Sunday, January 25, 2026

ગણતંત્ર દિવસની શુભકામનાઓ

ગણતંત્ર દિવસની શુભકામનાઓ

 


 ગણતંત્ર દિવસની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત ‘ મોગરાના ફૂલ’ બ્લોગ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ. 

જય શ્રી કૃષ્ણ.

Friday, January 23, 2026

વસંત પંચમી શુભકામનાઓ

 વસંત પંચમી શુભકામનાઓ

 



વસંત પંચમીની આપ સહુ વાચકમિત્રોને ‘મોગરાના ફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ.

મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Friday, January 16, 2026

ક્યાં ગુમાન કરના …



 ક્યાં ગુમાન કરના …



ક્યાં ગુમાન કરના બે મિટટીમે મિલ જાના

માન અપમાન છોડકે તું સંતોકે ચારનોમે આના

ક્યાં ગુમાન ………

મિટ્ટી ખોદકર મહલ બનાયા,ગવાર કહે એ ઘર મેરા,

આ ગયા ભવ્વર લે ગયા,જીવ ન ઘર તેરા ન મેરા 

ક્યાં ગુમાન……….

મિટ્ટી ખાના, મિટ્ટી પીના,મિટ્ટી કરના ભોગો 

મિટ્ટીસે મિટ્ટી મિલ ગઈ તો ઉપર ચલે સબ લોગો 

ક્યાં ગુમાન………..

હાડ જલે જૈસે લકડીકી મુલી,કેસ ઝરે જૈસે ઘાસા

સોના સરીખી કાયા જલ ગયી, કોઈ ન આવે પાસા

ક્યાં ગુમાન………..

કહત કબીર સુનો ભાઈ સાધુ, જુઠ્ઠી હૈ સબ માયા 

ભજન કરો ઔર ધ્યાન ઘરો, પવિત્ર હોગી કાયા

ક્યાં ગુમાન ………..


જય શ્રી કૃષ્ણ .



Thursday, January 15, 2026

માં બાપસે બઢકર…….(હિન્દી ભજન)

 માં બાપસે બઢકર…….(હિન્દી ભજન)





માં બાપસે બઢકર જગમેં કોઈ દુજા નહિ ખજાના,

જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના


દિનરાત તુઝે તેરી માને અપને હાથોંમેં ઝુલાયા

ખુદ ગિલેમે માં સોઈ ,સુખેમેં તુઝે સુલાયા.

તું કોઈ દુઃખ દેકર ના માંકો કભી રૂલાના

જિસને તુઝે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના 


માંબાપકી શરણસે બઢકર, દૂસરા કોઈ સ્વર્ગ નહિ હૈ 

સબ દૌડકે તીરથ બંદે કરલે માબાપકી પુંજા .

ઇસ જનમ મરણસે તુજકો અગર હૈ મુક્તિ પાનાં

જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુઃખાના


માં બાપસે બઢકર જગમેં કોઈ દુજા નહિ ખજાના,

જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના.


જય શ્રી કૃષ્ણ.




Tuesday, January 13, 2026

Happy Makarsankranti

  Happy Makarsankranti friends with your family


Jai Shree Krushna.

શ્રી ભાગવત ગીતાની ૧૮ જ્ઞાનની વાતો

 શ્રી ભાગવત ગીતાની ૧૮ જ્ઞાનની વાતો

 


(૧) યુવાનીમાં જેણે પાપ કર્યા છે તેને વૃદ્ધાવસ્થામાં ઊંઘ નથી આવતી તેને તેઓ પશ્ચાતાપ માં ગુજારે છે.

(૨) ભગવાને જેને સંપત્તિ આપી હોય તેણે ગાય રાખી તેની સેવા કરવી જોઈએ તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.

(૩) જુગાર, દારૂ પીવો, પરસ્ત્રી માટે જવું,હિંસા કરવી,જુથ્થુ બોલવું,અભિમાન, આસક્તિ અને નિર્દયતા એ બધામાં કળિયુગનો વાસ છે એટલે એનું એક બીજું નામ છે ઘોર કળિયુગ.

(૪) અધિકારી શિષ્યને એટલે જે જ્ઞાન મેળવવા માટે મહેનત કરે છે તેને સદ્ગુર (સારા ગુરુ ) જરૂર મળે છે.

(૫) ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યે પોતાના હૃદયને વારંવાર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ,ઈશ્વર સિવાય તેનું કોઈ નથી, સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે તેનું આ બ્રહ્માંડમાં પણ કોઈ નથી જે તેનો સાથ આપશે.

(૬) ભોગમાં ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય છે જયારે એની સાથે ત્યાગમાં સ્થાયી સુખ કે આનંદ મળે છે. 

(૭) શ્રી કૃષ્ણ કહે છે કે સત્સંગ ઈશ્વરની કૃપાથી મળે છે,જયારે કુસંગમાં પડવું પોતાના જ વિચારોનું કારણ હોય છે.

(૮) લોભ અને મોંહ માયા પાપના માતા પિતા કહેવાય છે સાથેજ લોભ પાપનો બાપ જ છે.

(૯) શ્રી કૃષ્ણ કહે છે કે સ્ત્રીનો ધર્મ છે કે તુલસી અને પાર્વતીની પુંજા કરે તેનાથી તેની સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.

(૧૦) મનુષ્યે પોતાના મન અને બુદ્ધિ પર હંમેશા વિશ્વાસ ન કરવો જોઈએ કેમકે તે વારંવાર મનુષ્યને દગો કરે છે,પોતાને નિર્દોષ માનવું એ ઘણો મોટો ગુનો સાબિત થાય છે.

(૧૧) પતિ પત્ની પવિત્ર સંબંધ બનાવી રાખે તો પ્રભુ તેમના ઘેર જન્મ લેવાની ઈચ્છા રાખે છે.

(૧૨) ભગવાન એ બધી કસોટીયો પર કસી કસીને ઓરખી મનુષ્યને સ્વીકારે છે એટલે મનમાં ખોટા વિચારો ન લાવવા જોઈએ કાયમ અને બીજાની સાથે પ્રેમભાવથી રહેવું જોઈએ.

(૧૩) સુખ તેમજ આનંદ કાયમ મનુષ્યમાજ વસે છે પરંતુ મનુષ્ય તેને સ્ત્રી, ઘર અને બહારની સુખ પ્રાપ્તીમાંજ  શોધ્યા કરતો હોય છે. 

(૧૪) શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની ઉપાસના ફક્ત શરીરથી જ નહિ પણ મનથી પણ કરવી જોઈએ.ભગવાનના પ્રણામ તેને પ્રેમબંધનમાં બાંધે છે .

(૧૫) મનુષ્યની વાસના જ તેના પુનર્જન્મનું કારણ બને છે.

(૧૬) મનુષ્ય ઇન્દ્રિયોને આધીન રહે છે એટલે જ તેને જીવનમાં વિકાર અને મુશ્કેલીયો આવે છે.

(૧૭) મનુષ્યમાં ધીરજ,સદાચાર,સ્નેહ અને સેવા જેવા ગુણો સત્સંગ વગર આવતા નથી.

(૧૮) શ્રી કૃષ્ણ કહે છે વસ્ત્ર મેલા થતા શરીર પરથી બદલાય છે બસ તેવી જ રીતે મન અને હૃદયમાં મેલ આવે તો તેને કાઢી નાખવો જોઈએ.


જય શ્રી કૃષ્ણ.

Monday, January 12, 2026

બ્રહ્મમુહૂર્ત

 બ્રહ્મમુહૂર્ત 

બ્રહ્મમુહૂર્ત નો અર્થ બ્રહ્માનો સમય,એ ૪૮ મિનિટનો સમય જે સૂર્યોદય પહેલા એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરુ થાય. એ સામાન્ય રીતે રાતનું મુહર્ત જે સ્પિરિટયુઅલ માટેનો ઉમદા સમય,યોગા માટે અને મેડિટેશન માટેનો ઉમદા સમય, આ સમય દરમ્યાન સ્પિરિટ માટેનું કામ કરાય તે દિવસના બીજા કોઈ સમય કરતા વધુ અસરવાળું હોય.

બ્રહ્મમુહૂર્ત એ રાત્રિની ૧૪ મી કળા છે. એક મુહૂર્ત એ ૪૮ મિનિટનો સમય છે આખી રાત્રી આવા ૧૫ મુહૂર્તમાં વહેંચાયેલી છે.સૂર્યોદય ભૌગોલિક વર્ષના સ્થળ અને સમય પ્રમાણે બદલાય છે અને તેની સાથે બ્રહ્મમુહૂર્તનો સમય પણ બદલાય છે,દા.ત. જો સૂર્યોદય સવારે ૬:૦૦ વાગ્યાનો હોય તો બ્રહ્મમુહૂર્ત સવારે ૪:૨૪ શરુ થાય અને સવારે  ૫:૧૨ વાગ્યે પૂરું થાય.

સંતોના વિચાર 

સ્વામી શિવાનંદ અને સદ્ગુરુ માને છે કે બ્રહ્મમુહૂર્તનાં સમય દરમ્યાન મન પ્રાકૃતિક રીતે સાહજિકપણે ઓછા પ્રયત્ને મેડિટેશનમાં એકાકાર થાય છે.તે વખતે મન પ્રાકૃતિક રીતે શાંત,ચોખ્ખું અને તૈયાર હોય છે.દિવસના અવાજો અને ઘોઘાટોથી ફ્રી હોય છે.મેડિટેશન કરવા બહુ મહેનત કરવી પડતી નથી. તે વખતે ભગવાન સાથે મનને એકાકાર કરવું સહેલું થઇ જાય છે. પ્રાર્થના અને પુંજા બ્રહ્માંડ સાથે બહુ સહેલાઈથી એકાકાર થાય જ્યાં પ્રભુનો વાસ છે. બ્રહ્માંડ સાથે જે અલૌકિક ઉર્જા જોડાયેલી છે તેને સાકાર કરી અનુભવવું સહેલું થઇ જાય છે.જયારે મન બ્રહ્મમાં લિન થાય છે ત્યારે ભક્ત બ્રહ્માંડ તરફથી આવતા મોજાને ગોળાકારે પોતાનામાં ભળતા જોવાનો અનુભવ કરે છે,કોઈ તેજસ્વી ઉર્જા તેની આસપાસ ભ્રમણ કરતી પણ અનુભવાય છે. આત્મા આ સમયમાં પોતાની બ્રહ્મ સાથેની સ્થિતિ અભ્યાસ પ્રમાણે વધારતો જાય છે જે સામાન્ય કરતા ઘણો અલૌકિક હોય છે જ્યાં બ્રહ્મ સાથેના તાર જોડાય છે. જેમાં બીજા યોગિયોં અને આત્માઓના મોકલાતા મોજાઓનો પણ અનુભવ થાય છે. 

 સાધુગુરુ કહે છે બ્રહ્મમુહૂર્ત એ બ્રહ્મનો સમય છે તમે એવી રીતે પણ જોય શકો કે એ સમય જયારે તમોએ તમને બનાવ્યા,એ સમયે કુદરત સાથે ઓતપ્રોત થઇ શકાય. 

પ્રાચીન અષ્ટાંગ હૃદયં માં કહ્યું છે કે આ સમય દરમ્યાન ચાલવાની ક્રિયા ખુબજ લાભદાયક,લાબું આયુષ્ય અને રોગપ્રતિકારક હોય છે.

બ્રહ્મમુહૂર્ત પવિત્ર,જોરદાર અને યુનિક ઓપ્પોર્ટુનિટી રોજ બરોજ વધારે છે દરેક દિવસે અંદર શાંતિ,મનની ચોખ્ખાઈ અને ડિવાઇન સાથેનું ઊંડું જોડાણ થાય છે.


જય શ્રી કૃષ્ણ