Monday, January 12, 2026

બ્રહ્મમુહૂર્ત

 બ્રહ્મમુહૂર્ત 

બ્રહ્મમુહૂર્ત નો અર્થ બ્રહ્માનો સમય,એ ૪૮ મિનિટનો સમય જે સૂર્યોદય પહેલા એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરુ થાય. એ સામાન્ય રીતે રાતનું મુહર્ત જે સ્પિરિટયુઅલ માટેનો ઉમદા સમય,યોગા માટે અને મેડિટેશન માટેનો ઉમદા સમય, આ સમય દરમ્યાન સ્પિરિટ માટેનું કામ કરાય તે દિવસના બીજા કોઈ સમય કરતા વધુ અસરવાળું હોય.

બ્રહ્મમુહૂર્ત એ રાત્રિની ૧૪ મી કળા છે. એક મુહૂર્ત એ ૪૮ મિનિટનો સમય છે આખી રાત્રી આવા ૧૫ મુહૂર્તમાં વહેંચાયેલી છે.સૂર્યોદય ભૌગોલિક વર્ષના સ્થળ અને સમય પ્રમાણે બદલાય છે અને તેની સાથે બ્રહ્મમુહૂર્તનો સમય પણ બદલાય છે,દા.ત. જો સૂર્યોદય સવારે ૬:૦૦ વાગ્યાનો હોય તો બ્રહ્મમુહૂર્ત સવારે ૪:૨૪ શરુ થાય અને સવારે  ૫:૧૨ વાગ્યે પૂરું થાય.

સંતોના વિચાર 

સ્વામી શિવાનંદ અને સદ્ગુરુ માને છે કે બ્રહ્મમુહૂર્તનાં સમય દરમ્યાન મન પ્રાકૃતિક રીતે સાહજિકપણે ઓછા પ્રયત્ને મેડિટેશનમાં એકાકાર થાય છે.તે વખતે મન પ્રાકૃતિક રીતે શાંત,ચોખ્ખું અને તૈયાર હોય છે.દિવસના અવાજો અને ઘોઘાટોથી ફ્રી હોય છે.મેડિટેશન કરવા બહુ મહેનત કરવી પડતી નથી. તે વખતે ભગવાન સાથે મનને એકાકાર કરવું સહેલું થઇ જાય છે. પ્રાર્થના અને પુંજા બ્રહ્માંડ સાથે બહુ સહેલાઈથી એકાકાર થાય જ્યાં પ્રભુનો વાસ છે. બ્રહ્માંડ સાથે જે અલૌકિક ઉર્જા જોડાયેલી છે તેને સાકાર કરી અનુભવવું સહેલું થઇ જાય છે.જયારે મન બ્રહ્મમાં લિન થાય છે ત્યારે ભક્ત બ્રહ્માંડ તરફથી આવતા મોજાને ગોળાકારે પોતાનામાં ભળતા જોવાનો અનુભવ કરે છે,કોઈ તેજસ્વી ઉર્જા તેની આસપાસ ભ્રમણ કરતી પણ અનુભવાય છે. આત્મા આ સમયમાં પોતાની બ્રહ્મ સાથેની સ્થિતિ અભ્યાસ પ્રમાણે વધારતો જાય છે જે સામાન્ય કરતા ઘણો અલૌકિક હોય છે જ્યાં બ્રહ્મ સાથેના તાર જોડાય છે. જેમાં બીજા યોગિયોં અને આત્માઓના મોકલાતા મોજાઓનો પણ અનુભવ થાય છે. 

 સાધુગુરુ કહે છે બ્રહ્મમુહૂર્ત એ બ્રહ્મનો સમય છે તમે એવી રીતે પણ જોય શકો કે એ સમય જયારે તમોએ તમને બનાવ્યા,એ સમયે કુદરત સાથે ઓતપ્રોત થઇ શકાય. 

પ્રાચીન અષ્ટાંગ હૃદયં માં કહ્યું છે કે આ સમય દરમ્યાન ચાલવાની ક્રિયા ખુબજ લાભદાયક,લાબું આયુષ્ય અને રોગપ્રતિકારક હોય છે.

બ્રહ્મમુહૂર્ત પવિત્ર,જોરદાર અને યુનિક ઓપ્પોર્ટુનિટી રોજ બરોજ વધારે છે દરેક દિવસે અંદર શાંતિ,મનની ચોખ્ખાઈ અને ડિવાઇન સાથેનું ઊંડું જોડાણ થાય છે.


જય શ્રી કૃષ્ણ 


No comments:

Post a Comment