Wednesday, May 7, 2025

ઉપવાસ ના ફાયદા

 


ઉપવાસ ના ફાયદા



ફક્ત ૨૪ કલાકના ઉપવાસથી શરીરને કેટલાય રોગોથી બચાવી શકાય છે,ઉપવાસ એક પ્રાચીન પરંપરા છે જે કેટલાય ધર્મોમાં અને સંસકૃતિયોમાં જોવા મળે છે.એમાં જમવાનું એક ચોક્કસ સમય માટે અનિવાર્યપણે છોડી દેવામાં આવે છે. ઉપવાસ કરવાના જુદા જુદા પ્રકાર હોય છે,જેમ નિર્જળા ઉપવાસ,ફળાહાર ઉપવાસ વગેરે. જેનો ઉપયોગ હજારો વર્ષોથી સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક કારણોથી કરવામાં આવે છે.એમાં એક ચોક્કસ સમય ભોજન ન કરવું એ બતાવ્યું છે. જે કેટલાક કલાકો માટે થી લઈને કેટલાક દિવસો સુધી હોય શકે છે. ઇન્ટરમીટેન્ટ ફાસ્ટિંગનું 

એક લોકપ્રિય રૂપ છે,જે આપના શરીર પર કેટલીય જાતના પ્રભાવ પાડી શકે છે. આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે જયારે આપણે એક દિવસનો ઉપવાસ કરીએ તો આપણા શરીર પર શું પ્રભાવ પડે છે.

એક દિવસના ઉપવાસથી પડનારો પ્રભાવ ઈન્સુલિન સેન્સટીવીટી માં સુધારો,ઉપવાસથી આપણા શરીરમાં ઈન્સુલિનમાં સુધારો થાય છે.જે બ્લડસુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરી શકે છે.એવું એટલા માટે છે કે જયારે આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણા શરીરની ઉર્જા માટે સંગ્રહિત ગ્લુકોઝ વપરાય જાય છે.અને તેથી ઈન્સુલિન પ્રતિરોધને ઓછો કરવામાં મદદ મળી શકે છે.સારી ઈન્સુલિન સંવેદનશીલતા પણ ટાઈપ -૨ ડાયાબિટીઝના ખતરાને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

ઉપવાસોથી કેટલાક હાર્મોનના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.જે આપણા શરીરમાં જમા વસાને દૂર કરે છે.

તે ચરબી બર્નને વધારવા અને વજન ઘટાડવામા સહાયતા કરી શકે છે.જોકે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ફક્ત ઉપવાસથી વજન ઓછું થતું નથી.પણ તેને સ્વસ્થ આહાર અને વ્યાયામ સાથે જોડવું જરૂરી છે.ઉપવાસ સૂજન માર્કરોના સ્તરને ઓછું કરીને આપણા શરીરની સુજનને ઓછી કરવામાં મદદ કરી શકે છે. ક્રોનિક ઇન્ફ્લેમેશન ,હૃદય રોગ,કેન્સર અને અલ્ઝાઈમર રોગો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલી છે.સુજનને ઓછી કરીને ઉપવાસ 

આવી સ્થિતિયોને રોકવા અથવા ઓછી કરવામાં મદદ કરી શકે છે.

ઉપવાસથી માથાની કાર્યપ્રણાલી પર પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે.જેમાં સારું ફોકસ,એકાગ્રતા અને યાદદાસ્ત સામેલ છે. જે માથાની કોશિકાઓની રક્ષા અને રીપેરીંગ કરે છે.એ પણ જોવામાં આવ્યું છે કે ઉપવાસ નવી તંત્રિકા કોશિકાઓનો વિકાસને પ્રોત્સાહિત કરે છે. જે સમયની સાથે માથાની કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે.

ઉપવાસ આપણા શરીરમાં ઓક્સિડેટીવ તણાવને ઓછો કરી શકે છે.જે ફ્રી રેડિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટની વચ્ચેના અસંતુલનને કારણે થાય છે. તે આપણી કોશિકાઓને ખરાબીથી બચાવવા અને જૂની માંદગીના ખતરાને 

ઓછો કરવામાં મદદ કરી શકે છે.

એ ધ્યાન રાખવું અગત્યનું છે કે એક દિવસનો ઉપવાસ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે. 

ડો. રેવિન 

(એક પબ્લિશ્ડ મીડિયાના માધ્યમથી )

No comments:

Post a Comment