Thursday, October 11, 2012

પ્રેમળ જ્યોતિ તારો ...

પ્રેમળ જ્યોતિ તારો ....(કવિ-નરસિંહ  દિવેટિયા)

પ્રેમળ જ્યોતિ તારો દાખવી ,મુજ જીવન પંથ ઉજાળ,
દૂરપડ્યો નિજ ધામથી હૂં,ને ઘેર ઘન અંધાર ,(૨)
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં(૨) ,નિજ શિશુને સંભાળ ,
મારો જીવન પંથ ઉજાળ ,પ્રેમળ.........
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દૂર નજર છો  ન જાય,(૨)
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,(૨)એક ડગલું બસ થાય ,
મારે એક ડગલું બસ થાય ,પ્રેમળ .........
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ન લગાર,(૨) 
આપ બળે માર્ગ જોઇને ચાલવા ,(૨)હામ ઢળી મૂઢ બાળ,
હવે માર્ગ તુજ આધાર,પ્રેમળ.....
ભભકભર્યા તેજથી લોભાયો,ને ભય છતાં ધર્યો  ગર્વ, (૨)
વીત્યા વર્ષો ને લોપ સ્મરણ શ્રી(૨),સ્ખલન થયો જે સર્વ,
મારે આજ લગી નવું પર્વ ,પ્રેમળ.....
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !,આજ લગી પ્રેમભર(૨)
નિશ્ચય મને તે સ્થિર પગલેથી,(૨)ચલવી પહોચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની શેર ,પ્રેમળ.....
કર્દમ ભૂમિ કળણ ભરેલી,ને ગિરિવર કેરી કરાડ,(૨)
ધસમસતા જળકેરા પ્રવાહો,(૨)સર્વ વટાવી કૃપાળ,
મને પહોચાડશે નિજ દ્વાર,પ્રેમળ....
રજનિ જશે ને પ્રભાત ઉજળશે,ને સ્મિત ફરશે પ્રેમાળ,(૨)
દિવ્ય ગણોના વદન મનોહર,(૨)મારે હૃદય વસ્યા ચિરકાળ,
જે મેં ખોયા હતા ક્ષ
વાર ,પ્રેમળ.......

જય શ્રી કૃષ્ણ .

No comments:

Post a Comment