Monday, March 18, 2019

હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ

.


હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ 

Image result for holika dahanવાચક મિત્રો,
હોળી તેમજ ધુળેટીની આપ સહુ તેમજ આપના કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી  ખુબ ખુબ શુભકામનાઓ


પુરાણી માન્યતાઓ મુજબ ફાગણ માસની સુદ આથમ હોળાષ્ટકની શરૂઆત છે.આ તિથિ થી પૂનમ સુધી આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે.હોળાષ્ટક ભક્તિની શક્તિનો પ્રભાવ બતાવે છે.ભગવાન વિષ્ણુએ દુરાચારી હિરણકશ્યપુનો ઉદ્ધાર કરવા તેમનો એક અંશ તેની પત્ની કયાધૂને ગર્ભમાં સ્થાપિત કરી પ્રહલાદના રૂપમાં લાવી ભક્તિનો મહિમા વધાર્યો જે તેના પિતા સહન કરી ન શક્યો અને પ્રહલાદને ભક્તિથી દૂર કરવા શુક્લ પક્ષની અષ્ટમીથી તેને બંદી બનાવી  અનેક રીતે મૃત્યુ દંડ આપ્યો પણ બધાથી ઉપર પ્રહલાદ ભક્તિને વળગી રહ્યો.તેનો બચાવ થયો એવી રીતે સાત દિવસો પસાર થઇ ગયા.અને હિરણકશ્યપુ હેરાન થઇ ગયો આથમે દિવસે
તેની બહેન હોલિકા જેને બ્રહ્માજીનું અગ્નિથી નહિ બળવાનું વરદાન હતું તે પ્રહલાદને જલતી જ્વાળાઓમાં પોતાના ખોળામા લઈને બેઠી પણ તે સળગી ગઈ અને પ્રહલાદનો બચાવ થઇ ગયો.
ત્યારથી ભક્તિ ઉપરના આ આઠ દિવસો અત્યાચારના રૂપમાં હોળાષ્ટક તરીકે મનાવાય છે.આ દિવસોમાં શુભ કામ થતા નથી.સુદ આથમે હોલિકાદહન માટેનું સ્થાન નક્કી કરવામાં આવે છે અને પૂનમને દિવસે સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં પૂજા કરીને હોલિકા દહન કરવામાં આવે છે.

જય શ્રી કૃષ્ણ
મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment