Friday, September 7, 2018

શેઠની ચતુરાઈ

શેઠની ચતુરાઈ 


એક શેઠ ખુબ ધનવાન પત્ની સાથે એક રાત્રે શયન કરતા હતા,પણ ધનની ચિંતા અર્થે ઊંઘ  આવતી નહિ એટલે અડધી રાત સુધી જાગતા રહેતા.પત્ની ખુબ સમજાવે ત્યારે માંડ સુતા, એમાં એક દિવસ ચોર ઘરમાં ચોરી કરવાના હેતુ બારણું તોડી આવી ઘરની સ્થિતિનો તાગ કાઢતો જોવા મંડ્યો પણ જાગતા શેઠ પડખા ફેરવતા હતા એટલે સલામતી ના લાગતા એક બાજુ છુપાઈ ગયો.શેઠને ખબર પડી ગઈ કે ઘરમાં કોઈ ચોર છુપાઈ ગયો છે.પણ ઉભા થઈને પડકાર ફેંકે એટલી હિમ્મત નહિ એટલે જાનનું ઝોખમ લેવાય નહિ એટલે ચિંતાથી રેબઝેબ થતા પડખા ફેરવતા શું કરવું તેનો વિચાર કરતા રહ્યા કપાળે પરસેવો વળી ગયો પણ આવેલો ચોર કોઈ તક ઝડપે તે પહેલા કઈ કરવું પડે શેઠાણી તો ઊંઘતા હતા પણ રોજ શેઠને ઊંઘ ન  આવે એટલે તેમની ઊંઘ મતલબી થઇ ગઈ હતી,શેઠ બોલાવે તો પાછા ઉઠી જાય,એટલે શેઠે ઉઠીને ચોર સાથે બાખડયા વગર બુદ્ધિથી કામ લેવાનું નક્કી કર્યું.આમ હિમ્મત નહિ પણ બુદ્ધિ તો બાપદાદાની દેણ,એટલે શેઠાણીને કહ્યું,
"તું સાંભળે છે."એટલે શેઠાણી જાગ્યા પણ  ઉઠ્યા વગર છણકલુ કર્યું,
"હવે સુઈ જાવને, રાતે અડધી અડધી રાત સુધી,ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી."પણ શેઠે કહ્યું
"અરે પણ વાત તો સાંભળ,મને એવું લાગે છે કે કોઈ બાળક આપણે ત્યાં જનમવાનો છે."અને બાળકની વાત આવી એટલે શેઠાણી ઉઠ્યા તો નહિ પણ પડખું ફેરવી શેઠની વાતમાં ભાગ લીધોને કહ્યું,
"હા તો,એ તો સારી વાત છે,ભગવાનનો પાડ આટલી ઉંમરે ખોળાનો ખૂંદનાર આવે."ઘરમાં છુપાયેલા ચોરની ચિંતા વધવા મંડી આ શેઠ જરૂર કોઈ મુશ્કેલી ઉભી કરશે.પણ તે ત્યાંનો ત્યાં ચુપકીદીથી છુપાયેલો રહ્યો.શેઠ બોલ્યા,
"તો ,તું કહે હું તને રોજ રોજ ઊંઘમાં ખલેલ પહોંચાડીને હેરાન તો નથી કરતોને?"
"એવું કેમ કહો છો,હું તમારી પત્ની છું,સુખ દુઃખની સાથી,ભગવાને બધું સુખ આપ્યું છે,પણ ચિંતા કરી કરીને તમને ઊંઘ નથી આવતી એની મને ચિંતા છે,શેર માટીની ખોટ છે,એ પુરી થાય તો તેનો પાડ,પણ ઊંઘ નહિ આવે તો  તબિયત બગડશે."અને વ્હાલ કરતા શેઠાણી એ શેઠના કપાળે
 હાથ ફેરવ્યો ત્યાં શેઠાણીનો હાથ પરસેવાથી પલળી ગયો અને બોલ્યા,
"એટલી બધી ગરમી તો નથી,તો આટલો બધો પરસેવો?"શેઠાણીની ચિંતા હવે વધી ગઈ,શેઠનું વજન આમે ય વધારે હતું ન થવાનું થઇ જાય,એટલે ડોક્ટર નજરે સામે આવ્યા.પણ શેઠાણી ને ક્યાં ખબર કે શેઠના પરસેવાનું કારણ શેઠની તબિયત નહિ બીજું કઈ છે.શેઠે શેઠાણીની ચિંતાનું સમાધાન કરતા કહ્યું,
"મને કઈ નથી થયું,તું ચિન્તા કર માં, પણ આપણા ઘરમાં બાળક નો જન્મ થાય તો તેનું નામ શું રાખીશું.?"અને ચિંતામાં પડેલા શેઠાણીને આવા કૂતરુહુલ વાળા સવાલે ઊંચેથી  પછાડી ઠેઠ પાયામાં લાવી દીધા.
"હજુ,કોઈ એંધાણ બંધાયા નથી ત્યાં નામ રાખવાની વાત,તમને જ તમારો પ્રશ્ન અજબ નથી લાગતો,"
અને શેઠાણી હસવા લાગ્યા,બધુજ ફેરવાઈ ગયું,રાતની શાંતિમાં ભંગ થયો.હસવાનો અવાજ ડબલ થતા,હવામાં ભળી ઘરની બારણાની તરાડોમાંથી આઝાદીથી શેરીમાં આવી ગયો.અને શેઠે હસવા મંડ્યા,છુપાયેલો ચોર પણ અચંબામાં પડી હસવાનું અટકાવતો કોઈ ખોટા સમયે,ખોટા ઘરમાં આવી ગયો એવું અનુભવતો ત્યાંથી કેવી રીતે ભાગવું તેનો વિચાર કરવા લાગ્યો આમ બુદ્ધિવાન શેઠે વાતાવરણ બદલી કાઢ્યું.અને શેઠે પોતાની વાત ચાલુ રાખી,
"પણ તું કહેતો ખરી,"એટલે હસતા શેઠાણીને પતિની વાતને સમર્થન આપ્યું,કહ્યું,
"ગમે તે,અમીચંદ ગોપીચંદ,ઉત્તમશેઠ...."પણ શેઠે કહ્યું,
"ના ના એવા નામ તો જુના થઇ ગયા,કૈક નવું નામ રાખીયે."અને શેઠાણી હોઠોમા મુસ્કરાતા બોલ્યા ,
"તો તમે જ કહી દો ને એટલે ઉંઘાય...."અને જયારે શેઠાણી મોટેથી હસ્યાં ત્યારે તે અવાજ એટલો મોટો હતો કે શેઠના ઘર પાસેથી રાતની ફેરીમાં  પસાર થતા બે પોલીસવાળા શેઠની વંડી પાસે ઉભા રહી ગયા,ધનવાન શેઠનું મોભાનું ઘર એટલે શેઠ શેઠાણી કોઈ મુસીબતમાં તો નથીને તેનો તાગ લેવા તે બંને અટક્યા અને બારીકાઈથી અવાજ સાંભળવા લાગ્યા.
ત્યાં શેઠ બોલ્યા,
"રણજિત સિંહ, ખેર સીંગ  એવું કઈ રાખીયે તો .."
"જાવ જાવ એવા તો કઈ નામ રખાતા હશે...આપણે વાણિયા અને રાજપુતી નામ.."અને શેઠની મસ્તી વધી ,અવાજ વધ્યો, પડઘો પડ્યો
"રણજી સિંહ, રણજિત સિંહ, ...."બહાર અવાજ સાંભળતા પોલીસવાલામાં એકનું નામ રણજિત સિંહ,  હતું એટલે તેણે બારણા પર ટકોરા મારી અવાજ કર્યો,
"શેઠ,બારણું ખોલો,કોઈ તકલીફ તો નથી ને " અને શેઠ જાણે લડવૈયા બન્યા, છલાન્ગ મારી શેઠે સીધા બારણાં તરફ દોટ દીધી,આ દ્રશ્ય જોતા શેઠાણી અને સાથે સાથે ચોરે ફાટી આંખે જોયું,બારણું ખુલી ગયું,
બહારથી પ્રશ્ન આવ્યો
"હું રણજિત,શેઠ કોઈ તકલીફ તો નથી ને"અને શેઠે કહ્યું
"આવો,ઘણી મોટી તકલીફ સામે ઉભી છે,"અને ચોરે સામે ચાલીને હાથ લાંબા કર્યા એટલે રણજિત સિંહે બેડી પહેરાવી દીધી,શેરમાટીની ખોટ તો પૂરતા પુરાશે પણ શેઠાણી પતિની ચતુરાઈ પર વારી ભેટી પડ્યા..

-રજુઆત મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment