મૌન
એક સમૃદ્ધ લાયબ્રેરી ના આગળના ભાગમાં એક પૂતળું હતું. એક સ્ત્રી હોઠો પર આંગળી મૂકી ઉંચા આસને પર ઉભી હતી. દરેકને એ પૂતળા પાસે થી પસાર થવું પડે એવી ગોઠવણ હતી.
આમ કરવાનો હેતુ સ્પષ્ટ છે. જ્યાં કંઈ પણ બોલવાની જરૂર નથી ત્યાં માણસ બીન જરૂરી કેટલું બોલે છે ! કેટલાક મોટા દવાખાના અને કાર્યાલયો માં પણ શાંતિ રાખો એવા બોર્ડ જોવા મળે છે.
આપણે મૌન નો મહિમા ક્યારે સમજીશું ? વાણી સુવર્ણ છે પણ મૌન તો હીરો છે. બીન જરૂરી બોલવું એટલે શબ્દો નો અને ઉર્જા નો વેડફાટ. કેટલિક વાર એમ બને છે કે વાણી કરતાં મૌન વધારે ઉપયોગી નીવડે છે અને અણધાર્યુ કામ સિધ્ધ થઈ જાય છે.આપણા ઋષિમુનિઓ મૌનનું મહત્વ સમજતા હતા આથી સાધના તપશ્ચર્યા વખતે મૌન રાખતા.
બાર વર્ષ મૌન વ્રત રાખનાર તો ઘણા સંતો વિશે આપણે જાણીએ છીએ. વર્ષોથી મૌન વ્રત રાખનાર જ્યારે વિધિસર વ્રત પૂર્ણ કરી શિવાલય માં મહાદેવના પૂજન પછી ઘંટ અર્પણ કરે છે ત્યારે વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે અઠવાડીયા માં એક દિવસ મૌન પાળતા. કેટલાક જમતી વખતે મૌન રહે છે તે યથા યોગ્ય છે.
મૌન ના મહિમા ગાન કરતાં એમ પણ કહેવાયું છે કે ' મૌનમ્ સર્વમ સાધયામી. મૌન થી બધું સધાય છે. ચિંતક લાઓત્સે કહેતા માણસને શબ્દ નિ કિંમત સમજાય અને ક્યાં અટકવું એટલું આવડી જાય તો એ સારો - પ્રભાવશાળી વક્તા બની શકે. આપણા ચિંતક ગુણવંત શાહ એમ કહે છે કે સમારંભોમાં શબ્દો અને પુષ્પો વેડફાય છે.
થોડા માં ઘણું સમજજો. હું પણ હવે શબ્દો વેડફવા માગતો નથી.
- હરિવદન જોશી.
( સોસીઅલ મીડિયા દ્વારા પ્રસારિત )