-મહેન્દ્ર ભટ્ટ
શમણાની આ વાત છે
જે કદી સાચા પડતા નથી
વ્યર્થ વિચારો માનવીને
સાચો માર્ગ દેતા નથી
માનો યા ના માનો
પણ નિરાશાની આ વાત છે
શમણા તો આવશેજ
પણ જોજે ખોવાઈ ના જવાય
વાત મારી માને તો
શમણું કાલાશનો દરીયો છે
સમજી જીવાય તો જીવી લે
નહિ તો પછી અંધારું જ છે.
No comments:
Post a Comment