Wednesday, May 8, 2019

સંત વાણી


સંત વાણી 


એક ચોર તેના વિસ્તારમાં ચોરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો,રજવાડું હતું એટલે પકડાઈ જતા મોટી સજાનો સતત ભય તેના માથે રહેતો પણ ખરાબ આદતમાં પણ તે ગમે તે રીતે સજાથી બચી જતો તેને એક છોકરો હતો અને ચોરનો છોકરો ચોર તેમ બાપે તેને પણ ચોરીનો જોખમ વાળો ધંધો શીખવાડવા મંડ્યો તે શીખી ગયો,પણ તેના બાપાએ એક સલાહ આપી ને કહ્યું,
"બેટા,સંતો જ્યાં પ્રવચન કરતા હોય ત્યાં સાંભળવું નહિ અને કાનમાં આંગણી નાખી નીકળી જવું"
તેણે પોતાના પિતાની સલાહનું બરાબર પાલન કરવા માંડ્યું ,તે એક મહાન ચોર બની ગયો પણ એક વખત તેને પોતાની આવડતને રાજાના મહેલમાં અજમાવવાનો વિચાર આવ્યો અને તે ચાલી નીકળ્યો,,પોતે અનુભવી હતો એટલે જતો હતો અને રસ્તામાં એક ઝાડ નીચે કેલાક લોકોના સમુદાયને એક સંત ઉપદેશ આપી રહ્યા હતા ,એટલે બાપાની સલાહને યાદ કરી તેણે બંને કાનોમાં આંગળી નાખી દીધી અને જેથી તેને કઈ સંભળાયું નહિ,પણ ચોરની આદત પ્રમાણે તે વારે ઘડી લોકોની નજરોથી બચવા પ્રયત્ન કરતો  અને તેમ કરતા ભૂલથી તેને એક પથ્થરની ઠેસ વાગી અને તે પડી ગયો અને તેના કાનમાંથી આંગળી નીકળી ગઈ,તેથી સંતના ઉપદેશના કેટલાક શબ્દો તેના કાને અથડાયા સંત કહેતા હતા,ખોટું બોલવું નહીં,અને જેનું ખાવું તેનું ક્યારેય ખોદવું નહિ,તે ત્યાંથી ભાગ્યો પણ બાપાની સલાહની અવગણના થઇ, થોડે દુરજ રાજાનો મહેલ હતો,તે તેની નજીક પહોંચી ગયો પણ સંતવાણી ની અસર એવી થઇ કે તે ખોટું બોલી ન શક્યો અને સીધો દરવાજે પહોંચ્યો, દરવાને રોક્યો અને પૂછ્યું ક્યાં જાય છે તો તેણે કહી દીધું કે હું ચોર છું ને ચોરી કરવા આવ્યો છું ખબર નહિ પણ પેલા દરવાને તેને રોક્યો નહિ અને જવા દીધો.મહેલમાં ખજાના પાસે તે સહેલાઈથી પહોંચી ગયો અને હીરા માણેકથી ઝળહરતા ખજાનામાંથી તેને અમૂલ્ય રત્નોની ચોરી કરી પોટલું બાંધ્યું પણ પાછા જતા તે જતો હતો અને તેની નજર રસોડા તરફ પડી એટલે દરબારી ભોજન માટે તેની ભૂખ જાગી અને તેણે પેટ ભરી ખાધું,અને પછી પાણી પીને પોટલું પાછું ખભે નાખ્યું અને જતો હતો ત્યાં ફરીથી સંતવાણીનો પ્રભાવ જાગ્યો જેમાં સંતનો સંદેશો જેનું ખાવું તેનું ખોદવું નહિ,તેની અસરે રાજાનું ભોજન આરોગ્યું તો હવે રાજાનું  નુકશાન પણ ન થાય એટલે તેણે પોટલું ત્યાંજ રહેવા દીધું અને ખાલી હાથે નીકળી પડ્યો ફરી દરવાને રોક્યો અને પૂછ્યું ચોરી કરી તો જવાબ આપે તે પહેલા રસોડામાંથી રસોયા ચોર ચોર ની બૂમો પાડતા તેની પાછળ આવ્યા અને દરવાને તેને પકડી રાજાના દરબારમાં  હાજર કર્યો હવે તેને ખબર પડી કે રાજા મોટી સજા કરશે પણ સંતવાણીના પ્રભાવે તેનો પીછો ન મુક્યો અને તેથી રાજાએ પૂછ્યું તો તેણે સાચે સાચી વાત બતાવી રાજા સામે નજર ઝુકાવી ઉભો રહ્યો પણ સત્યનો વિજય થયો રાજાએ પ્રભાવિત થઇ તેને દરબારમાં નોકરી આપી તે મનોમન સંતનો ઉપકાર માનતો ખુબ ખુશ થયો,તેના પિતા ચાર દિવસે તે પાછો ન આવ્યો એટલે સમજી ગયા કે રાજાના દરબારમાં ચોરી કરવાનું તેને મોંઘુ પડી ગયું અને પોતે છોકરો ગુમાવ્યાનો અફસોસ કરવા લાગ્યા પણ બીજે દિવસે તે સુંદર કપડાં પહેરી પિતા પાસે આવ્યો ત્યારે પિતા ખુબ ખુશ થયો અને સમજ્યો કે છોકરો ચોરીના ધંધામાં પારંગત થઇ ગયો પણ જયારે છોકરાએ તેમને સાચી હકીકત જણાવી ત્યારે તેને પણ સંતવાણી ની અસર થઇ અને ચોરીનો ધંધો આખા કુટુંબમાંથી જતો રહ્યો,અને કુટુંબ સંતવાણીના પ્રભાવે સુખી થઇ ગયું

જય શ્રી કૃષ્ણ.

.રજુઆત મહેન્દ્ર ભટ્ટ 


No comments:

Post a Comment