મોત જ્યારે આવશે
મોત જ્યારે આવશે, તેને પાછું નહિ વાળી શકો (૨)
માટે જીવો એવી જિંદગી કે મોતને પણ માણી શકો
એવા જન્મ મરણના ચક્રને,નહિ તમે થોભાવી શકો (૨)
વસંતે ખીલવું ગમે,તો ના પાનખરને ટાળી શકો
માટે જીવો એવી …….
સત્કર્મ કરીને બસ તમે સમયને સાંધી શકો (૨)
ઘડી પહેરી હાથમાં, નહિ વખતને બાંધી શકો,
માટે જીવો એવી ..,,,,,,,
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment