Friday, July 17, 2026

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ

 ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ




ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિક નજીક એક ખૂબ જ જૂનું અને પવિત્ર સ્થળ છે. તેની આસપાસના શહેરને ત્ર્યંબક કહેવામાં આવે છે. લોકો અહીં ભગવાન શિવને પ્રાર્થના કરવા આવે છે કારણ કે આ મંદિર ભારતના પ્રખ્યાત જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિરોમાંનું એક છે. ઘણા પરિવારો પ્રાર્થના અને વિશેષ વિધિઓ કરવા માટે આવે છે. મુખ્ય ઇમારતને ત્ર્યંબકેશ્વર મંદિર અથવા ત્ર્યંબકેશ્વર શિવ મંદિર કહેવામાં આવે છે કારણ કે મંદિર બ્રહ્મગિરિ નામની નાની ટેકરી પાસે આવેલું છે. તે ટેકરી પરથી મહાન ગોદાવરી નદી શરૂ થાય છે. જે લોકો પિંડદાન જેવા કૌટુંબિક સંસ્કાર કરવા માંગે છે તેઓ અહીં આવે છે કારણ કે નદીનો સ્ત્રોત મંદિરની નજીક છે.

ત્ર્યંબકેશ્વર મંદિરનો દેખાવ મજબૂત છે. તે ઘાટા પથ્થરથી બનેલું છે. તમે દિવાલો પર કોતરણી અને જૂના આકારો જોઈ શકો છો. મુખ્ય હોલની અંદર તમને ત્રણ મુખવાળું શિવલિંગ જોવા મળશે. તેથી જ નામનો અર્થ ત્રણ મુખવાળું શિવલિંગ થાય છે - ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અથવા ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. ઘણા લોકો કહે છે કે જ્યારે તમે ત્યાં ઉભા રહો છો ત્યારે આ સ્થળ શાંત અને ઊંડું લાગે છે. મંદિરનું સંચાલન અને દેખરેખ ત્ર્યંબકેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દર્શન, પૂજા બુકિંગ અને મંદિર જાળવણીનું ધ્યાન રાખે છે. જો તમે કોઈ ખાસ પૂજાનું આયોજન કરો છો, તો તમે મદદ અને ઓનલાઈન બુકિંગ માટે ટ્રસ્ટની સાઇટ ચકાસી શકો છો. આ તમારી મુલાકાતને સરળ બનાવવામાં મદદ કરે છે.

ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ જૂનું અને પવિત્ર છે. લોકો સદીઓથી અહીં પ્રાર્થના કરે છે કારણ કે આજે તમે જે મુખ્ય ઇમારત જુઓ છો તે નાના સાહેબ પેશ્વા દ્વારા 18મી સદીમાં બનાવવામાં આવી હતી. આ મંદિર પ્રખ્યાત જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર સ્થળોમાંનું એક છે, જે તેને ભગવાન શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ બનાવે છે. ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પથ્થરથી બનેલું છે. તેની દિવાલો અને ટાવર (શિખર) માં ઘણી નાની કોતરણી છે. આંગણું પહોળું છે, અને નાના મંદિરો બાહ્ય દિવાલોને રેખાંકિત કરે છે. તે સુઘડ, મજબૂત અને જોવામાં શાંત છે.

અંદર એક અનોખું ત્રણ મુખવાળું શિવલિંગ છે, જેને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે કારણ કે આ લિંગ ભગવાન શિવને ત્રણ મુખમાં દર્શાવે છે. કેટલાક ખાસ દિવસોમાં, લિંગનો મુગટ અને માસ્ક ભક્તોને બતાવવામાં આવે છે. નજીકમાં કુશાવર્ત કુંડ છે, જ્યાં ગોદાવરી નદી શરૂ થાય છે કારણ કે યાત્રાળુઓ અહીં પિંડદાન અને અન્ય કૌટુંબિક વિધિઓ કરે છે. આ સ્થળ શાંત અને પવિત્ર છે.

આજે, ત્ર્યંબકેશ્વર ટ્રસ્ટ મંદિરની સંભાળ રાખે છે, તેને સ્વચ્છ રાખે છે અને પૂજા બુકિંગમાં યાત્રાળુઓને મદદ કરે છે. ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર સરળ, મજબૂત અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું છે, જે દરેક મુલાકાતને ખાસ બનાવે છે.

હર હર મહાદેવ 


Wednesday, July 8, 2026

જીવનનું સત્ય

 જીવનનું સત્ય પહેલેથીજ નક્કી છે,

આ દુનિયામાં જે કઈ થવાનું છે તેનો સમય પહેલેથીજ નિશ્ચિત છે.ધન,સબંધો, મિત્રો, અથવા ત્યાં સુધી કે આપણા શ્વાસ બધાનું એક દિવસ છૂટી જવાનું નક્કી છે ભલે અમે ગમે તેટલું પકડી રાખીયે જે જવાનું છે તે જઈને જ રહેશે. હેરાનીની વાત તો એ છે કે પ્રકૃતિ એ બધું પોતે નથી કરતી પણ કોઈને કોઈ માણસ અથવા ઘટનાને મહોરું બનાવી અમારી પાસે કરાવી લે છે.આપણે બધા તો એક નાટકના ભજવનાર છીએ, જેની પટકથા તો બહુ સમય પહેલા લખાઈ ચુકી છે. એટલા માટે કોઈના જતા રહેવાથી કે કઈ ખોવાઈ જવાથી દુઃખી ન થાઓ.જે જાય છે તેને ખુશી ખુશી વિદાય આપો કેમકે તેમના જવાથી જ આપણા જીવનમાં નવા લોકો અને નવા અવસર બનવાના રસ્તાઓ ઉઘડે છે. છેલ્લે સુધી કોઈ સાથે નથી રહેવાનું. શાળામાં મિત્રો બન્યા છૂટી ગયા, કોલેજમાં મિત્રો બન્યા છૂટી ગયા. જેમ જેમ જગ્યા બદલશો નવા લોકો મળશે જુના યાદ પણ નહિ રહેશે માટે બદલાવને અપનાવવો જ સાચું જીવન છે ખરું કે ખોટું ? 


જય શ્રી કૃષ્ણ .

Friday, June 19, 2026

કાનુડો શું જાણે મારી પીડ ……

 કાનુડો શું જાણે મારી પીડ  ……

કાનુડો શું જાણે મારી પીડ ? બાઈ અમે બાળકુંવારા રે 

કાનુડો શું જાણે ……..


જળ રે જમુનાના અમે ભરવા તે ગ્યાતા વાલા,

કાનુડે  ઉડાડ્યાં આછા નીર,ઉડયા ફરરર રે 

કાનુડો શું જાણે……..


વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યો ને, 

સોળસો ગોપીના તાંણ્યાં ચીર, ફાટયા ચરરર રે, 

કાનુડો શું જાણે ……


જમુનાને કાંઠે વાલોં ગોધણ ચારે રે,

વાસણી વગાડી, ભાગ્યા ઢોર,ભાગ્યા હરરર રે,

કાનુડો શું જાણે …….


હું વૈરાગી કાના તમારા રે નામની રે,

કાનુડે માર્યા છે અમને તિર,વાગ્યા અરરર રે,

કાનુડો શું જાણે …….


બાઈ મીરાંકે પ્રભુ ગિરધર નાગર,

કાનુડે બાળીને કીધા ખાખ,રાખ ઉડી ખરરર રે, 

કાનુડો શું જાણે …….


જય શ્રી કૃષ્ણ 

Friday, June 5, 2026

મીરાંબાઈ ભજન

 મીરાંબાઈ ભજન 

પાયોજી મૈને રામ રતન ધન પાયો (૨)


વસ્તુ અમુલીક દે મેરે સદ્ગુરુ (૨)

કૃપા કર અપનાયો, પાયોજી …..,


જન્મ જન્મકી પુંજી પાયી (૨) 

જગમેં સભી ખવાયો,પાયોજી ……,


ખરચ ન ખૂટે ચોર ન લૂંટે (૨) 

દિન દિન બઢત સવાયો,પાયોજી……


સતકી નાવ કેવટિયા સદ્ગુરુ (૨) 

ભવસાગર તર આયો, પાયોજી…….


મીરાંકે પ્રભુ ગિરિધર નાગર (૨) 

હરખ હરખ અપનાયો, પાયોજી…….


જય શ્રી કૃષ્ણ.






Thursday, April 30, 2026

સાંસોકા ક્યાં ભરોસા

 સાંસોકા ક્યાં ભરોસા 

સાંશોકા ક્યાં ભરોસા રુક  જાયે રે સાધુ 

નામ બીના એ જીવન તેરા છૂટ જાયે સાધુ 

દો દિનકા હૈ મેલા જગમેં,ક્યુ ઇતના ઈતરાતા 

કાલ ખડા હૈ દ્વાર પાર તેરે ક્યુ ગાફિલ બન જાતા

સાંશોકા…….


માટીકા તન માટી હોગા, ધન દૌલત રહ જાની

એક ચલેગા નામ પ્રભુકા બાકી બાત પુરાની

ભાઈબંધ કુટુંબ કબીલા કોઈ કામ ન આયે 

અંત સમય જબ પ્રાન નિકલે સબ ખડે રહ જાને

સાંશોકા ……..


જૂઠી કાયા, જૂઠી માયા, જુઠા જગકા નાતા

રામ નામકી ઓઢ ચદરિયા વોહી સાથમેં જાતા 

આજ સમય હૈ ભજન કરલે કલ ફિર ના હોવે 

કબ આયે તેરા બુલાવા કોઈ ભેદ ન ખોલે 

સાંશોકા………


કબીર કહે રે સુન રે  મનવા છોડ અભિમાના 

હરિ ચરનોમે મન લગા લે યે સચ્ચા ઠિકાના 

સાંશોકા ……,,


જય શ્રી ક્રિષ્ના

Friday, April 17, 2026

સદ્ગુરુ પાર ઉતારે

 


સદ્ગુરુ પાર ઉતારે 



સદ્ગુરુ પાર ઉતારે એ તો ભવના સંકટ કાપે રે (૨) 

આ સંસારમાં રે મારા સદ્ગુરુ પાર ઉતારે.


પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે 

કુબુદ્ધિ તૃષ્ણા દૂર કરીને અપના રંગ ચઢાવે રે 

આ સંસારમાં …..


મનુષ્ય દેહ દેવતાને દુર્લભ વારં વાર ન આવે 

ભવસાગરની ભુલવડીમાં શીદને ફાંફા મારે રે 

આ સંસારમાં રે ….


સદ્ગુરુ છે દીન દયાળા,ચરણે આવ્યે ઉગારે 

જન્મોજન્મના પાપી જીવને પળમાં પાર ઉતારે 

આ સંસારમાં…….


મૂરખને શું જાજુ કહેવું, લાજ શરમ નહિ આવે 

જમડા આવીને મારે ત્યારે હરિ હરિ સાદ પુકારે 

આ સંસારમાં ……


ગુરુ શરણમાં જઈ પડીને.ગુરુ ગુરુ નામ પુકારે 

દાસ મંગલ કહે બૂડતી બેડીને પળમાં પાર ઉતારે 

આ સંસારમાં…,…


જય શ્રી કૃષ્ણ 




Monday, March 23, 2026

ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ

 


 ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ 









પ્રિય વાચક મિત્રો
મોગરાના ફૂલ તરફથી આપ સહુને કુટુંબ સહીત ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ માતાજી સહુ ઉપર અવિરત કૃપા કરે તેવી મનોકામના સાથે


મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.