Tuesday, February 21, 2012

એક ચિંતન
-મહેન્દ્ર ભટ્ટ

પ્રભાવ

પ્રભાવ વિષે વિચારીએ તો તેનું બે રીતે ચિંતન કરી શકાય પ્રભાવ હોવો અને પ્રભાવ પાડવો,પ્રભાવ હોવો
એ જન્મ સાથે અને જન્મ પછી જીવનભર સાથે રહેવાવાળી વ્યવસ્થા છે અને શરીર તેનું માધ્યમ છે બાકીની ઇન્દ્રિયો તેમાં વધારો ઘતાડો કરવાનું કામ કરે છે તેનાથી જન્મિત તેના જેવી જાતિમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરે છે,અને તેની જાતીમાં તેનું બહુમાન થાય છે અને તેનું અસ્તિત્વ જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી ટકી રહે છે ફક્ત મનુષ્યમાં તેના માટે લડાઈ ચાલે છે અને હરીફાઈમાં બધા પ્રભાવશાળી વ્યક્તિઓ હારને કબુલ કરવાનું પસંદ કરતા નથી અને જીત માટે લડ્યા કરે છે જયારે બીજા જીવો હારને કબુલ કરી સામાન્ય જીવનમાં પોતાને ફેરવી જીવન ને રક્ષિત સમજી લડાઈને ભૂલી જાય છે અને લડાઈમાં જીતનારનું સન્માન કરી બાકી જીવનને રક્ષિત બનાવે છે , જયારે પ્રભાવ પાડવો એ એકદમ જુદું છે જેમાં ફક્ત મનુષ્યો ઉપર તેની અસર વધારે દેખાય છે,જેવા હોઈએ તેના કરતા કૈક વધુ પ્રભાવ પાડવાની હરીફાઈમાં મનુષ્ય જાત જાતની રીતોનો ઉપયોગ કરે છે,અને તેમાં સારી ખોટી દરેક રીતોનો ઉપયોગ થાય છે,તેમાં પોતાનું કે પારકું તેની સમજ જતી રહે છે અને પછી તેના ગ્રુપ માટે તે સુરક્ષિત રહેતું નથી,અને જયારે સુરક્ષાની વાત આવે ત્યાં તેના પાડેલા પ્રભાવનો અંત આવી જાય છે એટલે પાડેલા પ્રભાવનું અસ્તિત્વ બહુ ટુકા ગાળાનું હોય છે,એટલે જીવનના અંત સુધીમાં પ્રભાવ પાડવાની ઝંખનાઓ છોડી જેવા હોઈએ તેવું જીવન જીવવું વધુ શાંતિમય અને ફાયદાકારી છે,કદાચ મનુષ્ય સિવાયના અન્ય જીવો પ્રભાવ પાડવાની સમજમાં નથી હોતા કદાચ એક વસ્તુ વિચારી શકાય કે તેમનું મગજ એટલું વિકસિત ન હોવાથી એવું બનતું હોય, પણ આ એક મારું પોતાનું વ્યક્તિગત ચિંતન છે કદાચ એનાથી પણ સારું ચિંતન હોય શકે.

પ્રભાવની વાત કરતા માતા પાર્વતીને દેવોના દેવ મહાદેવનો વિયોગ થયો,માતાજીએ પ્રભુનો વિશ્વાસ ગુમાવ્યો ,રામકથાના રામજીના વખાણ કરતા મહાદેવને ખુબ ખુશ જોઇને દેવીને પ્રશ્ન થયો,સમાધાનમાં પ્રભુએ રામજીને બ્રહ્મ સ્વરૂપ કહ્યા,પણ મનુષ્ય જેવા રામજીમાં દેવીને શંકા થઇ,પતિના કથનની અવગણના કરી,દેવી જયારે દેવાધિદેવ તપમાં હતા ત્યારે સીતાજી બની પોતાનો પ્રભાવ પાડવા ગયા અને રામજી સામે ઉપસ્થિત થયા ત્યારે માતાજીના સ્થાનનો ઉદગાર કરતા રામજીએ પ્રણામ કર્યાં અને એકલા કેમ અને દેવાધિ દેવ ક્યાં...? ત્યારે ભાન થયું,પણ દેવાધિદેવ પાસે માફી માંગે તે પહેલાજ મહાદેવે તેમનો ત્યાગ કરી દીધો હતો,માતાજી ખુબ દુઃખી થયા,થાકીને પિતાજીનું શરણું લીધું ,પિતા યક્ષ યજ્ઞ કરી રહ્યા હતા પણ દીકરીને પિતા તરફથી કોઈ સન્માન ન મળ્યું,છેવટે ખુબજ સહારા વિનાના માતાજીએ જીવનને ટુકાવ્યું ,પણ છેલ્લી ઈચ્છા પોતાના દેવાધિદેવ મહાદેવ પતિની રહી અને માતાજીનો પુનર્જન્મ હિમાલયને ત્યાં પાર્વતી નામે થયો,હોનીને માતાજી ન ટાળીશક્યા
તો જ્યાં માતાજી થી આવી ભૂલ થાય તો આપણે તો ક્યાં,બસ જેવા હોઈએ તેવા રહીએ,જીવન ને ભક્તિમાં ફેરવી પ્રભુ શરણમાં પૂરું કરીએ,-જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment