Friday, June 3, 2022

નૃગ રાજાની કથા (શ્રીમદ ભાગવત અધ્યાય ચોસઠમો )

 

નૃગ રાજાની કથા 


 
શ્રી શુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત ! એક દિવસ સામ્બ,પ્રદ્યુમ્ન,ચારૂભાનું અને ગદ વગેરે યદુવંશી રાજકુમારો ફરવા માટે ઉપવનમાં ગયા. ત્યાં ઘણો સમય સુધી રમતા રમતા તેમને તરસ લાગી. હવે તે અહીં તહીં પાણી શોધવા લાગ્યા. એક કુવા પાસે ગયા તેમાં પાણી તો ન હતું એક ખુબ વિચિત્ર જીવ દેખાઈ પડ્યો. તે જીવ પર્વત જેવો આકારનો એક ગિરગિટ હતો. તેને જોઈને તેમની આશ્ચર્યની સીમા ન રહી. તેમના હૃદય કરુણાથી ભરાઈ આવ્યા અને તેમણે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા માંડ્યો.પરંતુ જયારે તે રાજકુમાર તે પડેલા ગિરગિટને ચામડું અને સુતરની દોરીથી બાંધીને બહાર ન કાઢી શક્ય ત્યારે કુતુહલતાથી તેમણે એ આશ્ચર્યમય વૃતાન્ત શ્રી કૃષ્ણની પાસે જઈને જણાવ્યું.જગતના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણ તે કુવા પર આવ્યા. તેને જોઈને તેમણે રમત રમતમાં જમણા હાથથી - અનાયાસ જ તેને બહાર કાઢી લીધો. ભગવન શ્રી કૃષ્ણના કારકમળોનો સ્પર્શ થતા જ તેનું ગિરગિટ રૂપ જતું રહ્યું અને તે એક સ્વર્ગીય દેવતાના રૂપમાં ફેરવાઈ ગયો. હવે તેના શરીરનો રંગ તપાવેલા સોનાની જેમ ચમકી રહ્યો હતો. અને તેના શરીર પર અદભુત વસ્ત્રો,આભૂષણ અને પુષ્પોના હાર શોભી રહ્યા હતા. જોકે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે એ દિવ્ય પુરુષને ગિરગિટ યોની કેમ મળી હતી તો પણ તે કારણ સર્વ સાધારણને ખબર પડી જાય એટલા માટે તેમણે એ દિવ્ય પુરુષને પૂછ્યું -‘મહાભાગ ! તમારું રૂપ તો ખુબ સુંદર છે તમે છો કોણ ? હું તો એવું સમજુ છું કે તમે જરૂર કોઈ શ્રેષ્ઠ દેવતા છો. ક્લયામૂર્તે ! કયા કર્મના ફળના રૂપમાં તમારે આ યોનિમાં આવવું પડ્યું હતું ? હકીકતમાં તમે એને યોગ્ય નથી. અમે લોકો તમારું વૃતાન્ત જાણવા માંગીયે છીએ. જો તમે અમને લોકોને તે બતાવવાનું ઉચિત સમજો તો આપનો પરિચય અવશ્ય આપો.

શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત ! જયારે અનંતમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણે રાજા નૃગને (કેમકે તેઓ જ એ રૂપમાં પ્રગટ થયા હતા.) એવી રીતે પૂછ્યું ત્યારે તેમણે પોતાનો સૂર્ય જેવો જાજલ્યવાન મુકુટ ઝુકાવી ભગવાનને પ્રણામ કર્યા અને તે એવી રીતે કહેવા લાગ્યા.

રાજા નૃગે કહ્યું - પ્રભુ ! હું મહારાજા ઈક્ષ્વાકુનો પુત્ર રાજા નૃગ છું. જયારે ક્યારેક કોઈએ આપની સામે દાનીયોની ગણતરી કરી હશે,ત્યારે તેમાં મારુ નામ પણ જરૂર આપના કાનોમાં પડ્યું હશે. પ્રભુ ! આપ બધાજ પ્રાણીઓની એકે એક વૃત્તિના સાક્ષી છો. ભૂત અને ભવિષ્યનું વ્યવધાન પણ આપના અખંડ જ્ઞાનમાં કોઈ પ્રકારનો અવરોધ નથી કરી શકતું. એટલે આપથી છૂપું જ શું છે ? તો પણ હું આપની આજ્ઞાનું પાલન કરવા માટે કહું છું. ભગવન ! પૃથ્વીમાં જેટલા ધૂળના કણો છે,આકાશમાં જેટલા તારાઓ છે અને વરષામાં જેટલી પાણીની ધારાઓ પડે છે મેં એટલીજ ગાયો દાન કરી હતી. તે બધી ગાયો દુધાર,નૌજવાન,સીધી,સુંદર,સુલક્ષણા અને કપીલા હતી. તેમને મેં ન્યાયના ધનથી મેળવી હતી. બધાની સાથે વાછરડા હતા. તેના શીંગડામાં સોનુ અને ખરીઓમાં ચાંદી મઢેલી હતી. તેમને વસ્ત્ર,હાર અને ઘરેણાથી સજાવી દેવાતી હતી.એવી ગાયો મેં આપી હતી. ભગવન ! હું યુવાવસ્થાથી સંપન્ન શ્રેષ્ઠ બ્રાહ્મણ કુમારોને -  જે સદ્ગુણી,શીલસંપન્ન,કષ્ટમાં પડેલા કુટુંબોવાલા,દંભરહિત તપસ્વી,વેદપાઠી,શિષ્યોને વિદ્યાદાન કરનારા તથા સચ્ચરિત્ર હોતા- વસ્ત્રભુષણથી અલંકૃત કરતો અને તે ગાયોનું દાન કરતો. એવી રીતે મેં ઘણી બધી ગાયો,પૃથ્વી,સોનુ,ઘર,ઘોડા,હાથી,દાસીઓ સાથે કન્યાઓ,તલના પર્વત,ચાંદી,શય્યા,વસ્ત્ર,રત્ન,ગૃહ સામગ્રી અને રથ વગેરે દાન કર્યા.અનેકો યંજ્ઞો કર્યા અને ઘણા બધા કુવા,વાવો વગેરે બનાવડાવ્યા. 

એક દિવસ કોઈ અપ્રતિગ્રહી (દાન ન લેનારો ) તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારી ગાયોમાં આવી ગઈ. મને એ વાતની બિલકુલ ખબર ન હતી. એટલે અજાણતા મેં કોઈ બીજા બ્રાહ્મણને દાન કરી દીધી. જયારે તે બ્રાહ્મણ એ ગાયને લઈ ચાલવા લાગ્યા ત્યારે તે ગાયના અસલી માલિકે કહ્યું -‘ આ ગાય મારી છે.’ દાન લઇ જતા બ્રહ્માને કહ્યું - ‘ એ તો મારી છે.કેમકે રાજા મૃગે મને તેનું દાન કર્યું છે.’ તે બંને બ્રાહ્મણ ઝગડતા ઝગડતા પોતાની વાત કાયમ કરવા મારી પાસે આવ્યા. એકે કહ્યું -‘ આ ગાય હમણાં હમણાંજ આપે મને આપી છે’ અને બીજાએ કહ્યું કે ‘જો એવી વાત હોય તો તમે મારી ગાય ચોરી લીધી છે ‘ ભગવન ! તે બંને બ્રાહ્મણની વાતો સાંભળી મારુ મન ભ્રમિત થઇ ગયું. મેં ધર્મસંકટમાં પડી તે બ્રાહ્મણોનો અનુનય વિનય કર્યો અને કહ્યું કે ‘ હું બદલામાં એક લાખ ઉત્તમ ગાયો આપીશ. આપ લોકો મને આ ગાય આપી દો.હું આપ લોકોનો સેવક છું. મારાથી અજાણતા આ અપરાધ થઇ ગયો છે. મારા આપ લોકો કૃપા કરો અને મને આ ઘોર કષ્ટ તથા ઘોર નરકમાં પડતા બચાવી લો.’  
‘રાજન ! હું એના બદલામાં કઈ નહિ લઉ.’ એમ કહી ગાયનો માલિક ચાલ્યો ગયો. ‘ તમે એના બદલામાં એક લાખ જ નહિ,દસ હજાર બીજી ગાયો આપો તો પણ હું નહિ લઉ.’ એમ કહી બીજો બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો. દેવાધિદેવ જગદીશ્વર ! તેના પછી ઉંમર પુરી થતા યમરાજાના દૂતો આવ્યા અને મને યમપુરી લઇ ગયા. અહીં યમરાજાએ મને પૂછ્યું - ‘ રાજન ! તમે પહેલા આપના પાપનું ફળ ભોગવવા માંગો છો કે પુણ્યનું ? તમારા દાન અને પુણ્યને હિસાબે તમને એવું તેજસ્વી લોક મળનારું છે જેની કોઈ સીમા જ નથી.’ ભગવન ! ત્યારે મેં યમરાજાને કહ્યું - ‘ દેવ ! પહેલા હું મારા પાપનું ફળ ભોગવવા ઈચ્છું છું.’અને તેજ ક્ષણે યમરાજાએ કહ્યું - ‘ ‘તમે પડી જાઓ ‘ તેમનું એમ કહેતા જ હું ત્યાંથી પડ્યો અને પડતી વખતે મેં જોયું કે હું ગિરગિટ થઇ ગયો છું .પ્રભુ ! હું બ્રાહ્મણોનો સેવક,ઉદાર, દાની અને આપનો ભક્ત હતો. મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી કે કોઈ પ્રકારે આપનું દર્શન થઇ જાય. એવી રીતે આપની કૃપાથી મારી પૂર્વજન્મની સ્મૃતિ નષ્ટ ન થઇ.ભગવન ! આપ પરમાત્મા છો. મોટા મોટા શુદ્ધ નુંહૃદય યોગેશ્વર ઉપનિષદોની દ્રષ્ટિથી (અભેદ દર્ષ્ટિથી) પોતાના હૃદયમાં આપના ધ્યાન કરતા રહે છે. ઇંદ્રાયાયીત પરમાત્મા ! સાક્ષાત આપ મારી આંખોની સામે શી રીતે આવી ગયા. કેમકે હું તો અનેક પ્રકારના વ્યસનો,દુઃખદ કર્મોમાં ફસાઈને આંધળો થઇ રહ્યો હતો. આપનું દર્શન તો ત્યારે થાય છે જયારે સંસારના ચક્કરથી છુટકારો મળવાનો સમય આવે છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ ! પુરુસોત્તમ ગોવિંદ ! આપ જ વ્યક્ત અને અવ્યક્ત જગત તથા જીવોના સ્વામી છો. અવિનાશી અચ્યુત ! આપની કીર્તિ પવિત્ર છે. અંતર્યામી નારાયણ ! આપ જ બધી ઇન્દ્રિયો અને વૃત્તિયોના સ્વામી છો. પ્રભુ ! શ્રી કૃષ્ણ ! હવે હું દેવતાઓના લોકમાં જઈ રહ્યો છું. આપ મને આજ્ઞા આપો. આપ એવી કૃપા કરો કે હું ભલે ક્યાંય પણ રાહુ મારુ મન સદાય આપના ચરણકમળોમાં જ લાગ્યું રહે. આપ બધાજ કાર્યો અને કારણોના રૂપમાં વિદયમાંન છો. આપની શક્તિ અનંત છે અને આપ જાતે બ્રહ્મ છો. આપને હું નમસ્કાર કરું છું. સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વાન્તર્યામી વાસુદેવ શ્રી કૃષ્ણ ! આપ બધાજ યોગોના સ્વામી યોગેશ્વર છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. 

રાજા નૃગે એવી રીતે કહીને ભગવાનની પરિક્રમા કરી અને પોતાના મુકુટથી તેમના ચરણોમાં સ્પર્શ કરીને પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞા લઇ બધાની નજરો નજર તેઓ શ્રેષ્ઠ વિમાનમાં બેસી ગયા. 

રાજા નૃગના ચાલ્યા જવાથી બ્રાહ્મણોના પરમ પ્રેમી ધર્મના આધાર દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણે ક્ષત્રિયોને શિક્ષા આપવા માટે ત્યાં ઉપસ્થિત પોતાના કુટુંબના લોકોને કહ્યું - ‘જે લોકો અગ્નિના જેવા તેજસ્વી છે,તેઓ પણ બ્રાહ્મણોનું થોડું પણ ધન ઝૂંટવીને પચાવી નથી શકતા.પછી જે અભિમાનથી પોતાને જુઠમૂઠ લોકોના સ્વામી બતાવે છે તે રાજા તો કેવી રીતે પચાવી શકે ? હું હળાહળ ઝેર ને ઝેર નથી માનતો કેમકે તેની ચિકિત્સા થાય છે. હકીકતમાં બ્રાહ્મણોનું ધન જ પરમ ઝેર છે તેને પચાવી લેવા માટે પૃથ્વીમાં કોઈ ઔષધ,કોઈ ઉપાય નથી.હળાહળ ઝેર ફક્ત ખાનારનાજ પ્રાણ લે છે. અને આગ પણ પાણી દ્વારા હોલવી શકાય છે પરંતુ બ્રાહ્મણના ધનરૂપ અરણીથી જે આગ પેદા થાય છે તે આખા કુળને સમૂળ બાળી નાખે છે. બ્રાહ્મણનું ધન જો તેની પુરે પુરી સંમતિ લીધા વગર ભોગવવામાં આવે ત્યારે તો તે ભોગવનારાના તેમના છોકરા,પૌત્રો -એ ત્રણ પેઢીઓને જ સાફ કરી નાખે છે. પરંતુ બળપૂર્વક હાથ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો પૂર્વ પુરુષોની દસ પેઢીયો અને આગળની પણ દસ પેઢીયો નાશ પામે છે. જે મૂર્ખ રાજા પોતાની રાજલક્ષ્મીનાં ઘમંડમાં આંધળો થઈને બ્રાહ્મણોનું ધન હડપી લેવા માંગે છે સમજવું જોઈએ કે તે જાણીજોઈને નર્કમાં જવાનો રસ્તો સાફ કરી રહ્યો છે. તે જોતો નથી કે તેને અધઃપતનના કેટલા ઊંડા ખાડામાં પડવું પડશે. જે ઉદાર હૃદય અને બહુકુટુંબી બ્રાહ્મણોની વૃત્તિ ઝૂંટવી લેવાઈ છે તેમના રડવાથી તેમની આંસુની બૂંદોથી ધરતીના જેટલા ધૂળકણો ભીના થાય તેટલા વર્ષો સુધી બ્રાહ્મણના સ્વત્વને ઝૂંટનારા તે ઉચ્ચશૃંખલ રાજા અને તેના વંશજો ને કુંભીપાક નર્કમાં દુઃખ ભોગવવું પડે છે. જે મનુષ્ય પોતાની અથવા બીજાની આપેલી બ્રાહ્મણોની વૃત્તિ તેમની જીવીકાના સાધન ઝૂંટવી લે છે તે સાઈઠ હજાર વર્ષો સુધી વિષ્ઠાના કીડા થાય છે. એટલે હું તો એજ ઈચ્છું છું કે બ્રાહ્મણોનું ધન ભૂલથી પણ ક્યારેય મારા કોષમાં ન આવે કેમકે જે લોકો બ્રાહ્મણોના ધનની ઈચ્છા પણ કરે છે - તેને ઝૂંટવવાની વાત તો અલગ રહી - તે આ જન્મમાં અલ્પઆયુ,શત્રુઓથી પરાજિત અને રાજ્યભ્રષ્ટ થઇ જાય છે. અને મૃત્યુ પછી પણ તે બીજાને દુઃખ આપનારા સાપ જ થાય છે. એટલે મારા આત્મિયો ! જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેમનાથી દ્વેષ ન કરો. તે મારી પણ કેમ ન બેસે અથવા ઘણી બધી ગાળો અને શ્રાપ પણ કેમ ન આપે તેમને તમો કાયમ નમસ્કાર જ કરો. જેવી રીતે હું સાવધાની થી ત્રણેય સમય બ્રાહ્મણોને પ્રણામ જ કરું છું તેમ જ તમે લોકો પણ કર્યા કરો. જે મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને હું ક્ષમા નહિ કરું દંડ જ આપીશ. કદાચ બ્રાહ્મણોનું ધનનું અપહરણ થઇ જાય તો તે અપહૃત ધન તે અપહરણ કરનારાઓને - અજાણતા તેના દ્વારા આ અપરાધ થયો હોય તો પણ - અધઃપતનના ખાડામાં નાખી દે છે. જેમ બ્રાહ્મણની ગાયને અજાણતા તેને લેનારા રાજા નૃગને નર્કમાં નાખી દીધો હતો. પરીક્ષિત ! બધાજ લોકોને પવિત્ર કરનારા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાવાસીયોને આવી રીતે ઉપદેશ આપીને પોતાના મહેલમાં ચાલ્યા ગયા.  

જય શ્રી કૃષ્ણ 

Thursday, June 2, 2022

પોઝિટિવીટી - નેગેટિવિટી

 પોઝિટિવીટી - નેગેટિવિટી



ભીંતમાં ફેંકેલા દડાની જેમ આપણા સારા-ખરાબ કર્મો સમયની દીવાલ પર અથડાઈને પાછાં ફરે છે.... પૂર્વજન્મ અને પુનર્જન્મમાં ન માનતા હોઈએ તો પણ કર્મ, એનર્જી (ઊર્જા), ઓરા (આભા) અને વ્યક્તિના વાઈબ્રેશન્સ (ગૂઢ અસર) ઉપર તો વિશ્વાસ કરવો જ પડે. આપણી ભીતર ચાલતા સુખ-અસુખ, ઈર્ષા-તિરસ્કાર, શ્રદ્ધા-સ્નેહ, શાંતિ અને સંતોષ કે અશાંતિ અને ઈરિટેશન આપણી ઊર્જા-એનર્જી પર અસર કરે છે. ભીતરની એનર્જી બદલાય એટલે આપણી ઓરા અથવા આભા બદલાય છે. આપણી ઓરા (આભા)ની અસર આપણા વાઈબ્રેશન્સને જન્મ આપે છે.

આ વાઈબ્રેશન્સ એવુ ગૂઢ અસર છે કે જે સામેની વ્યક્તિને સંવાદ કે સ્પર્શ વગર આપણી ભીતર ચાલી રહેલી ગડમથલ કે શાંતિનો અનુભવ કરાવે છે. વ્યક્તિ જેટલી વધુ સેન્સિટિવ (સંવેદનશીલ) એટલી વાઈબ્રેશન્સ રિસિવ કરવાની એની શક્તિ વધારે... ભીતરની એનર્જી, આપણા મન સાથે જોડાયેલી છે. ઘણીવાર જાગૃત મગજમાં ન વિચાર્યું હોય એવું પણ જો મનમાં ચાલતું હોય તો એની અસર એનર્જી પર થયા વગર રહેતી નથી... જેમ પાણીમાં નાખેલું શાહીનું ટીપું ધીમે ધીમે પ્રસરે છે એમ નેગેટિવિટી અથવા નકારાત્મકતા સ્વચ્છ પાણીને ધીમે ધીમે પોતાનો રંગ આપે છે. એકવાર રંગ પ્રસરવા લાગે પછી એને પાણીમાંથી છૂટો પાડવો અઘરો છે એવી જ રીતે નેગેટિવિટીને પ્રસરવા લાગે પછી એને છૂટી પાડવાનું કામ અઘરું છે (બને તો આવું ટીપું મનના સ્વચ્છ જળમાં પડવા દેવું જ નહીં) છતાં, અશક્ય નથી.

આપણી ભીતર જે ઊર્જા ઉત્પન્ન થાય એ પ્રસ્વેદ કે ઉચ્છવાસની જેમ બહાર કાઢી નાખવાની શરીરને આદત છે... જે ઊર્જા ઉત્પન્ન થાય એ બહાર નીકળતાં આપણી આભામાં ભળે છે. ખૂબ હેન્ડસમ કે સુંદર દેખાતા લોકો સમય સાથે કદરૂપા થઈ જાય છે અને કેટલાક લોકો એવા દેખાવડા ન હોય તો પણ એમની આભા એટલી સુંદર હોય છે કે એમના તરફ જોયા વગર રહી શકાય નહીં... આ એમની ભીતરની ઊર્જા છે. જે એમની ઓરા બનીને બહાર આવે છે. 

જે ઓરા, આવા આપણા શરીરની આસપાસ રચાય છે એને અમુક રંગોમાં વહેંચવામાં આવે છે. હવે તો વિજ્ઞાન પણ આ ઓરાના રંગોને વર્ગીકૃત કરી શકે છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે કે, શરીરની ભીતર જન્મ લેતી સારી-ખરાબ ઊર્જા અંતે આપણા અસ્તિત્વનું દર્પણ બની જાય છે... 

આપણા અસ્તિત્વમાંથી નીકળતા આપણી ઊર્જાના તરંગો સામેની વ્યક્તિ સુધી પહોંચે છે. એને વાઈબ્રેશન્સ કહેવાય છે. રેડિયો, ટેલિવિઝન કે સાઉન્ડના તરંગો દેખાતા નથી, પરંતુ ટ્રાન્સમિટર એને રિસિવ કરે એટલે એ દૃશ્ય કે શ્રાવ્યમાં પલટાય છે એવી જ રીતે, સામેની વ્યક્તિ તરફથી આવતા અદૃશ્ય તરંગો આપણે અજાણતાં જ ઝીલી લઈએ છીએ અને આપણી ભીતરની ઊર્જા એનું અર્થઘટન કરે છે. આ બધી સાવ ક્ષણોમાં બનતી પ્રક્રિયા છે. હવે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે, માણસના શરીરનું યંત્ર એના મન સાથે અભિન્નપણે જોડાયેલું છે. માઈન્ડ એન્ડ બોડી કેન નોટ બી સેપરેટેડ... એમ તબીબી વિજ્ઞાન, અધ્યાત્મ અને આયુર્વેદ જેવા મહત્વના જ્ઞાન આ વાતને સ્વીકારે છે.

કેટલાક લોકો ગમે અને કેટલાક લોકો કારણ વગર ન ગમે... એવું કેમ થાય ? એનો આ જવાબ છે. બે લોકોની એનર્જી એકબીજા સાથે મેચ થાય, અને બે લોકોની એનર્જી એકબીજા ઉપર વિપરિત અસર કરે... એકની ભીતર શાંતિ અને એકની ભીતર અશાંતિ હોય, એક સંતોષી-આનંદી હોય અને બીજી વ્યક્તિ ચીડાયેલી-અધૂરપ અનુભવતી હોય તો એ બંને લાંબો સમય સાથે ન જ રહી શકે.

આપણે બધાએ સૌથી પહેલાં ભીતરની ઊર્જા પર કામ કરવું જોઈએ... જો આપણી ભીતર મન સ્વચ્છ હશે તો બહારથી આવતી નેગેટિવિટી તેલના ટીપાની જેમ ઉપર તર્યા કરશે, પરંતુ પાણી સાથે ભળી નહીં શકે. ઊર્જા પોઝિટિવ (હકારાત્મક) હશે તો આભા (ઓરા) પણ ધીમે ધીમે સાફ થતો જશે. સ્વચ્છ ઓરામાંથી આવતા વાઈબ્રેશન પણ પોઝિટિવ જ હશે... 

વિજ્ઞાનમાં એક બીજો શબ્દ છે, 'કોહેઝન'. એક પદાર્થ એના જેવા બીજા પદાર્થને ખેંચે છે... અર્થ એ થયો કે, નેગેટિવિટી એના જેવા, અને પોઝિટિવિટી એના જેવા વાઈબ્રેશન્સને ખેંચે. આપણે ભીતરથી સ્વચ્છ અને આનંદિત હોઈશું તો આપોઆપ એવા જ લોકો અને એવી જ ઊર્જા આપણા તરફ ખેંચાશે. ભીતરથી નેગેટિવ, ઈર્ષાળુ, ઝઘડાળુ, અસંતોષી હોઈશું તો એવી જ ઊર્જાને આપણી તરફ ખેંચતા રહીશું.

નિર્ણય આપણો છે. પ્રયાસ પણ આપણો જ હોઈ શકે. આપણે જે કરીશું તે જ આપણા સુધી પાછું ફરશે... દીવાલ પર ફેંકેલા દડાની જેમ.

 માન, સ્નેહ, ક્ષમા, વહાલ કે ઉદારતાના દડા ફેંકીશું તો એ જ પાછા આવશે. અપમાન, તિરસ્કાર, કટુતા કે ઈર્ષાના દડા ફેંકીશું તો એને પણ આપણે જ ઝીલવા પડશે, ક્યારેક નહીં ઝીલાય તો આપણને જ વાગશે.  ખરૂંને? 

(એક પબ્લિશ્ડ લેખ )

જય શ્રી કૃષ્ણ 





Wednesday, May 11, 2022

એરી મૈં તો પ્રેમદિવાની (મીરાંબાઈ ભજન )

 એરી મૈં તો પ્રેમદિવાની 



એરી મૈં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ

ના મૈં જાણું આરતી વંદન ના પુંજાકી રીત

હૈ અન્જાની દરશ દીવાની મેરી પાગલ પ્રીત 

લિયે રે મૈને દો નૈનોંકે દીપક લિયે સંજોયે 

એરી મૈં તો ….,,


ઘાયલકી ગતિ ઘાયલ જાને જો કોઈ ઘાયલ હોય.

જૌહરકી ગતિ જૌહર જાને જો કોઈ જૌહર હોય 

એરી મૈં તો …..


સુલી ઉપર સેજ હમારી,સોવલ કિસ વિધ હોય 

ગગનમંડળ પાર સેજ પિયાકી,કિસ વિધ મિલના હોય 

એરી મૈં તો ……


દર્દકી મારી વન વન ડોલું,વૈદ્યં મિલા નહિ કોઈ 

મીરા કી જબ ભીડ મીતેગી,જબ વૈદ્યં સાંવરિયા હોય 

એરી મૈં તો …….


આશા કે ફુલોંકી માલા સાંસોકે સંગીત 

ઈન પર ફૂલી ચાલી રિઝાને,અપને મનકા મીત

લઈએ રી મૈને નૈંન દોરમેં સપને લિયે પિરોએ 

એરી મૈં તો પ્રેમદિવાની ……

Wednesday, March 30, 2022

સચ્ચિદાનંદ સ્વામી દંતાલી વાળા ના વિચારો

સચ્ચિદાનંદ સ્વામી  દંતાલી વાળા ના વિચારો





*આ જગનતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વિક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.*

*શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો!*

*જે શરીર આપણા તથાકથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી નથી લાગતી ?*

*શરીરનો કોઈ વાંક નથી,તો પણ એને ભુખ્યુ રાખો. શરીરનો કોઈ જુર્મ નથી, છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દિવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’*

*મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવિત્ર કેમ માની શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે ,એટલે એને આપણે પવિત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો*

*તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતિનો ત્રાસ વેઠીનેય પારિવારીક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હિત માટે ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું?*

*અડધી રાત્રે પાડોશમાં કોઈ બિમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નિન્દ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવિત્રતા અને મહાનતા ચોક્કસ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !*

*ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વિરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી.*

*દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે !*

*એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે.*

*માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બિમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે;પણ પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે.*

 *જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.*

 *પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘મદદ’ કરવી એ ‘ધર્મ’ છે.*

*મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે.*

*હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય.*

*પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા મગજમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું* 

*આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !*

*એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એજ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે.*

*વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વિમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બિમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?*

*આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?*

*અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નિભાવતાં આવડે તો આધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય.*

 *સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ છીએ : જેમ કે પતિધર્મ, પુત્રધર્મ, પિતાધર્મ, માતૃધર્મ, શિક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નિભાવી શકાય છે.*

 *સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.*

*મોજ થી જીવો દોસ્ત.*

🌹🙏🏻🌹

Monday, January 3, 2022

ભાવના

 


ભાવના 


એ સ્થિતિમાં અમારી ચારે તરફ દુઃખ ફેલાઈ છે.માનવીનું આયુષ્ય વધવાની સાથે તેની માનસિક સ્થિતિ અનેક અનેક ઇચ્છાઓથી ભરાયેલી રહે છે.તેના કારણે શરીર શિથિલ થઇ જાય છે પણ મન શિથિલ નથી થતું,અને મનની અંદરની વાસનાઓ તૃષ્ણાઓ એવી ને એવી બની રહે છે.શરીર અને મનની સાથે તાલમેલ ન થવો તેનાથી એક વાત સમજમાં આવે છે કે વ્યક્તિ પોતાને યુવાન સમજતી રહે છે પણ શરીર વૃદ્ધ થઇ જાય છે શરીરની ગતિ મંદ પડી જાય છે પણ મનની ગતિ તીવ્ર થતી જાય છે.વ્યક્તિના બોલવામાં અને કાર્યમાં શિથિલતા આવી જાય છે પણ મનમાં શિથિલતા નથી આવતી,તેને જોવામાં તકલીફ પડતી જાય છે,તેને ખોરાક પચવામાં તકલીફ પડે છે પણ મનમાં અનેક અનેક જાતની ઈચ્છાઓ રહે છે અને તેની અતૃપ્ત ઈચ્છાઓને કારણે મનમાં વ્યાકુળતા અસંતોષ વધતો જાય છે અતૃપ્ત ઈચ્છાઓ ની પૂરતી માટે મન સતત લાલચુ બનતું જાય છે અને તેની સાથે નવી નવી ઈચ્છાઓ જન્મતી જાય છે તેના પરિણામે ઈચ્છાથી ઈચ્છા વધે છે, ક્રોધથી ક્રોધ વધે છે,બદલાની ભાવનાથી તેમાં વધારો થાય છે,અશાંતિથી અશાંતિ વધતી જાય છે તેનો ક્યાંય અંત દેખાતો નથી.શ્રી કૃષ્ણ એક સંદેશો આપતા કહે છે કે દરેકે પોતાની જાતથી જોડાયેલા રહેવું જોઈએ.એટલે તમે શરીર નથી,પ્રાણ પણ નથી,બુદ્ધિથી પણ આગળ છો,ચેતન તત્વ છો,પોતાના તે ચેતન સ્વરૂપને ઓરખો અને પોતાની જાતને ઓરખો,તમારું નિજ રૂપ શાંતિ અને કરુણાથી ભરેલું છે.સહયોગ અને ઉદારતાથી ભરેલું છે એ જો ક્રોધ,દ્વેષ, વેર, બદલાની ભાવના,ઇજા કરવાની ભાવના એ બધી વસ્તુઓ આપનો સ્વભાવ નથી,પણ એ બીજાની સગતિથી,પાછલા સંસ્કારોને કારણે તમારા મન પર પડેલો મેલ છે જેના લીધે તમને ઝાંખું દેખાય છે.જેના કારણે ખોટી શંકા થાય છે, તકલીફો ઉભી થાય છે.એટલે એમણે એ કહ્યું, 

હૃદયને શુદ્ધ રાખવું,પોતાને શાંત રહેવું,વિચારોને પવિત્ર રાખવા અને જાતે શાંત રહેવું એ જરૂરી છે. અશાંત વ્યક્તિના જીવનમાં સુખ નથી અંદરની અશાંતિ,બેચેની આપના સુખને લઇ જાય છે.પણ બે વાતો ખુબ જ મહત્વની છે અયુક્ત વ્યક્તિની બુદ્ધિ રોકાતી નથી,એકાગ્રતાની શક્તિ કામ નથી કરતી,જેમાં એકાગ્રતા ન હોય તેને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નથી મળતી તેને સુખ ક્યાંથી મળે ? અયુકતનો અર્થ ભગવાનના સ્રોતથી કપાયેલો માણસ,જેમ ઝાડના મૂળિયાં કપાઈ જાય તો પછી હરિયાળી નથી રહેતી,ઝાડ સુકાઈ જાય છે.એટલે મુળીયાથી જોડાયેલા રહેવું જોઈએ,વ્યક્તિના મૂળિયાં પરમાત્મા છે એટલે પરમાત્મા સાથે જોડાયેલા રહેવું જોઈએ.જ્યાં જીવની શક્તિ શ્વાસ દ્વારા પ્રાણવાયુ લે છે, ભોજનથી જીવની શક્તિ લો છો બ્રહ્માડથી ઊંઘમાં આપ શક્તિ મેળવો છો, નવ ગ્રહ,અને સત્તાવીસ નક્ષત્રો થી આવતી ઉર્જા તે સાત રંગોનો પ્રકાશ આપના શરીર પર પડે છે તેનાથી આપનો ઓળો બને છે સૂરજનો પ્રકાશ આપને શક્તિ આપે છે પણ એ બધાથી ઉપર પણ એક શક્તિ છે તે પરમાત્મા બીજથી છોડ અંકુરિત થાય છે,તે વધે છે ,તેને ફૂલ આવે છે પછી ફળ આવે છે એ પ્રકારનો ક્રમ ચાલ્યા કરે છે તેને ચલાવનારી શક્તિ છે પરમાત્મા.તે આપણું મૂળ છે.વેદોમાં કહ્યું છે કે મનુષ્ય એક ચાલતું ફરતું ઝાડ છે.પણ તે ઊંધું ઝાડ છે પાણીમાં દેખાતું ઝાડ ઊંધું હોય છે.મૂળિયાં ઉપર અને ડાળિયો નીચે.તેવુંજ મનુષ્યનું છે માથું અને મોઢું તેના મૂળિયાં અને હાથ પગ ડાળિયો.ઝાડ નીચેથી ખોરાક મેળવે છે મનુષ્ય ઉપરથી ખોરાક અને ઉર્જા મેળવે છે 

આપ ઉપરથી ખાઓ પણ છો અને ઉર્જા પણ ઉપરથી લો છો તેનાથી જોડાયેલું રહેવું જરૂરી છે આકાશમાંથી આવતી ઉર્જા આપના ઇંડોકલાઇન ગ્લેન્સ ઉપર અસર કરે છે તેનાથી આપની ભાવના બને છે.ભાવના પ્રમાણે વિચાર બને છે તેનાથી આપનો મૂડ બને છે કોઈ દિવસ ખરાબ અનુભવાઈ,કોઈ દિવસ ગુસ્સો વધારે આવે કોઈ દિવસ આપ ખુબ ખુશ રહો છો પણ જીવન એટલાથી નથી ચાલતું,જીવનનું એક બીજું રૂપ છે જે નાના બાળકમાં જે ખુબ ભોળો હોય છે તેનું હસવું,રમવું,અને કોઈથી ઝગડો પણ કરી લેવો,બધુજ બાળકમાં ચાલે છે પણ તે એવો અદભુત છે જેમ પાણી પર ખેંચેલી લીટી,તેનો ઝગડો પાણી પર ખેંચેલી લીટી જેવો હોય છે થતાની સાથે પૂરો પણ થઇ જાય છે જેમ છોકરો મોટો થઇ કિશોર અવસ્થામાં પહોંચે છે તેનો ઝગડો રેતી પર ખેંચેલી લીટી જેવો હોય છે પવન કે હવા ચાલતા તે રેતીની લીટીઓ ભૂંસાઈ જાય છે,આપ મોટા થાઓ છો તેમ આપનો અહંકાર વધે છે પછી તે પથ્થર પર ખેંચેલી લીટીનું રૂપ લે છે તે ભુંસાતી નથી આપ જિંદગીભર વેર બાંધીને બેસશો તેનાથી અશાંતિ આવશે 

જ્યાં સુધી તમે બાળક હતા ત્યાં સુધી ભોળા હતા પરમાત્માથી જોડાયેલા હતા.અહીં એ જોવાય છે એક જોડાયેલું સ્ત્રોત છે બીજું જુદું થયેલું સ્ત્રોત છે,આકાશમાં ઊડતી પતંગ જેની કોઈએ નીચે દોરી પકડેલી છે જો તે દોરી કપાઈ જાય તો તે પતંગ કોઈ કામની નહિ.ન જાણે ક્યાં જઈને પડશે અને ફાટી જશે.આપ આસમાનની ઉંચાઈ સ્પર્શી શકો છો પણ જોડાયેલા રહેવું ખુબ જરૂરી છે.બાળકને માફ કરવાનું કોઈ શીખવાડતું નથી તે બધુજ ભૂલી જાય છે નવું અવતરેલું બાળક કોઈથી નજર લગાવતું નથી તે ખુબ ભોળો હોય છે જેમ સંસારની ચેતના વધતી જાય છે તેમ તે તેની આજુબાજુ નજર ફેરવતો જાય છે તેને માની સાથે મમતા બંધાઈ છે તે માં સિવાય કોઈને જોવા માંગતો નથી.થોડો વધારે મોટો થાય છે પિતાની સાથે મમતા બંધાઈ છે.પછી ભાઈ બહેન જોડાઈ છે પછી તેને પણ છોડી તે મોટો થતા ભાઈબંધ સમાજ સાથે જોડાઈ છે.જ્યાં સુધી આપ સરળ રહો છો ત્યાં સુધી ચૈતન્યથી પરમ ચેતના સાથે જોડાયેલા રહો છો,એક બાળકનું હસવું પણ કેટલું મધુર હોય છે.તે બધી બાજુથી સુંદર દેખાય છે તેનો ફોટો ગમે તે બાજુથી લેવાય તો તે સુંદર જ હોય છે,મોટા માટે ફોટોગ્રાફરને કઈ બાજુથી સારો આવશે તે જોવું પડે છે.સીધા અર્થમાં એ જ્યાં સુધી સરળ છો ત્યાં સુધી આપણું જોડાણ પરમ શક્તિ સાથે જોડાઈ છે.એટલે ચિંતક એવું કહે છે કે વિચારે તો બધા છે પણ બધાને સારી રીતે વિચારતા નથી આવડતું જયારે આવડી જાય તો તે જુદી જ વ્યક્તિ બની જાય છે.જો તમે તમારા સ્રોતથી જોડાયેલા હશો,તો ધર્મ, ભાવના જોડાયેલી રહેશે અને તે તમને ખોટું કામ કરતા અટકાવશે,પ્રભુનો કે ધર્મનો તમને ડર રહેશે.આ દુનિયામાં બુદ્ધિ છે અને બુદ્ધિની સાથે ભાવના છે તો વાત બનશે કામ થશે.ડર,કમાઈ,એ બધી ભાવના છે સાપ જોતા ડરની ભાવના આવશે અને સાપથી રક્ષણ થશે,રમકડું જોતા રમવાની ભાવના બાળકને તે તરફ ગતિમાન કરશે.એટલે પોતાની સાથે જોડાયેલા રહેતા સારી ભાવના આવશે,પ્રભુ સાથે જોડાવું એટલે પોતાના આત્મા સાથે જોડાવું,તો સરળતાથી કામ પાર પડશે.પણ એક વાત ધ્યાનમાં રાખવી કે જો તમે દુનિયાથી જોડાશો તો દુર્ભાવનાથી જોડાશો અને ભગવાન કે ધર્મની જોડાશો તો સદભાવનાથી જોડાશો.નકામા માણસો સાથે કોઈની પાસેથી ઝૂંટવી લેવાની ભાવના જાગશે અને સારા માણસોનો સંગ કોઈનું ભલું કરવાની ભાવનાને જન્માવશે.પુરાણી કથાઓમાં શંખ અને લિખિત બે ભાઈઓની કથા આવે છે 

એક ભાઈએ વગર પૂછયે બીજા ભાઈના બગીચામાંથી ફળ ખાઈ લીધું,હવે ભાઈનો ભાઈ ઉપર તો હક હોય પણ રાજા પાસે પહોંચી ગયા અને અપરાધની સજા માટે પૂછયું તો રાજાએ કહ્યું હાથ કાપવાની સજા છે તો તો તેણે કહ્યું તો મારો હાથ કાપો મેં ગુનો કર્યો છે.પણ રાજાએ કહ્યું તમે તો ઋષિ છો ચિંતક છો તે તમારો ભાઈ છે પણ તેણે કહ્યું ન જાણે ક્યાંથી ભાવના આવી અને સુંદર ફળ જોયું અને તોડી લીધું જો તેની સજા હું ન ભોગવું તો કેટલાય જન્મો સુધી તે મારો પીછો કરે જન્મો જન્માંતરના પાપ ધોતા ધોતા કૈક ઠીક થયું હતું.અને આપણા દેશમાં જે ઋષિયોએ સ્મૃતિઓ લખી તેમાં લિખિત અને શંખનું નામ આવે છે.એટલે પોતાના દેશ કે કુટુંબથી જોડાયેલા રહેવા આપની અંદરથી ભાવના જાગે ત્યારે દેશ આગળ વધે છે પ્રગતિ કરે છે. અશાંતિ દુઃખ આપશે શાંતિથી સુખ મળશે.

ભાવના એ વિચારને વારંવાર વિચારતા અથવા વિચારના ઊંડાણમાં ગયા પછીનું રૂપ છે.તેના પછી નું રૂપ તે ભાવનાની આજુબાજુ છવાતું આવરણ છે કે જેનો આકાર ગોળ છે જેને ઓળો કહેવામાં આવે છે સારા વિચારોનો સારો ઓળો હોય છે જેને આપણે પોઝિટિવ થીંકીંગ કરતા મેળવીએ છે જે માનવીના સુખ કે સ્વસ્થતાનું  કારણ છે નેગેટિવ થીંકીંગ માનવીના દુઃખ કે અસ્વસ્થતાનું કારણ છે.એ ઓળો આત્માના વિચારથી બનતું આવરણ છે એટલે આપણે જ આપણા સુખ કે દુઃખનું કારણ છે મંદિર ,ભગવાનની કથા,કે સંતો સાથેનું મિલન કે સત્સંગ એ આત્માથી ઉપર પરમ આત્માના સ્થાનો છે,પરમાત્મા એ સત્ય છે,આત્મા પણ સત્ય છે કે જે અમર છે.એ સ્થાનોમાં સદાય પવિત્ર ઓળો હોય છે આખી દુનિયામાં તે સ્થાનો ઊંચા છે કે જ્યાં પહોંચતા માણસને સદા સુખનો અનુભવ થાય છે દુઃખો દૂર થાય છે માટે હિંદુત્વએ સદા પરમાત્માને ઉંચુ સ્થાન આપી તેની શરણાગતિ સ્વીકારી છે.હિંદુત્વએ પરમાત્માના ચોવીસ અવતારો માન્યા છે જેની વ્યાખ્યા ચિંતકોએ પરમાત્મા શબ્દમાં જ સમજાવી છે ગણતરી કરતા શબ્દનો પહેલો અક્ષર પ એટલે પાંચ,બીજો અક્ષર ર એટલે બે,ત્રીજો અક્ષર મા એટલે સાડા ચાર,ચોથો અક્ષર ત્મા એટલે આઠ અને સાડા ચાર એવી રીતે આખા શબ્દ ‘પરમાત્મા’ નો કુલ સરવાળો ૫+૨+૪ ૧/૨ +૮ +૪ ૧/૨ =૨૪.


સંતોના પબ્લિશ પ્રવચનોમાંથી શુભ વિચારો 

ઈશુના નવા વર્ષ ૨૦૨૨ ની સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત શુભ કામનાઓ

જય શ્રી કૃષ્ણ.









P






Saturday, December 18, 2021

શ્રી દત્તાત્રેય જયંતીની શુભકામના


શ્રી દત્તાત્રેય જયંતીની સહુ દત્ત ભક્તોને શુભકામના 


માગશર માસની પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે આ તિથિએ પ્રદોષકાળમાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો.

ભગવાન દત્તાત્રેય ગુરુવંશના પ્રથમ ગુરુ સાધના કરનારા યોગી હતા. ત્રિદેવોની શક્તિ તેમનામાં હતી.શૈવ મતવાળા તેમને શિવજીનો અવતાર,વૈષ્ણવ તેમને વિષ્ણુનો અવતાર બતાવે છે.

જુદા જુદા ધર્મગ્રંથોમાં તેમની જુદી જુદી ઓરખ બતાવાઈ છે.તેમને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો ભેગો અવતારનું રૂપ બતાવાયું છે ક્યાંક તેમને બ્રહ્માજીના માનસપુત્ર ઋષિ અત્રિ અને અનસૂયાના પુત્ર બતાવવામાં આવ્યા છે.તેમના ભાઈ ચંદ્ર દેવતા અને ઋષિ દુર્વાશા છે.ક્યાંક એવું પણ જાણવા મળે છે કે તેઓ વિષ્ણુ ભગવાનના અંશ અવતાર હતા તેમણે જીવનમાં ગુરુના મહત્વને બતાવ્યું છે ગુરુ વગર ન જ્ઞાન મળી શકે છે ન ભગવાન હજારો સાલો સુધી ઘોર તપસ્યા કરીને તેમણે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને તેજ જ્ઞાન પોતાના શિષ્યોમાં વહેંચી એ પરંપરાને આગળ વધારી.

ગુરુ દત્તાત્રેયે દરેક નાની મોટી વસ્તુમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું.તેમણે પોતાના જીવનમાં મુખ્યત્વે ૨૪ ગુરુ બનાવ્યા જે કીટાણુ,પતંગિયા,જાનવર,માણસ વગેરે હતા.

તેમના ૨૪ ગુરુ કોણ કોણ હતા અને તેઓથી આપણે શું શીખી શકીયે.

પૃથ્વી : સહનશીલતા અને પરોપકારની ભાવના પૃથ્વીથી શીખી શકીયે છીએ.પૃથ્વી પાર લોકો કેટલાય પ્રકારના આઘાત કરે છે,કેટલાય પ્રકારના ઉત્પાત થાય છે,કેટલાય પ્રકારના ખનન કાર્ય થાય છે પરંતુ પૃથ્વી દરેક આઘાતને પરોપકારની ભાવનાથી સહન કરે છે.

પિંગલા વેશ્યા : પિંગલા નામની વેશ્યાથી ભગવાન દત્તાત્રેયે સબક લીધો કે ફક્ત પૈસા માટે જીવવું ન જોઈએ.પિંગલા પૈસા મેળવવા માટે કોઈ પણ પુરુષ સામે એવી નજરથી જોતી હતી કે તે ધનવાન છે અને તેની પાસેથી ધન મળશે.ધનની કામનાથી તે સુઈ શકતી ન હતી.જયારે એક દિવસ પિંગલા વેશ્યાના મનમાં વૈરાગ્ય જાગ્યો ત્યારે તેને સમજાયું કે પૈસામાં નહિ પણ પરમાત્માના ધ્યાનમાં સાચું સુખ છે ત્યારે તેને સુખની ઊંઘ આવી.

કબૂતર : કબૂતરોનું જોડું બચ્ચાને જાળમાં ફસાયેલા જોઈને જાતે પણ જાળમાં ફસાઈ જાય છે.તેનાથી તે બોધ મળે છે કે કોઈથી વધારે પડતો મોહ દુઃખનું કારણ બને છે.

સૂર્ય : સૂર્યથી દત્તાત્રેય શીખ્યા કે જેવી રીતે એકજ હોવા છતાં સૂર્ય જુદા જુદા માધ્યમોથી જુદો જુદો દેખાય છે.આત્મા પણ એક જ છે પણ કેટલાય રૂપોમાં દેખાય છે.

વાયુ : જેવી રીતે સારી અથવા ખરાબ જગ્યાએ જવા છતાં પણ વાયુનું  મૂળ રૂપ સ્વચ્છતા જ છે.તેવી રીતે સારા અથવા ખરાબ લોકો સાથે રહેવા છતાં પણ આપણે આપણું સારાપણું છોડવું ન જોઈએ.

હરણું: હરણ કૂદાકૂદ,મજા મસ્તીમાં એવું ખોવાઈ જાય છે કે તેને પોતાની આજુબાજુ વાઘ કે બીજા હિંસક પ્રાણી હોવાની ખબર પડતી નથી અને તે માર્યું જાય છે.તેનાથી એ શીખવા મળે છે કે આપણે ક્યારેય મોજ મસ્તીમાં બેપરવા રહેવું ન જોઈએ.

સમુદ્ર : જીવનની ભરતી ઓટ માં પણ ખુશ અને ગતિશીલ રહેવું જોઈએ.

પતંગિયું : જેમ પતંગિયું આગ કે દીવાની જ્યોત તરફ આકર્ષાય સળગી જાય છે.એવી રીતે રૂપ રંગના આકર્ષણમાં અને જુઠા મોહમાં બહેકી જવું ન જોઈએ.

હાથી : હાથી હાથીણીના સંપર્કમાં આવતા જ તેના તરફ આસક્ત થઇ જાય છે.હાથીથી શીખવા મળે છે કે સન્યાસી અને તપસ્વી પુરુષે સ્ત્રીથી ખુબ દૂર રહેવું જોઈએ.

આકાશ : દત્તત્રેયે આકાશથી શીખ્યું કે દરેક દેશ,કાળ,પરિસ્થિતિમાં લગાવથી દૂર રહેવું જોઈએ.

પાણી : દત્તાત્રેયે પાણીથી શીખ્યું કે આપણે કાયમ પવિત્ર રહેવું જોઈએ.

છાપરામાંથી મધ કાઢનારા : મધ માખીઓ મધ ભેગું કરે છે અને એક દિવસ મધ કાઢનારો છાપરામાંથી બધુજ મધ લઇ જાય છે.એ વાતથી શીખવા મળે છે કે જરૂરતથી વધારે વસ્તુઓ ભેગી કરીને રાખવી ન જોઈએ.

માછલી : આપણે સ્વાદથી લોભી ન થવું જોઈએ.માછલી કોઈ કાંટામાં ફસાવેલા માસને ખાવા જાય છે અને અંતે પ્રાણ ગુમાવે છે.આપણે સ્વાદને બહુ મહત્વ ન આપવું જોઈએ,એટલુંજ ખાવું જેટલું આપણી તબિયત માટે અનુકૂળ હોય.

કુરર પક્ષી : કુરર પક્ષીથી શીખવું જોઈએ કે ચીજોને પાસે રાખવાનો વિચાર છોડી દેવો જોઈએ.કુરર પક્ષી માસના ટુકડાને ચાંચમાં દબાવ્યા કરે છે પણ તેને ખાતું નથી.જયારે બીજા બળવાન પક્ષી તે માસના ટુકડાને જુએ છે તો તે કુરર પાસેથી ઝૂંટવી લે છે માસનો ટુકડો છોડ્યા પછી જ કુરરને શાંતિ મળે છે.

બાળક : નાના બાળકથી શીખ્યા કે હંમેશા ચિંતામુક્ત અને પ્રસન્ન રહેવું જોઈએ.

આગ: આગ પાસેથી દત્તાત્રેયે શીખ્યું કે કોઈ પણ હાલત હોય અમારે તે હાલતમાં ઢળી જવું ન જોઈએ.આગ જુદા જુદા લાકડાઓની વચ્ચે રહેવા છતાં પણ એક જેવીજ દેખાય છે.અમારે પણ દરેક હાલતમાં એક જેવું  જ રહેવું જોઈએ.

ચંદ્રમા : આત્મા લાભ હાનિથી દૂર છે તેમ જ જેમ ઘટવા કે વધવા થી પણ ચંદ્રમાની ચમક અને ઠંડક બદલાતી નથી હંમેશા એક જેવી જ રહે છે.આત્મા પણ કોઈ પણ પ્રકારના લાભ કે હાનિથી બદલાતી નથી.

કુમારી કન્યા : કુમારી કન્યાથી શીખવું જોઈએ કે એકલા રહેવા છતાં કામ કરતા રહેવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ.દત્તાત્રેયે એક કુમારી કન્યા જોઈ જે અનાજ ખાંડી રહી હતી.અનાજ ખાંડતી વખતે તેની બંગડી અવાજ કરી રહી હતી.બહાર મહેમાન બેઠા હતા તેને બંગડીના અવાજથી પરેશાની થતી હતી.ત્યારે તે કન્યાએ  બંગડીનો અવાજ બંધ કરવા બંગડી જ તોડી નાખી,બંને હાથોમાં બસ એક એક બંગડી રહેવા દીધી.તેના પછી તે કન્યાએ અવાજ કર્યા વગર અનાજ ખાંડી લીધું.અમારે પણ બીજાને પરેશાન કર્યા વગર અને શાંત રહીને કામ કરતા રહેવું જોઈએ.

શરકૃત અથવા તીર બનાવનાર : અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં રાખવું જોઈએ.દત્તાત્રેયે એક તીર બનાવનારને જોયો જે તીર બનાવવામાં એટલો મશગુલ હતો કે તેની પાસેથી રાજાની સવારી નીકળી ગઈ પણ તેનું ધ્યાન ભંગ ન થયું.

સાપ : દત્તાત્રેયે સાપથી શીખ્યા કે કોઈ પણ સન્યાસીએ એકલા જ જીવન પસાર કરવું જોઈએ.સાથે જ ક્યારે પણ એક સ્થાને રોકાઈને ન રહેવું જોઈએ.બધી જગ્યાથી જ્ઞાન ભેગું કરવું જોઈએ અને જ્ઞાન વહેંચતા રહેવું જોઈએ.

કરોળિયો: કરોળિયાથી દત્તાત્રેય  શીખ્યા કે ભગવાન માયાજાળ રચે છે અને તેને મિટાવી દે છે.જેવી રીતે કરોળિયો જાળ બનાવે છે તેમાં ફરે છે અને છેલ્લે જાતેજ ગળી જાય છે.બસ તેમ જ ભગવાન પણ માયાથી સૃષ્ટિની રચના કરે છે અને છેલ્લે તેને સમેટી લે છે.

ભૃંગી જંતુ : આ જંતુથી દત્તાત્રેય શીખ્યા કે સારી હોય કે ખરાબ,જ્યાં જેવા વિચારમાં મન લગાવશું,મન તેવુંજ થઇ જાય છે.

ભમરો અથવા મધમાંખી : ભમરાથી દત્તાત્રેય શીખ્યા કે જ્યાં સાર્થક વાત શીખવા મળે તેને ગ્રહણ કરી લેવી જોઈએ.જેમ ભમરા અને મધમાંખી જુદા જુદા ફૂલો પરથી પરાગ લઇ લે છે.

અજગર : અજગરથી શીખ્યા કે અમારે જીવનમાં સંતોષી થવું જોઈએ.જે મળી જાય તેને ખુશીથી સ્વીકારી લેવું જોઈએ.

 શ્રી ગુરુ દત્તાત્રેયની કથા 

હિન્દૂ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનું એક રૂપ માનવામાં આવ્યું છે.ધર્મગ્રંથો પ્રમાણે શ્રી દત્તાત્રેય ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.તે આજન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા એટલે તેઓ સર્વવ્યાપી કહેવાયા.એજ કારણ છે કે ત્રણેય ઈશ્વરી શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના ખુબ જ સફળ,સુખદાયી અને તરત ફળ આપનારી માનવામાં આવે છે.મન,કર્મ અને વાણીથી કરેલી ઉપાસના ભક્તને દરેક મુશ્કેલીઓથી મુક્તિ અપાવે છે.

કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનું સાક્ષાત રૂપ દત્તાત્રેયમાં મળતું હતું.જયારે વૈદિક કર્મોનો,ધર્મોનો તથા વર્ણવ્યવસ્થાનો લોપ થયો ત્યારે ભગવાન દત્તાત્રેયે તે બધાનો પુનરુદ્ધાર કર્યો હતો.હૈહયરાજ અર્જુને પોતાની સેવાઓથી તેમણે પ્રસન્ન કરીને ચાર વર મેળવ્યા હતા.

પહેલું બળવાન,સત્યવાદી,મનસ્વી,આદોષદર્શી તથા સહભૂજાવાળા બનવાનું,બીજું જરાયુજ તથા અંડજ જીવોની સાથે સાથે આખુંય જગતનું શાસન કરવાના સામર્થ્યનું ,ત્રીજું દેવતા, ઋષિયો,બ્રાહ્મણો વગેરેનું યજન કરવું,તથા શત્રુઑનો સંહાર કરી શકવાનું અને ચોથું ઇહલોક,સ્વર્ગલોક અને પરલોક વિખ્યાત અનુપમ પુરુષને હાથે માર્યા જવાનું.

એકવાર માતા લક્ષ્મી,પાર્વતી તથા સરસ્વતીને પોતાના પતિવ્રતનું ખુબ જ અભિમાન થઇ ગયું.ભગવાને તેમના અહંકારને દૂર કરવાને માટે લીલા રચી.તે પ્રમાણે એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારંવાર જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનસૂયાની સામે આપનું સતીત્વ કૈજ નથી.

ત્રણેય દેવિયોએ એ વાત પોતાના પતીયોને બતાવી અને તેમને કહ્યું કે અનસૂયાના પતિવ્રતની પરીક્ષા કરે.ત્યારે ભગવાન શંકર,વિષ્ણુ અને બ્રહ્મા સાધુ વેશમાં અત્રિ ઋષિના આશ્રમે આવ્યા. મહર્ષિ અત્રિતે વખતે આશ્રમમાં ન હતા.ત્રણેયે દેવી અનસૂયા પાસે ભિક્ષા માંગી અને તે પણ કહ્યું કે આપે નિર્વસ્ત્ર થઈને અમોને ભિક્ષા આપવી પડશે.

 અનસૂયા પહેલા તો એ સાંભળીને ચોકી ગયા,પણ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરથી તેમણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ માસના બાળક બની જાય.

એવું બોલતાંજ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા,ત્યારે અનસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઇ સ્તનપાન કરાવ્યું અને પારણામાં ઝુલાવવા લાગ્યા.જયારે ત્રણેય દેવો પોતાના સ્થાન પર ન પહોંચ્યા તો દેવિયો પરેશાન થઇ ગઈ.ત્યારે નારદે ત્યાં આવી બધી વાત બતાવી.ત્રણેય દેવીઓ અનસૂયા પડે આવ્યા અને ક્ષમા માંગી.ત્યારે દેવી અનસૂયાએ ત્રિદેવને તેમના પૂર્વ રૂપમાં ફેરવી દીધા.

પ્રસન્ન થઇ ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશથી આપના ગર્ભથી પુત્ર રૂપથી જન્મ લઈશું.ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા,શંકરના અંશથી દુર્વાશા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો.કાર્તવીર્ય અર્જુન 

(કૃતિવર્યનો મોટો પુત્ર ) ના દ્વારા શ્રી દત્તાત્રેયે લખો વર્ષો સુધી લોક કલ્યાણ કરાવ્યું હતું.કૃતિવર્ય હૈહયરાજ નું મૃત્યુ ના ઉપરાંત તેનો પુત્ર અર્જુનનો રાજ્યાભિષેક થવાથી ગર્ગ મુનિએ તેને કહ્યું હતું કે તારે દત્તાત્રેયનો આશ્રય લેવો  જોઈએ કેમકે તેમના રૂપમાં વિષ્ણુએ અવતાર લીધો છે.

એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગાસ્નાન માટે આવે છે માટે ગંગા મૈયાના કિનારે દત્ત પાદુકાની પુંજા કરવામાં  આવે છે.ભગવાન દત્તાત્રેયની પુંજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે.તેમને ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે.

ગુજરાતમાં નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે જ્યાં સતત ૭ હપ્તા સુધી ગોળ,મગફળીનો પ્રસાદ આપવાથી બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે.

દત્તાત્રેયનો મંત્ર છે 

ૐ દ્રામ દત્તાત્રેયાય નામ : !!


ગુરુદેવ દત્ત 


(એક પબ્લિશ  લેખ પરથી ટૂંકમાં દત્ત જયંતિ નિમિત્તે )

 




 





Saturday, December 11, 2021

હે કૃષ્ણ ગોપાલ હરિ

 હે કૃષ્ણ ગોપાલ હરિ 



હે કૃષ્ણ ગોપાલ હરિ,હે દીનદયાલ હરિ (૨) 

તુમ કરતા તુમ હી કારણ 

હે પરમ કૃપાળુ હરિ,હે દિન દયાળ હરિ 

હે કૃષ્ણ ગોપાલ……

રથ હાંકે તું રણભુમિમેં ઔર કરમ યોગકે મર્મ બતાયે 

અજર અમર હૈ કરમ તત્વ યે,કાયાકે દુઃખ સુખ સમજાયે 

સખા સારથી શરણાગત કે (૨) 

સદપત પાલ હરિ,હે દીનદયાલ હરિ 

હે કૃષ્ણ ગોપાલ …….

શ્યામકે રંગમેં રંગ ગઈ મીરારસ, ખાન તો રસકી ખાન હુંયે 

જગ સે આંખે બન્દ કરી તો,સુરદાસને દરસ કિયે 

માટે યશોદા બ્રિજનારી કે (૨) માખન ચોર હરિ હે દીન દયાલ હરિ 

હે કૃષ્ણ ગોપાલ …….(૨)


જય શ્રી કૃષ્ણ