Monday, August 4, 2025

આપણા ‘હું’ નું (ખરું )સ્વરૂપ આનંદમય છે.

 આપણા ‘હું’ નું (ખરું )સ્વરૂપ આનંદમય છે.


 


આપણી ઇચ્છિત વસ્તુ મળે એમાં સમાધાન છે જ એવું નથી. એ ઇચ્છાનો જ નાશ કરવો તેમાં સમાધાન છે.ઈચ્છાઓ નાશ પામી જાય ત્યારે જ સમાધાન થાય. એટલે વાસનાક્ષય કેમ કરીને થાય તે જોવું જોઈએ, એ તરફ લક્ષ્ય આપવું જોઈએ. ખરા આનંદ અને સમાધાન ભગવાનના બનવામાં જ છે. ‘ભગવાન,તારા સિવાય મારુ કોઈ નથી’ એ જે દિવસે મનમાં પાકું ઠસી જશે તે જ દિવસે સમાધાન મળશે.જેટલો વિષયનો પ્રેમ રાખીયે એટલું દુઃખ જ પનારે પડે છે. વિષય સુખ ન માંગતા પણ આવે છે. પણ જે પરમાર્થની આડે આવે છે તે શા માટે માંગતા રહેવું ? મારી પૂંઠે રામ છે એમ કહ્યું,તો સંસારમાં વિષયોમાં રહ્યા તો પણ બીવાનું કારણ નથી.ભગવાનનો આધાર કાયમ રાખ્યો તો પછી ભય લાગતો નથી. હંમેશા અનુસંધાનમાં રહીયે તો તે ‘સાવધ ‘ રહેવા જેવું જ થયું.


દિવાળી એ આનંદનો દિવસ છે. પણ (દિવસ તરીકે ) તે બીજા દિવસો જેવો જ છે.એટલું જ નહિ પણ, આગલા દિવસની પરિસ્થિતિ બદલાતી નથી. દિવાળીનો દિવસ એ દિવસના નાતે જુદો નથી. પણ કાલે આપણે જે કર્યું તે દિવાળીના દિવસે કરતા નથી એજ મુખ્ય ફરક છે.(એટલે) આપણે જ દિવાળીના દિવસને આનંદનો દિવસ બનાવીયે છીએ. એ જો ખરું તો હંમેશ જ આપણે એવું કાં ન કરીએ ? આપણે હંમેશા જ દિવાળી માનીયે,આપણે હંમેશા જ આનંદમાં રહીયે, અને એ માટે આનંદમય એવા ભગવાનનો આધાર લઈએ. દિવાળીના તહેવારનો લાભ લઈને આપણે આનંદ જ આનંદ કરીયે છીએ. તો જે આનંદ નિર્માણ કરે છે એ ભગવાનના જ આશ્રયે હંમેશા કાં ન રહીયે ? ભગવાનનો આનંદ એ અતિ બળવત્તર છે. તે એકવાર મળી ગયો તો સંસારમાના લાભ-હાનિનું મહત્વ લાગતું નથી. ભગવાનનું સ્વરૂપ મૂળમાં જ આનંદમય છે.એવા આનંદમય ભગવાન આપણી અંદર રહેલા હોવા છતાં આપણે દુઃખ ભોગવીએ છીએ.એનું કારણ ભગવાનને પ્રગટ થવામાં આપણે જ આપણી અંદર અડચણ ઉભી કરીયે છીએ. આપણી અંદર ભગવાન તો છે જ, પણ તેની સાથે સાથે ‘હું’ પણ છે. આ ‘હું’ કોણ તે જાણવા માટે. ઇંદ્રિયોની ગરબડ શાંત કરીને ( આપણી) અંદર આપણે આનંદની શોધ કરીયે. તો આપણે એ ‘હું’ નું સ્વરૂપ પણ આનંદમય હોવાનો અનુભવ આવશે. આવી રીતે પરમાત્માની ઓરખાણ કરી લેવી એમાં જીવનની ખરી શરૂઆત છે. અને પરમાત્મામાં વિલીન થઇ જવું એમાં જીવનનું સર્વસ્વ છે.


(એક પબ્લિશ્ડ પોસ્ટ) 


No comments:

Post a Comment