Sunday, January 11, 2026

સંત જલારામ બાપા

 સંત જલારામ બાપા 

સંત શ્રી જલારામબાપા સન ૧૭૯૯ માં કારતક માસની સાતમે ગુજરાતમાં રાજકોટ જિલ્લાના વીરપુર ગામે પિતા શ્રી પ્રધાન ઠક્કર તથા  માતા રાજબાઇ ઠક્કર ને ત્યાં જનમ્યા હતા,તેઓનો પરિવાર લોહાણા હતો, પૂજ્ય શ્રી જલારામ બાપા ભગવાન રામના ભક્ત હતા. તેઓ પૂજ્ય પિતાશ્રી ના ધંધાની જવાબદારી સંભાળતા, ખાસ કરીને તેઓ યાત્રાળુ, સાધુઓ અને સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા. તેઓ તેમના પિતાશ્રીના ધંધાથી જુદા થયા ત્યારે તેમના 

.કાકા વાલજીભાઈએ તેમને અને તેમની પત્ની વીરબાઈ સાથે તેમના ઘરમાં રહેવાનું કહ્યું .

પૂજ્ય શ્રી બાપા સોળ વર્ષની ઉંમરે ૧૮૧૬ માં આટકોટના શ્રી પ્રાગજીભાઈ ઠક્કર ના પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયા.તેઓએ પોતાની જીવન શૈલી ભૂખ્યા તથા ગરીબોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં બદલી કાઢી જેમાં વીરબાઈએ સંપૂર્ણ સાથ નિભાવ્યો.

૧૮ વર્ષની ઉંમરે હિન્દૂ પવિત્ર સ્થળોની યાત્રા પુરી કર્યા પછી ફતેહપુરના ભોજા ભગત પાસે આવ્યા જ્યાં તેમને શિષ્ય તરીકે સ્વીકાર થયો અને તેમને રામ નામનો ગુરુમંત્ર અને જપમાળા તેમના ગુરુ શ્રી ભોજલરામે આપ્યા. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘ સદાવ્રત’ અન્નભંડાર ખોલ્યું જ્યાં ભૂખ્યા,સંતો,સાધુઓને ગમે તે સમયે ખાવા માટેની સગવડ કરવામાં આવી. 

એક દિવસ એક સાધુ તેમને ત્યાં આવ્યા રામભક્તિની વાત સાથે તેમને કહ્યું રામભક્ત હનુમાન તથા રામભક્તો જલ્દી આવશે, શ્રી જલારામ બાપાએ શ્રી રામને કુટુંબના દેવ માન્યા અને થોડા સમયમાં હનુમાન ભક્તો બધેથી આવ્યા પછી સીતામાતા અને લક્ષમણ પણ દેખાયા આ એક અલૌકિક હતું ,તેમના ઘરમાં જ્યાં સદાવ્રત માટે અનાજ રખાતું તે ભંડાર પણ ઉભરાઈ ગયો,પછી તો ગામના બીજા ભક્તો અને ગામના લોકો માનવ કલ્યાણના તેમના ભગીરથ કામ સાથે જોડાઈ ગયા. 

ત્યાર પછી આજ સુધી વીરપુરમાં કોઈ પણ વર્ગની વ્યક્તિને પછી તે હિન્દૂ ,મુસલમાન, ઊંચી કે નીચી જાતિના હોય બધાને એકસરખું ભોજન આપવામાં આવે છે.

એવું કહેવાય છે કે એક વખત એક હરજી નામનો દરજી પેટના ભયંકર દુઃખથી પીડાતો તેમની પાસે આવ્યો અને જલારામ બાપાએ તેને માટે પ્રાર્થના કરી અને તેનું દુઃખ દૂર થઇ ગયું,તે એકદમ તેમના પગમાં પડી ‘ બાપા ‘ બોલ્યો ત્યારથી સંત શ્રી જલારામ, જલારામ બાપા તરીકે ઓરખાવા લાગ્યા. 

જોતજોતામાં તેમના ચાહનારા ખુબ વધ્યા અને લોકો તેમના રોગો મટાડવા તથા મુશ્કેલીયો દૂર કરવા આવતા જલારામ બાપા તેમને માટે ભગવાન રામ પાસે પ્રાર્થના કરતા અને અલૌકિક રીતે તેમના કામ થઇ જતા. હિન્દૂ અને મુસ્લિમો બંને વર્ગ તેમને માનતા.૧૮૨૨ માં જમાલ નામનો એક મુસ્લિમ વેપારીનો દીકરો માંદો પડ્યો અને બધા ડોક્ટરો પાસે તેનો ઈલાજ ન થયો તે વખતે હરજી દરજીએ જમાલને પોતાનો અનુભવ કહ્યો,જમાલે તેના ઘેરથી પ્રાર્થના કરતા કહ્યું કે જો તેનો દીકરો સાજો થઇ જશે તો તે જલારામબાપાના સદાવ્રત માટે ૪૦ બોરી ઘઉં આપશે 

અને તેનો છોકરો સાજો થઇ ગયો એટલે તે ગાડું ભરીને ઘઉં લઇ જલારામબાપા પાસે ગયો અને  સદાવ્રતમા આપતા જલારામ બાપા માટે બોલ્યો ‘ જલા સો અલ્લાહ’

એવું કહેવાય છે કે ભગવાને એક વૃદ્ધ સંતના વેશમાં આવી શ્રી જલારામને કહ્યું કે વીરબાઈને તેમની સેવા માટે મોકલ,જલારામે વીરબાઈને પૂછ્યું પછી તે સંમત થતા સંતની સાથે મોકલ્યા પણ પછી થોડાક માઈલો ચાલ્યા પછી જંગલમાં પહોંચતા સંતે વીરબાઈને કહ્યું કે અહીં તું મારા માટે રાહ જોજે. તે રોકાયા પણ સંત પાછા ન આવ્યા એમણે આકાશવાણી સાંભળી કે ‘ આ તો ફક્ત તમારી જોડીના કેવો આવકાર છે એની ચકાસણી હતી,’ સંતે જતા પહેલા તેમની ઝોળી અને દંડ વીરબાઈ પાસે રવા દીધા હતા,વીરબાઈ તે દંડ અને ઝોળી સાથે લઇ (જે આકાશવાણીના શબ્દો પ્રમાણે ) જલારામ પાસે પાછા આવ્યા. હજુ પણ વીરપુરમાં એક કાચના બોક્સમાં તે દંડ અને ઝોળી દર્શન માટે સંઘરેલા છે. 

જલારામબાપા ૧૮૮૧ માં ફેબ્રુઆરીની ૨૩ તારીખે ૮૧ વર્ષની ઉંમરે દેહાંત થયા. હજુ પણ તેમને માનનારા ભક્તો માને છે કે વીરપુરમાં તેમના માની ન શકાય તેવા પરચા જોવા મળે છે. એક પરચો એવો છે કે તેમના મરણ પછી તેમણે એક બહેનને પાણી પાયું  હતું. 


( વિલકૉપીડીયાના આધારે )


જય જલારામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.



No comments:

Post a Comment