Sunday, June 22, 2025

મૌન

 મૌન 



   એક સમૃદ્ધ લાયબ્રેરી ના આગળના ભાગમાં એક પૂતળું હતું. એક સ્ત્રી હોઠો પર આંગળી મૂકી ઉંચા આસને પર ઉભી હતી. દરેકને એ પૂતળા પાસે થી પસાર થવું પડે એવી ગોઠવણ હતી.

આમ કરવાનો હેતુ સ્પષ્ટ છે. જ્યાં કંઈ પણ બોલવાની જરૂર નથી ત્યાં માણસ બીન જરૂરી કેટલું બોલે છે ! કેટલાક મોટા દવાખાના અને કાર્યાલયો માં પણ શાંતિ રાખો એવા બોર્ડ જોવા મળે છે.

આપણે મૌન નો મહિમા ક્યારે સમજીશું ? વાણી સુવર્ણ છે પણ મૌન તો હીરો છે. બીન જરૂરી બોલવું એટલે શબ્દો નો અને ઉર્જા નો વેડફાટ. કેટલિક વાર એમ બને છે કે વાણી કરતાં મૌન વધારે ઉપયોગી નીવડે છે અને અણધાર્યુ કામ સિધ્ધ થઈ જાય છે.આપણા ઋષિમુનિઓ મૌનનું મહત્વ સમજતા હતા આથી સાધના તપશ્ચર્યા વખતે મૌન રાખતા.  

 બાર વર્ષ મૌન વ્રત રાખનાર તો ઘણા સંતો વિશે આપણે જાણીએ છીએ. વર્ષોથી મૌન વ્રત રાખનાર જ્યારે વિધિસર વ્રત પૂર્ણ કરી શિવાલય માં મહાદેવના પૂજન પછી ઘંટ અર્પણ કરે છે ત્યારે વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે અઠવાડીયા માં એક દિવસ મૌન પાળતા. કેટલાક જમતી વખતે મૌન રહે છે તે યથા યોગ્ય છે.

મૌન ના મહિમા ગાન કરતાં એમ પણ કહેવાયું છે કે ' મૌનમ્ સર્વમ સાધયામી. મૌન થી બધું સધાય છે. ચિંતક લાઓત્સે કહેતા માણસને શબ્દ નિ કિંમત સમજાય અને ક્યાં અટકવું એટલું આવડી જાય તો એ સારો - પ્રભાવશાળી વક્તા બની શકે. આપણા ચિંતક ગુણવંત શાહ એમ કહે છે કે સમારંભોમાં શબ્દો અને પુષ્પો વેડફાય છે.

  થોડા માં ઘણું સમજજો. હું પણ હવે શબ્દો વેડફવા માગતો નથી.    

 - હરિવદન જોશી.

( સોસીઅલ મીડિયા દ્વારા પ્રસારિત )

Wednesday, May 7, 2025

ઉપવાસ ના ફાયદા

 


ઉપવાસ ના ફાયદા



ફક્ત ૨૪ કલાકના ઉપવાસથી શરીરને કેટલાય રોગોથી બચાવી શકાય છે,ઉપવાસ એક પ્રાચીન પરંપરા છે જે કેટલાય ધર્મોમાં અને સંસકૃતિયોમાં જોવા મળે છે.એમાં જમવાનું એક ચોક્કસ સમય માટે અનિવાર્યપણે છોડી દેવામાં આવે છે. ઉપવાસ કરવાના જુદા જુદા પ્રકાર હોય છે,જેમ નિર્જળા ઉપવાસ,ફળાહાર ઉપવાસ વગેરે. જેનો ઉપયોગ હજારો વર્ષોથી સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક કારણોથી કરવામાં આવે છે.એમાં એક ચોક્કસ સમય ભોજન ન કરવું એ બતાવ્યું છે. જે કેટલાક કલાકો માટે થી લઈને કેટલાક દિવસો સુધી હોય શકે છે. ઇન્ટરમીટેન્ટ ફાસ્ટિંગનું 

એક લોકપ્રિય રૂપ છે,જે આપના શરીર પર કેટલીય જાતના પ્રભાવ પાડી શકે છે. આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે જયારે આપણે એક દિવસનો ઉપવાસ કરીએ તો આપણા શરીર પર શું પ્રભાવ પડે છે.

એક દિવસના ઉપવાસથી પડનારો પ્રભાવ ઈન્સુલિન સેન્સટીવીટી માં સુધારો,ઉપવાસથી આપણા શરીરમાં ઈન્સુલિનમાં સુધારો થાય છે.જે બ્લડસુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરી શકે છે.એવું એટલા માટે છે કે જયારે આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણા શરીરની ઉર્જા માટે સંગ્રહિત ગ્લુકોઝ વપરાય જાય છે.અને તેથી ઈન્સુલિન પ્રતિરોધને ઓછો કરવામાં મદદ મળી શકે છે.સારી ઈન્સુલિન સંવેદનશીલતા પણ ટાઈપ -૨ ડાયાબિટીઝના ખતરાને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

ઉપવાસોથી કેટલાક હાર્મોનના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.જે આપણા શરીરમાં જમા વસાને દૂર કરે છે.

તે ચરબી બર્નને વધારવા અને વજન ઘટાડવામા સહાયતા કરી શકે છે.જોકે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ફક્ત ઉપવાસથી વજન ઓછું થતું નથી.પણ તેને સ્વસ્થ આહાર અને વ્યાયામ સાથે જોડવું જરૂરી છે.ઉપવાસ સૂજન માર્કરોના સ્તરને ઓછું કરીને આપણા શરીરની સુજનને ઓછી કરવામાં મદદ કરી શકે છે. ક્રોનિક ઇન્ફ્લેમેશન ,હૃદય રોગ,કેન્સર અને અલ્ઝાઈમર રોગો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલી છે.સુજનને ઓછી કરીને ઉપવાસ 

આવી સ્થિતિયોને રોકવા અથવા ઓછી કરવામાં મદદ કરી શકે છે.

ઉપવાસથી માથાની કાર્યપ્રણાલી પર પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે.જેમાં સારું ફોકસ,એકાગ્રતા અને યાદદાસ્ત સામેલ છે. જે માથાની કોશિકાઓની રક્ષા અને રીપેરીંગ કરે છે.એ પણ જોવામાં આવ્યું છે કે ઉપવાસ નવી તંત્રિકા કોશિકાઓનો વિકાસને પ્રોત્સાહિત કરે છે. જે સમયની સાથે માથાની કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે.

ઉપવાસ આપણા શરીરમાં ઓક્સિડેટીવ તણાવને ઓછો કરી શકે છે.જે ફ્રી રેડિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટની વચ્ચેના અસંતુલનને કારણે થાય છે. તે આપણી કોશિકાઓને ખરાબીથી બચાવવા અને જૂની માંદગીના ખતરાને 

ઓછો કરવામાં મદદ કરી શકે છે.

એ ધ્યાન રાખવું અગત્યનું છે કે એક દિવસનો ઉપવાસ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે. 

ડો. રેવિન 

(એક પબ્લિશ્ડ મીડિયાના માધ્યમથી )

Tuesday, May 6, 2025

ગણપતિ વંદના

 ગણપતિ વંદના 



હે ગણપતિ ગજાનન મેરે દ્વાર તુમ પધારો 

બિગડી મેરી બનાકે મેરા ભાગ્ય તુમ સવારો 

હે ગણપતિ…..,

શુભ લાભ કે હો દાતા તુમ ભાગ્યકે વિધાતા 

મરજી બીના તુમ્હારી ધન ધાન્ય કુછ ન આતા 

નૈયા ફસી ભ્રવરમેં ઇસે પાર તુમ ઉતારો

બિગડી મેરી બનાકે …..,,,

નિર્બલકો દેતે કાયા, નિર્ધન પે કરતે છાયા 

 દેવોમે અગ્રણી તુમ જગમેં હી તુમ સમાયા

દે જ્ઞાનકા તું દર્પણ મુજકો તુમ ઉબારો

બિગડી મેરી બનાકે…,,,,,

જાનુના પાઠ જબતક કૈસે તુજે મનાઉ 

તેરી મહિમા ગાકે ભગવન,તુજકો તો મૈં રિઝાઉં 

હે રિદ્ધિ સિદ્ધિ વિનાયક મેરી પ્રાર્થના સ્વીકારો 

બિગડી મેરી બનાકે……..





Tuesday, March 25, 2025

ભેગું કરતાં રહેશો..

 

ભેગું કરતાં રહેશો..



ભેગું કરતાં રહેશો..

તો છેવટે ભાગ જ પડશે.

પણ_

જો યોગ્ય જગ્યાએ

આપતાં રહેશો તો

ભાગ્ય ખુલી જશે..!

 

સવાર તો રોજ પડે છે,

તમે કયારે જાગો છો,

એ મહત્વ નું છે.


તમે ક્યારે સાચા હતા,

એ કોઈ યાદ રાખતું નથી

અને...

તમે ક્યારે ખોટા હતા

એ કોઈ ભૂલતું નથી..!!!


કાચું મકાન ચાલશે,

કાચું ભોજન ચાલશે,

પણ કાચા કાન નહિ ચાલે.

નહિતર બધુજ પાકું થયેલું તૂટતાં વાર નથી લાગતી..!!


ખાનગી વાતો ખાનગી રાખજો

જો વાનગી બની જશે તો તમારા કરતાં,

લોકો વધારે ચાખશે..!!


જેવા પણ છો,

પોતાની રીતે જીવો,

બીજાની કોપી કરવા જશો,

તો પોતાનું અસ્તિત્વ

ખોઈ બેસશો..!!!


ભીનાશ ભીતર માં હોવી જોઈએ.

આંખો નું શુ...?

એ તો બિચારી હરખ માં પણ છલકાય જાય છે..!!


ક્યારેક ફોન નું આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું કહી જતું હોય છે,

તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે વ્યક્તિ તમારી પહોંચ ની બહાર છે..!!




સાહેબ લાગણી નો પણ એક જમાનો હતો.

સ્ટેશન મૂકવા જતાં તો પણ આંખો ભીની થઈ જતી.

આજે સ્મશાન મૂકવા જતાં પણ આંખો કોરી રહે છે..!!!


સ્વેટર વેચાતું મળી શકે, હુંફ નહીં....!!!


એક પબ્લિશ્ડ રચના

જય શ્રી કૃષ્ણ.

Tuesday, March 11, 2025

શુભકામનાઓ

 શુભકામનાઓ




 પ્રિય વાચકમિત્રો 

આવી રહેલા હોળી અને  ધુળેટીના પર્વો નીમીત્તે આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ, મોગરાનાફૂલ બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Saturday, February 8, 2025

શ્રી સાધુગુરુની અમૃત વાણી

શ્રી સાધુગુરુની અમૃત વાણી 


 


મૂળ રૂપથી આપ જે કઈ આપી શકો છો તે ફક્ત આપ જાતેજ છો,કેમકે બસ એ જ આપનું છે.બાકી બીજું બધું આપણું શરીર આપણા મનમાં જે કઈ છે અને બાકી જે કઈ આપણી પાસે છે તે બંધુ જ કઈ એવું છે જે આપે આપની આજુબાજુની દુનિયામાંથી ઉધાર લીધું છે આપ કહી શકો છો કે આપે એને ચોર્યું છે,કોઈ વ્યક્તિ પાસેથી નહિ આપે એ ધરતી પાસેથી ઉધાર લીધું છે.તો હકીકતમાં એવું કઈ પણ નથી જે આપણી પાસે છે અને જે આપનું છે જે એકમાત્ર વસ્તુ આપણે આપી શકીએ તે આપણે જાતે છીએ દરેક વાતમાં,દરેક શબ્દમાં જે કઈ આપણે કરી શકીયે છીએ અને નથી કરી શકતા જો આપણે જાતે આપણી જાતને સંપૂર્ણ રીતે એમાં પરોવીએ અને આપણું બધું જ આપી દઈએ બસ આ જ એક રીત છે જે પોતાને આપી શકીયે. 


જય શ્રી કૃષ્ણ.

Tuesday, January 28, 2025

જબ કોઈ ન હો અપના….(હિન્દી ભજન )

 જબ કોઈ ન હો અપના….(હિન્દી ભજન )



સંસારકે લોગોંસે આશા ન કિયા કરના

જબ કોઈ ન હો અપના પ્રભુ નામ લિયા કરના 




જીવનકે સમન્દરમેં તુફાન ભી આતે હૈ 

જો પ્રભુકો ભજતે હૈ,પ્રભુ આકે બચાતે હૈ 

તુમ ભૂલ નહિ જાના ઉન્હેં યાદ કિયા કરના 

જબ કોઈ ન હો અપના…….


ક્યુ ભૂલ ગયે બંદે,યે જગ તો વીરાના હૈ 

તું આયા જાહાંસે ગૈર તુજે લૌટકે જાના હૈ 

માયામેં મત પડના,હર બાર બચા કરના 

જબ કોઈ ન હો અપના …….


મત સોચ અરે બંદે પ્રભુ તુજસે દૂર નહિ 

જબ કષ્ટ હો ભકતોકો ઉનકો મંજુર નહિ 

ભગવાનકો આતા હૈ ભક્તોપે દયા કરના 

જબ કોઈ ન હો અપના ……


જય શ્રી કૃષ્ણા