Wednesday, September 24, 2025

મોત જ્યારે આવશે

 મોત જ્યારે આવશે 


મોત જ્યારે આવશે, તેને પાછું નહિ વાળી શકો (૨)

માટે જીવો એવી જિંદગી કે મોતને પણ માણી શકો 


એવા જન્મ મરણના ચક્રને,નહિ તમે થોભાવી શકો (૨)

વસંતે ખીલવું ગમે,તો ના પાનખરને ટાળી શકો 

માટે જીવો એવી …….


સત્કર્મ કરીને બસ તમે સમયને સાંધી શકો (૨) 

ઘડી પહેરી હાથમાં, નહિ વખતને બાંધી શકો,

માટે જીવો એવી ..,,,,,,,

જય શ્રી કૃષ્ણ 

Sunday, September 21, 2025

નવરાત્રીની શુભકામનાઓ


નવરાત્રીની શુભકામનાઓ


 


 કાલથી શરુ થતા માતાજીના નવરાત્રીની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ 

માતાજી સહુનું ભલું કરે,

-જય માં જગદંબે 

Wednesday, September 17, 2025

હે કરુણાના કરનારા

 હે કરુણાના કરનારા 



હે કરુણાના કરનારા ,તારી કરુણાનો કોઈ પર નથી ..(૨) 

હે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પર નથી ..(૨) 


મેં પાપો કર્યા છે એવા,હું તો ભુલ્યો તારી સેવા..(૨) 

મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાંનો કોઈ પર નથી ..(૨) 

હે કરુણાના……..


હું અંદરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી

અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પર નથી 

હે કરુણાના…..


હે પરમ કૃપાળુ હાલા,મેં પીધા વિષના પ્યાલા,

વિષને અમૃત કરનારા,તારી કરુણાનો કોઈ પર નથી 

હે કરુણાના કરનારા….


કદી છોરું કછોરું થાયે, તું મહાવીર કહેલાયે,

 મીઠ્ઠી છાયા દેનારા,તારી કરુણાનો કોઈ પાર નથી.

હે કરુણાના…..


મને જડતો નથી કિનારો,મારો ક્યાંથી આવે આરો,

મારા સાચા કેવનહારા,તારી કરુણાનો કોઈ પાર નથી. 

હે કરુણાના….


છે મારુ જીવન ઉદાસી,તું શરણે લે અવિનાશી,

મારા દિલમાં હે રંગારા, તારી કરુણાનો કોઈ પાર નથી. 

હે કરુણાના…..

હે સંકટના હરનારા……


જય શ્રી કૃષ્ણ 


Monday, September 15, 2025

કાગવાસ શું કામ...... ?

 કાગવાસ શું કામ...... ?

         


  વડ કે પીંપળા.. નાં ટેટા  ગમેતેટલા...રોપશો તો પણ તે નહિ ઉગે.

 પ્રકૃતિ પરમાત્માએ આ બે અતિ મહત્વના વૃક્ષ ઉગાડવા ...માટે અલગ ગોઠવણ કરી છે.

(પીપળ માટે તો ગીતામાં ભગવાને કહ્યું છે કે વૃક્ષ માં પીપળ હું છું)

   આ પીપળ-વડ બન્નેના ફળ( ટેટા..)  કાગડા ખાય...અને એમની ..હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે ફળ(બીજ) ઉગવા .. લાયક થાય છે તે સિવાય નહિ .માટે તો ધાબે..દીવાલનીકોટે...

જ્યાં જ્યાં કાગડો વિષ્ટા કરે ત્યાં ત્યાં આ બન્ને ઝાડ ઉગે છે.

    પીંપળો...એકમાત્ર વૃક્ષ છે... જે સૂર્યોદય  પહેલાં અને સૂર્યાસ્ત પછી દોઢ પ્રહર સુધી ઓક્સિજન ..આપે છે.

    વડને જમીની અને હવાઈ(વડવાઈ) એમ બે પ્રકારના મૂળ છે.

    આ વડવાઈ 100 ગજના વર્તુળનો ભેજ શોષી લૈઈ હવાને સૂકી રાખે છે... અસ્થમા જેવા... ફેફસાંના રોગ ન થાય એટલે તો વડીલો આ વૃક્ષ(વડ) નીચે બેસે . (*વડીલો આ ઝાડ નીચે બેસે એટલે તો તે વડલો કહેવાયો.*) 

હા, વડ ના ઔષધીયગુણો અપાર છે.

    આ  *અતિ મહત્વના* વૃક્ષો .... કાગડાની મદદ વગર ઉગાડવા શક્ય નથી. 

     માટે આપણા સ્વાર્થ માટે પણ કાગડાઓને કોઇ પણ ભોગે બચાવવા પડે.

      કાગડાના ઈંડામાંથી ભાદરવામા બચ્ચા બહાર આવે તો એને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે.

માટે ઋષિઓએ ..કાગડાનાબચ્ચાઓ

 .ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધપક્ષમાં *કાગવાસ*  ની ગોઠવણ કરી. જેથી કાગડાની   નવી પેઢી ઉછરી જાય.

  બીજું  *કાગડા ઘરની આસપાસની ગંદકી બારે માસ ખાઈને સફાઈ કરે છે એટલે તે ઋણ ચૂકવવા પણ ખીરની કાગવાસ નાખીએ છીએ*

      મગજ  દોડાવ્યા વગર પિતૃઓમા આસ્થા રાખી શ્રાદ્ધ કરજો.... પ્રકૃતિનાં રક્ષણ માટે !!

  *ધ્યાન રહે.....*

આપણી સનાતન સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓ/ઉત્સવોમાં પ્રકૃતિ *વિજ્ઞાન જોડાયેલ છે*.


   કાગવાસ નાખીએ..

 *કાગડા જીવાડી આપણે પણ જીવીએ* 

( એક પ્રસ્તૂત લેખ)