Sunday, November 6, 2011

સ્તુ્તી -મહેન્દ્ર ભટ્ટ
હે પ્રભુજી તમારી સ્તુતિ કરીએ -(૨) 
શરણું તમારું સ્વીકારી લઈને -હે પ્રભુજી...
 તમારી કૃપાનો છે એક આશરો 
કૃપાહીન ન બનશો, અરજ કરીએ -હે પ્રભુજી...
 અમે તો રહ્યા પામર પ્રાણીઓ 
કૃપા વીના કેમ જીવન જીવીએ -હે પ્રભુજી ... 
જનમ પછી નામની રચના થઇ
 નામની પાછળ સ્મૃતિ પણ ગઈ -હે પ્રભુજી... 
અમે નોતા તોયે તમે તો હતા
નહિ રહીશું તોયે તમે તો હશો -હે પ્રભુજી... 
અનંત ,નિરંતર,નિરાકાર તું 
સ્વીકારો અમારી સ્તુતિ પ્રેમથી -હે પ્રભુજી ..


.

No comments:

Post a Comment