Monday, March 4, 2019

મહાશિવરાત્રી


મહાશિવરાત્રી



પ્રિય વાચક મિત્રો 
શુભ પર્વ મહાશિવરાત્રીની આપ સહુને' મોગરાના ફૂલ બ્લોગ' વતી ખુબ ખુબ શુભ કામનાઓ,દેવાધિદેવ મહાદેવના આપ સહુ મિત્રો તેમજ આપના કુટુંબીજનો ઉપર ખુબ ખુબ આશીર્વાદ.

 મહાશિવરાત્રી વિષે.

મહાશિવરાત્રી ભગવાન શિવનું મોટું પર્વ છે.ફાગણમાસની વદ ચૌદસને દિવસે તેને મનાવવામાં આવે છે.આમ તો બારે માસ આ વ્રત ઘણા મનાવે છે, પણ ફાગણ માસમાં તેનું મહત્વ સર્વોત્તમ છે.આ દિવસે આખો દિવસ વ્રત રાખી મધ્યરાત્રે ભગવાન શિવની પુંજા કરવામાં આવે છે.ઘણા ભક્તો એ માને છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા.  આ વર્ષની મહાશિવરાત્રી સોમવારે છે તે વારનો સ્વામી ચંદ્રમા છે,ચંદ્રમાને જ્યોતિષશાસ્ત્ર સોમ કહે છે,અને ભગવાન શિવને સોમનાથ.માટે શિવજીને પ્રસન્ન કરવા આ દિવસ ખુબ મહત્વનો છે. શિવ યોગમાં પુંજા,ઉપવાસ અને જાગરણ કરવાથી ખુબ લાભ મળે છે.આ દિવસે શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્ર હોવાથી ત્રણ ત્રણ શુભ યોગ બને છે.
આમ તિથિ વાર અને નક્ષત્ર શુભ હોવાથી ત્રણ શુભ યોગોનો સંગમ મહાશિવરાત્રીને ખુબ જ લાભદાયક બનાવે છે.
આજના શુભ દિવસે નાહી ધોઈને શુદ્ધ થઇ શિવલિંગને એક થાળીમાં મૂકી ગંગાજળ,અને ચરણામૃત થી સ્નાન કરાવી ચંદન ,વસ્ત્ર, ફૂલ,બીલી પત્ર ચઢાવી ધૂપ દીવો કરી, શિવમંત્રની આરાધના કરી, નૈવેદ,પ્રસાદ ધરાવી આરતી કરવાથી ભગવાન શિવજી
ખુબ પ્રસન્ન થાય છે 

હર હર મહાદેવ.

No comments:

Post a Comment