....

નૈનોમેં શ્યામ બસે મનમેં  બનમાલી(૨)

સુધી વિસરાયે ગઈ મુરલી  કી ધૂન પ્યારી

મેરે મન મંદિર મેં ,કે રાસ રચાઓ પિયા   સબ.......

દેખ રહે હો તુમ મેરે મનકે દુઃખડે (૨)

કબ દર્શન દોગે  મેરે આંખો કે તારે 

કે અધરોપે મુરલી હૈ કાંધે પે કામારિયા કાલી  સબ.....

જબ તેરે ગોકુલમે  આયી  વિપદા ભારી

એક ઈશારે પે સારી વિપદા ટાળી

કે ઝુક ગયા ગોવર્ધન જિસે તુને ઉઠા રે લિયા  સબ....

 

ઓ વ્રજ કે  નંદલાલા,કે રાધાજીકે સાંવરિયા 

સબ દુઃખ દૂર હુએ ,જબ તેરા નામ લિયા...(૨)


જય શ્રી કૃષ્ણ 




Monday, November 9, 2020

એવા રે અમે એવા રે એવા.(ગુજરાતી ભજન )



 એવા રે અમે એવા રે એવા.


એવા રે અમો એવા રે એવા, 

તમો કહો છો વળી તેવા રે (૨)

ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો,

કરશું દામોદરની સેવા રે (૨)  એવા રે.

જેનું મન જે સાથે બંધાણું

પહેલું હતું તે ઘર રાતું રે (૨)

હવે થયું છે હરિરસ માતુ  ,

ઘેર ઘેર હીડે છે ગાતું રે(૨) એવા રે .

સઘળા સાથમાં હું એક ભૂંડો,

ભૂંડાથી વળી ભૂંડો રે (૨) 

તમારે મન માને તે કહેજો,

સ્નેહ લાગ્યો મને ઊંડો રે (૨) એવા રે .

કર્મ ધર્મની વાત છે જેટલી ,

તે મુજને નવ ભાવે રે (૨)

સઘળા પદારથ જે થકી પામે,

મારા પ્રભુની તુલે ના આવે રે.(૨) એવા રે.

હળવા કર્મનો હું નરસૈંયો,

મુજને તો વૈષ્ણવ વાલા રે(૨)

હરિજનથી જે અંતર .ગણશે,

તેના ફોગટ ફેરા ઠાલા રે (૨) એવા રે. 


ભક્ત કવિ નરસૈંયો.

જય શ્રી કૃષ્ણ