Monday, June 15, 2020

મનકે ગહરે અંધિયાલેમેં........(હિન્દી ભજન)

મનકે ગહરે અંધિયાલેમેં........(હિન્દી ભજન)


મનકે ગહેરે અંધિયાલેમેં સાંઈ નામ દીયે જૈસા...સાંઈ નામ દીયે જૈસા..સાંઈ...
જિસને સાંઈ સાંઈ ધ્યાયા ઉસને જીવનકા સુખ પાયા (૨)
સાંસોકે બહતે ધારોંમેં  સાંઈ નામ દીયે જૈસા ... સાંઈ નામ ...
મનકે ........
ક્યાં મેરા ક્યાં મેરા અપના સારા જગ હૈ જુઠા સપના (૨)
જગમાયાકે ચોબારેમે સાંઈ નામ દીયે જૈસા...,..સાંઈ નામ....
મનકે .........
કોઈ ન જિસકા ઇસ દુનિયામેં સાંઈ ઉસકી બાંહે ઠામે (૨)
બિન ચંદાકે પખવારેમેં સાંઈ નામ દીયે જૈસા ......સાંઈ નામ .....
મનકે ......,

કોવિદ-૧૯ ના કાળમાં પૂજ્ય બાબાની કૃપા સહુ પર થાય તેવી અભ્યર્થના
જય શ્રી સાઈ બાબા 

Saturday, May 16, 2020

રાધે કૃષ્ણ

રાધે કૃષ્ણ 



આ એક કાલ્પનિક વાર્તા છે અને દિલની ઊંડાઈને સ્પર્શ કરનારી,એક વાર સ્વર્ગમાં વિચરણ કરતા કરતા શ્રી કૃષ્ણ અને રાધા એક બીજાની સામે આવી ગયા,કૃષ્ણ સ્તબ્ધ,રાધાએ સ્માઈલ કર્યું,,વિચલિત શ્રી કૃષ્ણ, પ્રસન્ન ચિત્ત રાધા,તે પહેલા કે શ્રી  કૃષ્ણ કઈ કહે રાધા બોલી,
'કેમ છો દ્વારિકાધીશ' જે રાધા તેમને કાના કાના કહીને બોલાવતી હતી,તેના મોઢે દ્વારિકાધીશનું સંબોધન,કૃષ્ણને અંદર સુધી ઘાયલ કરી ગયું,છતાં પણ કોઈ પણ રીતે તેમણે તેમને સંભાર્યા,રાધાને કહ્યું 'હું તારા માટે પહેલા તો કાના છું તું તો મને દ્વારિકાધીશ ન કહે,આવ , બેસીએ,કૈક હું કહું,કૈક તું તારું સંભળાવ,સાચું કહું રાધા જયારે જયારે તારી યાદ આવતી હતી,આ આખોથી આંસુઓની બૂંદો નીકળી આવતી હતી, 'રાધાએ કહ્યું,
'મારી સાથે એવું કઈ જ નથી થયું,ન તમારી યાદ આવી ન આખોથી આસું વહ્યા,કેમકે હું તને ભૂલી ક્યાં હતી,જો તું યાદ આવે,આ આંખોમાં તો કાયમ તમે જ હતા,ક્યાંક આસુંઓની સાથે નીકળી ન જાવ,એટલે રડતી પણ ન હતી,કાના,પ્રેમથી અલગ થઈને તે શું ખોયું,એનું એક પ્રતિબિંબ બતાવું તને,કેટલુંક કડવું સત્ય સાંભળી શકો તો સંભળાવું,ક્યારેય વિચાર્યું છે !,આ પ્રગતિમાં તમે કેટલા ખોવાઈ ગયા,યમુનાના મીઠા પાણીથી જીવનની શરૂઆત કરી,અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા,એક આંગળી ઉપર ચાલતા સુદર્શન ઉપર ભરોષો કરી લીધો,અને દશ આંગળીયો પર ચાલનારી બંસરીને ભૂલી ગયા ?,કાના,જયારે તમે પ્રેમથી જોડાયેલા હતા તો જે આંગળીયો ગોવર્ધન પર્વત ઉઠાવતી હતી, પ્રેમથી અલગ થવાથી તેજ આંગળીયો કેવા કેવા રંગ દેખાડવા લાગી,સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશના કામમાં આવવા લાગી,કાના અને દ્વારકાધીશમાં શું અંતર હોય છે,બતાવું,કાના હોતા તો તમે સુદામાને ઘેર જતા,સુદામા તમારે ઘેર ન આવતા,યુદ્ધમાં અને પ્રેમમાં આજ ફર્ક હોય છે યુદ્ધમાં પોતાને મટાવીને જીતે છે અને પ્રેમમાં જાતે મિટાઈને જીતે છે.કાના, પ્રેમમાં ડૂબેલો માણસ જીવતો તો રહી શકે છે,પણ કોઈને દુઃખી નથી કરી શકતો,તમો તો કેટલીય કલાઓના સ્વામી છો,સ્વપ્ન દૂર દ્રષ્ટા છો,ગીતા જેવા ગ્રંથના દાતા છો,પણ તમે આ શુ નિર્ણય લીધો,તમે તમારી આખી સેના કૌરવોને આપી દીધી અને પોતની જાતે પાંડવો સાથે થયા,સેના તો તમારી પ્રજા હતી,રાજા તો પાલક હોય છે,તેમનો રક્ષક હોય છે,તમારા જેવા મહાન જ્ઞાની તે રથને ચલાવી રહ્યા હતા,જેની ઉપર બેઠેલો અર્જુન તમારી પ્રજાને જ મારી રહ્યો હતો,તમારી પ્રજાને મરતી જોઈને તમારામાં દયા ન આવી,કેમકે તમો પ્રેમથી શૂન્ય થઇ ગયા હતા,આજે પણ ધરતી પર જઈને જુઓ,
તમારી દ્વારિકાધીશવાળી છબીને શોધતા રહી જશો,દરેક જગ્યાએ દરેક મંદિરમાં મારી જ સાથે ઉભેલા દેખાશો.હું જાણું છું કાના,લોકો ગીતાના જ્ઞાનની વાતો કરે છે,તેના મહત્વની વાત કરે છે,પણ દુનિયાના લોકો યુદ્ધવાળા દ્વારિકાધીશ ઉપર નહિ,પ્રેમવાળા કાના પર ભરોષો કરે છે.ગીતામાં મારુ દૂર દૂર સુધી નામ નથી,પણ આજે પણ લોકો તેમના સમાપન ઉપર 'રાધે રાધે' કહે છે,'
આ વાર્તા કાલ્પનિક જરૂર છે,પણ તેની અંદર છુપાયેલી શિખામણ ખુબ અગત્યની છે,શ્રીકૃષ્ણની પાસે ક્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર ન હોય,એવું તો થઇ જ ન શકે,પરંતુ રાધા દ્વારા લગાવેલા પ્રશ્નચિન્હો પર કાના મૌન રહ્યા.એજ છે પ્રેમમાં સમર્પણ નો ભાવ,પરાક્રમમાં આપણે દરેક વ્યક્તિને હરાવવા ના હોય છે,ત્યરે પણ આપણે જીતીને હારી જઇયે છીએ,પરંતુ પ્રેમમાં,એક જ કેટલાયનો પ્રેમ જીતી લે છે,સાચું કહ્યું છે,કે નાની એવી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડનાર ભગવાન શ્રીકૃષ્ણ નાની એવી વાંસળીને બંને  હાથોથી  પકડતા હતા.ફરી મળીશું દોસ્તો બીજી વાર્તા સાથે ત્યાં સુધી આપનો ખ્યાલ રાખશો.અને હંમેશા હસતા રહેશો,રાધે કૃષ્ણ.
લેખક-પવન દત્તા
(પબ્લિશ હિન્દી વાર્તાનો અનુવાદ.)
જય શ્રી કૃષ્ણ.

Friday, May 15, 2020

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર


A coloured painting of Harishchandra parting with his wife and son
ત્રેતાયુગની આ વાત છે રાજા હરિશ્ચંદ્ર
 એક પ્રામાણિક અને ઉમદા રાજા હતા.ખૂબ જ શાંતિમય અને હંમેશા ખુશી રહેતા રાજાની પત્નીનું નામ શિવયા(તારામતી) હતું અને તેમનો એક પુત્ર રોહિતાસ્વા હતો.રાજા પુત્રને ધનુષ્ય બાણથી કેવી રીતે નિશાન લગાવવું તેની શિક્ષા આપતો હતો,અને કેટલાક લોકોએ તેને શિકારની સૂચના કરી એટલે  સુવ્વરનો શિકાર કરવા નિકરેલા રાજાને કોઈ રડતી નારીનો અવાજ સંભળાયો અને રાજા અવાજની દિશામાં પોતાના ધનુષ્ય બાણ સાથે ગયો તો તે અવાજ વિશ્વામિત્ર ઋષિના આશ્રમ તરફથી આવતો હતી જ્યાં ઋષિ ત્રિગુણી શક્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા.નારીનો અવાજ કોઈ માયા હતી અને તે રાજાને આવતા જોતા ઋષિના શરીરમાં  પ્રવેશી ગઈ અને રાજા હરીશચંદ્રે ઋષિની તપસ્યામાં ભંગ કર્યો આથી ઋષિએ તપનું ફળ ખોયું ,રાજાને પોતાની ભૂલ સમજાઈ એટલે તરત ઋષિના પગમાં પડી માફી માંગવા  લાગ્યો પણ ભૂલ તો ઘણી મોટી હતી એટલે માફી તો મળી પણ ઋષિએ દક્ષિણાં માંગી અને તેમાં પોતાની પત્ની અને બાળકને બાદ કરતા જે કઈ તેની પાસે હતું તે ઋષિએ માંગી લીધું રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને જયારે તે આશ્રમથી બહાર નીકળ્યો તો ઋષિએ બીજી દક્ષિણાં માંગી તો રાજાએ કહ્યું મારી પાસે હવે કૈજ નથી છતાં તેણે પૂછ્યું તો ઋષિએ કહ્યું તારે ૧૫૦૦ સોનામહોરો એક મહિનામાં આપી દેવી રાજા સામેલ થયો મહેલમાં આવ્યો અને પત્ની અને પુત્ર સાથે પહેરેલા કપડે તે કાશી જવા વિદાય થયો.કાશી આવી રોજગાર શોધવા લાગ્યો પરંતુ કઈ ન મળતા કેટલોક સમય પસાર થઇ ગયો તે પોતે સત્યવાદી હતો  ૧૫ દિવસમાં વિશ્વામિત્રે ફરી દક્ષીણાની માંગ કરી એટલે પત્ની સમક્ષ પોતાનું સત્યની પ્રતિજ્ઞા તોડવાના ની રજુઆત કરી તો પત્નીએ સુઝાવ દેતા કહ્યું તમો મને અને પુત્રને વેચીને જે કઈ મળે તે આપી દો.અને લાચાર પતિએ કાશીના બજારમાં પોતાની પત્નીને વેચવા જણાવતા એક બ્રાહ્મણ ૧૦૦૦ સોનામહોર આપવા તૈયાર થયો અને પુત્ર અને પત્નીને વેચી ,આવેલ સોનામહોર તેમણે ઋષિને આપી અને બીજી ૫૦૦ મહિનાના અંત સુધીમાં આપવાનું કહેતા ઋષિએ સંમતિ આપી,તેણે કામ શોધવા માંડ્યું અને પોતાને વેચવા પણ તૈયાર થયો,તો ત્યાં ઉભેલ એક ભયંકર ચહેરા વાળા ચાંડાલે તેને તેના સ્મશાનમાં કામ આપ્યું જે સ્મશાનમાં મડદું બાળવાની ફી અને અનાજ આવે તેમાંથી અડધું ત્યાંના રાજાને અને અડધામાંથી પોતે અને ચાંડાલનો ભાગ થોડાક દિવસો પસાર થયા અને રાતે સ્વપ્નમાં તે રડવા લાગ્યો કેમકે પોતાની પત્ની અને બાળકની દશા તેનાથી સહન ન થઇ,અને તે સફાળો જાગ્યો તો એક સ્ત્રી તેની સામે હતી અને તેના હાથમાં એક બાળકનો મૃતદેહ જે સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો.તેને સમજતા વાર ન લાગી તે પોતાનો પુત્ર હતો અને તારામતી તેને દાહ આપવા વિનંતી કરવા લાગી તેને પણ ખુબ શોક થયો પરંતુ સ્મશાનના નિયમે તેણે ફીની માંગણી કરી બેવશ પત્ની રડવા લાગી પણ રાજા સત્યવાદી હતો પોતાની પત્નીની વિનંતીનો તે સ્વીકાર કરી ન શક્યો લાચાર પત્ની જયારે જવા લાગી તો ચાંડાલ ત્યાં ઉપસ્થિત થયો અને સાથે વિશ્વામિત્ર પણ આવ્યા ,ચાંડાલ ધર્મ હતા,સહુએ કહ્યું આ તો ફક્ત તમારી પરીક્ષા હતી તેમાં તમે પાર ઉતર્યા,દેવોની ઉપસ્થિતિમાં સતના પ્રભાવે તેમનો પુત્ર સજીવન થયો સહુએ રાજા હરિશ્ચંદ્રને સ્વર્ગમાં  આવવા આમંત્રણ આપ્યું પણ તેણે ના સ્વીકાર્યું એટલે વિશ્વામિત્રે તેમનું બધુજ પાછું આપ્યું અને રાજાએ પોતાના લોકોની  ખુશી સાથે સુખેથી પત્ની પુત્ર સાથે રાજ્ય કર્યું.
રાજા હરિશ્ચંદ્ર પર ભારતમાં ૧૯૧૩માં પહેલી અબોલી (સાઇલન્ટ) શોર્ટ ફિલ્મ બની.

(એક પબ્લિશ હિન્દી લેખના આધારે )
જય શ્રી કૃષ્ણ.

Sunday, April 26, 2020

અખાત્રીજ


અખાત્રીજ






અખાત્રીજની સહુ વાચક મિત્રોને શુભેચ્છાઓ
કેટલુંક આ વિષય વિષે .


અક્ષયતૃતીયા  ( અખાત્રીજ )  નું મહત્વ શુ છે ?વૈશાખ સુદ ત્રીજ  અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે

 .. ૧ અક્ષય તૃતીયા નાં  દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં      શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.

.. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

..૩   આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ  વિ કરવું જોઈએ

..૪  અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું  આરંભ કરેલ

.. ૫  અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ

.. ૬  અક્ષયતૃતીયાનાં દિવસે સતયુગ અને તેત્રાયુગ નો આરંભ થયેલ..

.. ૭  અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે  અખૂટ ભોજન થી ભરપુર રહેતું.

.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ.

..૯  અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા

.. ૧૦  અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે,

..૧૧  અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે

..૧૨   અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા

..૧૩   અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ.

.. ૧૪  અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.

..૧૫  અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત  બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય          મંદિરોનાં દ્વાર ખૂલે છે.

..૧૬  અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ  થયેલ.

..17  બ્રહ્મા જી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

..૧૮    અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે,

સનાતન (હિન્દુ)  ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય  મૂહુર્ત  માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે -  જેનો ક્ષય કે નાશ ન થાય.                  માટે આ દિવસે દાન પુણ્ય વગેરે શુભ કાર્ય કરવા.

🌷ગુરુ ચરણ માં દંડવત પ્રણામ🌷
જય શ્રી કૃષ્ણ ( એક પબ્લિશ લેખ.)

Thursday, April 2, 2020

રામનવમી

રામનવમી 

ચૈત્ર સુદ નોમ,ચૈત્રી નવરાત્રનો નવમો દિવસ, મર્યાદા પુરુસોત્તમ શ્રી રામનો જન્મ દિવસ ત્રેતાયુગમાં રાવણના અત્યાચારો વધતા ધર્મની ફરી સ્થાપના કરવા વિષ્ણુ ભગવાને શ્રીરામના રૂપમાં અવતાર લઇ રાવણને મારી પૃથ્વીનો ભાર હર્યો હતો તેવા શ્રી રામના જન્મ દિવસની આપ સહુને શુભેચ્છા,ધરતી ઉપર છવાયેલું કોવિદ -૧૯ નું ઘેરું વાદળ ઝડપથી દૂર થઇ માનવજાતિમાં રાહત થાય તેવી પ્રભુ પાસે તેમના જન્મ દિવસે પ્રાર્થના કરીએ,સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી સહકાર આપી સલામત રહીયે.


જય શ્રી રામ.

Wednesday, March 25, 2020

ભગવતી વિન્ધ્યવાસિની

ભગવતી વિન્ધ્યવાસિની




ભગવતી વિન્ધ્યવાસિની આદ્ય મહાશક્તિ છે.તેમનું કાયમનું નિવાસસ્થાન વિંધ્યાચલ છે.જગદંબાની કાયમની ઉપસ્થિતિમાં વિંધ્યગીરીને જાગૃત શક્તિપીઠ બનાવી દીધું છે.મહાભારતના વિરાટ પર્વમાં ધર્મરાજા યુધિષ્ઠિર દેવીની પ્રાર્થના કરતા કહે છે હે માતા !  પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યાચલ પર તમો સદા બેઠેલા છો.પદ્મપુરાણમાં વિંધ્યાચલનિવાસીની આ મહાશક્તિને વિન્ધ્યવાસિની ના નામથી સંબોધિત કર્યા છે.
શ્રીમદ્ભાગવતના દશમાં સ્કંધમાં
કથા આવે છે સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ જયારે સહુથી પહેલા પોતાના માંથી  સ્વયંભૂ  મનુ અને શતરૃપાને ઉત્તપન્ન કર્યા.ત્યારે વિવાહ પછી સ્વયંભૂ મનુને પોતાના હાથથી દેવીની મૂર્તિ બનાવી સો વર્ષ સુધી કઠોર તપષ્યા કરી તેનાથી દેવીએ પ્રસન્ન થઇ તેને નિષ્કંતક રાજ્ય,વંશવૃદ્ધિ તેમ જ પરમપદ મળે તેવા આશીર્વાદ આપ્યા.વરદાન આપ્યા પછી મહાદેવી વિધ્યાચલ પર્વત પર જતા રહ્યા.એનાથી સાબિત થાય છે કે સૃષ્ટિના પ્રારંભથી જ વિન્ધ્યવાસિનીની પુંજા થતી રહી છે.સૃષ્ટિનો વિસ્તાર     દેવીના  આશીર્વાદથી થયો છે.
ત્રેતા યુગમાં શ્રી રામચંદ્ર સીતાજી સાથે વિંધ્યાચલ આવ્યા હતા.મર્યાદા પુરુસોત્તમ શ્રી રામ દ્વારા સ્થાપિત રામેશ્વર મહાદેવ થી આ શક્તિપીઠનું મહત્વ ખુબ વધી ગયું.દ્વાપર યુગમાં મથુરાના રાજા કંસે પોતાની બહેન દેવકી અને વાસુદેવને જેલમાં બંધ કર્યા અને તેમની સંતાનોનો રાજા  વધ કરવા લાગ્યો.ત્યારે વાસુદેવના કુલપુરોહિત ગર્ગ ઋષિએ કંસના વધ તેમ જ શ્રી કૃષ્ણાવતાર માટે વિંધ્યાચલમાં લક્ષ્યચંડી અનુષ્ઠાન કરી દેવીને પ્રસન્ન કર્યા તેનાથી પ્રભાવિત તેમણે નંદરાયજીને ત્યાં અવતાર લીધો.

માર્કેડપુરાણ દેવી ભાગવત માહાત્મ્યના અગિયારમા અધ્યાયમાં દેવતાઓના અનુરોધ પર ભગવતી તેમને આશ્વશ્ત કરતા કહે છે દેવતાઓ વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમાં યુગમાં શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે મહા રાક્ષસો ઉત્તપન્ન થશે.ત્યારે હું નંદગોપના ઘરમાં તેની  પત્ની  યશોદાના ગર્ભમાં અવતરિત થઇ વિંધ્યાચલમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ.
લક્ષ્મીતંત્ર નામના ગ્રંથમાં પણ દેવીનું ઉપરનું વચન શબ્દે શબ્દ મળતું આવે છે.વ્રજમાં નંદગોપને ત્યાં ઉત્તપન્ન મહાલક્ષ્મીનો અંશભૂત કન્યાને નંદા નામ અપાયું મૂર્તિ રહસ્યમાં ઋષિ કહે છે નંદને ત્યાં નંદા નામની ઉત્તપન્ન થયેલી દેવીની જો ભક્તિપૂર્વક સ્તુતિ અને પુંજા કરવામાં આવે તો તે ત્રણે લોકોને ઉપાસકને આધીન કરે છે.   
શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખ્યાનમા એ વર્ણન કર્યું છે કે દેવકીનું આઠમું સંતાન શ્રી કૃષ્ણને વાસુદેવજીએ કંસના ભયથી રાતોરાત યમુનાજીના પાર ગોકુળમાં નંદજીના ઘેર પહોંચાડી ત્યાંથી યશોધરાના ગર્ભથી જન્મેલી પુત્રી has ભગવાનની શક્તિ યોગમાયાને ચુપચાપ મથુરા લઇ આવ્યા.
 આઠમા જન્મના સમાચારે કંસજેલમાં આવ્યો તેણે તે કન્યાને જેવી પથ્થર પર પટકી મારવા ગયો તો તે તેના હાથમાંથી છૂટીને આકાશમાં જતી રહી  અને તેણે તેનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું કંસને વધની ભવિષ્યવાણી કરીને તે વિંધ્યાચલ  જતી રહી.

પ્રધાન મંત્રીના આદેશનું પાલન કરી આ દુનિયાની મહામારી કોરોના સામે જીત મેળવીએ એવી અભિલાષા સાથે આપ તેમજ આપના કુટુંબીજનો ઉપર ચૈત્રી નવરાત્રના પ્રથમ દિવસે માતાજીની કૃપા થાય તેવી  શુભ કામના.

ચૈત્ર નવરાત્રના પ્રથમ દિવસે સહુ ભક્તોને માતા કૃપા કરે 
બોલો માં વિન્ધ્યવાસિની જય 

Sunday, March 8, 2020

શ્રીનાથજી નાથદ્વારા મંદિર

શ્રીનાથજી નાથદ્વારા મંદિર


નાથદ્વારા શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની મુખ્ય પીઠ છે જ્યાં ભગવાન શ્રીનાથજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.પ્રભુ શ્રીજીનું  પ્રાગટ્ય વ્રજના ગોવર્ધન પર્વત ઉપર જતીપુરા ગામની નજીક થયું હતું.મહાપ્રભુ વલ્લભાચાર્યએ  અહીં મંદિરનું નિર્વાણ કરાવીને સેવા ની શરૂઆત કરી હતી.ભારતના મોગલકાળના શાસક અકબરથી માંડીને ઔરંગઝેબ સુધીનો ઇતિહાસ પુષ્ટિ સંપ્રદાયના ઇતિહાસની ની સમાંતરે ચાલતો રહ્યો.સમ્રાટ અકબરને સંપ્રદાયની ભાવનાઓનોસ્વીકાર કર્યો હતો.મંદિરના ગોસાઈ શ્રી વિઠ્ઠલદાસજીનાસમયે સમ્રાટની
બેગમ બીબી તાજતું શ્રીનાથજીની પરમ ભક્ત હતી.તાનસેન,બીરબલ ,ટોડરમલ પુષ્ટિમાર્ગના ઉપાસક રહ્યા હતા.નાથદ્વારામાં શ્રીનાથજીના આઠ દર્શન થાય છે.શયનના દર્શન ગરમીના દિવસોમાં  જ થાય છે.બાકી દિવસોમાં શયનના દર્શન નથી ખુલતા. એમ તો શ્રીનાથજીના બધા દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.પણ ભોગ અને આરતીના દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.લોકો મંગળાના દર્શનમાં વધારે આવે છે.ભોગ ,આરતી અને મંગળાના દર્શન અને શૃંગાર મનમોહક થાય છે.શ્રીનાથજીનું મંદિર ખુબ જ મોટું છે.મંદિરના પ્રવેશ માટે ત્રણ દરવાજા છે. મુખ્ય દરવાજાનું નામ મોતીમહેલ છે.મોતીમહેલ સામી બાજુ મોટો દરવાજો છે જે ચોપાટી બાજુ ખુલે છે ચોપાટીને નાથદ્વારાની હૃદયસ્થલી પણ કહે છે.દરવાજાની અંદર એક મોટો ચોક  છે.જેને મોતીમહેલ કહે છે.મોતીમહેલની વચ્ચે એક ફુવારો છે.મોટીમહેલ પસાર કરીને એક આરસપહાણની ગલીમાં થઇ શ્રી લાલન સુધી જવાય છે. શ્રી લાલન શ્રીનાથજીનું બાલસ્વરૂપ છે.ત્યાં લાલનના દર્શન કરી શકાય છે.શ્રીનાથજીનું બીજો દરવાજો નકારખાના કહેવાય છે.તે પણ ખુબ મોટો છે.અહીં દર્શનોના સમયે નગારા અને શરણાઈ વાગતા રહે છે.અને તેને વગાડનારાઓ દરવાજાની ઉપર બેસે છે.એ દરવાજો દર્શન માટે રાહ જોવાના ચોકમાં જાય છે.ચોકમાં માણસોને ઉભા રહેવાની વ્યવસ્થા છે.સ્ત્રીઓ માટે બાજુમાં જ એક મોટો ચોક છે.જેનું નામ કમલ ચોક છે.તે આખો આરસપહાણથી જડ્યો છે.ત્રીજો દરવાજો પ્રિતમપોલ કહેવાય છે.જે નાનોદરવાજો છે તે દરવાજાની બહારની બાજુ વિઠ્ઠલનાથજીનું મંદિર છે.તે દરવાજાની અંદર જતા તે ગલીમાં નાના રસ્તા ઉપર સીધો કમાલચોક સુધી જાય છે.કમાલચોકથી સ્ત્રીઓ દર્શન કરવા જાય છે.દર્શનમાં મુખ્ય ચોકમાં શ્રીનાથજીના દર્શન કરી શકાય છે.જોકે ત્યાં પણ ખુબ ભીડ રહે છે.ધક્કામુક્કી પણ ખુબ થાય છે.ત્યાં કેટલાક માણસો ઉભા રહે છે.તેઓ લોકોને કપડાથી ધીરે ધીરે મારીને આગળ વધવા પ્રેરે છે.શ્રીનાથજીની કાળા રંગની આરસપહાણની ખુબજ સુંદર પ્રતિમા છે.જેના મોઢાની નીચે તોડીમાં એક મોટો હીરો જડેલો છે.શ્રીનાથજીના દરેક દર્શનના શૃંગાર જુદા જુદા હોય છે.
દરેક શૃંગાર માટે નવા કપડાં બનાવાય છે.એના માટે નકારખાના દરવાજામાં દરજી ખાનું છે જ્યાં કપડાં સીવવાનું કામ થાય  છે.તેની નીચે માણસો માટે દર્શનની રાહ જોવાનો ચોક છે.તે ચોકમાં બાજુમાં દૂધ વગેરે લઈને લોકો બેઠેલા હોય છે જે પૈસા લઈને શ્રીનાથજી માટે દૂધ વગેરે આપે છે.તે નજીકમાંજ શ્રીનાથજીની સેવા માટે જમા થાય છે.શ્રીનાથજીનું દર્શન કરીને કોણ ભાવ વિભોર ન થાય.કમાલચોકની પૂર્વ બાજુ શ્રીનાથજીનો પ્રસાદ મળે છે.તે પ્રસાદ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.તે આખા ભારતમાં પ્રસિદ્ધ છે કહેવાય છે શ્રીનાથજીનો પ્રસાદ ભેટ કરવાથી સારા સારા કામો પાર પડે છે

શ્રીનાથજીબાવાની જય,જય શ્રી કૃષ્ણ.

(એક રિપોર્ટના આધારે )