Tuesday, August 4, 2026

ઓશો ની દ્રષ્ટિએ

 


ઓશો ની દ્રષ્ટિએ 




પોતાને શાંત રાખતા શીખો કેમકે જીવનની ખુબ મોટી શક્તિ શાંતિમાં છુપાયેલી હોય છે શોરઆ નહિ.જયારે મન શાંત હોય છે ત્યારે બધીજ મુશ્કેલીયો તેની મેળે ઉકેલાવા લાગે છે. પણ મન જયારે બેચેન હોય ત્યારે એક નાની વાત પણ મોટું તોફાન ઉભું કરી દે છેઃ આજનો માણસ બહારની દુનિયાને જીતવામાં પડ્યો  છેઃ કે કેટલા પૈસા કમાયા ,કેટલી આબરૂ વધી,કેટલી ઓરખાણ વધી પણ પોતાની અંદર રહેલી દુનિયા હારી ચુક્યો છેં તેને કોઈ ચેન પડતું નથી.

હું તે ભીડથી દૂર રહેવા માંગુ છું જ્યાં લોકો પોતાના હોવાનું નાટક કરે છે .કેમકે સંબંધો શબ્દોથી નહિ સચ્ચાઈથી અનુભવાય છે.ભીડમાં ઘણા લોકો મળી જાય  છે પણ પોતાના ઘણા ઓછા અને પ્રેમ એક દેખાવ બની જાય ત્યાં એકલું રહેવું જ સારું,જુઠા સ્મિતથી તો દૂર રેહવાય,જ્યાં શાંતિ મુશ્કેલ છે.

તે બધી જ વ્યક્તિને ત્યજી દો જે આપનાં દુઃખનું કારણ બને,પ્રેમ ક્યારેય દુઃખ નથી આપતો દુઃખી કરે છે સ્વાર્થ, છળ અને અપમાન જે વારંવાર આપણી શાંતિ છીનવી લે તેનાથી દૂર રહેવામાં જ ડહાપણ છે કેમકે આપણું સન્માન બચાવવું કોઈ પણ સંબંધ બચાવવાથી ઘણું સારું છે.


જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment