Saturday, February 21, 2026

ડર છોડો

 ડર છોડો 

 


ડર છોડો કેમકે ડર તમને અંદરથી કમજોર કરી નાખે છે 

શ્રી કૃષ્ણ કહે છે - જયારે તમે ડરો છો ત્યારે તમે તમારી શક્તિ પર શક કરવા લાગો છો.જીવનની દરેક પરીક્ષા તમને મજબૂત કરવા આવે છે કમજોર કરવા નહિ. જે થયું તેનો સ્વીકાર કરો,જે છે તેના પર ભરોષો રાખો,અને જે આવવાનું  છે તેને મારા ચરણોમાં સોંપી દો.

અંધકાર ભલે ગમે તેટલો ગહન હોય એક દીવાની જ્યોત તેને ચીરી નાંખે છે રડો નહિ, થાકો નહિ અને હાર ન માનો.દુનિયા ભલે તમારો સાથ છોડી દે હું તે એકે એક પળ તમારી સાથે છું.ડર છોડો અને કર્મ કરતા રહો.

 જેણે તમારો સાથ છોડ્યો તેને જવા દો,કેમકે જે પોતાનું છે તે ક્યારેય દૂર જતું નથી.આંસુ વહેવા એ કમજોરી નથી આત્માની સફાઈ છે.મારા પર વિશ્વાસ રાખો હું દરેક પરીક્ષા પછી જવાબ આપીશ.છેલ્લે પ્રેમ જ સત્ય છે અને હું પ્રેમ છું. 

જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment