Saturday, February 21, 2026

ડર છોડો

 ડર છોડો 

 


ડર છોડો કેમકે ડર તમને અંદરથી કમજોર કરી નાખે છે 

શ્રી કૃષ્ણ કહે છે - જયારે તમે ડરો છો ત્યારે તમે તમારી શક્તિ પર શક કરવા લાગો છો.જીવનની દરેક પરીક્ષા તમને મજબૂત કરવા આવે છે કમજોર કરવા નહિ. જે થયું તેનો સ્વીકાર કરો,જે છે તેના પર ભરોષો રાખો,અને જે આવવાનું  છે તેને મારા ચરણોમાં સોંપી દો.

અંધકાર ભલે ગમે તેટલો ગહન હોય એક દીવાની જ્યોત તેને ચીરી નાંખે છે રડો નહિ, થાકો નહિ અને હાર ન માનો.દુનિયા ભલે તમારો સાથ છોડી દે હું તે એકે એક પળ તમારી સાથે છું.ડર છોડો અને કર્મ કરતા રહો.

 જેણે તમારો સાથ છોડ્યો તેને જવા દો,કેમકે જે પોતાનું છે તે ક્યારેય દૂર જતું નથી.આંસુ વહેવા એ કમજોરી નથી આત્માની સફાઈ છે.મારા પર વિશ્વાસ રાખો હું દરેક પરીક્ષા પછી જવાબ આપીશ.છેલ્લે પ્રેમ જ સત્ય છે અને હું પ્રેમ છું. 

એકવાર એક દુઃખી મનુષ્ય રડતો રડતો શ્રી કૃષ્ણ પાસે ગયો.તેણે કહ્યું પ્રભુ! મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે,શ્રી કૃષ્ણ હસીને બોલ્યા દુઃખ એ  કાયમનું રહેનારું નથી.એ  તારા કર્મ અને વિચારોનું પરિણામ છે.જેમ રાત પછી સવાર થાય છે તેમ દુઃખ પછી સુખ અવશ્ય આવે છે.તેમણે આગળ કહ્યું તારા મનને મારા ચરણોમાં સમર્પિત કર અને વિશ્વાસ રાખ, જે થાય છે તે તારા ભલા માટે થાય છે. તે વ્યક્તિએ શ્રદ્ધાથી માથું નમાવી દીધું. તેના મનમાં શાંતિ પ્રસરી ગઈ તેને સમજાઈ ગયું સાચો વિશ્વાસ જ દુઃખનો અંત છે.

જીવનના ખરાબ સમયમાં જ જયારે પોતાના સાથ છોડી દે છે ત્યારે મન ભાંગી પડે છે.એવું જ અર્જુન સાથે થયું મિત્રો દૂર થઇ ગયા,સંબંધો તૂટી ગયા. અને તે પોતાને એકલો સમજવા લાગ્યો તેણે આકાશ તરફ જોયું અને  પોકાર કર્યો,હે કૃષ્ણ! હવે કોણ મારુ છે ત્યારે તેના હૃદયમાં એક મધુર વાણી થઇ, હે અર્જુન ! જયારે સંસાર સાથ છોડી દે ત્યારે એમ સમજ હું તારી ખુબ જ પાસે છું. જે તારાથી દૂર થયા તે તારે સહારે હતા પણ હું તારો આધાર છું.અર્જુનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે તે દુઃખના ન હતા વિશ્વાસના હતા.કેમકે જયારે બધા સાથ છોડી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ કદી નથી છોડતા.


જય શ્રી કૃષ્ણ 

Tuesday, February 17, 2026

ખુશી દેજે જમાનાને (ભજન )

 ખુશી દેજે જમાનાને (ભજન )


ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે 

અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે 

ખુશી દેજે ………

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો 

હું પરખું પાપને મારા એવા નયન દેજે 

ખુશી દેજે……..

હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા 

અરે કમળ ભીડાઈ તે પહેલા તું ભ્રમરને ઉડિયન દેજે 

ખુશી દેજે ……..

ખુદાયાતને વિનંતી છે તુજ ને નાદિરની

અગર તું દઈ શકે મુજને ધરતી પર દગન દેજે 

ખુશી દેજે ……..


જય શ્રી કૃષ્ણ 





Monday, February 9, 2026

આ ઘર નથી તમારું

 આ ઘર નથી તમારું 



આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

કરશો ના મારુ મારુ પળમાં બધું જવાનું 

આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના 

કાયમ નથી રહેવાનું મહેમાન ચાર દિનના 

મહેમાન ચાર દિનના 


સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં 

જગતના આંગણામાં 

કદી એ ન વાત ભૂલશો (૩) 

અહેશાન છે પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

જેને ઘેરે જવાનું ગમતા તેને થવાનું 

ગમતા તેને થવાનું 

નિયમમાં ચાલવાનું ઘર ના બગાડવાનું 

ઘર ના બગાડવાનું  

 કૃતજ્ઞિ થઈને રહેજો (૩) 

ઉપકાર છે પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

રહેજો હળી મળીને પરિવારમાં ભળીને 

ગુણો ઉપાડી લેજો, દોષો જજો ગળીને 

ડાહ્યા જરૂર ગણાશો દરબારમા પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

વાણી વિચાર વર્તન આ શુદ્ધ જો હશેતો 

નોતરશે ફરી તમને યજમાન ખુશ હશે તો 

નહીંતર ભગાડી મુકશે (૩) 

એ ધામથી પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના

આ શીખ ના અમારી.આ બોધ ન અમારો 

જીવન વિકાસ માટે આ પાઠ  છે અમારો 

સંતો કહે છે રહેજો ભાઈ નામમાં પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

કરશો ના મારુ મારુ પળમાં બધું જવાનું

આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના 


જય શ્રી કૃષ્ણ