Friday, March 16, 2012

માનવતાનો દીવો
-મહેન્દ્ર ભટ્ટ

જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો
બની દુઃખીના દુઃખનો સહભાગી,તારે માનવતાનો રસ પીવો
જીવનની વહેતી સરિતાને,નથી કોઈ એક સીધો રસ્તો
પહાડોથી પડતી,પડી સમલતી ,ફરી વનરાઈમાં થઇ વહેતી
સુખ ને દુઃખમાં સંભાળી,મૂકજે મહેક જીવનની તું વહેતી
જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો
મુસીબતોથી ભરેલી આ દુનિયામાં,હશે ઠોકર ડગલે ને પગલે
હસતા ને રડતા આ જીવનની પળેપળ તોલાશે તારી
સંભાળી જીવનની સમતુલા,ભરજે પગલા જીવનધારામાં
સતમાર્ગ પર જીવન છે, જ્યાં જીવન છે ત્યાં માનવતા
જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો
હસી લેજે પડીને તું,જો રડશે તો સત્ય છે તું ફર્રી પડશે
પડાપડી નાં આ ક્રૂર ક્રમને તોડી, ભરજે સુગંધી જીવનની
ભૂલો તો જીવનમાં સહજ છે ,રડતી દુખી આંખોની જડ છે
જડશે નહિ રસ્તો ત્યારે ,અંધારે વિચરતા રાહેં,
કરજે વ્હાલા પ્રભુને પુકાર,જ્યોત ઝલકતા નહિ લાગે વાર.
જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો

No comments:

Post a Comment