Wednesday, September 24, 2025

મોત જ્યારે આવશે

 મોત જ્યારે આવશે 


મોત જ્યારે આવશે, તેને પાછું નહિ વાળી શકો (૨)

માટે જીવો એવી જિંદગી કે મોતને પણ માણી શકો 


એવા જન્મ મરણના ચક્રને,નહિ તમે થોભાવી શકો (૨)

વસંતે ખીલવું ગમે,તો ના પાનખરને ટાળી શકો 

માટે જીવો એવી …….


સત્કર્મ કરીને બસ તમે સમયને સાંધી શકો (૨) 

ઘડી પહેરી હાથમાં, નહિ વખતને બાંધી શકો,

માટે જીવો એવી ..,,,,,,,

જય શ્રી કૃષ્ણ 

Sunday, September 21, 2025

નવરાત્રીની શુભકામનાઓ


નવરાત્રીની શુભકામનાઓ


 


 કાલથી શરુ થતા માતાજીના નવરાત્રીની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ 

માતાજી સહુનું ભલું કરે,

-જય માં જગદંબે 

Wednesday, September 17, 2025

હે કરુણાના કરનારા

 હે કરુણાના કરનારા 



હે કરુણાના કરનારા ,તારી કરુણાનો કોઈ પર નથી ..(૨) 

હે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પર નથી ..(૨) 


મેં પાપો કર્યા છે એવા,હું તો ભુલ્યો તારી સેવા..(૨) 

મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાંનો કોઈ પર નથી ..(૨) 

હે કરુણાના……..


હું અંદરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી

અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પર નથી 

હે કરુણાના…..


હે પરમ કૃપાળુ હાલા,મેં પીધા વિષના પ્યાલા,

વિષને અમૃત કરનારા,તારી કરુણાનો કોઈ પર નથી 

હે કરુણાના કરનારા….


કદી છોરું કછોરું થાયે, તું મહાવીર કહેલાયે,

 મીઠ્ઠી છાયા દેનારા,તારી કરુણાનો કોઈ પાર નથી.

હે કરુણાના…..


મને જડતો નથી કિનારો,મારો ક્યાંથી આવે આરો,

મારા સાચા કેવનહારા,તારી કરુણાનો કોઈ પાર નથી. 

હે કરુણાના….


છે મારુ જીવન ઉદાસી,તું શરણે લે અવિનાશી,

મારા દિલમાં હે રંગારા, તારી કરુણાનો કોઈ પાર નથી. 

હે કરુણાના…..

હે સંકટના હરનારા……


જય શ્રી કૃષ્ણ 


Monday, September 15, 2025

કાગવાસ શું કામ...... ?

 કાગવાસ શું કામ...... ?

         


  વડ કે પીંપળા.. નાં ટેટા  ગમેતેટલા...રોપશો તો પણ તે નહિ ઉગે.

 પ્રકૃતિ પરમાત્માએ આ બે અતિ મહત્વના વૃક્ષ ઉગાડવા ...માટે અલગ ગોઠવણ કરી છે.

(પીપળ માટે તો ગીતામાં ભગવાને કહ્યું છે કે વૃક્ષ માં પીપળ હું છું)

   આ પીપળ-વડ બન્નેના ફળ( ટેટા..)  કાગડા ખાય...અને એમની ..હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે ફળ(બીજ) ઉગવા .. લાયક થાય છે તે સિવાય નહિ .માટે તો ધાબે..દીવાલનીકોટે...

જ્યાં જ્યાં કાગડો વિષ્ટા કરે ત્યાં ત્યાં આ બન્ને ઝાડ ઉગે છે.

    પીંપળો...એકમાત્ર વૃક્ષ છે... જે સૂર્યોદય  પહેલાં અને સૂર્યાસ્ત પછી દોઢ પ્રહર સુધી ઓક્સિજન ..આપે છે.

    વડને જમીની અને હવાઈ(વડવાઈ) એમ બે પ્રકારના મૂળ છે.

    આ વડવાઈ 100 ગજના વર્તુળનો ભેજ શોષી લૈઈ હવાને સૂકી રાખે છે... અસ્થમા જેવા... ફેફસાંના રોગ ન થાય એટલે તો વડીલો આ વૃક્ષ(વડ) નીચે બેસે . (*વડીલો આ ઝાડ નીચે બેસે એટલે તો તે વડલો કહેવાયો.*) 

હા, વડ ના ઔષધીયગુણો અપાર છે.

    આ  *અતિ મહત્વના* વૃક્ષો .... કાગડાની મદદ વગર ઉગાડવા શક્ય નથી. 

     માટે આપણા સ્વાર્થ માટે પણ કાગડાઓને કોઇ પણ ભોગે બચાવવા પડે.

      કાગડાના ઈંડામાંથી ભાદરવામા બચ્ચા બહાર આવે તો એને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે.

માટે ઋષિઓએ ..કાગડાનાબચ્ચાઓ

 .ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધપક્ષમાં *કાગવાસ*  ની ગોઠવણ કરી. જેથી કાગડાની   નવી પેઢી ઉછરી જાય.

  બીજું  *કાગડા ઘરની આસપાસની ગંદકી બારે માસ ખાઈને સફાઈ કરે છે એટલે તે ઋણ ચૂકવવા પણ ખીરની કાગવાસ નાખીએ છીએ*

      મગજ  દોડાવ્યા વગર પિતૃઓમા આસ્થા રાખી શ્રાદ્ધ કરજો.... પ્રકૃતિનાં રક્ષણ માટે !!

  *ધ્યાન રહે.....*

આપણી સનાતન સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓ/ઉત્સવોમાં પ્રકૃતિ *વિજ્ઞાન જોડાયેલ છે*.


   કાગવાસ નાખીએ..

 *કાગડા જીવાડી આપણે પણ જીવીએ* 

( એક પ્રસ્તૂત લેખ)

Sunday, August 24, 2025

વીર નર્મદ

--

વીર નર્મદ ! 


-----


-------

'જય જય ગરવી ગુજરાત ! 

દીપે અરુણું પરભાત ! 

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત ! 

દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, 

ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ

કેરા દેવ -

છે સહાયમાં સાક્ષાત્ ! 

જય જય ગરવી ગુજરાત ! '


ઈ.સ.1873માં એટલે કે આજથી 152 વર્ષ અગાઉ લખાયેલ આ અજરામર કવિતાના સર્જક કવિ નર્મદ !

 

-- વીર નર્મદ !

( નર્મદાશંકર લાલશંકર દવે )

24 ઓગસ્ટ,1833 ના રોજ સૂરત ખાતે જન્મ લેનાર નરબંકા નર્મદની આજે 192મી જન્મજયંતિ : 

વીર નર્મદની સ્મૃતિમાં આજનો એટલે કે 24 ઓગસ્ટનો દિવસ બની ગયો છે : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ :

‘અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગના પ્રહરી' તેમ જ 'સુધારાનો સેનાની' તરીકે ઓળખાતા આ વિરલાને 'સુંદરમ્' તો 'પ્રાણવંતો પૂર્વજ'નું બિરુદ આપે છે. તો વળી ઉમાશંકર જોશીને નર્મદનાં સર્જનમાં 'નવા યુગની નાંદી' સંભળાય છે. 

સૂરતમાં પ્રાથમિક શિક્ષણ અને મુંબઈમાં માધ્યમિક શિક્ષણ મેળવીને નર્મદે મુંબઈમાં શિક્ષક તરીકે નોકરીનો પ્રારંભ કર્યો.

એ જ અરસામાં મધ્યકાલીન કવિ ધીરાનાં પદો નર્મદનાં વાંચવામાં આવ્યાં,જેનાથી પ્રેરિત થઈને એમણે એ જ પ્રકારનાં આશરે 200 જેટલાં પદો રચી કાઢ્યાં.એથી નર્મદનો કવિતા તરફનો અનુરાગ અને આત્મવિશ્વાસ વધવા લાગ્યો. 

 દરમ્યાન, નોકરી નર્મદને 'દાસપણું' લાગવા માંડી.શિક્ષકના વ્યવસાયથી  કંટાળેલા નર્મદે ઘણાં મનોમંથન વચ્ચે, સાહિત્યોપાસના અર્થે, સમાજ- સુધારણા અર્થે નોકરીનો ત્યાગ કરીને એક દિવસ 'કલમ, તારે ખોળે છઉં ' એવી પ્રતિજ્ઞા કરી અને પૂરા 24 વર્ષ નર્મદે આ પ્રતિજ્ઞા નિભાવી જાણી. 

30 વર્ષના લેખનકાળ દરમ્યાન 38 જેટલી કાળજયી કૃતિઓ આપી જનાર આ વિરલાએ એવું ઘણું સર્જ્યું, જે ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ હતું.

જેમ કે-

--નર્મકોશ : 

પ્રથમ ગુજરાતી શબ્દકોશ

-- મારી હકીકત : 

પ્રથમ ગુજરાતી આત્મકથા.

-- કવિચરિત્ર : 

પ્રથમ ગુજરાતી ચરિત્ર

-- મંડળી મળવાથી થતા લાભ : 

 પ્રથમ ગુજરાતી નિબંધ

-- ડાંડિયો : 

સમાજ, સાહિત્યના દંભ, શોષણ અને કુરિવાજો સામે બંડ પોકારતું સૌ પ્રથમ ગુજરાતી મેગેઝિન.

 'ડાંડિયો'માં નર્મદે સૂરતના તત્કાલીન હવેલીના વૈષ્ણવાચાર્યની કેટલીક પાખંડી પ્રવૃત્તિઓની ઝાટકણી કાઢતાં કેટલાક 'વૈષ્ણવજનો' રોષે ભરાયા અને નર્મદને સમાધાન માટે કહેણ મોકલ્યું તો નર્મદે જવાબ શું આપ્યો તે જાણવા જેવો છે.જુઓ : 

--" લ્યૂથરે એમ કહેલું કે રાજમહેલનાં જેટલાં નળિયાં છે એટલા મારા દુશ્મનો હશે તો પણ હું મારો અભિપ્રાય નહીં બદલું. પરંતુ હું તો એમ કહું છું કે નળિયાં ભાંગ્યાથી જેટલી ન્હાની ન્હાની કકડીઓ થાય એટલા મારા દુશ્મનો હશે તો પણ હું 'મહારાજ'ની દરકાર રાખતો નથી. "

વિધવાવિવાહની હિમાયત કરતા નર્મદની હિંમત વિશે ક.મા.મુનશી નોંધે છે : --- " એ સમયે જગતને આગ લગાડવાનું સહેલું હતું.પરંતુ વિધવાવિવાહ વિશે કંઈ બોલી ન શકાય.એ વખતે નર્મદે વિધવાઓને પરણાવવાની હિંમત કરી હતી." 

વિવેચક વિશ્વનાથ ભટ્ટ નર્મદનાં કવિકર્મ વિશે નોંધે છે : 

-- "નર્મદે ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું અને એકદમ નવી દિશામાં, નવાં જ પાણીમાં એને તરતી મૂકી દીધી." 

ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ 'નર્મકોશ'ને તૈયાર કરતાં નર્મદને 12 -12 વર્ષ લાગ્યાં. આ શબ્દકોશ માટે નર્મદે કેવી ચીવટ અને ચોક્કસાઈ રાખેલી એ નીચેનાં બે ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવશે : 

(1) નર્મદે લાકડાનું એક નાનકડું બળદગાડું બનાવડાવ્યું.એ પછી એના વિવિધ ભાગો ઉપર કાગળની ચબરખી ચોંટાડીને  ભાવનગર રહેતા તેમના એક મિત્રને એ રીતે લેબલ મારેલું બળદગાડું મોકલ્યું અને સૂચના આપી કે તમારા ગોહિલવાડમાં ક્યા ભાગને શું કહેવાય છે તે લખી મોકલજે.

(2) જૂનાગઢ રહેતા એક મર્મી મિત્ર લક્ષ્મીરામને નર્મદે પત્રમાં લખેલું :

 --"આપણાં દેશી રાજ્યોમાં વપરાતા હથિયારોનાં નામ,જુદી જુદી જાતની બંદૂક, જુદી જુદી જાતની તરવાર વગેરે શબ્દ,વાતો અને નામ જેમ જેમ મળતાં જાય તેમ તેમ મોકલ્યાં કરવાં "

પૈસાવિહોણા અને સાધનવિહોણા એ જમાનામાં નર્મદે આ રીતે વર્ષો સુધી મથી મથીને આશરે 25000 જેટલા શબ્દો ભેગા કરીને 'નર્મકોશ' તૈયાર કરેલો.

સુધારાકાળના આખા યુગ પર પોતીકાં તેજ અને તરવરાટ થકી છવાઈ જનાર નર્મદે માત્ર 53 વર્ષનું ટૂંકું આયખું ભોગવીને વિદાય લીધી 1886માં. 

અને હવે, નર્મદની કેટલીક પ્રાણવાન પંક્તિઓ- ઉક્તિઓ યાદ કરી લઈએ: 

--*--

' જય જય ગરવી ગુજરાત,

   દીપે  અરુણું  પરભાત  ! '


'સહુ ચલો જીતવા જંગ,બ્યૂગલો વાગે

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.' 


'નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક,

યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી' 


'વીર, સત્ય ને ટેકીલાપણું, અરિ પણ દિલથી ગાશે,

જુદાઈ દુઃખ તે નથી જવાનું,જાયે માત્ર મરણથી '


' ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું,

  વેણ કાઢવું કે ના લટવું,ના લટવું '


' તાપી દક્ષિણ તટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ, 

 મને ઘણું અભિમાન, ભોંય  તારી   મેં ચૂમી.'


' કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે     મ્હાલે મસ્ત, 

કોઈ હોયે ઈશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.'


' રચના  રૂડી  છંદમાં, તે  કવિતા નવ   હોય, 

અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી હોય.' 

( રચ્યા છે રૂડા છંદ દલપતરામે - ના પ્રતિવાદ રૂપે) 


'  આ તે શા તુજ હાલ !

  સુરત સોનાની મૂર્ત ! '


'  દાસપણું ક્યાં સુધી  ? ' 

( શિક્ષકની નોકરીથી કંટાળીને) 


' હવે, તારે ખોળે છઉં ! '

( કલમને કહેલું )  


-- "કવિતા જેને વશ છે તે કવિ નથી પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો." 

---" કેટલાક ગરબડિયા બહુશ્રુત કવિ એવા હોય છે કે સભામાં વાણીની છટાથી જેવું તેવું, ગટરપટર બોલી   'દિગ્વિજયી છઉં' એવું દેખડાવે છે. એવા લોકોને સભામાં મૂર્ખ લોકો માન આપે છે પણ તે માન ઝાઝી વાર ટકતું નથી."

-- " ઊગતા કવિઓએ શીઘ્ર કવિતા કરવાનો લોભ થોડો રાખવો.. શબ્દને માટે ગુજરાતી ભાષાનાં જૂના કવિઓનાં પુસ્તકો વાંચવાં.. જુવાનોએ પ્રથમ પોતાનું વિદ્યાજ્ઞાન, વ્યવહારજ્ઞાન, રસજ્ઞાન વધારવું ને પછી કામ માથે લેવું."

 -- " રાંડેલીનાં લગ્ન કાં નહીં ? " 

(વિધવા વિવાહની હિમાયત)

--*--

આવા પ્રતિભાવંત યુગપ્રવર્તક સર્જક અને સુધારક નર્મદની સ્મૃતિમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર, પ્રસાર, વિકાસ માટે નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન કરનાર સર્જકને દર પાંચ વર્ષે  'નર્મદ સાહિત્ય સભા'તરફથી છેક 1940 થી 'નર્મદ સુવર્ણચંદ્રક' એનાયત થાય છે.

સૂરત ખાતેનાં નર્મદનાં નિવાસસ્થાનને સરકાર દ્વારા મ્યૂઝિયમ બનાવડાવીને તેને 'સરસ્વતી મંદિર' તરીકે નવી ઓળખ અપાયેલ છે.

આજે સુરતના ઘોડદોડ રોડ ઉપર કોર્પોરેશન સંચાલિત વિશાળ 'નર્મદ સેન્ટ્રલ લાયબ્રેરી' ધમધમે છે.

 2005 માં 'દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી'નું નવું નામાભિધાન 'વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી' થયેલ છે.

નર્મદ વિશે નર્મદ-નગરી સુરતના જ સુખ્યાત કવિ-લેખક શ્રી રઈશ મનીઆર દ્વારા લિખિત એક નાટિકાનું ઔચિત્યપૂર્ણ શીર્ષક છે :

       : મર્દ નામે નર્મદ : 

 સાંપ્રત સંદર્ભે નર્મદનું તુલનાત્મક ગૌરવગાન કરતાં આપણા કવિવર્ય સ્વ.નિરંજન ભગત ઉચિત રીતે વદે છે : 

" ક્યાં તુજ જોસ્સો, કેફ, ક્યાં આ જંતુ માણહા !                               

 માથા  પરની  રેફ, નર્મદ !  સ્હેજ  ખસી   ગઈ  ! "

( 'નર્મદ'ની જગ્યાએ 'નમર્દ' )

( वाह ભગતસાહેબ ! )

‘કબીરવડ' કાવ્યનો આ બડકમદાર શબ્દ-બંદો ગુજરાતી ભાષાનાં કાવ્ય- કાનનમાં ઘેઘૂર 'કબીરવડ'ની માફક છવાયેલ હતો, છે અને રહેશે.

'જય જય ગરવી ગુજરાત' જેવી અજરામર પંક્તિઓમાં ગુજરાતની અસ્મિતાને પ્રસ્થાપિત કરનાર આ વટવાળા વિરલા વીર નર્મદની વિરલ ચેતનાને વિનમ્ર નમન.

-- नमस्कार ! 

(-- R. P. Joshi : Rajkot :) 

Thursday, August 21, 2025

મઘા નક્ષત્ર

 


ઘા નક્ષત્ર (Magha Nakshatra)



મઘા નક્ષત્ર
આવો જાણીએ આ નક્ષત્રની ""મહાનતા""

મઘાનો અર્થ થાય છે મહાન. આકાશમાં મઘા નક્ષત્રનું 10મું સ્થાન છે. મઘા નક્ષત્રના પગ, સિંહ રાશીમાં આવે છે. મઘા નક્ષત્રની તાકાત તથા પ્રભુત્વ સાથે જોડાયેલ હોય છે. તેનું પ્રતિક ચિન્હ રાજ સિંહાસન માનવામાં આવે છે.

મઘા નક્ષત્રની મહાનતા

મઘા નક્ષત્રનું મહત્વ: 
મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી વરદાન સમાન ગણાય છે, શાસ્ત્ર અને આયુર્વેદમાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે.

મઘા નક્ષત્રનું સંગ્રહિત જળ પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. શરીરમાં રહેલા કોઈપણ પ્રકારના વિષતત્વ એટલે કે, ઝેરી તત્વ મૂત્રમાર્ગથી દૂર થાય છે પિત્ત અને કફની સમસ્યા પણ દૂર થાય છે. જેનામાં જાડાપણું હોય તે એ પણ ઓછું થાય છે. સૌથી મોટી સમસ્યા માનવામાં આવે તો તે વિટામિન બી12 ની ઉણપ પણ દૂર થાય છે.

વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલેકે માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.

વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કેહવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે.

આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પેહલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.

ઘણાં ઇતિહાસમાં પણ આનો ઉલ્લેખ મળ્યો છે કે પહેલાના સમયમાં દરેક ઘરોમાં આ વરસાદી પાણીનો સંગ્રહ ખુબજ મોટા પ્રમાણમાં કરતા હતા, અને આખું વરસ આ પાણીનો જ ઉપયોગ કરતા. —  "રાજસ્થાનના જેસલમેર થી 18 કિલોમીટર દૂર આવેલ ઐતિહાસિક "કુલધરા" ગામ છે, જો કે હાલ ત્યાં માત્ર ખંડેર ઊભા છે, ((આ ઐતિહાસિક ગામ રાતોરાત ખાલી થયેલું,)) વર્ષો પહેલા પાલીવાલ બ્રાહ્મણો ત્યાં વસતા અને એ "જીપ્સમ" માટીથી બનાવેલ તળાવનો ઉપયોગ આ વરસાદી પાણી સંગ્રહ કરવા માટે કરતા અને આ પાણી આખું વરસ ચલાવતા. .."" (અહીંથી વધુ વાંચો કુલધરા ઈતિહાસ)

હજુ પણ ગામડાંઓમાં અમુક ઘરો માં મઘાનું વરસાદી પાણીનો સંગ્રહ કરી અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

જેવી રીતે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને સ્વાતિ નક્ષત્રના વરસાદનું જ પાણી પીવે છે. એ બાબતના નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસનું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે..""


આ વરસે મઘા નક્ષત્રની તારીખ:

“સૂર્ય એક નક્ષત્ર માં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. આ વરસે સૂર્ય નારાયણ મઘા નક્ષત્રમાં શ્રાવણ વદ ૯ ને રવિવાર તારીખ 17/08/2025 થી તારીખ 29/08/2025સુધી રહેશે.”

આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે.. તો આ દિવસોના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.

આ દિવસો દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.

આંખોને લગતાં કોઈ પણ રોગ માં આ મઘા નક્ષત્રના પાણી ના બે બે ટીપા નાખી શકાય, પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે.

આધ્યાત્મિક બાબતે મઘા ના પાણીનો ઉપયોગ શું ?
તો આ પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે. મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે. જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે.

શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાયી થાય છે. ....આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે.

મઘા નક્ષત્ર માં વર્ષેલું જળ નિર્મળ કેમ ?
અગસ્ત્ય મુનિ નો ઉદય ઓગસ્ટ માં નિયમિત થાય છે 
અગત્સ્ય માટે કહ્યું છે.

उदये च मुनेरगस्तयनाम्न: कुसुमायोग मलप्रदूषितानि |
ह्रदयानि सतामिव स्वभावात् पुनरम्बुनि भवन्ति निर्मलानी ||

જ્યારે અગત્સ્ય નામના તારા નો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે. એવો પ્રાકૃતિક નિયમ છે. જેમ સદાચારી ના મન ની કલુષતા દૂર થઈ જાય તેમ જ અગત્સ્ય ના ઉદય પછી જળ નું દુષણ દૂર થઈ જાય.

અગસ્ત્ય ના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મલ હોય છે મતલબ મેઘરૂપ સર્પો ની વિષાગ્ની (તાપ) થી તપેલું હોવા ના કારણે અને ઇન્દ્રાજ્ઞા થી વરસવા વાળુ જળ હંમેશા પવિત્ર અને કલ્યાણ કારી હોય છે પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાશ 38° પર ના પ્રદેશ માં અગત્સ્ય નું દર્શન દુર્લભ છે.

આ પાણીથી આપના ગૃહની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે. એકાદવાર આ પાણીથી ખીચડી બનાવી ટેસ્ટ કરી જોજો અનેરો સ્વાદ આવશે ...મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે, જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે.

આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવી દેવતાની પૂજા અભિષેકમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ પોસ્ટ ને શક્ય એટલી વધુ ફેલાવશો. ___લોકો નિરોગી રહેશે.

હંમેશા પ્રકૃતિ પર વિશ્વાસ રાખો. દરેક બીમારીનો ઈલાજ પ્રકૃતિમાં જ ભગવાને આપેલો છે. આથી જ કહેવાયું છે કે પ્રકૃતિ દેવો ભવ:

 ( એક પ્રસ્તૃત લેખ, આવકારના સૌજન્યથી )

Wednesday, August 20, 2025

શિવ – પરમ તત્વ, પરમ વિજ્ઞાન

 શિવ – પરમ તત્વ, પરમ વિજ્ઞાન



ભારતીય અધ્યાત્મનાં અનેક ઉજ્જ્વળ પ્રકરણો છે. આ અનેક ઉજવળ પ્રકરણોમાંનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે - શિવતત્ત્વ! શિવતત્ત્વ અને શિવની ઉપાસના એ આપણી સંસ્કૃતિનાં અધ્યાત્મમુકૂટનું એક અણમોલ રત્ન છે. રહસ્યપૂર્ણ તત્ત્વોને સાંકેતિક રીતે અભિવ્યક્ત કરવાની ભારતીય પરંપરા છે અને સૂક્ષ્મ તત્ત્વોને સ્થૂળ પ્રતીકો દ્વારા જીવંત રાખવાની પણ આપણી પરંપરા છે.

શિવતત્ત્વ, શિવમંદિર, શિવસ્વરૂપ, શિવપરિવાર, શિવોપાસના, ગંગાધર સ્વરૂપ અર્ધનારિશ્વર અને નટરાજ આ બધું જ શિવતત્વનાં ગાઢ સંદેશાઓ ધરાવે છે, જે અનેક સાંકેતિક પ્રતીક યોજના દ્વારા ઢંકાયેલી છે. આ પ્રતીક યોજનાને ખુલ્લી કરવામાં આવે તો, પ્રતીકોનાં ઢાંકણની પાછળ જે રહસ્યો છુપાયેલાં છે તેનાં ઝળાંઝળાં દર્શન થાય છે અને મસ્તક અહોભાવથી ઢળી પડે છે.

શિવ એ માત્ર દેવતા નથી, તેઓ પરમ તત્વ છે – જે સર્વ સાથે, સર્વ જગ્યાએ અને સર્વ સમય સાથે અવિચ્છિન્ન રીતે જોડાયેલા છે. તેઓ પરમ ઈશ્વર અને સર્વના નિયંત્રણકર્તા છે.

ઋગ્વેદ કહે છે:

"ઈશાનઃ સર્વ વિદ્યાનામીશ્વરઃ સર્વ ભુતાનામ"

શિવજી સર્વ વિદ્યાઓના સ્વામી અને પ્રાણીમાત્રના પરમ નિયંત્રણકર્તા છે.

 *યોગેશ્વર અને યોગીશ્વર* 

શિવજી યોગના સ્ત્રોત છે. મનુષ્યના પરમ કલ્યાણ માટે આત્મસાક્ષાત્કાર આવશ્યક છે અને તેનો મુખ્ય સાધન યોગ છે.

શિવે કહ્યું: "મારામાં મન સ્થિર કરીને અન્ય વૃત્તિઓનો નિરોધ કરવો એ જ યોગ છે.

યોગના પાંચ મુખ્ય વિભાગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ, રાજયોગ અને શિવયોગ. કહેવાય છે કે આ યોગનું પરમ જ્ઞાન શિવે સૌ પ્રથમ પોતાના ૨૮ શિષ્યોને આપ્યું. આ જ્ઞાન આગળ શિષ્ય પરંપરાથી સમગ્ર જગતમાં ફેલાયું.

*શિવ - તમામ વિદ્યાઓના જનક* 

ગણિત, વિજ્ઞાન, ભાષા, નૃત્ય, સંગીત – તમામ કલાઓ અને વિજ્ઞાનોનું મૂળ શિવજ છે. બ્રહ્માંડનો અનંત વિસ્તાર, જેને આજે આધુનિક વિજ્ઞાન expanding universe તરીકે ઓળખે છે, તે વિષય આપણા ધર્મગ્રંથોમાં સદીઓથી વર્ણવાયેલ છે.

શિવલિંગનો અંડાકાર આકાર બ્રહ્માંડના અનંત, ગોળાકાર અને સર્વદિશામાં વ્યાપ્ત સ્વરૂપનું પ્રતિક છે. શિવ એટલે માત્ર "શુભ" નહિ, પરંતુ "કલ્યાણકારી" - જેનું અસ્તિત્વ સૃષ્ટિના કલ્યાણ માટે છે.

 *અર્ધનારિશ્વર અને ઊર્જા સિદ્ધાંત* 

પ્રત્યેક અસ્તિત્વમાં શિવ (ચેતના) અને શક્તિ ઊર્જા) નો અવિભાજ્ય સંયોગ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇનની E = mc² જેવી થિયરી શિવના અર્ધનારિશ્વર સ્વરૂપમાં પ્રગટ થાય છે પદાર્થ અને ઊર્જા એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે.

 *મહાકાળ અને બ્લેક હોલ* 

શિવનું એક રૂપ મહાકાળ છે. જેમ બ્લેક હોલ સમગ્ર પદાર્થ, પ્રકાશ અને સમયને પણ શોષી લે છે, તેમ મહાકાળ સૃષ્ટિના દરેક ચરણને ગ્રસે છે. શિવ સમાધિમગ્ન થાય ત્યારે સમયનો પ્રવાહ પણ સ્થિર થઈ જાય છે. સર્વ પ્રવાહ શૂન્યમાં વિલીન થાય છે. આ શૂન્ય જ પરમ પૂર્ણ છે.

 *ક્વાન્ટમ એનર્જી અને સ્પેસ-ટાઈમ* 

આધુનિક ભૌતિકશાસ્ત્ર જયારે કવાન્ટમ એનર્જીની વાત કરે, ત્યારે તે કહે છે કે બ્રહ્માંડનો મૂળ આધાર એક અદ્રશ્ય ઉર્જાક્ષેત્ર છે. જે સર્વત્ર વ્યાપ્ત છે, અખંડ છે જેમાંથી પદાર્થ, જન્મે છે અને નાશ પામે છે. શિવતત્વ એ જ ઉર્જાનું આધ્યાત્મિક નામ છે.

સ્પેસ-ટાઈમ ( આકાશ કાલ) કર્વેચર, જેને આઈન્સ્ટાઈને વર્ણવી, તે પણ શિવના નૃત્ય - નટરાજ તાંડવનું વૈજ્ઞાનિક રૂપક છે, જ્યાં સૃષ્ટિનો અવકાશ અને સમય સતત વળે છે, વિસ્તરે છે અને સઘન થાય છે.

*શિવ – આદર્શ જીવન માટે પ્રેરણા* 

શિવ દેવ, દાનવ કે માનવ – સૌ પ્રત્યે સમભાવ રાખે છે. તેઓ આશુતોષ છે – ઝટ પ્રસન્ન થનારા. સમુદ્રમંથન વખતે નીકળેલું હળાહળ પી લીધું, કારણ કે જગતનું કલ્યાણ પ્રથમ છે. આપણું જીવન પણ બીજાના હિત માટે અણગમતું સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.

ગંગાને મસ્તક પર ધારણ કરીને "ગંગાધર" બન્યા જવાબદારીથી ભાગ્યા નહિ, તેને સહજતાથી સ્વીકારી. આપણાં જીવનમાં પણ જવાબદારીથી ગભરાયા વિના તેને શિવની જેમ ધારણ કરવી જોઇએ.

*શિવમય જીવન* 

આદિ શંકરાચાર્ય કહે છે: "શિવોહમ શિવોહમ" – હું શિવ છું. પરંતુ શિવમય થવા માટે શિવના ગુણ અપનાવવાં જરૂરી છે –

સમભાવ,

દ્વેષ, અહંકાર અને ઈર્ષા છોડવા,

ક્ષમા અને કરુણા,

બીજાના હિત માટે અણગમતું સ્વીકારવાની તૈયારી,

આંતરદષ્ટિ અને શાંતિ.

*શિવનો અપરિચિત મહિમા* 

तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर ।

यादृ‌शोऽसि महादेव तादृशाय नमो नमः ॥

'હે મહેશ્વર! તમે કેવા છો તે હું પૂરેપૂરું જાણતો નથી. તમે જેવાં હો તેવાં, હે મહાદેવ! તમને વારંવાર નમન કરું છું."

શિવતત્ત્વનું સ્વરૂપ અમાપ અને અગમ્ય છે, અનંત છે, તેનો મહિમા અનંત છે, તે સમયથી પર છે, દિશાઓથી પર છે, વર્ણનથી પર છે. જે થોડી ઝલક મળે છે, તે પણ શિવની કૃપાથી જ.

 *મૃત્યુના પારનું તત્ત્વ* 

ॐ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् ।

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ॥

અર્થ - "ત્રિનેત્ર શિવની આરાધના કરીએ છીએ, જે સુગંધ અને પુષ્ટિનું વર્ધન કરે છે. જેમ કાકડી વેલાના બંધનમાંથી છૂટે છે. તેમ મૃત્યુના બંધનમાંથી અમને મુક્ત કરે, પરંતુ (પરમ તત્વરૂપ)  અમૃત સ્વરૂપથી નહિ."

આ મંત્ર દર્શાવે છે કે શિવતત્ત્વ જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપે છે, પણ ચેતનાના પરમ અમૃત સાથે અમને જોડે છે.

"શિવ એટલે અનંત, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સર્વત્ર વ્યાપ્ત પ્રેમ.

આ શ્રાવણ માસ દરમિયાન શિવના જે ગુણ ગાવા મળ્યા, તે ગુણોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. ગુણ ગવાય અને પમાય, જેથી આપણી વાણી સૌમ્ય, હૃદય નિર્મળ અને ચિત્ત નિર્ભય બને – એ જ સાચી શિવ આરાધના છે.

પવિત્ર શ્રાવણના અંતિમ સોમવારે પ્રાર્થના કરીએ –

'હે શિવ, અમને એ દૃષ્ટિ આપો કે અમે બ્રહ્માંડના દરેક કણમાં તમારો અનુભવ કરી શકીએ. આપણા જીવનનું દરેક કાર્ય, દરેક વિચાર, દરેક શબ્દ - તમારી કલ્યાણકારી શક્તિનું વહનકાર બને.”

 🙏🏻હર હર મહાદેવ!

   (  એક પ્રસ્તૃત લેખ )

Friday, August 8, 2025

મેરી સુનલો મારૂતિનંદન (ભક્તિ ગીત)



 મેરી સુનલો મારૂતિનંદન (ભક્તિ ગીત) 




મેરી સુનલો મારૂતિનંદન,કાટો મેરે દુઃખકે બંધન 

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


મુજ પેર ભી કરુણા કરના

મૈં આયા શરણ તુમ્હારી, મૈં જોડે હાથ ખડા હું 

તેરે દરકા બના ભિખારી,તુમ સબસે બડે ભંડારી 

મૈં પાની તુમહો ચંદન,

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


તેરા નામ બડા દુનિયામેં,સબ તેરે હી ગન ગાયે

ઈશ જાગકે સબ નર નારી ચરણોમેં શીશ નમાયે

કર ભવસે પાર મુજે ભી,હે બાબા સંકટમોચન 

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


મૈને તેરી આશ લગાઈ,બાબા હનુમાન ગુસા 

જબ ભીડ પડી ભકતોપે,તુને હી કરી સહાઈ

વિરાન કરે હે દુહાઈ, પ્રભુ દીજો મોહે દર્શન 

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


Monday, August 4, 2025

આપણા ‘હું’ નું (ખરું )સ્વરૂપ આનંદમય છે.

 આપણા ‘હું’ નું (ખરું )સ્વરૂપ આનંદમય છે.


 


આપણી ઇચ્છિત વસ્તુ મળે એમાં સમાધાન છે જ એવું નથી. એ ઇચ્છાનો જ નાશ કરવો તેમાં સમાધાન છે.ઈચ્છાઓ નાશ પામી જાય ત્યારે જ સમાધાન થાય. એટલે વાસનાક્ષય કેમ કરીને થાય તે જોવું જોઈએ, એ તરફ લક્ષ્ય આપવું જોઈએ. ખરા આનંદ અને સમાધાન ભગવાનના બનવામાં જ છે. ‘ભગવાન,તારા સિવાય મારુ કોઈ નથી’ એ જે દિવસે મનમાં પાકું ઠસી જશે તે જ દિવસે સમાધાન મળશે.જેટલો વિષયનો પ્રેમ રાખીયે એટલું દુઃખ જ પનારે પડે છે. વિષય સુખ ન માંગતા પણ આવે છે. પણ જે પરમાર્થની આડે આવે છે તે શા માટે માંગતા રહેવું ? મારી પૂંઠે રામ છે એમ કહ્યું,તો સંસારમાં વિષયોમાં રહ્યા તો પણ બીવાનું કારણ નથી.ભગવાનનો આધાર કાયમ રાખ્યો તો પછી ભય લાગતો નથી. હંમેશા અનુસંધાનમાં રહીયે તો તે ‘સાવધ ‘ રહેવા જેવું જ થયું.


દિવાળી એ આનંદનો દિવસ છે. પણ (દિવસ તરીકે ) તે બીજા દિવસો જેવો જ છે.એટલું જ નહિ પણ, આગલા દિવસની પરિસ્થિતિ બદલાતી નથી. દિવાળીનો દિવસ એ દિવસના નાતે જુદો નથી. પણ કાલે આપણે જે કર્યું તે દિવાળીના દિવસે કરતા નથી એજ મુખ્ય ફરક છે.(એટલે) આપણે જ દિવાળીના દિવસને આનંદનો દિવસ બનાવીયે છીએ. એ જો ખરું તો હંમેશ જ આપણે એવું કાં ન કરીએ ? આપણે હંમેશા જ દિવાળી માનીયે,આપણે હંમેશા જ આનંદમાં રહીયે, અને એ માટે આનંદમય એવા ભગવાનનો આધાર લઈએ. દિવાળીના તહેવારનો લાભ લઈને આપણે આનંદ જ આનંદ કરીયે છીએ. તો જે આનંદ નિર્માણ કરે છે એ ભગવાનના જ આશ્રયે હંમેશા કાં ન રહીયે ? ભગવાનનો આનંદ એ અતિ બળવત્તર છે. તે એકવાર મળી ગયો તો સંસારમાના લાભ-હાનિનું મહત્વ લાગતું નથી. ભગવાનનું સ્વરૂપ મૂળમાં જ આનંદમય છે.એવા આનંદમય ભગવાન આપણી અંદર રહેલા હોવા છતાં આપણે દુઃખ ભોગવીએ છીએ.એનું કારણ ભગવાનને પ્રગટ થવામાં આપણે જ આપણી અંદર અડચણ ઉભી કરીયે છીએ. આપણી અંદર ભગવાન તો છે જ, પણ તેની સાથે સાથે ‘હું’ પણ છે. આ ‘હું’ કોણ તે જાણવા માટે. ઇંદ્રિયોની ગરબડ શાંત કરીને ( આપણી) અંદર આપણે આનંદની શોધ કરીયે. તો આપણે એ ‘હું’ નું સ્વરૂપ પણ આનંદમય હોવાનો અનુભવ આવશે. આવી રીતે પરમાત્માની ઓરખાણ કરી લેવી એમાં જીવનની ખરી શરૂઆત છે. અને પરમાત્મામાં વિલીન થઇ જવું એમાં જીવનનું સર્વસ્વ છે.


(એક પબ્લિશ્ડ પોસ્ટ) 


Monday, July 28, 2025

શુભકામનાઓ

 શુભકામનાઓ




મિત્રો

‘ મોગરાના ફૂલ બ્લોગ’ વતી શ્રાવણ માસની આપ સહુને પણ  કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ -હર હર મહાદેવ.

Saturday, July 26, 2025

કવિ કલાપી

 

કવિ  કલાપી




જન્મ : તા: ૨૬ -૧ -૧૮૭૪

શિક્ષણ- રાજકુમારકોલેજ- રાજકોટ 

રાજ્યાભિષેક તા:૨૧-૧-૧૮૯૫ (૨૧ વર્ષની વયે) 

*દેહાવસાન : તા: ૯ - ૬ - ૧૯૦૦*

જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ.


તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,

છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિશલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.


મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,

પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;

ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!


આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.


રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,

આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;

રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે


–સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)



જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!


માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!


જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!


તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!


આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!


આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!


દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!


થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!


જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!


પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,

ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!


રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!


જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,

જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!


ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!


કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!


- #કલાપી

Wednesday, July 23, 2025

શ્યામા આન બસો વૃન્દાવનમેં



 શ્યામા આન બસો વૃન્દાવનમેં





શ્યામા આન બસો વૃન્દાવનમેં,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે


શ્યામા રાસ્તેમેં બાગ લગા જાના,ફૂલ બિનુંગી તેરી માલાકે લિયે,

તેરી બાત નિહારું કુંજનમે,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.


શ્યામા રાસ્તેમેં કુઆ ખુદવા જાના,મૈં તો નીર ભરૂંગિ તેરે લિયે,

મૈં તુજે નહલાઉન્ગી મલમલકે,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.


શ્યામા મુરલી મધુર સૂના જાના,મોહે આકે દરશ દિખા જાના,

તેરી સુરત બસી હૈ અખિયનમેં,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.


શ્યામા વૃંદાવનમેં આ જાના, આ કરકે રાસ રચા જાના,

સૂની ગોકુલકી ગાલિયોંમે,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.


શ્યામા માખન ચુરાને આ જાના,આકરકે દહીં બિખરા જાના,

બસ આપ રહો મેરે મનમેં,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.


જય શ્રી કૃષ્ણ










Thursday, July 17, 2025

નામ હૈ તેરા તારણહારા



 નામ હૈ તેરા તારણહારા
 

નામ હૈ તેરા તારણહારા, કબ તેરા દર્શન હોગા, 

જિનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા (૨) 


તુમને તારે લાખો પ્રાણી, યે સંતોકી વાણી હૈ,

તેરી છબી પર વો મેરે ભગવન,યે દુનિયા દીવાની હૈ,

ભાવસે તેરી પુંજા રચાઉં,જીવનમેં મંગલ હોગા, 

જિનકી પ્રતિમા……..


સુરવર મુનિવર જિનકે ચરણે, નિશદિન શીશ ઝુકાતે હૈ,

જો ગાતે હૈ પ્રભુકી મહિમા, વો સબકુછ પા જાતે હૈ 

અપને કષ્ટ મિતાનેકો તેરે, ચરણોંકા વંદન હોગા 

જિનકી પ્રતિમા……..;.


મનકી મુરાદે લેકર સ્વામી, તેરે શરણમે આયે હૈ, 

હેમ હૈ બાલક તેરે ચરણમે તેરે હી ગુણ ગાતે હૈ,

ભવસે પાર ઉતરનેકો તેરે ગિતોકા સંગમ હોગા 

જિનકી પ્રતિમા…….


નામ હૈ તેરા તારણહારા,કબ તેરા દર્શન હોગા, 

જિનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા !!

જય શ્રી કૃષ્ણ.


Thursday, July 10, 2025

ગુરુ મહિમા






ગુરુ મહિમા


મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ નો પાયો જ્ઞાન છે. જ્ઞાન આપનાર છે ગુરુ. સદ્ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યના મન ના  અજ્ઞાન રુપ  અંધકારને દૂર કરી જ્ઞાન રુપ  દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી છે.

ગુરુ ગોવિંદ દોનો ખડે

કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી 

ગોવિંદ દિયો બતાય

ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. 

ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે. 

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ ગુરુ પદમ,

મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,

મોક્ષ મૂલમ ગુરુ કૃપા...

ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુનું સ્વરૂપ છે, પૂજા કરવા માટે ગુરુના ચરણ કમલ છે, ગુરુનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુ ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. 


*આ ગુરુ પૂર્ણિમાના દિને આપણા સૌના જીવનના ઉત્કર્ષમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો ને કોટી કોટી વંદન.*

Sunday, July 6, 2025

દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની શુભકામનાઓ



દેવશયની એકાદશીની આપ સહુ ભાવિક મિત્રોને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ - જય માં જગદંબે 

Tuesday, July 1, 2025

સુખ દુઃખ આની જાની હૈ ( રામ ભજન )

સુખ દુઃખ આની જાની હૈ ( રામ ભજન )



દુઃખમેં કભી ન ગભરાઓ સુખમે કભી ના ભરમાઓ

સુખ દુઃખ આની જાની હૈ તુમ રામ નામ જપતે જાઓ…


શ્રી રામજીને ભી જીવનમેં બડે દુઃખ પાયે હૈ 

ખુદ ઈશ્વર હો કે ભી દુઃખકો ટાલ ન પાયે હૈ 

કાળ નિયમમેં સભી બંધે હૈ 

તુમ સમયકે સંગ ચલતે જાઓ ….સુખ દુઃખ આની….


રામ સિયાકો વનવાસ હુઆ તો લખન સિયાને સાથ ન છોડા..

રામકે સંગ વનવાસમેં રામકે દુખશે ખુદકો જોડા 

સુખ દુઃખ જીવનકા છાયા હૈ.. તુમ સત્ય કરમ કરતે જાઓ ….સુખ દુઃખ આની ….


ચાર પુત્ર થે દશરથજીકે અંત સમય નહિ મિલ પાયે …

ચાર ભાઈ જબ સાથ હુંયે તો પિતૃ દર્શન નહી કર પાયે 

રામકથા જીવન દર્શન હૈ ..તુમ રામકે સંગ ચલતે જાઓ …સુખ દુઃખ આની…


જય શ્રી રામ 






Sunday, June 29, 2025

ગોત્રની વાસ્તવિક શક્તિ


ગોત્રની વાસ્તવિક શક્તિ




શું તમે તમારા ગોત્રની વાસ્તવિક શક્તિ જાણો છો?

કોઈ ધાર્મિક વિધિ નથી. અંધશ્રદ્ધા નથી. તે તમારી પ્રાચીન સંહિતા છે

આ સંપૂર્ણ થ્રેડ વાંચો જેમ કે તમારો ભૂતકાળ તેના પર આધાર રાખે છે.

૧. ગોત્ર એ તમારું અટક નથી. તે તમારું આધ્યાત્મિક ડીએનએ છે.

તમે જાણો છો કે શું પાગલ છે? 

આપણામાંથી મોટાભાગના લોકો એ પણ જાણતા નથી કે આપણે કયા ગોત્રના છીએ.

અમને લાગે છે કે તે ફક્ત પંડિતજી પૂજા દરમિયાન કહે છે તે કોઈ પંક્તિ છે. પરંતુ એવું બિલકુલ નથી.

તમારા ગોત્રનો અર્થ છે - તમે કયા ઋષિના મન સાથે જોડાયેલા છો.

લોહીથી નહીં. પરંતુ વિચાર, ઉર્જા, આવર્તન અને જ્ઞાનથી.

દરેક હિન્દુ આધ્યાત્મિક રીતે ઋષિ (ઋષિ) સુધી પહોંચે છે. તે ઋષિ તમારા બૌદ્ધિક પૂર્વજ છે. તેમનું જ્ઞાન, તેમનો માનસિક પેટર્ન, તેમની આંતરિક આવર્તન - બધું તમારામાંથી વહે છે.

. ગોત્રનો અર્થ જાતિ નથી.

આજે લોકો તેને ભેળસેળ કરે છે.

ગોત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર વિશે નથી.

તે જાતિ પહેલા, અટક પહેલા, રાજ્યો પહેલા પણ અસ્તિત્વમાં હતું.

તે ઓળખની સૌથી પ્રાચીન પદ્ધતિ છે - જ્ઞાન પર આધારિત, શક્તિ પર નહીં.

દરેક વ્યક્તિ પાસે ગોત્ર હતું - ઋષિઓ પણ એવા વિદ્યાર્થીઓને ગોત્ર આપતા હતા જેઓ તેમના ઉપદેશોને નિષ્ઠાપૂર્વક અપનાવતા હતા. તે શિક્ષણ દ્વારા પ્રાપ્ત થયું હતું.

તો ના - ગોત્ર કોઈ લેબલ નથી.

તે આધ્યાત્મિક વારસાનો મહોર છે.

૩. દરેક ગોત્ર એક ઋષિમાંથી આવે છે - એક સુપરમાઇન્ડ

ધારો કે તમે વશિષ્ઠ ગોત્રમાંથી છો.

એનો અર્થ એ કે તમારા પૂર્વજોના ઋષિ વશિષ્ઠ મહર્ષિ હતા - એ જ ઋષિ જેમણે ભગવાન રામ અને રાજા દશરથને પણ માર્ગદર્શન આપ્યું હતું.

એ જ રીતે, ભારદ્વાજ ગોત્ર?

તમે એવા ઋષિ સાથે જોડાયેલા છો જેમણે વેદોના વિશાળ ભાગો લખ્યા હતા અને યોદ્ધાઓ અને વિદ્વાનોને તાલીમ આપી હતી.

૪૯ મુખ્ય ગોત્ર છે - દરેક ઋષિઓ સાથે જોડાયેલા છે જે ખગોળશાસ્ત્રીઓ, ઉપચાર કરનારા, યોદ્ધાઓ, મંત્ર ગુરુઓ અથવા પ્રકૃતિ વૈજ્ઞાનિકો હતા.

૪. શા માટે વડીલો સમાન ગોત્ર લગ્નની મનાઈ કરે છે?

 અહીં એક હકીકત છે જે તેઓ શાળામાં ક્યારેય શીખવતા નથી:

પ્રાચીન ભારતમાં, ગોત્રનો ઉપયોગ આનુવંશિક રેખાઓને ટ્રેક કરવા માટે થતો હતો.

ગોત્ર પુરુષ રેખામાંથી પસાર થાય છે - એટલે કે પુત્રો ઋષિ-રેખાને આગળ ધપાવે છે.

તેથી જો એક જ ગોત્રના બે લોકો લગ્ન કરે છે, તો તેઓ આનુવંશિક રીતે ખૂબ નજીક હોય છે, જેમ કે ભાઈ-બહેનો.

આ બાળકોમાં માનસિક અને શારીરિક ખામીઓનું કારણ બની શકે છે.

ગોત્ર પ્રણાલી = પ્રાચીન ભારતીય ડીએનએ વિજ્ઞાન

અને આપણે તે હજારો વર્ષ પહેલાં જાણતા હતા - પશ્ચિમી વિજ્ઞાને આનુવંશિકતા શોધ્યા તે પહેલાં.

. ગોત્ર = તમારું માનસિક પ્રોગ્રામિંગ

ચાલો આને વ્યક્તિગત બનાવીએ.

કેટલાક લોકો જન્મજાત વિચારક હોય છે.

કેટલાકને ઊંડા આધ્યાત્મિક ભૂખ હોય છે.

કેટલાક સ્વભાવે શાંતિ અનુભવે છે.

કેટલાક કુદરતી નેતાઓ અથવા સત્ય શોધનારા હોય છે.

શા માટે?

કારણ કે તમારા ગોત્ર ઋષિનું મન હજુ પણ તમારી કુદરતી વૃત્તિને આકાર આપે છે.

એવું લાગે છે કે તમારું મન હજુ પણ ઋષિના સંકેત - જે રીતે તેમણે વિચાર્યું, અનુભવ્યું, પ્રાર્થના કરી, શીખવ્યું તેના પર ટ્યુન છે.

જો તમારું ગોત્ર યોદ્ધા ઋષિનું છે, તો તમે હિંમત અનુભવશો.

 જો તે કોઈ ઉપચારક ઋષિ તરફથી હોય, તો તમને આયુર્વેદ કે દવા ગમતી હશે.

આ સંયોગ નથી. આ ઊંડા પ્રોગ્રામિંગ છે.

. ગોત્રનો ઉપયોગ એક સમયે શિક્ષણને કસ્ટમાઇઝ કરવા માટે થતો હતો

પ્રાચીન ગુરુકુળોમાં, તેઓ દરેકને એકસરખી રીતે શીખવતા નહોતા.

ગુરુ પૂછતા પહેલા પ્રશ્ન? - "બેટા, તુમ્હારા ગોત્ર ક્યા હૈ?"

શા માટે? કારણ કે તે તેમને કહેતું હતું કે વિદ્યાર્થી કેવી રીતે શ્રેષ્ઠ શીખે છે.

જ્ઞાનની કઈ શાખા તેને અનુકૂળ આવે છે. તેની ઉર્જા માટે કયા મંત્રો શ્રેષ્ઠ કામ કરે છે.

અત્રિ ગોત્રનો વિદ્યાર્થી ધ્યાન અને મંત્રોમાં તાલીમ મેળવી શકે છે.

કશ્યપ ગોત્રનો વિદ્યાર્થી આયુર્વેદિક જ્ઞાનમાં ઊંડાણમાં જઈ શકે છે.

ગોત્ર ફક્ત ઓળખ નહોતી - તે તમારી શીખવાની શૈલી હતી, તમારો જીવન માર્ગ હતો.

૭. અંગ્રેજોએ તેની મજાક ઉડાવી. બોલીવુડે તેની મજાક ઉડાવી. અમે તેને ભૂલી ગયા.

જ્યારે અંગ્રેજો આવ્યા, ત્યારે તેઓએ આ પ્રણાલી જોઈ અને તેને બકવાસ કહ્યું.

તેઓ ગોત્રોને અંધશ્રદ્ધા તરીકે મજાક ઉડાવતા હતા કારણ કે તેઓ તેને સમજી શક્યા ન હતા.

પછી બોલીવુડે મજાક ઉડાવી.

 "પંડિતજી ફરીથી ગોત્ર માંગે છે!" - જાણે કે તે કોઈ હેરાન કરતી જૂની રિવાજ હોય.

અને ધીમે ધીમે, અમે અમારા દાદા-દાદીને પૂછવાનું બંધ કરી દીધું.

અમે અમારા બાળકોને કહેવાનું બંધ કરી દીધું.

અને માત્ર 100 વર્ષમાં, 10,000 વર્ષ જૂની સિસ્ટમ અદૃશ્ય થઈ રહી છે.

તેમણે તેને મારી ન હતી. અમે તેને મરવા દીધું.

.જો તમને તમારું ગોત્ર ખબર ન હોય તો - તમે નકશો ગુમાવી દીધો છે

કલ્પના કરો કે તમે કોઈ પ્રાચીન રાજવી પરિવારનો ભાગ છો, પરંતુ ક્યારેય તમારી પોતાની અટક જાણતા નથી.

આ કેટલું ગંભીર છે.

તમારું ગોત્ર તમારા પૂર્વજોના GPS છે - જે તમને માર્ગદર્શન આપે છે

- સાચા મંત્રો

- સાચા ધાર્મિક વિધિઓ

- સાચા ઉર્જા ઉપચાર

- સાચો આધ્યાત્મિક માર્ગ

- લગ્નમાં યોગ્ય મેળ

તેના વિના, આપણે આપણા પોતાના ધર્મમાં આંધળા થઈ જઈએ છીએ.

૯.ગોત્ર વિધિઓ "ફક્ત દેખાડો માટે" ન હતી

જ્યારે પંડિતો પૂજામાં તમારું ગોત્ર કહે છે, ત્યારે તેઓ ફક્ત ઔપચારિકતા કરતા નથી.

 તેઓ તમને ઋષિની ઊર્જા સાથે પાછા જોડી રહ્યા છે.

તમારા આધ્યાત્મિક વંશને ધાર્મિક વિધિના સાક્ષી બનવા અને આશીર્વાદ આપવા માટે બોલાવવા.

એટલા માટે સંકલ્પ (કોઈપણ પૂજાની શરૂઆત) દરમિયાન તમારા ગોત્રનો ઉચ્ચારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે - તે કહેવા જેવું છે:

"હું, ભારદ્વાજ ઋષિનો પુત્ર, મારા આત્માના પૂર્વજની સંપૂર્ણ જાગૃતિ સાથે દૈવી મદદ માંગું છું."

તે સુંદર છે. પવિત્ર. વાસ્તવિક.

૧૦. ખૂબ મોડું થાય તે પહેલાં તમારા ગોત્રને પુનર્જીવિત કરો

તમારા માતાપિતાને પૂછો.

તમારા દાદા-દાદીને પૂછો.

જો તમારે તેનું સંશોધન કરવું હોય તો કરો. પરંતુ તમારા આ ભાગને જાણ્યા વિના ન જીવો.

તેને લખી લો. તમારા બાળકોને આપો. ગર્વથી કહો.

તમે ફક્ત ૨૦૦૦ કે ૧૯૯૦ માં જન્મેલા વ્યક્તિ નથી.

તમે હજારો વર્ષ પહેલાં ઋષિ દ્વારા પ્રગટાવવામાં આવેલી શાશ્વત જ્યોતના વાહક છો.

તમે મહાભારત પહેલાં, રામાયણ પહેલાં, સમય ગણતરી પહેલાં શરૂ થયેલી વાર્તાનો (હાલ માટે) અંતિમ પ્રકરણ છો.

૧૧. તમારું ગોત્ર તમારા આત્મા માટે ભૂલી ગયેલા પાસવર્ડ જેવું છે

આજની દુનિયામાં, આપણે Wi-Fi પાસવર્ડ, ઇમેઇલ લોગિન, નેટફ્લિક્સ કોડ યાદ રાખીએ છીએ...

પરંતુ આપણે સૌથી પ્રાચીન પાસકોડ - આપણું ગોત્ર - ભૂલી જઈએ છીએ.

તે એક શબ્દ પૂર્વજોના જ્ઞાન, માનસિક ટેવો, કર્મકાંડની યાદો, તમારી આધ્યાત્મિક નબળાઈઓ અને શક્તિઓનો સંપૂર્ણ પ્રવાહ ખોલી શકે છે.

તે ફક્ત એક લેબલ નથી - તે એક ચાવી છે. તમે કાં તો તેનો ઉપયોગ કરો છો... અથવા તેને ગુમાવો છો.

૧૨. લગ્ન પછી સ્ત્રીઓ પોતાનું ગોત્ર "ગુમાવતી" નથી - તેઓ તેને ચૂપચાપ સાચવે છે

ઘણા લોકો માને છે કે લગ્ન પછી સ્ત્રીઓ પોતાનું ગોત્ર "બદલે છે". પરંતુ સનાતન ધર્મ સૂક્ષ્મ છે.

શ્રદ્ધા જેવા ધાર્મિક વિધિઓમાં, સ્ત્રીનું ગોત્ર હજુ પણ તેના પિતા પાસેથી લેવામાં આવે છે.

શા માટે? કારણ કે ગોત્ર Y-રંગસૂત્ર (પુરુષ રેખા)માંથી પસાર થાય છે.

સ્ત્રીઓ ઊર્જા વહન કરે છે, પરંતુ તેને આનુવંશિક રીતે પસાર કરતી નથી.

તો ના - સ્ત્રીનું ગોત્ર અદૃશ્ય થતું નથી.  તે લગ્ન પછી પણ તેની અંદર રહે છે.

૧૩. દેવતાઓ પણ ગોત્ર નિયમોનું પાલન કરતા હતા

રામાયણમાં, જ્યારે ભગવાન રામ અને સીતાના લગ્ન થયા - ત્યારે તેમના ગોત્રો પણ તપાસવામાં આવ્યા હતા.

- રામ: ઇક્ષ્વાકુ વંશ, વશિષ્ઠ ગોત્ર

- સીતા: જનકની પુત્રી, કશ્યપ ગોત્ર વંશ

તેઓએ પ્રેમના નામે આંધળા લગ્ન કર્યા ન હતા. દેવતાઓએ પણ ધર્મનું પાલન કર્યું હતું.

આ પ્રણાલી એટલી પવિત્ર હતી - અને છે.

૧૪. ગોત્ર અને પ્રારબ્ધ કર્મ જોડાયેલા છે

ક્યારેય એવું લાગે છે કે તમે બાળપણમાં પણ ચોક્કસ કાર્યો, ટેવો, વિચારો તરફ આકર્ષાયા છો?

તેમાંથી કેટલાક તમારા પ્રારબ્ધમાંથી આવે છે - તે કર્મ જે આ જીવનમાં ફળ આપવાનું શરૂ કરી દીધું છે.

અને ગોત્ર આને પણ અસર કરે છે.

જુદા જુદા ઋષિઓના જુદા જુદા કર્મ વલણો હતા.

તમે, તેમની ઉર્જા વહન કરતા, ઘણીવાર સમાન કર્મ બ્લુપ્રિન્ટ્સ મેળવો છો - સિવાય કે તમે સભાનપણે ચક્ર તોડો.

તમારા ગોત્રને જાણવાથી તમને તમારા કર્મ માર્ગને સમજવામાં અને સાફ કરવામાં મદદ મળે છે.

 ૧૫. દરેક ગોત્રમાં ચોક્કસ મંત્રો અને દેવતાઓ હોય છે

ગોત્રો ફક્ત માનસિક વંશાવળી નથી - તે ચોક્કસ દેવતાઓ (દેવતાઓ) અને બીજ મંત્રો સાથે પણ જોડાયેલા છે જે તમારા આત્માની આવૃત્તિ સાથે શ્રેષ્ઠ રીતે સુસંગત છે.

તમને આશ્ચર્ય થશે કે કેટલાક મંત્રો તમારા માટે "કામ" કેમ નથી કરતા.

કદાચ તમે તમારા ફોનને ખોટા ચાર્જરથી ચાર્જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.

સાચો મંત્ર + તમારું ગોત્ર = આધ્યાત્મિક પ્રવાહ.

આ જાણવાથી તમારા ધ્યાન, મંત્ર સાધના અને ઉપચાર શક્તિમાં ૧૦ ગણો વધારો થઈ શકે છે.

ગોત્ર = મૂંઝવણ દરમિયાન આંતરિક માર્ગદર્શન

આજના વિશ્વમાં, દરેક વ્યક્તિ ખોવાઈ જાય છે.

હેતુ, સંબંધો, કારકિર્દી, ધર્મ વિશે મૂંઝવણ.

પરંતુ જો તમે શાંતિથી બેસો અને તમારા ગોત્ર, તમારા ઋષિ, તમારા પૂર્વજોના ગુણો પર ચિંતન કરો - તો તમને આંતરિક સ્પષ્ટતા મળશે.

તમારા ઋષિ મૂંઝવણમાં રહેતા નહોતા. તેમનો વિચારધારા (વિચાર-પ્રવાહ) હજુ પણ તમારી નસોમાં વહે છે.

 તેની સાથે જોડાઓ - અને તમે ઓછા ખોવાયેલા, વધુ મૂળવાળા અનુભવશો.

૧૭. દરેક મહાન હિન્દુ રાજા ગોત્રોનું સન્માન કરતા હતા

ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને હર્ષવર્ધન સુધી અને શિવાજી મહારાજ સુધી - આપણા રાજાઓમાં હંમેશા એક રાજગુરુ રહેતો હતો જે કુલ (કુટુંબ), ગોત્ર અને સંપ્રદાયનો રેકોર્ડ રાખતો હતો.

રાજકારણ અને યુદ્ધમાં પણ - તેઓ ગોત્ર જોડાણોના આધારે નિર્ણયો લેતા હતા, જોડાણો અને રક્તરેખાઓનો આદર કરતા હતા.

કેમ? કારણ કે ગોત્રને અવગણવું એ તમારી કરોડરજ્જુને અવગણવા જેવું હતું.

૧૮. ગોત્ર પ્રણાલી મહિલાઓને શોષણથી સુરક્ષિત કરતી હતી

તમે તેને "પ્રતિગામી" કહો તે પહેલાં, આ સમજો - પ્રાચીન સમયમાં ગોત્ર ટ્રેકિંગ વ્યભિચારને અટકાવતું હતું, કુટુંબ રેખાઓ માટે આદર જાળવી રાખતું હતું અને નાના સમુદાયોમાં છુપાયેલા ચાલાકીથી છોકરીઓનું રક્ષણ કરતું હતું.

જ્યારે કોઈ સ્ત્રીનું યુદ્ધમાં અપહરણ કરવામાં આવતું હતું અથવા અલગ કરવામાં આવતી હતી, ત્યારે પણ તેના ગોત્રથી તેના ઘર, વંશ અને યોગ્ય ગૌરવને ઓળખવામાં મદદ મળતી હતી.

તે પછાત નથી. તે શાનદાર છે.

૧૯. ગોત્ર પણ બ્રહ્માંડિક કોયડામાં તમારી ભૂમિકા છે

દરેક ઋષિ ફક્ત ધ્યાન કરતા નહોતા - તેમની બ્રહ્માંડ પ્રત્યેની ફરજ હતી.- કેટલાક શરીરને સાજા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા

- કેટલાક તારાઓને સમજવા પર

- કેટલાક ધર્મનું રક્ષણ કરવા પર

- કેટલાક ન્યાય પ્રણાલીઓના નિર્માણ પર

તમારા ગોત્રમાં તે હેતુનો પડઘો છે.

જો તમે જીવનમાં ખાલીપણું અનુભવી રહ્યા છો - તો કદાચ તે એટલા માટે છે કારણ કે તમે બ્રહ્માંડિક રમતમાં તમારી ભૂમિકા ભૂલી ગયા છો.

તમારા ગોત્રને શોધો. તમને તમારી ભૂમિકા મળશે.

૨૦. આ ધર્મ વિશે નથી. આ ઓળખ વિશે છે.

ભલે કોઈ નાસ્તિક હોય... આધ્યાત્મિક હોય પણ ધાર્મિક ન હોય... ધાર્મિક વિધિઓ વિશે મૂંઝવણ હોય... ગોત્ર હજુ પણ મહત્વપૂર્ણ છે.

કારણ કે આ ધર્મની બહાર છે.

આ પૂર્વજોની ચેતના છે.

આ ઊંડા મૂળિયાં ધરાવતું ભારતીય શાણપણ છે જે દબાણ કરતું નથી, પરંતુ ચૂપચાપ માર્ગદર્શન આપે છે.

તમારે તેના પર "વિશ્વાસ" કરવાની જરૂર નથી.

તમારે ફક્ત તેને યાદ રાખવાની જરૂર છે.

અંતિમ શબ્દો:

તમારું નામ આધુનિક હોઈ શકે છે.

તમારી જીવનશૈલી વૈશ્વિક હોઈ શકે છે.

પરંતુ તમારું ગોત્ર કાલાતીત છે.

અને જો તમે તેને અવગણશો, તો તમે એક નદી જેવા છો જે જાણતી નથી કે તે ક્યાંથી આવી છે.

ગોત્ર તમારો ભૂતકાળ નથી.

તે ભવિષ્યના શાણપણનો તમારો પાસવર્ડ છે.

તેને અનલૉક કરો - આગામી પેઢી ભૂલી જાય કે તેનું અસ્તિત્વ પણ છે.

( સોસીઅલ મીડિયા દ્વારા પ્રસારિત

Sunday, June 22, 2025

મૌન

 મૌન 



   એક સમૃદ્ધ લાયબ્રેરી ના આગળના ભાગમાં એક પૂતળું હતું. એક સ્ત્રી હોઠો પર આંગળી મૂકી ઉંચા આસને પર ઉભી હતી. દરેકને એ પૂતળા પાસે થી પસાર થવું પડે એવી ગોઠવણ હતી.

આમ કરવાનો હેતુ સ્પષ્ટ છે. જ્યાં કંઈ પણ બોલવાની જરૂર નથી ત્યાં માણસ બીન જરૂરી કેટલું બોલે છે ! કેટલાક મોટા દવાખાના અને કાર્યાલયો માં પણ શાંતિ રાખો એવા બોર્ડ જોવા મળે છે.

આપણે મૌન નો મહિમા ક્યારે સમજીશું ? વાણી સુવર્ણ છે પણ મૌન તો હીરો છે. બીન જરૂરી બોલવું એટલે શબ્દો નો અને ઉર્જા નો વેડફાટ. કેટલિક વાર એમ બને છે કે વાણી કરતાં મૌન વધારે ઉપયોગી નીવડે છે અને અણધાર્યુ કામ સિધ્ધ થઈ જાય છે.આપણા ઋષિમુનિઓ મૌનનું મહત્વ સમજતા હતા આથી સાધના તપશ્ચર્યા વખતે મૌન રાખતા.  

 બાર વર્ષ મૌન વ્રત રાખનાર તો ઘણા સંતો વિશે આપણે જાણીએ છીએ. વર્ષોથી મૌન વ્રત રાખનાર જ્યારે વિધિસર વ્રત પૂર્ણ કરી શિવાલય માં મહાદેવના પૂજન પછી ઘંટ અર્પણ કરે છે ત્યારે વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે અઠવાડીયા માં એક દિવસ મૌન પાળતા. કેટલાક જમતી વખતે મૌન રહે છે તે યથા યોગ્ય છે.

મૌન ના મહિમા ગાન કરતાં એમ પણ કહેવાયું છે કે ' મૌનમ્ સર્વમ સાધયામી. મૌન થી બધું સધાય છે. ચિંતક લાઓત્સે કહેતા માણસને શબ્દ નિ કિંમત સમજાય અને ક્યાં અટકવું એટલું આવડી જાય તો એ સારો - પ્રભાવશાળી વક્તા બની શકે. આપણા ચિંતક ગુણવંત શાહ એમ કહે છે કે સમારંભોમાં શબ્દો અને પુષ્પો વેડફાય છે.

  થોડા માં ઘણું સમજજો. હું પણ હવે શબ્દો વેડફવા માગતો નથી.    

 - હરિવદન જોશી.

( સોસીઅલ મીડિયા દ્વારા પ્રસારિત )

Wednesday, May 7, 2025

ઉપવાસ ના ફાયદા

 


ઉપવાસ ના ફાયદા



ફક્ત ૨૪ કલાકના ઉપવાસથી શરીરને કેટલાય રોગોથી બચાવી શકાય છે,ઉપવાસ એક પ્રાચીન પરંપરા છે જે કેટલાય ધર્મોમાં અને સંસકૃતિયોમાં જોવા મળે છે.એમાં જમવાનું એક ચોક્કસ સમય માટે અનિવાર્યપણે છોડી દેવામાં આવે છે. ઉપવાસ કરવાના જુદા જુદા પ્રકાર હોય છે,જેમ નિર્જળા ઉપવાસ,ફળાહાર ઉપવાસ વગેરે. જેનો ઉપયોગ હજારો વર્ષોથી સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક કારણોથી કરવામાં આવે છે.એમાં એક ચોક્કસ સમય ભોજન ન કરવું એ બતાવ્યું છે. જે કેટલાક કલાકો માટે થી લઈને કેટલાક દિવસો સુધી હોય શકે છે. ઇન્ટરમીટેન્ટ ફાસ્ટિંગનું 

એક લોકપ્રિય રૂપ છે,જે આપના શરીર પર કેટલીય જાતના પ્રભાવ પાડી શકે છે. આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે જયારે આપણે એક દિવસનો ઉપવાસ કરીએ તો આપણા શરીર પર શું પ્રભાવ પડે છે.

એક દિવસના ઉપવાસથી પડનારો પ્રભાવ ઈન્સુલિન સેન્સટીવીટી માં સુધારો,ઉપવાસથી આપણા શરીરમાં ઈન્સુલિનમાં સુધારો થાય છે.જે બ્લડસુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરી શકે છે.એવું એટલા માટે છે કે જયારે આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણા શરીરની ઉર્જા માટે સંગ્રહિત ગ્લુકોઝ વપરાય જાય છે.અને તેથી ઈન્સુલિન પ્રતિરોધને ઓછો કરવામાં મદદ મળી શકે છે.સારી ઈન્સુલિન સંવેદનશીલતા પણ ટાઈપ -૨ ડાયાબિટીઝના ખતરાને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

ઉપવાસોથી કેટલાક હાર્મોનના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.જે આપણા શરીરમાં જમા વસાને દૂર કરે છે.

તે ચરબી બર્નને વધારવા અને વજન ઘટાડવામા સહાયતા કરી શકે છે.જોકે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ફક્ત ઉપવાસથી વજન ઓછું થતું નથી.પણ તેને સ્વસ્થ આહાર અને વ્યાયામ સાથે જોડવું જરૂરી છે.ઉપવાસ સૂજન માર્કરોના સ્તરને ઓછું કરીને આપણા શરીરની સુજનને ઓછી કરવામાં મદદ કરી શકે છે. ક્રોનિક ઇન્ફ્લેમેશન ,હૃદય રોગ,કેન્સર અને અલ્ઝાઈમર રોગો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલી છે.સુજનને ઓછી કરીને ઉપવાસ 

આવી સ્થિતિયોને રોકવા અથવા ઓછી કરવામાં મદદ કરી શકે છે.

ઉપવાસથી માથાની કાર્યપ્રણાલી પર પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે.જેમાં સારું ફોકસ,એકાગ્રતા અને યાદદાસ્ત સામેલ છે. જે માથાની કોશિકાઓની રક્ષા અને રીપેરીંગ કરે છે.એ પણ જોવામાં આવ્યું છે કે ઉપવાસ નવી તંત્રિકા કોશિકાઓનો વિકાસને પ્રોત્સાહિત કરે છે. જે સમયની સાથે માથાની કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે.

ઉપવાસ આપણા શરીરમાં ઓક્સિડેટીવ તણાવને ઓછો કરી શકે છે.જે ફ્રી રેડિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટની વચ્ચેના અસંતુલનને કારણે થાય છે. તે આપણી કોશિકાઓને ખરાબીથી બચાવવા અને જૂની માંદગીના ખતરાને 

ઓછો કરવામાં મદદ કરી શકે છે.

એ ધ્યાન રાખવું અગત્યનું છે કે એક દિવસનો ઉપવાસ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે. 

ડો. રેવિન 

(એક પબ્લિશ્ડ મીડિયાના માધ્યમથી )

Tuesday, May 6, 2025

ગણપતિ વંદના

 ગણપતિ વંદના 



હે ગણપતિ ગજાનન મેરે દ્વાર તુમ પધારો 

બિગડી મેરી બનાકે મેરા ભાગ્ય તુમ સવારો 

હે ગણપતિ…..,

શુભ લાભ કે હો દાતા તુમ ભાગ્યકે વિધાતા 

મરજી બીના તુમ્હારી ધન ધાન્ય કુછ ન આતા 

નૈયા ફસી ભ્રવરમેં ઇસે પાર તુમ ઉતારો

બિગડી મેરી બનાકે …..,,,

નિર્બલકો દેતે કાયા, નિર્ધન પે કરતે છાયા 

 દેવોમે અગ્રણી તુમ જગમેં હી તુમ સમાયા

દે જ્ઞાનકા તું દર્પણ મુજકો તુમ ઉબારો

બિગડી મેરી બનાકે…,,,,,

જાનુના પાઠ જબતક કૈસે તુજે મનાઉ 

તેરી મહિમા ગાકે ભગવન,તુજકો તો મૈં રિઝાઉં 

હે રિદ્ધિ સિદ્ધિ વિનાયક મેરી પ્રાર્થના સ્વીકારો 

બિગડી મેરી બનાકે……..





Tuesday, March 25, 2025

ભેગું કરતાં રહેશો..

 

ભેગું કરતાં રહેશો..



ભેગું કરતાં રહેશો..

તો છેવટે ભાગ જ પડશે.

પણ_

જો યોગ્ય જગ્યાએ

આપતાં રહેશો તો

ભાગ્ય ખુલી જશે..!

 

સવાર તો રોજ પડે છે,

તમે કયારે જાગો છો,

એ મહત્વ નું છે.


તમે ક્યારે સાચા હતા,

એ કોઈ યાદ રાખતું નથી

અને...

તમે ક્યારે ખોટા હતા

એ કોઈ ભૂલતું નથી..!!!


કાચું મકાન ચાલશે,

કાચું ભોજન ચાલશે,

પણ કાચા કાન નહિ ચાલે.

નહિતર બધુજ પાકું થયેલું તૂટતાં વાર નથી લાગતી..!!


ખાનગી વાતો ખાનગી રાખજો

જો વાનગી બની જશે તો તમારા કરતાં,

લોકો વધારે ચાખશે..!!


જેવા પણ છો,

પોતાની રીતે જીવો,

બીજાની કોપી કરવા જશો,

તો પોતાનું અસ્તિત્વ

ખોઈ બેસશો..!!!


ભીનાશ ભીતર માં હોવી જોઈએ.

આંખો નું શુ...?

એ તો બિચારી હરખ માં પણ છલકાય જાય છે..!!


ક્યારેક ફોન નું આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું કહી જતું હોય છે,

તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે વ્યક્તિ તમારી પહોંચ ની બહાર છે..!!




સાહેબ લાગણી નો પણ એક જમાનો હતો.

સ્ટેશન મૂકવા જતાં તો પણ આંખો ભીની થઈ જતી.

આજે સ્મશાન મૂકવા જતાં પણ આંખો કોરી રહે છે..!!!


સ્વેટર વેચાતું મળી શકે, હુંફ નહીં....!!!


એક પબ્લિશ્ડ રચના

જય શ્રી કૃષ્ણ.

Tuesday, March 11, 2025

શુભકામનાઓ

 શુભકામનાઓ




 પ્રિય વાચકમિત્રો 

આવી રહેલા હોળી અને  ધુળેટીના પર્વો નીમીત્તે આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ, મોગરાનાફૂલ બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Saturday, February 8, 2025

શ્રી સાધુગુરુની અમૃત વાણી

શ્રી સાધુગુરુની અમૃત વાણી 


 


મૂળ રૂપથી આપ જે કઈ આપી શકો છો તે ફક્ત આપ જાતેજ છો,કેમકે બસ એ જ આપનું છે.બાકી બીજું બધું આપણું શરીર આપણા મનમાં જે કઈ છે અને બાકી જે કઈ આપણી પાસે છે તે બંધુ જ કઈ એવું છે જે આપે આપની આજુબાજુની દુનિયામાંથી ઉધાર લીધું છે આપ કહી શકો છો કે આપે એને ચોર્યું છે,કોઈ વ્યક્તિ પાસેથી નહિ આપે એ ધરતી પાસેથી ઉધાર લીધું છે.તો હકીકતમાં એવું કઈ પણ નથી જે આપણી પાસે છે અને જે આપનું છે જે એકમાત્ર વસ્તુ આપણે આપી શકીએ તે આપણે જાતે છીએ દરેક વાતમાં,દરેક શબ્દમાં જે કઈ આપણે કરી શકીયે છીએ અને નથી કરી શકતા જો આપણે જાતે આપણી જાતને સંપૂર્ણ રીતે એમાં પરોવીએ અને આપણું બધું જ આપી દઈએ બસ આ જ એક રીત છે જે પોતાને આપી શકીયે. 


જય શ્રી કૃષ્ણ.

Tuesday, January 28, 2025

જબ કોઈ ન હો અપના….(હિન્દી ભજન )

 જબ કોઈ ન હો અપના….(હિન્દી ભજન )



સંસારકે લોગોંસે આશા ન કિયા કરના

જબ કોઈ ન હો અપના પ્રભુ નામ લિયા કરના 




જીવનકે સમન્દરમેં તુફાન ભી આતે હૈ 

જો પ્રભુકો ભજતે હૈ,પ્રભુ આકે બચાતે હૈ 

તુમ ભૂલ નહિ જાના ઉન્હેં યાદ કિયા કરના 

જબ કોઈ ન હો અપના…….


ક્યુ ભૂલ ગયે બંદે,યે જગ તો વીરાના હૈ 

તું આયા જાહાંસે ગૈર તુજે લૌટકે જાના હૈ 

માયામેં મત પડના,હર બાર બચા કરના 

જબ કોઈ ન હો અપના …….


મત સોચ અરે બંદે પ્રભુ તુજસે દૂર નહિ 

જબ કષ્ટ હો ભકતોકો ઉનકો મંજુર નહિ 

ભગવાનકો આતા હૈ ભક્તોપે દયા કરના 

જબ કોઈ ન હો અપના ……


જય શ્રી કૃષ્ણા

Sunday, January 26, 2025

શુભકામનાઓ

 




ગણતંત્ર દિવસની આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ

Tuesday, January 14, 2025

Friday, January 10, 2025

Thursday, January 2, 2025

નવા વર્ષ ૨૦૨૫ ની વધાઈ


 નવું વર્ષ ૨૦૨૫ ની આપ સહુ મિત્રોને કુટુમ સહીત ખુબ ખુબ વધાઈ 

-જય શ્રી કૃષ્ણ