Tuesday, January 13, 2026

શ્રી ભાગવત ગીતાની ૧૮ જ્ઞાનની વાતો

 શ્રી ભાગવત ગીતાની ૧૮ જ્ઞાનની વાતો

 


(૧) યુવાનીમાં જેણે પાપ કર્યા છે તેને વૃદ્ધાવસ્થામાં ઊંઘ નથી આવતી તેને તેઓ પશ્ચાતાપ માં ગુજારે છે.

(૨) ભગવાને જેને સંપત્તિ આપી હોય તેણે ગાય રાખી તેની સેવા કરવી જોઈએ તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.

(૩) જુગાર, દારૂ પીવો, પરસ્ત્રી માટે જવું,હિંસા કરવી,જુથ્થુ બોલવું,અભિમાન, આસક્તિ અને નિર્દયતા એ બધામાં કળિયુગનો વાસ છે એટલે એનું એક બીજું નામ છે ઘોર કળિયુગ.

(૪) અધિકારી શિષ્યને એટલે જે જ્ઞાન મેળવવા માટે મહેનત કરે છે તેને સદ્ગુર (સારા ગુરુ ) જરૂર મળે છે.

(૫) ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યે પોતાના હૃદયને વારંવાર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ,ઈશ્વર સિવાય તેનું કોઈ નથી, સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે તેનું આ બ્રહ્માંડમાં પણ કોઈ નથી જે તેનો સાથ આપશે.

(૬) ભોગમાં ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય છે જયારે એની સાથે ત્યાગમાં સ્થાયી સુખ કે આનંદ મળે છે. 

(૭) શ્રી કૃષ્ણ કહે છે કે સત્સંગ ઈશ્વરની કૃપાથી મળે છે,જયારે કુસંગમાં પડવું પોતાના જ વિચારોનું કારણ હોય છે.

(૮) લોભ અને મોંહ માયા પાપના માતા પિતા કહેવાય છે સાથેજ લોભ પાપનો બાપ જ છે.

(૯) શ્રી કૃષ્ણ કહે છે કે સ્ત્રીનો ધર્મ છે કે તુલસી અને પાર્વતીની પુંજા કરે તેનાથી તેની સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.

(૧૦) મનુષ્યે પોતાના મન અને બુદ્ધિ પર હંમેશા વિશ્વાસ ન કરવો જોઈએ કેમકે તે વારંવાર મનુષ્યને દગો કરે છે,પોતાને નિર્દોષ માનવું એ ઘણો મોટો ગુનો સાબિત થાય છે.

(૧૧) પતિ પત્ની પવિત્ર સંબંધ બનાવી રાખે તો પ્રભુ તેમના ઘેર જન્મ લેવાની ઈચ્છા રાખે છે.

(૧૨) ભગવાન એ બધી કસોટીયો પર કસી કસીને ઓરખી મનુષ્યને સ્વીકારે છે એટલે મનમાં ખોટા વિચારો ન લાવવા જોઈએ કાયમ અને બીજાની સાથે પ્રેમભાવથી રહેવું જોઈએ.

(૧૩) સુખ તેમજ આનંદ કાયમ મનુષ્યમાજ વસે છે પરંતુ મનુષ્ય તેને સ્ત્રી, ઘર અને બહારની સુખ પ્રાપ્તીમાંજ  શોધ્યા કરતો હોય છે. 

(૧૪) શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની ઉપાસના ફક્ત શરીરથી જ નહિ પણ મનથી પણ કરવી જોઈએ.ભગવાનના પ્રણામ તેને પ્રેમબંધનમાં બાંધે છે .

(૧૫) મનુષ્યની વાસના જ તેના પુનર્જન્મનું કારણ બને છે.

(૧૬) મનુષ્ય ઇન્દ્રિયોને આધીન રહે છે એટલે જ તેને જીવનમાં વિકાર અને મુશ્કેલીયો આવે છે.

(૧૭) મનુષ્યમાં ધીરજ,સદાચાર,સ્નેહ અને સેવા જેવા ગુણો સત્સંગ વગર આવતા નથી.

(૧૮) શ્રી કૃષ્ણ કહે છે વસ્ત્ર મેલા થતા શરીર પરથી બદલાય છે બસ તેવી જ રીતે મન અને હૃદયમાં મેલ આવે તો તેને કાઢી નાખવો જોઈએ.


જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment