Tuesday, November 26, 2019

સુંદરકાંડ પાઠનાં લાભ

                                     સુંદરકાંડ પાઠનાં લાભ




(૧)સુંદરકાંડનો પાઠ:એવી માન્યતા છે કે હનુમાનજી સાથે જોડાયેલો કોઈ પણ મંત્ર અથવા પાઠબીજા કોઈ પણમંત્રથી અધિક શક્તિશાળી હોય છે હનુમાનજી પોતાના ભક્તોને તેમની   ઉપાસના ના ફળ માં બળ
અને શક્તિ આપે છે

(૨) સુંદરકાંડના ફાયદા:આજે આપણે વિશેષ રૂપથી સુંદરકાંડ પાઠનાં મહત્વ અને તેનાથી મળનારા
 લાભ પર વાત કરીશું .ભક્તો દ્વારા હનુમાનજીને કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.હનુમાન ચાલીસા આબાલ વૃદ્ધ તેમજ નાના બાળકોને પણ જલ્દી યાદ રહી જાય છે.

(૩ )હનુમાન ચાલીસા સિવાય જો સુંદરકાંડના પાઠનાં લાભ જાણી લેશો તો રોજ કરવાના પસંદ કરશો.હિન્દૂ ધર્મ નીપ્રસિદ્ધ માન્યતા પ્રમાણે સુંદરકાંડ પાઠ કરવાવાળા ભક્તની મનોકામના જલ્દી પુરી થઇ જાય છે.

(૪)સુંદરકાંડ,ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલા રામચરિતમાનસના સાત અધ્યાયોમાંનો પાંચમો અધ્યાય છે.રામચરિતમાનસના બધા અધ્યાયોભગવાનની ભક્તિ માટે છે  પરંતુ સુંદરકાંડનું મહત્વ વધારે
બતાવવામાં આવ્યું છે

(૫) જ્યા એકબાજુ આખા રામચરિત માનસમાં ભગવાનના ગુણો બતાવાયા છે તેનો મહિમા બતાવાય  છે. પણ બીજી બાજુ સુંદરકાંડની કથા બધાથી જુદી છે.તેમાં ભગવાન રામના ગુણોની નહિ પરંતુ તેમના ભક્તના ગુણો અને તેના વિજયની વાત બતાવવામાં આવી છે.

(૬) હનુમાન પાઠનો લાભ: સુંદરકાંડનો પાઠ કરનારા ભક્તને હનુમાનજી બળ આપે છે.તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ ભટકી શકતી નથી,એવી રીતની શક્તિ તે ભક્ત મેળવે છે.એ પણ માનવામાં આવે છે કે જયારે ભક્તનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય અથવા જીવનમાં કોઈ કામ થતું ન હોય તો સુંદરકાંડનો પાઠ કરવાથી બધા કામ જાતે જ થવા લાગે છે.

(૭) શાસ્ત્રીય માન્યતાઓ :ખાલી શાસ્ત્રીય માન્યતાઓએ જ નહિ વિજ્ઞાને પણ સુંદરકંદપાઠનાં મહત્વને સમજાવ્યું છે.જુદા જુદા મનોવૈજ્ઞાનિકો ના મત પ્રમાણે સુંદરકાંડનો પાઠ ભક્તનો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારે છે

(૮)સુંદરકંદપાઠનો અર્થ :આ પાઠની એક એક પંકતિ અને તેની સાથે જોડાયેલો અર્થ ભક્તને જીવનમાં ક્યારે ય હાર ન માનવાની શીખ આપે છે મનોવૈજ્ઞાનિકોના પ્રમાણે કોઈ મોટી પરીક્ષામાં સફળ થવું હોય તો પરીક્ષા પહેલાં સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

(૯)મહત્વજો સંભવ હોય તો વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.તે પાઠ તેની અંદર આત્મવિશ્વાસ જગાડશે અને તેને સફળતાની નજીક લઇ જશે.

(૧૦)સફળતાનાં સૂત્ર:તમને કદાચ ખબર નહિ હોય પણ જો તમો સુંદરકાંડના પાઠની પંક્તિઓનો અર્થ જાણશો તો તમને એ ખબર પડશે કે તેમાં જીવનની સફળતાનાં સૂત્રો પણ બતાવાયા છે.

(૧૧)સફળ જીવનનો મંત્ર:આ સૂત્ર જો વ્યક્તિ પોતાના જીવન પર અમલ કરે તો તેને સફળ થતા કોઈ રોકી ન શકે.એટલે એવી સલાહ આપવામાં આવે છે કે રામચરિત માનસનો કોઈ પૂરો પાઠ ન કરી શકે તો ઓછામાં ઓછો સુંદરકાંડનો પાઠ જરૂર કરવો જોઈએ.

(૧૨) કયા સમયે પાઠ કરવોએવું પણ કહેવામાં આવે છે કે જયારે ઘરમાં રામાયણનો પાઠ રાખો તો તે પુરા પાઠમાંથી સુંદરકાંડનો પાઠ ઘરના કોઈ સદસ્યએ કરવો જોઈએ.તેનાથી ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવાહ થાય છે.

(૧૩)જ્યોતિષનો લાભ :જ્યોતિષની નજરોથી જોવામાં આવે તો આ પાઠ ઘરના બધા સદસ્યો ઉપર ઘૂમી રહેલા અશુભ ગ્રહો થી છોડાવે છે.જો તે જાતે પાઠ ન કરી શકે તો ઓછામાં ઓછું ઘરના બધા સભ્યોએ આ પાઠ જરૂર સાંભળવો જોઈએ.અશુભ ગ્રહોના દોષોને દૂર કરવા માટે સુંદરકાંડનો પાઠ લાભકારી છે.

(૧૪) આત્માની શુદ્ધિ :સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મિક લાભ મળે છે.આત્મા શુદ્ધ થાય છે.સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મા પરમાત્માને મળવા તૈયાર થાય છે.માણસ આ જીવન રૂપી દુનિયામાં જે કરવા આવ્યો છે તે જ કરે છે.અને સુંદરકાંડનો પાઠ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે.

(૧૫)રોગોને દૂર કરે:સુંદરકાંડનો પાઠ એક તીરથી કેટલાય નિશાનો લગાવવાનું નામ છે.પાઠ કરવાથી રોગો દૂર થાય છે.તેનાથી તમારી દરિદ્રતા દૂર થાય છે.

(૧૬)માનસિક સુખ :જો કોઈ વ્યક્તિ સતત સુંદરકાંડનો પાઠ કરે છે તો તેના ઘણા લાભ મળે છે. સુંદરકાંડનો પાઠ નિરંતર કરવાથી માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.

(૧૭)અનહોની દૂર થાય :કદાચ તમો કોઈ એવી જગાએ રહો છો જે સુમસામ છે.અને તમોને હંમેશા કોઈ અહ્નોનીનો ડર રહેતો હોય તો તમો સુંદરકાંડનો પાઠ કરો.તેનાથી તમારી પાસે આવનારી દરેક સમસ્યાઓ દૂર રહે છે.

(૧૮) છોકરા આદર ન આપે તો: જો તમારા છોકરાઓ તમારું સાંભળે નહિ અને વડીલોનો આદર ન કરે તો તમો તમારા બાળકોને સુંદરકાંડનો પાઠ કરવા પ્રેરી શકો છો.જો તેઓ તેમના સંસ્કારો ભૂલી ગયા હોય તો સુંદર કાંડનો પાઠ છોકરાઓ સાથે કરાવી શકો છો.

(૧૯) દેવામાંથી છુટકારો જો તમારે માથે ખુબ દેવું થઇ ગયું હોય તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
પાઠ દેવામાંથી મુક્તિ અપાવે છે.

:(૨૦)ભયભીત મન માટે :જો તમને રાતે ડર લાગતો હોય અને ખરાબ સપના આવતા હોય તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.જેવી રીતે હનુમાનચાલીસાનો પાઠ કરવાથી મનને ભયથી મુક્તિ મળે છે.બસ એવી જ રીતે સુંદરકાંડનો પાઠ કરવાથી મનને ભયથી મુક્તિ મળે છે.

(૨૧) હનુમાનજીની કૃપા :સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજીની કૃપા થતી રહે છે,ફક્ત હનુમાનજીની જ નહિ ભગવાન રામજીની કૃપા પણ થાય છે જો શ્રી હનુમાનજી અને ભગવાન શ્રી રામજી બંનેની કૃપા મેળવવા ઈચ્છો છો તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

(૨૨) ગૃહ કલેશથી છુટકારોસુંદરકાંડનો પાઠ કરવાથી ગૃહકલેશ થતો અટકી જાય છે.ઘરમાં સકારાત્મક શક્તિઓનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓમાંથી છુટકારો મળે છે.

(૨૩)વિદ્યાર્થીઓ માટે લાભદાયક: જો વિદ્યાર્થીઓ સુંદરકાંડનો પાઠ કરે તો તેમને વિદ્યાર્થી જીવનમાં સફળતા મળે છે.તેમનું ભણતરમાં ધ્યાન લાગે છે.અને પરીક્ષામાં સારા માર્ક આવે છે.એટકે વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ જરૂર કરવો જોઈએ.

(૨૪)ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ એવું માનવામાં આવે છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી ઘરમાં વાતાવરણ સકારાત્મક તથા આનંદમયી રહે છે.જો સુંદરકાંડનો પાઠ ઘરના જ કોઈ સભ્ય દ્વારા કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે.

(૨૫) અશુબ ગ્રહો દૂર થાય:સુંદરકાંડનો પાઠ કરવાથી અશુભ ગ્રહોની સ્થિતિને શુભ બનાવી શકાય છે માટે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

(૨૬)ક્યારેય હાર ન માનવી: જીવનમાં એવા કેટલાય અંતરાય આવે છે જયારે આપણે હારી જઇયે છીએ.મન દુઃખી થઇ જાય છે તેમાં આપણે હાર માનવી ન જોઈએ.સુંદરકાંડનો પાઠ તમને જીવનમાં ક્યારે પણ હાર ન મળે તેની શક્તિ આપે છે.

જય શ્રી રામ 
જય શ્રી હનુમાનજી મહારાજ.

(એક લેખના આધારે)
રજુઆત-મહેન્દ્ર ભટ્ટ. 

       

No comments:

Post a Comment