Wednesday, August 2, 2017

પવિત્ર શ્રાવણ માસ

પવિત્ર શ્રાવણ માસ 


શ્રાવણમાસમાં વરસાદ ખુબ પડે છે અને તે દેવોના દેવ મહાદેવના ગરમ શરીરને ઠંડક પહોંચાડે છે એટલે તેને પવિત્ર માસ મનાય છે આ માસમાં વ્રત પૂજા પાઠ ખુબજ ઉત્તમ માનવામાં આવે છે.તેનાથી શિવજી  જલ્દી પ્રસન્ન થાય છે. સનતકુમારોને શિવજીએ પોતે શ્રાવણ માસની મહિમા જણાવતા કહ્યું હતું કે તેમના ત્રણે નેત્રોમાં સૂર્ય જમણે,ચંદ્ર ડાબે અને અગ્નિ વચ્ચેનું નેત્ર છે.
"ૐ નમઃ:શિવાય " શિવજી માટે તેમજ "ૐ શિવાયૈ નમઃ:"પાર્વતીજી માટેના ષોડશોપચાર પૂજન ના મંત્રો છે.

 સોળ સોમવારની કથા:

એક વખત પૂર્વકાળમાં શ્રાવણ મહિનામાં કેટલાય ઋષિઓ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે સ્નાન કરીને મહાકાલ શિવજીની અર્ચના કરવા ભેગા થયા હતા.ત્યાં પોતાના રૂપથી એક અભિમાની વેશ્યા પોતાના ખરાબ વિચારો સાથે ઋષિઓને ધર્મથી  બદનામ કરવા નીકળી પડી. પણ ત્યાં પહોંચતા ઋષિઓના તપના પ્રભાવે તેના શરીરની સુગંધ નાશ પામી.તે નવાઈ પામીને જોવા લાગી.તેની સુંદરતા પણ નાશ પામી.
તેની બુદ્ધિ બદલાઈ ગઈ,તેનું મન વિષય વાસનામાંથી મુક્ત થઇ ભક્તિ માર્ગ તરફ વર્યું,તેણે ઋષિઓ પાસે પોતાના પાપોની મુક્તિ માટે ઉપાયની આજીજી કરી.તો ઋષિઓએ કહ્યું,"તે તારા સોળ શૃંગારથી કેટલાય લોકોનું જીવન બદનામ કર્યું છે,તેમને ધર્મભ્રષ્ટ કર્યાછે,તે પાપના નિવારણ માટે તારે સોળ સોમવારનું વ્રત કરવું પડશે,કાશીમાં રહીને શિવજીનું પૂજન કરવું પડશે.
આ ઋષિઓનો ઉપાય માથે ચઢાવી તેણે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી તે શિવલોકમાં ગઈ.ભગવાન શિવજીની કૃપાથી તે પોતાના પાપોથી મુક્ત થઇ.ત્યારથી પોતાના આચરણની શુદ્ધિ માટે ૧૬ સોમવારનું પવિત્ર  વ્રત કરવામાં આવે છે.
સોળ સોમવારના વ્રતથી કન્યાઓને સુંદર શુશીલ પતિ પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસ એ બાર મહિનાઓમાં મુખ્ય માસ છે તેમાં શિવજીની પૂજા કરવાથી બધાજ દેવોની પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે.
આ કથા કર્યા પછી શિવજીની આરતી અને પ્રસાદ વહેંચવો.તે પછી ભોજન કે ફળાહાર કરવો.

પવિત્ર શ્રાવણ માસના સોળ સોમવારની પુરાણી કથા.

આ કથા માં અમરપુરમાં એક ધનિક વેપારી રહેતો હતો.દૂર દૂર સધી તેનો વેપાર ફેલાયેલો હતો ત્યાંના બધા નાગરિકો તેનું માન સન્માન કરતા હતા.આટલું હોવા છતાં તે ખુબ દુઃખી હતો કેમકે તેનો કોઈ પુત્ર ન હતો.દિવસ રાત તેને એકજ ચિંતા મુંઝવ્યા કરતી હતી તેના મૃત્યુ પછી તેનો વેપાર કોણ સંભાળશે.તે સંતાન  પ્રાપ્તિ માટે દરેક સોમવારે ભગવાન શિવજીનું વ્રત પૂજન કરતો હતો.સાયંકાળે તે મંદિરમાં દીવો સળગાવતો હતો.તે વેપારીની ભક્તિ જોઈ એક દિવસ પાર્વતીજીએ ભગવાન શિવજીને કહ્યું,હે પ્રાણનાથ ,આ વેપારી આપનો સાચો ભક્ત છે કેટલાય સોમવારથી તે આપની સાચા દિલથી ભક્તિ કરી રહ્યો છે.હે ભગવાન આપ તેની મનોકામના જરૂર પુરી કરો.ભગવાન શિવજીએ કહ્યું હે પાર્વતી!  આસંસારમાં બધાને તેના કર્મો અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે.પ્રાણી જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેણે મળે છે. આમ છતાં પાર્વતી ન માન્યા અને કહ્યું નહિ પ્રાણનાથ તમારે આ વેપારીની ઈચ્છા  પુરી કરવી જ પડશે.આ તમારો એક ખાસ ભક્ત છે તે દરેક સોમવારે તમારું વિધિથી વ્રત કરે છે.અને પૂજા અર્ચના કર્યા પછી તે તમારો ભોગ મૂકીને એક વારનું ભોજન કરે છે.તેને તમારે પુત્રદાનનું વરદાન આપવું જ પડશે.પાર્વતીજીનો આટલો આગ્રહ જોઈ ભગવાન શિવજીએ કહ્યું તારા આગ્રહ ઉપર હું આ વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પણ તેનો પુત્ર સોળ વર્ષથી વધારે જીવશે નહિ.
તે રાતે શિવજીએ તેને સ્વપ્નમાં દર્શન આપી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.અને તેનો પુત્ર ફક્ત સોળ વર્ષ સુધીજ જીવશે તે વાત પણ કહી.પુત્ર પ્રાપ્તિની વાતથી વેપારીને ખુશી તો થઇ પણ તેની ઓછી ઉંમરની ચિંતાથી તેની ખુશીનો નાશ થયો.તે પોતાનું વ્રત વિધિ પ્રમાણે કરતો રહ્યો કેટલાક મહિના પછી તેને ત્યાં પુત્રનો જન્મ થયો.તેના ઘરમાં ખુશીની લહેરો દોડી ગઈ,બહુજ ધૂમ ધામથી તેણે પ્રસંગને મનાવ્યો.
પણ વેપારીને બહુ ખુશી ન થઇ કેમકે તેને તેની ઓછી ઉંમરના રહસ્યની ખબર હતી. ઘરમાં કોઈને ખબર ન હતી વિદ્વાન બ્રાહ્મણોએ તેના પુત્રનું  નામ અમર રાખ્યું. અમર બાર વર્ષનો થયો તો તેને ભણવા વારાણસી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.વેપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યા અને કહ્યું અમરને ભણવા માટે વારાણસી મૂકી આવો.અમર તેના મામા સાથે ભણવા ચાલી નીકળ્યો,રસ્તામાં  જ્યાં પણ અમર અને દીપચંદ રાત પડ્યે આરામ માટે  રોકાતા ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા.ઘણી લાંબી સફર પછી તેઓ એક નગરમાં પહોંચ્યા ત્યાં તે નગરના રાજાની કન્યાની સગાઈની ખુશીમાં આખા નગરને શણગારવામાં આવ્યું હતું.સમય થતા બારાત આવી ગઈ પણ વરનો પિતા પુત્રની એક આંખ જ હોવાથી ખુબ ચિંતિત હતો.તેને એ વાતનો ભય લાગતો હતો કે રાજાને તે વાતની ખબર પડી તો તે સગાઈને તોડી ન નાખે.તેનાથી તે બદનામ પણ થશે. વરના પિતાએ જયારે અમરને જોયો તો તેના મનમાં એક વિચાર આવ્યો કે હું આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે વિવાહ કરાવી દઉં તો,અને વિવાહ પછી તેને ધન આપીને વિદાય કરી દઈશ.અને રાજકુમારીને પોતાના નગરમાં લઇ આવીશ.એટલે તેણે તે માટે અમર અને દીપચંદ સાથે વાતચીત કરી.અમર અને દીપચંદે ધન મળવાની લાલચમાં તે વાતને સ્વીકારી લીધી.અમરને વરનો પોશાક પહેરાવી રાજકુમારી ચંદ્રિકા સાથે વિવાહ સંપૂર્ણ કર્યો.રાજાએ ખુબ ધન આપી  રાજકુમારીને વિદાય આપી.
અમરચંદ પાછો જતો હતો તો તેનાથી સત્ય છુપાવી ન શકાયું તેણે રાજકુમારીની ઓઢણી ઉપર લખી દીધું તારો વિવાહ તો મારી સાથે થયો હતો.હું વારાણસીમાં ભણવા જાઉં છું હવે તારે જે નવયુવાનની પત્ની બનીને જવું પડશે તે તો કાણો છે.જ્યારે રાજકુમારીએ તેની ઓઢણી પર લખેલું વાંચ્યું તો કાણાં યુવાન સાથે જવાની ના પડી.રાજાએ બધી વાતો જાણ્યા પછી રાજકુમારીને મહેલમાં રાખી દીધી.આ બાજુ અમર તેના મામા દીપચંદ સાથે વારાણસી પહોંચી ગયો ત્યાં તેણે તેનું ભણવાનું શરુ કરી દીધું.જયારે તેની સોળ વર્ષની ઉમર પુરી થઇ તો તેણે એક યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ ઉપર તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ખુબ અન્ન વસ્ત્ર દાન કર્યું.અને રાત્રે જયારે તે તેના શયનગૃહમાં સુઈ ગયો તો શિવના વરદાન અનુસાર ઊંઘમાં જ તેનું મૃત્યુ થયું.સૂર્યોદય થયો મામા અમરના મૃત્યુથી  ખુબ રોવા લાગ્યા.આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા અને દુઃખ પ્રગટ કરવા લાગ્યા.મામાનો રડવાનો અવાજ ત્યાંથી આકાશમાર્ગે પસાર થતા ભગવાન શિવજી અને પાર્વતીને પણ સંભળાયો.પાર્વતીજીએ કહ્યું પ્રાણનાથ મને આ વ્યક્તિનો રડવાના અવાજનું દુઃખ સહન નથી થતું તમે તેનું દુઃખ જરૂર દૂર કરો.અને તે સાંભળી શિવજી અને પાર્વતી અદ્રશ્ય રૂપમાં અમરની નજીક ગયા ત્યાં શિવજીએ પાર્વતીને કહ્યું આતો પેલા વેપારીનો પુત્ર છે જેને મેં સોળ વર્ષનું આયુષ્યનું વરદાન આપ્યું હતું તેનું આયુષ્ય તો પૂરું થઇ ગયું.તો પાર્વતીજી એ ભગવાનને નિવેદન કર્યું કે તમો તેને  પ્રાણ આપીને જીવિત કરો નહીતો તેના માતપિતા પુત્રના  મરણથી રડી રડીને મરી જશે.છોકરાનો પિતા તો તમારો પરમ ભક્ત છે વર્ષોથી તમારું સોમવારનું વ્રત કરતા કરતા તમને ભોગ ચઢાવે છે.પાર્વતીજીના કહેવાથી ભગવાન શિવજીએ તેને જીવન દાન આપ્યું અને થોડીક ક્ષણોમાંજ તે યુવક જીવતો થઇ ગયો. ભણવાનું પૂરું કરીને અમર તેના મામા સાથે તેના શહેર બાજુ જવા રવાના થયો.ત્યાં ચાલતા ચાલતા તે એ શહેરમાં પહોંચ્યો જ્યાં તેનો વિવાહ થયો હતો.તે શહેરમાં તેણે યજ્ઞનું આયોજન કર્યું. તે પાસેથી પસાર થતા શહેરના રાજાએ જોયું.રાજા અમરને ઓરખી ગયો.યજ્ઞ સમાપ્ત થયા પછી રાજા અમર અને તેના મામાને મહેલમાં લઇ ગયો.અને કેટલાય સમય સુધી તેને રાખી ખૂબ જ ધન ધાન્ય આપી રાજકુમારી સાથે તેને વિદાઈ કર્યો.તેની સુરક્ષા માટે રાજાએ ઘણા સૈનિકોને તેની સાથે મોકલ્યા.દીપચંદે તેના શહેરમાં પહોંચીને એક દૂતને મોકલી તેમના આગમનની જાણ કરી.પોતાનો પુત્ર અમર જીવિત પાછો આવેલો જોઈ વેપારી ખૂબ જ ખુશ થયો.વેપારીએ તેને તેની પત્ની સાથે એક ઓરડામાં પુરી રાખ્યો હતો.ભૂખ્યા તરસ્યા તે તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હતા.તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જો પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળે તો તેઓ પોતાનો પ્રાણ છોડી દેશે. વેપારી તેના મિત્રો અને પત્ની સાથે પોતાના શહેરના દરવાજે પહોંચ્યો ત્યાં પુત્રના વિવાહના સમાચાર સાંભળી ખુબ ખુશ થયો.રાજકુમારી ચંદ્રિકાને જોઈ તેની ખુશીનો પાર ન રહ્યો.તે રાતે ભગવાન શિવજીએ તેના સ્વપ્નમાં આવીને કહ્યું હે શ્રેષ્ઠી મેં તારા સોમવારનું વ્રત કરવા તથા વ્રત કથા સાંભળીને પ્રસન્ન થઇ તારા પુત્રને લાંબુ આયુષ્ય વરદાન કર્યું છે. વેપારી ખુબ ખુશ થયો. સોમવારનું વ્રત કરવાથી તેની ખુશી ફરીથી આવી ગઈ.

શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રી પુરુષ વીધી પ્રમાણે સોળ સોમવારનું વ્રત કરે છે તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

વાચક મિત્રો આ સાથે આપ સહુને પવિત્ર શ્રાવણ માસની ખુબ ખુબ શુભ કામનાઓ,ભગવાન શિવજીના સહુ ઉપર સદા આશીર્વાદ રહે .

ૐ નમઃ: પાર્વતી પતે હર હર મહાદેવ.
(એક અનુવાદ.)

No comments:

Post a Comment